Traffic Control –

‘તારી મા…..#***#*#*#, …..હમણાં… ઠોકી દેત ! #***#*#*#, તારો બાપ…, ગાડી દેખાતી નથી, વાહન ચલાવતા ન આવડતું હોય શું મા … #***#*#*#…. ગાડી લઈને નીકળી પડો છે……… આ જમાદારો ય …#***#*#*#… પૈસા ઉઘરાવવામાં પડ્યા છે…….

BUN270213STP2_t460

સુરતી મિત્રો #***#*#*# ની જગ્યાઓ પુરી લેશે, પણ આ સુરતી સરસ્વતી એક મિત્ર સાથે કારમાં જતાં એક જંકશન પર એક બાઈકવાળાએ ‘કટ’ મારીને બાઈક ભગાવી ત્યારે બાજુમાં બેસીને સાંભળી.

અમે શાંતિથી મિત્રના વ્યાપારિક પ્રશ્નો અંગે ચર્ચા કરતા જતા હતા, ત્યાં આ ‘કટ’ લાગી અને બધું વિખેરાય ગયું. ‘સાલો….. મગજ ખરાબ કરી ગયો….’ મિત્ર શાંત થઈ ગયા

આ બધુ સામાન્ય છે, આગળ જતાં ફ્લાયઓવર પર ઓછા ટ્રાફીકમાં પણ કારમાં શાંતિ જ રહી અને મારું મન વિચારે ચડી ગયું.

વિદ્યાર્થી પરીક્ષાનું પેપર હાથમાં લઈ ક્યાં ભુલ કરી? શું કરી શકાત ? હવે પછીના પેપર/પરીક્ષામાં કેવી રીતે લખવું તેના અંકોડા મેળવી રહ્યો હોય અને પપ્પા ‘કટ’ મારે, ‘હવે શું પેપર પકડીને બેઠા છો, વાંચવાનું કીધું ત્યારે વાંચ્યુ નહીં.’…. બસ બધું વિખેરાઈ ગયું, થયેલી ભુલની વિશ્લેષણ પ્રકિ્યા અટકી ગઈ, ભવિષ્યનું પ્લાનીંગ ભુંસાય ગયું અને શરું થયું – ક્યાં કોઈ દી’ શાંતિથી વાંચવા દો છો ? વાંચવા બેઠા નથી કામ સોંપ્યુ નથી ! ચોપડીઓ પણ પસંદગીની આવતી નથી, બીજાના પપ્પાઓના દાખલા લો છોકરાને કેવી રીતે ભણાવે છે ?’….. બસ…. ભુલની વાત, નવી રીત શોધવાની વાત, ભવિષ્ય બધું આડે પાટે ચડી ગયું.

વીકીપેડીયાના રોડ ટ્રાફીક કન્ટ્રોલના પેરેગ્રાફનો નવો અવતાર જુઓ –

Traffic control is an indoor (outdoors) occupation, night or day for long hours in all weathers, and is considered a dangerous occupation due to the high risk of being wander (struck) by passing thoughts (vehicles). Aims and decisions (Safety equipment) is vitally important. Stress and Deprassion (Fatigue) is a big issue, as tired brain (TC’s) may forget to watch their though process (traffic), or may inadvertently turn their “Stop bats” to the “Slow” position. Many beliefs, prejudices, principles (drivers) are annoyed by the disruption to their route, and some are sufficiently conflicting/confronting (antisocial) as to aim at brain (traffic controllers). Irresponsibility (Other drivers) simply don’t pay enough attention to the road, often from using their instructions by others (mobile (cell-) phones), or because they are tired from a night shift at work.

મુળ પેરેગ્રાફમાં માનસિક શબ્દોને ફીટ કરવા પ્રયત્ન કર્યો છે.

રોડ ટ્રાફીક જેવું જ આપણા મગજનું છે. રોડ પર જતા વાહનોની લંગારની જેમ વિચારોનો અવિરત પ્રવાહ મગજમાં ચાલતો રહે છે. ટ્રાફીક કન્ટ્રોલરની જેમ આપણું જાગૃત મગજ આ વિચારોનું નિયમન કરતું રહે છે. ક્યાંક ખોટું થતું લાગે તો સિગ્નલ આપતું રહે છે. આ સિગ્નલ માનવા, ન માનવાનું યુધ્ધ પણ, જુના વિચારો, માન્યતાઓ, સિધ્ધાંતો. પુર્વગ્રહોના કારણે ચાલતું રહે છે. અર્ધજાગૃત મન ટ્રાફીક કેમેરાની જેમ રોડ પર જે જઈ રહ્યું છે તેનું રેકોર્ડીંગ કરતું રહે છે. (ભવિષ્યમાં જરુર પડે ત્યારે મેમરી ચીપમાંથી પ્રોસેસીંગ માટે ડેટા પુરો પાડે છે.)

નક્કી તમારે કરવાનું છે કે તમારા ટ્રાફીક કન્ટ્રોલરને ડે એન્ડ નાઈટ ડ્યુટી કરાવવી છે ? કે વીકએન્ડની મજા કરાવવી છે ? કે ડેઈલી મેડીટેશન દ્વારા રજા આપવી છે કે કેમ ?

યાદ રાખજો, તમારો ટ્રાફીક કન્ટ્રોલર તાજોમાજો રહેશે તો ‘રોડ ટ્રાફીક’ યોગ્ય રીતે ગતિમાં રહેશે…

સફળતા – કોની દ્રષ્ટિએ ?

ગઈકાલે શ્રી વિપુલભાઈએ મુકેલ શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય નો એક વીડિયો જોયો. કોઈ સ્કુલમાં એમનું સંબોધન સક્સેસ ના સંદર્ભમાં હતું. તેમણે સવાલ ઉઠાવ્યો – ‘સક્સેસ, પણ કોની દ્રષ્ટિએ’, લોકો કહે છે આ શિખર પર છે, પણ આ શિખર કોણ નક્કી કરે તે મહત્વનો સવાલ છે’

હા ! ખરેખર મહત્વનો સવાલ છે. મારા માટે તમે નક્કી કરો એ કેવું ?

સફળ માનવી જ્યારે સફળતાના શિખરે (?) પહોંચે ત્યારે એ શિખર, કોણે નક્કી કર્યું કે ‘આ શિખર છે’

What-is-success

(With thanks – http://www.anandanpillai.com/what-does-success-mean-to-you-and-me/)

આ સફળતા પણ સાપેક્ષ છે. હું જેને સફળતા માનું તે અન્ય માટે અસફળતા પણ હોય શકે. ‘મોટીવેશનલ ટ્રેઈનરો’ સામાન્ય રીતે જ્યારે પણ સફળતાની વાત કરે ત્યારે સામાજીક રીતે સફળ થયેલા મહાનુભાવોના ઉદાહરણો આપે. આ વિડીયો ક્લીપમાં પણ ગાંધીજીના સત્યની વાત કરી – ગાંધીજી કહે કે મેં ચોરી કરી – તો તાળીઓ પડે અને તમે ઘરમાં કહો કે મેં પોકેટ મની માટે પૈસા લીધા તો તમાચો પડે.

હવે સવાલ એ છે કે ગાંધીજીએ જ્યારે ચોરી કરી હતી ત્યારે પિતાને સાચું કહ્યું હોત તો ? તાળીઓ પડી હોત કે તમાચો ?

સમાજે જ્યારે તેમને ‘મહાત્મા’ તરીકે સ્વીકૃતિ આપી ત્યારે તેમના સત્યને બિરદાવ્યું.

અહીં ‘સમાજે’ અને ‘સ્વીકૃતિ’ શબ્દ મહત્વના છે.

તમને લાગે છે કે અહીં ‘દ્રષ્ટિકોણ’ નક્કી થાય છે ? સફળતા અને નિષ્ફળતાનો આંક સમાજ નક્કી કરે છે. ‘હું સત્ય બોલું છું’ એ મારો જીવનનો સંતોષ છે, આનંદ છે.

ગાંધીજીના જ વિચારો જુઓને !

mahatmagandhi105593

હું હંમેશા પ્રામાણિકતાને વળગી રહ્યો છું, સત્યને વળગી રહ્યો છું જેના કારણે ઓફીસમાં ઘણી પનીસમેન્ટ પણ મળી, ૨૩ વર્ષની નોકરીમાં ૧૧ વર્ષ કુટુંબથી દુર, એવા સમયે રહ્યો કે જ્યારે કુટુંબને મારી ખુબ જરુર હતી. આ શક્ય ક્યારે બન્યું ? જ્યારે મારા પત્ની પણ નોકરી કરતા હતા અને ઘરખર્ચ ચિંતા ન હતી. જો કુટુંબની સર્વ જવાબદારીઓ મારા પર જ હોત તો મારે બાંધછોડ કરવી પડી હોત કે નહીં ? (મારી સફળતા માટે મારા કુટુંબનો ભોગ લઈ શકાય ?) હું મારા જીવનથી સંતોષ પામ્યો, આંતરીક પ્રસન્નતા મળી પણ એમાં કુટુંબ દ્વારા અપાયેલ ભોગ પણ સામેલ છે.

મારી પ્રસન્નતાનો માપદંડ હું નક્કી કરું છું પણ સમાજમાં મારી સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે છે. હું સફળતાના શીખર પર છું એમ ન કહી શકાય, પણ મેં નક્કી કરેલું મેળવતા મને સંતોષ મળ્યો, પ્રસન્નતા મળી એમ કહી શકાય. વિદ્યાર્થીની ‘સફળતા’, અભ્યાસક્રમ માટે નક્કી કરવામાં આવેલા ગુણ પરથી થાય, વિદ્યાર્થીએ પોતે સંતોષકારક લખ્યું તેના પર નહીં. આમ સામાજિક સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે, હું ફક્ત મારો ‘આત્મસંતોષ’ નક્કી કરી શકું.

વર્તમાનપત્રનો ‘સફળ’ કોલમીસ્ટ વાંચકોની ‘નાડ’ પકડીને લખે, એને લખવાનો ‘આત્મસંતોષ’ મેળવવો છે કે કેમ તે પ્રશ્ન છે. કદાચ એવું બને કે તેમના ‘આત્મસંતોષ’નો માપદંડ ‘વાંચકોની સંખ્યા’ હોય. મારા જેવા બ્લોગર પોતાના ‘આત્મસંતોષ’ માટે લખે, કોઈ વાંચે કે ન વાંચે તેનાથી કોઈ ફરક ન પડે.

ખરેખર તો ‘Achievement’ અને ‘Success’ વચ્ચે ભેદ રેખા દોરી લેવી જોઈએ.

અંગ્રેજી ડીક્શનરીઓ પ્રમાણે જોઈએ તો –

Achievement – a result gained by effort, a great or heroic deed,

Success – the fact of getting or achieving wealth, respect or fame, a performance or achievement that is marked by success, as by the attainment of honour

આ તર્ક પ્રમાણે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રથમ પ્રયત્ન Achievement નો આવે, પછી તે અભ્યાસમાં હોય કે કેરીયરમાં. Achievement ના અંતે ‘આત્મસંતોષ’ આવે.

કેરીયરમાં દાખલ થયા પછી success ના પ્રયત્ન શરુ થાય. Success નો વિચાર આવે ત્યારે સમાજનો વિચાર આવવો જોઈએ કારણ કે તેના માપદંડ સમાજના છે. ફક્ત આત્મસંતોષ કે પોતાની પ્રસન્નતા માટે કરેલા કાર્યોથી સફળતા ન પણ મળે. ગાંધીજી કે ભગતસિંહ જેવા કેટલાય અનામી શહીદો થઈ ગયા હશે, જેમણે પોતાના ‘આત્મસંતોષ’ માટે શહાદત વહોરી હશે.

નક્કી તમારે કરવાનું છે કે –

You want to achieve……

Or

You want to succeed…….

 

Poor Me –

માનવીની લાગણી અને શ્રદ્ધા સાથે ખેલાતો ખતરનાક ખેલ.

‘બેન, ત્રણ દિવસથી કંઈ ખાધું નથી, કાંઈક આપો’ એક હટ્ટોકટ્ટો માણસ ભીખ માગતો નજરે પડે.

‘હજુ સુધી બોણી થઈ નથી, બોણી કરાવો’ મેઈન રોડ ફરતો શાકભાજીવાળો બોલે.

‘મારા પત્ની તો કેટલાય વર્ષથી વ્હીલચેર પર છે, મારે જ બધુ સંભાળવું પડે છે.’ બોસ નવી દાખલ થયેલી પર્સનલ સેક્રેટરીને કહે. (આગળની સ્ટોરી લખવાની જરુર ખરી ?)

આવા જાત જાતના સંવાદો સાંભળવા મળે છે, જેમાં પ્રચ્છન્ન સુર હોય છે –

Poor_me

‘હું બિચારો છું, મને મદદ કરો’

આ એક લાઈફ ગેઈમ છે ને આપણે સૌ જાણેઅજાણે રમતા હોઈએ છીએ. કોઈની પાસે કામ કઢાવવાનું હોય, કોઈ લાભ લેવાનો હોય, જવાબદારીમાંથી છટકવું હોય, જોખમ ન લેવું હોય આવા તો કેટલાય પ્રસંગોએ આ રમત રમાતી હોય છે. ‘હું તો એક ચાયવાલો હતો’ કે ‘હું અમેઠીની વહુ છું’ કે ‘મારા પિતા શહીદ થયા છે’ (ગર્ભિત અર્થ – હું બાપ વગરની છું…) વગેરે ઉચ્ચારણો અન્યની લાગણીને પંપાળીને પોતાનું કામ કઢાવવાના પ્રયત્નરુપ છે. મુળ કેનેડાના માનસશાસ્ત્રી Dr. Eric Berne એ માનવીય સંબધો અને વર્તણુકનો અભ્યાસ કરી આવી ઘણી રમતો વર્ણવી છે. (Games People Play)

માનવી પોતે પણ પોતાની જાત સાથે આવી રમત રમતો હોય છે. કોઈ અઘરું જણાતું કામ કરવાનું આવે ત્યારે મનમાં ને મનમાં ‘મારા જેવાથી આ કામ ક્યાંથી થાય – Poor me’ ધારી કામ હાથ પર લેવાનું માંડી વાળે છે. (આનો થોડો પરીચય ‘સ્વની ખણખોદ’ માં થયેલો છે)

તમને નથી લાગતું કે આ માનસશાસ્ત્રીય રમતોનો અભ્યાસ કર્યો હોય તો જીંદગી કેટલી સરળ બની જાય ?

 

એનર્જી ?

ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન ચાલે છે ત્યાં વચ્ચે ખુબ રસદાયક મસાલો મળી ગયો, આથી પોસ્ટ સંપુર્ણ થવાની રાહ જોય વિના, આટલું તો આપ સૌ સાથે શેર કરી નાખું છું.

સામાન્ય પડવું-આખડવું કે એક્સીડન્ટ અને આહારમાં અનિયમિતતા સિવાયની બીમારીઓ શરીરની ‘એનર્જી ડીસઓર્ડર’નું પરીણામ છે. ઘણી વખત આ ડીસઓર્ડરના કારણે જ પડવા-આખડવાનું કે એક્સીડન્ટ થતા હોય છે. પ્રત્યેક પદાર્થને પોતાની ‘ચેતના’ (Energy) હોય છે. જે સતત પદાર્થમાં ભ્રમણ કરતી રહે છે અને યુનીવર્સલ એનર્જી સાથે એક્સચેન્જ થતી રહે છે. આપણા શરીરમાં પણ આ ચેતનાનો પ્રવાહ વહેતો હોય છે, તેની ચોક્કસ દિશા પણ છે અને શરીરના કેટલાક બિન્દુઓ (acupoints) પર અનુભવી પણ શકાય છે. (‘રેકી’ની પોસ્ટમા ‘એનર્જી બોલ’ ના પ્રયોગનો વીડીયો પણ મુકેલ છે.) આપણા આધ્યાત્મિક વારસામાં ‘ચક્રો’ તરીકે વર્ણવાયેલા છે, ચાઈનીઝ ચિકિત્સામાં એક્યુપંક્ચર અને એક્યુપ્રેસરમાં પણ જુદા જુદા ‘પોઈન્ટ’ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે, પશ્ચિમી જગતના શરીર શાસ્ત્રમાં nerve plexus જ્ઞાન તંતુઓના નેટવર્કનો ઉલ્લેખ છે. આ જ્ઞાન તંતુઓમાં વહેતા શક્તિના પ્રવાહ વિજ્ઞાન ‘ઇલેક્ટ્રીકલ ઇમ્પસીસ’ તરીકે ઓળખાવે છે જ્યારે આપણે તેને ચેતના પ્રવાહ તરીકે ઓળખીએ છીએ.

હવે જ્યારે આ પ્રવાહમાં ખામી – વધ-ઘટ/અવરોધ સર્જાય ત્યારે બીમારીની શરુઆત થાય, અને જેની અસર મગજમાં રહેલા જ્ઞાનકોષો પર થાય અને અંતમાં શરીરની બાયોલોજી જાળવવા આ કોષો જે કાર્ય કરી રહ્યા હોય તે કામગીરી ખોરવાય અને રોગનો જન્મ થાય.

આમ જો શરીરની આ ચેતનાને સમજી, તેને યોગ્ય કરવામાં આવે તો ચેક રોગના મુળને જ નાબુદ કરી શકાય. આ સિદ્ધાંત પર ‘એનર્જી મેડીસીન’નું શાસ્ત્ર રચાયેલું છે. (જેની શાખાઓ ઘણી છે, પણ વધુ વિગતો હવે પછી….)

આજ તો નીચેનો વીડીયો જોઈ મારી જાતને શેર કરવાથી રોકી ન શક્યો.

આ વીડીયોમાં તો સ્ટ્રેસની રીલીફની વાત કરી છે, પણ અગત્યનું એ છે કે આપણે જાણે અજાણે પર એવી વર્તણુંક કરતા હોઈએ છીએ કે તે આપણી આંતરીક શક્તિને વધારે. જેમકે બહું મુંઝવણમાં માથે હાથ મુકવો કે કપાળ કુટવું. આ ‘ટેપીંગ’ મગજની શક્તિઓને વધારવા માટે જ થતી હોય છે, રસદાયક એ છે કે આપણી આ ક્રિયા આપણી જાણબહાર થાય છે. કોઈ ગુજરી જાય ત્યારે સ્ત્રીઓમાં આપણે ત્યાં છાતી કુટવાનો રીવાજ હતો. હકીકતમાં છાતીના મધ્યભાગે હાંસડી નીચે બે બિંદુઓ આવેલા છે જેને ટેપ કરવાથી દુઃખમાંથી હળવા બની શકાય છે.

O'Keeffe-(hands)

ગહન વિચારમાં ડુબેલા માણસને જુઓ તો તે પંજા પર હડપચી ટેકવે છે અને આંગળીઓ ઉપરની તરફ હોય છે. એમાંની મધ્યમાં (વચલી આંગળી) આંખની નીચે રહેલી હોય છે. આંખની નીચે મધ્ય ભાગમાં એક બિંદુ આવેલું છે જે દબાવવાથી મગજ વધારે એક્ટીવ થાય છે. આ ક્રિયા પણ અજાણતા જ કરીએ છીએ.

આવી ઘણી ક્રિયાઓ આપમેળે થતી રહે છે…..

છે ને કુદરતની કમાલ ………..

પાવર મોટીવેશન –

આજે જ્યારે કુદરતની સાથે સાથે રાજકારણની ગરમી ટોચ પર છે ત્યારે રાજકારણીઓના એક ગુણ – Motive તપાસવાની ઇચ્છા થઈ – Power Motivation

માનવીના જીવનના જીવવાના વિવિધ પ્રેરક બળો હોય છે. કેટલાકને સંપુર્ણ ધ્યેય આધારીત હોય, કેટલાકને લાગણી આધારીત હોય, કોઈને વળી માન્યતા આધારીત હોય. આ બધામાં, ગઈ સદીમાં મનોવૈજ્ઞાનિકોએ ત્રણ મુખ્ય પ્રેરક બળો પર વધારે ભાર મુક્યો – Achievement -સિદ્ધિ કે પ્રાપ્તિ, Power – સત્તા, સામર્થ્ય, પ્રભાવ, વર્ચસ્વ, અને Affiliation – સંબંધ, જોડાણ, સહબદ્ધતા (ગુજરાતીમાં આપણે ‘લાગણી’ ના સંદર્ભમાં પણ વાપરીએ છીએ.)

Motivation

Achievement –

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યને વળગી પુર્ણ કરવામાં, ઊત્કૃષ્ટ બનાવવામાં મચી પડેલો હોય. જેમ આજનો યુવાન પોતાની કેરીયર, ધ્યેયને પ્રાપ્ત કરવા અન્ય બાબતોને ગૌણ ગણે છે અને એક જ દિશામાં પોતાનું સમગ્ર અસ્તિત્વ એમાં જ ઓગાળી દે છે.

B 5050

Power –

આવી વ્યક્તિ અન્યને કન્ટ્રોલમાં લેવાનો/રાખવાના પ્રયત્નમાં હોય છે. આ કન્ટ્રોલ એ પોલીસની જેમ દંડા શાહીનો ન પણ હોય, માનવીની લાગણીઓનો ઉપયોગ કરી કાબુમાં રાખવાના પ્રયત્ન કરે છે, જેમ સાધુ મહાત્માઓ લોકોની ધાર્મિક લાગણીનો ઉપયોગ કે રાજકારણીઓ તેમની સામાજીક સંવેદનાઓનો ઉપયોગ કરી તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરે છે.

follow

Affiliation –

આ પ્રકારના પ્રેરકબળ ધરાવતા લોકો અન્ય લોકો સાથે હળવા-મળવાનું, અન્ય લોકો પોતાને પસંદ કરે એવા પ્રયત્નમાં લાગેલા રહે છે.

ડેવીડ વિન્ટર એ અમેરિકાના પ્રમુખોની મોટીવેશન પ્રોફાઈલ્સના અભ્યાસ કર્યા અને તેના આધારે જે તે પ્રમુખ ભવિષ્યમાં કઈ રીતે કાર્ય કરશે તેની આગાહી કરવાનો પ્રયત્ન કર્યો. એ માટે તેણે પ્રમુખોના વક્તવ્યોનો આધાર લીધો. અભ્યાસના આધારે કી ફેક્ટર તરીકે Power motivation ઉપસી આવ્યું. (ભારતના રાજકારણીઓનો પણ અભ્યાસ કરવા જેવો ખરો !)

Achievement motivation નો પાયો Need for Achievement છે, જેમાં વ્યક્તિ ઉચ્ચ મુલ્યોની પસંદગી કરે છે, સિદ્ધાંતોને વળગી રહેવા પ્રયત્ન કરે છે, કાર્યોમાં ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ રાખે છે, હરીફાઈમાં આગળ રહેવાનો આગ્રહ હોય છે. ઉદ્યોગ સાહસિકો માટે આ ગુણ-Need ખુબ જરુરી છે. જો કે સામાજીક ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓને આ Need માટે સમાધાન કરવું પડે છે, જેના કારણે તેઓની કાર્યક્ષમતા પણ ઘટે છે અને જે લોકો સમાધાન નથી કરી શકતા તેઓ સામાજીક ક્ષેત્રમાંથી દુર ફેંકાય જાય છે.

સામે પક્ષે ખુબ ઉચ્ચ સ્તરની Power need ધરાવતી વ્યક્તિ પોતાના શબ્દો માટે ઝગડા સુધી પહોંચી જાય છે. (આમ જ થવું જોઈએ…). સારા-નરસા અંગેની સભાનતા રહેતી નથી. બીજાને પોતાના કાબુમાં કરવા કાવાદાવાઓ કરી શકે છે.

લીડર બનવા માટે Power motivation  જરુરી છે, પણ એ વ્યક્તિમાં Achievement need પણ હોવી જરુરી છે.

આ ચુટણીમાં આપણને Achievement need સહીતનો Power motivated નેતા મળે તો ઈશ્વરકૃપા, નહીંતર કરોડોના ચુટણી ખર્ચ પછી હતા ત્યાંના ત્યાં………….

શબ્દસેતુ –

‘વિકારઉત્પન્નથાય’

હમણાંએકવિપશ્યનાનાસાધકમળ્યા. ગોરાઈના (મુંબઈ) સાધનાકેન્દ્રમાંશિબીરપુરીકરી, તુરતમાંપરતઆવેલાહતા. મૅંપણગોરાઈમાંએકશિબીરમાંભાગલીધેલોહતોઅનેમનેખરેખરમાંસ્વર્ગમાંરહ્યાનોઅનુભવથયોહતો, આથીમારાથીબોલાઈગયું ‘ઓહો ! ત્યારેતોતમનેલાગ્યુંહશેકેસ્વર્ગમાંઆવીગયા, અનેપાછાફરતીવખતેતોથયુંહશેકે, આક્યાંનરકમાંપાછાફર્યા, નહીં ?’

જવાબહતો – ‘એવુંતોનકહેવાય, વિકારઉત્પન્નથાય’

કેવીસહજઅભિવ્યક્તિ !

શિક્ષકોએકહેલુંઅનેશિષ્યએસ્વીકારેલુંકે – ‘આનંદ, સારું-ખરાબજેવીઅનુભુતિઓનીઅભિવ્યક્તનકરવીનહીંતર ‘વિકાર’ ઉત્પન્નથાય.’

હમણાં‘જ્ઞાનકેઅનુભુતિ’ નીપોસ્ટમાંવિચારેલુંકેજ્ઞાનસારુંકેઅનુભુતિ ? અનેતારણપણએવુંકાઢેલુંકે ‘અનુભુતિદ્વારામેળવેલુંજ્ઞાનસારું.’ 

ઉપરનાકિસ્સામાંએવુંલાગેકેઅધુરુંજ્ઞાનકેશિક્ષક/ગુરુપ્રતિનીવધુપડતીશ્રદ્ધા, ઘણીવખતજીવનમાંકોઈગુંચવણભર્યામાર્ગપ્રતિલઈજાય.

મારીદ્રષ્ટિએવિપશ્યનામાંમુખ્યએશીખવાનુંછેકેતમનેથતીસંવેદનાઓપ્રતિતમેસાક્ષીભાવકેળવો. તમનેઆનંદથાયકેતકલીફથાયપણતમેતમારામનનેએમાંઓતપ્રોતનથવાદો, જેથતુહોયતેનેસાક્ષીભાવેજોયાકરો. પલાઠીમારીનેબેઠાછોઅનેકલાકપછીકમરમાંસણકામારેછે, તોપણબસએ‘જોયાકરો’, થોડીવારમાંસણકામારવાનુંબંધથઈજશે. (સંભળેલીવાતનથી, મારીઅનુભવેલીવાતછે)

હવેજોઆવોસાક્ષીભાવકેળવાયતો ‘આનંદઆવ્યો’ કે ‘સ્વર્ગજેવુંલાગ્યું’ એશબ્દોનીઅભિવ્યક્તિમાં  ‘હું’ તોછુંજનહીતોવિકારક્યાંથીઆવે ? કારણકેસ્વર્ગનોઆનંદએમારાશરીરનીસંવેદનાછે. છતાંયગુરુએકહ્યુંકે ‘સ્વર્ગનીઅનુભુતિથઈ’ એવુંકહીએતો ‘વિકાર’ ઉત્પન્નથાય, અનેશિષ્યેસ્વીકારીલીધું. આવાકિસ્સામાંવ્યક્તિએપોતાનાજ્ઞાનનોઉપયોગકરવોજોઈએએમનથીલાગતું ?

એકબીજોસરળમાર્ગઅજમાવવાજેવોલાગેછે – શબ્દોનો ‘મન’ સાથેનોસેતુતોડીનાખવો.

વધુસમજીએતો – જ્યારેકોઈપણશબ્દબોલાયત્યારેઆપણુંમગજ, આપણીપાસેનીઅગાઊનીમાહિતીનાઆધારેએનીઆકૃતિતૈયારકરે, જેમકે ‘સ્વર્ગ’ શબ્દસાંભળીએતોભુતકાળમાંસ્વર્ગનીજેવ્યાખ્યાજાણીહોયતેનાઆધારેસ્વર્ગનુંચિત્રતૈયારથાય – મંદમંદપવનવાતોહોય, ઠંડી-ગરમીજેવોકોઈઅહેસાસનહોય, વાતાવરણપ્રફુલ્લિતહોય, અપ્સરાઓઅનેકિન્નરોફરતાદેખાય, સુગંધીતસંગીતમયવાતાવરણહોયવગેરેવગેરે. હવેઆચિત્રનાકારણે ‘મન’ તેનીઅનુભુતિકરવાલાગેઅનેસાધકનાકહેવાપ્રમાણે ‘વિકાર’ ઉત્પન્નથાય. જોસ્વર્ગ‘શબ્દ’ અનેમગજમાંઅંકિતથયેલાતેનાચિત્રવચ્ચેનાસંબંધના‘સેતુ’નોવિચ્છેદકરીનાખીએતો ‘વિકાર’ ઉત્પન્નથવાનીકોઈતકરહેતીનથી.

હજુએનાથીયઆગળવધીએતો – આપણાસામાજીકસંબંધોભાઈ-બહેન, પિતા-માતા, વગેરેનીવ્યાખ્યાઓથીઘણીવારતકલીફથાયએવુંનથીલાગતું ? ‘ભાઈ’ શબ્દનાકારણેમનમાંઉપસેલાચિત્રનોસંબંધજોતુટેતો ‘ભાઈ’ એએકવ્યક્તિમાત્રબનીજાયએવુંનથીલાગતું ? ‘ભાઈ’નેકારણેઆપણેતકલીફથાય, પણ ‘વ્યક્તિ’નાકારણેઆપણનેતકલીફથતીનથી. કોઈ ‘સગા’નાએક્સીડન્ટનીખબરવાંચીનેમનચિંતામાંઘેરાઈજાય, પણસવારમાંચાપીતાંપીતાંવંચાતા ‘એકસીડન્ટમાંપાંચમૃત્યુપામ્યા’ નાસમાચારનીઅસરકેટલી ?

કુછજ્યાદાહોગયાક્યા ?

કંઈનહી ! આતોમારી ‘શબ્દસેતુ’ તોડવાનીવાતહતી, તમેકોમેન્ટરુપીશબ્દસેતુબાંધીકંઈકજોડવાનીવાતકરીનાખો……….

સારું શું – જ્ઞાન કે અનુભુતિ ?

એક જાણીતી રમુજ – એક યુવાન ડોક્ટર પત્ની પસંદગી માટે કન્યા જોવા જાય. સરસ મજાની નાજુક નમણી કન્યાને જોયા પછી અભિપ્રાય પુછતા જણાવે કે આને એનીમીક ઇફેક્ટ છે, વહેલી તકે હીમોગ્લોબીન ચેક કરાવવું જરુરી છે. આ થઈ જ્ઞાનની અસર. કન્યાની સુંદરતાની અનુભુતિ કરવાને બદલે દાક્તરી જ્ઞાનને કારણે દિશા ફંટાઈ ગઈ. (સારું થયું કે આદમ અને ઇવને જ્ઞાન ન હતું નહીંતર ???????????)

Clipart-Man-Book-Huge-Reading-Knowledge

આ તો મજાક થઈ પણ હકીકત એ જ છે કે જ્યારે વ્યક્તિ જે તે વિષયનું ‘વધારે’ પડતું જ્ઞાન ધરાવતો હોય ત્યારે તે વિષયના આનંદની અનુભુતિ કરી શકતો નથી. લીંબુ સરબત પીતો કેમીસ્ટ પેટની ટાઠક અનુભવવાને બદલે સાઈટ્રીક એસીડ અને સુગરની અસરોના વિચારમાં હોય. દરિયા કિનારે બેસીને દરીયાની વિશાળતા અને કિનારા પર ઉઠતી દરેક મોજાની અવનવી આકૃત્તિ અને મોજાઓના સંગીતમાં ખોવાય જવાને બદલે, દરિયાકિનારે ફરવા આવેલો હવામાનશાસ્ત્રી પવનની દિશા, હવામાં ભેજની ગણત્રીમાં ખોવાયેલો રહે છે.

એવું લાગે છે કે જ્ઞાન આપણા વિચારો અને લાગણીને directional બનાવી દે છે. આનંદની અનુભુતિ તો ત્યારે થાય જ્યારે વિચારો અને લાગણીઓ સ્વતંત્ર વિહાર કરતી હોય. આનંદની લહેરખી આવવાનો પ્રયત્ન કરે કે તુરત જ જ્ઞાન તેને દિશા પકડાવી દે, ‘એમાં શું ? વિજ્ઞાનના નિયમ મુજબ આમ જ થાય.’

જ્ઞાન જરુરી છે એવું પણ લાગે છે.

મારી પણ એક ખામી નજરે ચડે છે – કોઈ મુદ્દો મનમાં ઉઠે તો તેનું ડીસેક્શન કરવાની ટેવ. ગયા વર્ષે મેં એક પોસ્ટ લખેલી ‘લાગણી – એક અવરોધ’.  પણ એમ લાગે છે કે  આનંદના પ્રવાહમાં તણાઈ જવાનો અનુભવ કરવો જોઈએ, પરીણામ જે આવે તે. પણ તણાવાની ક્ષણોમાં તો આનંદ થયો ને !

મનમાં ખેંચાતાણી ચાલે  – શું સારું, જ્ઞાન કે અનુભુતિ ?

એક જવાબ તો એવો સુઝે છે કે ‘અનુભુતિથી મેળવેલું જ્ઞાન ચડિયાતું.’

તમારા મનમાં કંઈ છે ?……….

જતાં જતાં ……..

હમણાં નેટ પર ફરતાં ફરતાં ‘પ્રયાસ’ની મુલાકાતે જઈ જડ્યો અને ‘સંસ્કારનો વારસો’ નો શ્રીમતિ સુધામુર્તિ દ્વારા વર્ણવાયેલો કિસ્સો વાંચ્યો. (જોકે વાંચ્યા પછી યાદ આવી ગયું કે આ બ્લોગ પર તો ઘણી વાર આવ્યો છું. આ કિસ્સો વાંચવા જેવો તો ખરો. પણ સન્માનનીય સુધામુર્તિના છેલ્લા વાક્યને સુધારવું પડે તેમ લાગ્યું –

મુળ વાક્ય – “આ ઘટના પછી હું સમજી છું કે, આગલી પેઢી તરફથી પછીની પેઢીને દુર્ગુણો કે રોગ વારસાગત મળતા હોય તો ભલે, પણ સંસ્કારનો વારસો તો નથી જ મળતો.”

હકીકતમાં તો રોગ પ્રાકૃતિક રીતે વારસામાં મળી શકે પણ સારા કે નબળા સંસ્કારનો વારસો તો માબાપે આપવો પડે. નાનપણ પોતાના બાળકને કઈ દિશામાં લઈ જવાનું છે તે માબાપે નક્કી કરવું પડે. જુના જમાનામાં ચીનમાં નાનકડી બાળાના પગમાં નાના જોડા પહેરાવી દેવામાં આવતા જેથી મોટા થતાં યુવતીના પગ નાની બાળકી જેવા જ રહેતા. જેવું શરીરનું એવું જ બાળકના મનનું છે. તમે જે દિશામાં વાળો તે દિશામાં વળી જાય.

આ તો યુવાન માબાપોએ વિચારવાનું રહ્યું….

પ્રેમ સંદેશ –

પ્રભુ આપણા સૌ પર તેની કરુણા અને પ્રેમ સદા વરસાવતો રહે એવી પ્રર્થના…

આવી સદાની પ્રાર્થના વેલેન્ટાઈન દિને પણ.

પણ …. પણ…

ગુલાબનો પુષ્પગુચ્છ રુપિયા બસો !

સાંભળીને પ્રભુના કરુણાના પાત્રો જાણે બદલાય ગયા.

ફુટપાથ પર રહેતા કુટુંબનો એક દિવસનો ખર્ચ, પેટભરીને ખાવાનું મળ્યાનો સંતોષ – ફક્ત પ્રેમ(?)ના પ્રદર્શન માટે વપરાય. દિલમાં ચચરે એ સ્વભાવિક છે.

આ વેલેન્ટાઈનના મુળ ક્યાં હશે ? પ્રેમનું પ્રદર્શન કરતા, દેખાદેખી કરતા યુવાનોએ આ જાણાવાનો પ્રયત્ન કર્યો હશે ? એમ સ્વભાવીક પ્રશ્ન થાય. વેલેન્ટાઈનના મુળ માટેના જવાબો પણ આશ્ચર્યજનક મળે છે –

કેથોલીક ચર્ચવાળા માને છે ઓછામાં ઓછા ત્રણ વેલેન્ટીન નામના શહીદો મળે છે જેઓની યાદમાં આ દિવસ ઉજવાય છે. એક દંતકથા તો તેને રોમનકાળ સાથે સાંકળે છે. ક્લોડીયસ નામના રોમન શહેનશાહનું માનવું એવું હ્તું કે જો કુટુંબ ન હોય તો સારા સિપાહી બને (કુંટુંબ તરફની લાગણી તેમને નબળા બનાવે) આથી તેણે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકી દીધો. વેલેન્ટાઈન નામના એક પાદરીએ તેનું ઉલ્લંઘન કરી ખાનગીમાં એક લગ્ન કરાવ્યા, આથી શહેનશાહે તેનો શિરછેચ્દ કરાવ્યો, તેની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે. એક કથામાં કહેવાયું છે કે વેલેન્ટાઈને ક્રીશ્ચીયન કેદીઓને રોમન જેલમાંથી ભાગવામાં મદદ કરી તેથી તેને મારી નાખવામાં આવ્યા. એક કથા તો કેદી વેલેન્ટાઈન અને જેલરની પુત્રીની પ્રેમ કથા રુપે પણ પ્રચલીત છે. વેલેન્ટાઈને પ્રેમીકાને એક ગ્રીટીંગ મોકલ્યું અને તેમાં અંતે લખ્યું હતુ – From your Valetine – બસ ત્યારથી આ દિવસ ઉજવાય છે. એક કથા એવી પણ છે કે એક  Lupercalia નામના રોમન તહેવારને ક્રીશ્ચીયન સ્વરુપ આપવા વેલેન્ટાઈન ડે શરુ થયો. મધ્ય યુગમાં યુરોપમાં વેલેન્ટીન નામના એક સંત પણ થઈ ગયા. એક વૈજ્ઞાનિક કારણ પણ નજરે ચડે છે – યુરોપમાં પક્ષીઓના મેટીંગનો સમય મધ્ય ફેબ્રુઆરીથી શરુ થાય છે.

આ બધી દંતકથાઓમાં, પ્રેમ પ્રદર્શિત કરવાની વાતનું મહત્વ ક્યાં અને કેટલું આવ્યું ?

cupid-god-2

 

(વેલેન્ટાઈન ડે નું એક પ્રતિક આપણા ‘કામદેવ’ના પ્રતિકને મળતું લાગે છે ને ?)

ભારતીય સંસ્કૃત્તિમાં તો પ્રેમના પ્રદર્શન કરતાં સમર્પણનું મહત્વ વધારે છે. છતાંય આ જ સંસ્કૃતિના કેટલાક જીવંત પાત્રોના પ્રેમના તોફાનો, ટીખળો અને સાહસો પણ જોવા મળે છે.

આપણે એવું ન કરી શકીએ કે આપણો પોતાનો ‘પ્રેમ દિવસ’ નક્કી કરી ઉજવીએ ?

આવો દિવસ નક્કી કરવા કેટલાય પ્રસંગો ઇતિહાસમાં હાજર છે.

પ્રેમના પ્રતિક એવા શ્રી કૃષ્ણને ભગવાન બનાવી તેના પ્રેમના પ્રદર્શનોને ‘ભક્તિ’માં ફેરવી નાખ્યા. મીરાં જેવી પ્રેમમાં પાગલ નારીને, તેણીના પાગલપનને કૃષ્ણભક્તિમાં વ્યક્ત કરી. તેના પ્રેમગીતોને ભક્તિગીતોના નામ આપી દીધા. એ જ કૃષ્ણ જેણે નદીઓમાં સ્નાન કરતી ગોપીઓની રોમાંચક છેડછાડ કરી, ‘રુકમણી’નું અપહરણ કરી લગ્ન કર્યા, પરાક્રમ કરી ‘સત્યભામા’ મેળવી. આ બધાથી વધારે રોમેન્ટીક, ‘રાધા’ સાથેનો પ્રેમ. કૃષ્ણ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર સુધી મથુરા/વૃંદાવનમાં હતા. આ દરમ્યાન રાધા સાથેનો પ્રેમ અને સુરદાસજી અનુસાર તેણીની સાથે ગાંધર્વ વિવાહ એ બધા પ્રસંગો આપણી સંસ્કૃતીના પ્રેમ પ્રદર્શનના ન કહેવાય ? (આપણા ઇતિહાસકારો તો ‘રાધા’ના અસ્તિત્વ પર પણ સવાલો ઉઠાવે છે.)

શ્રીકૃષ્ણનું ભગવાનપણુ, અવતારપણુ, ભક્તિ, ગીતાજ્ઞાન વગેરે બધું જ ભુલી જઈને, યુવાનો, શ્રીકૃષ્ણના જીવનમાંથી એક આવો જ એક સુંદર દિવસ પસંદ કરી તેને ‘પ્રેમ દિવસ’ (વેલેન્ટાઈન ડે) તરીકે ઉજવે તો કેમ ?

જ્ઞાનપિપાસુઓને ટુંકમાં વાંચવું હોય તો બે લિન્ક નીચે મુજબ –

http://dailyjournalonline.com/news/local/the-origins-of-valentine-s-day/article_35b81352-94b5-11e3-9792-0019bb2963f4.html

http://ancienthistory.about.com/od/socialcustomsdailylife/a/010908Lupercal.htm

કૃતજ્ઞતા

Denali National Park in autumn, Alaska, USA, North America

સુરસાધના પર TED નો Gratefulness નો વીડીયો જોયો અને Gratefulness ને સાથે Happiness ને સાંકળવાનો પ્રયત્ન જોયો ત્યારથી મગજ આ કૃતજ્ઞતાને સમજવા મથામણ કરવા લાગ્યું. કારણ કે વીડીયોમાં થોડી ગુંચવણ લાગી. વીડીયોમાં કહ્યું છે કે આપણા માટે જે કિંમતી હોય અને તે ભેટસોગાદરુપે મળે ત્યારે આપણને આનંદ થાય છે. જરુર આનંદ થાય છે, પણ એમાં આપણી અહેસાનમંદી ક્યાં આવી ? આજે તો મફતમાં મળતી દરેક વસ્તુથી લોકોને આનંદ થાય છે. માર્કેટીગવાળા આ ‘મફત’થી મળતા આનંદનો લાભ ‘Get Free’ કહીને ઉઠાવે જ છે. આપણે બગીચામાં ફરવા ગયા હોઈએ અને રજનીગંધા, મોગરો, પારીજાત કે રાતરાણીના છોડ પા્સેથી પસાર થઈએ, મધમધતી સુગંધ આવે અને મન તરબત્તર થઈ જાય, મગજ ફ્રેશ થઈ જાય, આપણે Happiness અનુભવીએ. હવે આમાં અહેસાનમંદી ક્યાં આવી ? આપણે શું ફુલોનો આ સુગંધ માટે આભાર માનીએ છીએ ? કે તેનો કોઈ બદલો વાળીએ છીએ ? (ભગવત ગો મંડલ પર – કૃતજ્ઞતાનો શબ્દાર્થ – ઉપકારનો બદલો ઉપકારથી વાળવો, અહેસાનમંદી, વફાદારી, કરેલા ઉપકારનો ગુણ જાણવો).  વીડીયોમાં આગળ જતાં કેટલીક બાબતો સારી લાગી જેવી કે – દરેક વ્યક્તિને જીવનમાં મળતી પ્રત્યેક ‘ક્ષણ’, જે તેના માટે કિંમતી છે અને ફ્રી ગીફ્ટ તરીકે મળે છે. આથી એવું તારવી શકાય કે મનુષ્ય કુદરતનો આ ‘ગીફ્ટમાં મળતી ક્ષણ’ માટે આભારી છે. એથી પણ આગળ વધીને પ્રત્યેક ક્ષણ તેની સાથે એક ‘તક’ લાવે છે. આ તક એ ‘પ્રત્યેક ક્ષણ’ની ગીફ્ટમાં સમાયેલી એક વધારાની ગીફ્ટ છે. આ તક આપણે ઝડપવાની છે. જો ઝડપી શકીએ તો સારું છે, એ તક આપણને ‘Hapiness’ તરફ લઈ જઈ શકે, ધારો કે ગુમાવી દઈએ તો બીજી ક્ષણ, બીજી તક લઈને આવે જ છે. આ માટે તો કુદરતનો આભાર માનવો જ રહ્યો. વીડીયોમાં ‘Gratefullness’ થવા માટેની ટેકનીક દર્શાવતા કહે છે કે –

Stop

Look and

Go

આ ભાગદોડવાળી  જીંદગીમાં આપણને મળતી ક્ષણ અને તેમાં રહેલી ‘તક’ને જોવા માટે આપણી પાસે રોકાવાનો સમય નથી. પણ રોકાવું જરુરી છે, જો તમે રોકાઈને જે તે ક્ષણમાં રહેલી તકને જુઓ અને તેના પર કામ કરો તો ‘Happiness’ મેળવી શકો. બીજા પગથીયા પર, જે તે ક્ષણને જોવા માટે (Look) તમારી બધી જ્ઞાનેન્દ્રીયોને ખુલી મુકી દો, આથી તમારુ હૃદય ખુલી જશે, આનંદ અનુભવશે. અહીં નાનપણમાં ભણેલી એક કવિતા યાદ આવી ગઈ –

We have no time to stand and stare “(William Henry Davies)

કૃ્તજ્ઞતાને માનસશાસ્ત્રીય રીતે સમજવા ખાખાંખોળા કરતાં તેની સમજણ થોડી વધારે સ્પષ્ટ થઈ.

‘વીકીપેડીયા’ એ કૃતજ્ઞતાની (આભારવશતા, પ્રસંશા) વ્યાખ્યા કરતાં લખ્યું છે કે – વ્યક્તિને જે લાભ મળ્યો છે કે મળવાનો છે એ બદલ તેનામાં પ્રગટતી સ્વીકૃતિની લાગણી (ભાવના) કે અભિગમ દર્શાવ્યો છે. માનસશાસ્ત્રમાં તો રુખીસુખી વ્યાખ્યા આપી છે – કૃતજ્ઞતા, એ, વ્યક્તિને મુલ્યવાન અને મહત્વની વસ્તુ પ્રાપ્ત્ત થતાં, તે આપનારની યોગ્ય કદર કરવાની એક માનસિક સ્થિતી છે. મોટાભાગના પ્રયોગાત્મક સંશોધનો દર્શાવે છે કૃતજ્ઞતા અને સમૃધ્ધિ એકબીજા સાથે સંકળાયેલા છે. કૃતજ્ઞતા એક માનવીનો ગુણ છે અને એક માનસિક સ્થિતી પણ છે. આ ગુણ માનવીમાં જાગૃત પણ કરી શકાય છે. જો તમને પ્રાપ્ત થતી વસ્તુઓ – જેના માટે તમે ખર્ચ કર્યો નથી, તમારા મા્ટે મુલ્યવાન પણ છે, તેને તમે સતત યાદ કરો અને આપનાર પ્રત્યેની અભારવશતા સ્વીકારતા રહો તો આપોઆપ તમે કૃતજ્ઞતાની સ્થિતીમાં રહેતા થઈ જાઓ અને સુખ અનુભવો. જેમકે TED વીડીયોમાં કહ્યું તેમ તમને જે ક્ષણ આપવામાં આવે તેના માટે તમે કુદરતનો સતત આભાર માનતા રહો તો કૃતજ્ઞ બની જાઓ.

પાંડુરંગ શાસ્ત્રીએ ત્રિકાળ સંધ્યાનો વિચાર આપી આ જ પ્રયોગ કર્યો છે. સવારે ઇશ્વર/પ્રકૃતિ તમને ‘સ્મૃતિદાન’ આપે છે. (આ એક વિલક્ષણ ઘટના છે. માનવી ઉઠે ત્યારે સૌ પ્રથમ તેને ‘સ્મૃતિ’ મળે છે અને પછી ‘વિચાર’ આવે છે, જ્યારે દૈનિક જીવનમાં પ્રથમ ‘વિચાર’ આવે છે પછી ‘જાગૃતિ’ આવે છે.) ત્રિકાલ સંધ્યાના સવારના શ્લોકોમાં ઇશ્વર, પૃથ્વી, માતપિતા સર્વને યાદ કરી તેમના પ્રતિ આભાર અને ક્ષમાનો ભાવ વ્યક્ત કરવાનો છે. બપોરના જમતી વખતે ઇશ્વર તમારા ખોરાકને પચાવી ‘શક્તિદાન’ કરે છે એવી ભાવના વ્યક્ત થાય છે. જ્યારે રાત્રે સુતી વખતે દિવસભરની થકાન પછી સુખભરી નિંદ્રા પ્રાપ્ત થાય એ પ્રકારે ‘શંતિદાન’ કરવા પ્રભુનો આભાર માનવાનો છે. આમ દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર પ્રભુ પ્રત્યે આપણે આપણી અભારવશતા-અહેશાનમંદીનો સ્વીકાર કરીએ.

મુસલમાનભાઈઓ દિવસમાં પાંચ વખત નમાજ પઢીને અલ્લા પ્રતિ આભાર વ્યક્ત કરે.

આમ આપણા મનમાં ‘આભારવશતા’ સતત રહે તો આપણે happiness અનુભવીએ.

કેવી રીતે ?

જેમ કુવામાં હોય તો અવેડામાં આવે તેમ જો તમારામાં અભારવશતા ભારોભાર ભરેલી હોય તો તમે બીજાને આભારી કરી શકો. સાદું ઉદાહરણ – બસમાં મુસાફરી કરતી વખતે, તમે અગાઊ કરેલી મુસાફરી દરમ્યાન મેળવેલી સગવડો પ્રતિ આભારી હો તો, અન્ય જરુરીયાતમંદને ઉભા થઈને સીટ આપો, સામેવાળો સીટ મેળવી ખુશ થાય અને તમે ‘joy of giving’ થી ‘hapiness’ અનુભવો.

કૃતજ્ઞતા એ ભાવનાત્મક સ્થિતી છે આથી એને બુદ્ધિથી તોળી નહી શકાય. હવે બુદ્ધિ એ માનવીને શક્તિ પુરી પાડે છે. જો સુયોગ્ય શક્તિ પ્રાપ્ત થાય તો માનવી એક હકારાત્મક જીવન તરફ પ્રગતિ કરી શકે. હવે બુદ્ધિ બદલી શકીએ તો માનવીને સુખ-સમૃધ્ધિ તરફ ગતિ કરાવી શકાય. બુદ્ધિ વિચારોથી બદલાય છે. જો મનમાં કૃતજ્ઞતાના ભાવનાત્મક વિચારો સતત ચાલતા રહે તો તેની અસર બુદ્ધિ પર ચોક્કસ થાય અને બુદ્ધિ બદલાય તો માનવીનો દ્રષ્ટિકોણ બદલાય અને દ્રષ્ટિકોણ બદલાય તો જીવન બદલાય.

આમ માનવીના મનમાં કૃતજ્ઞતાના ભાવનાત્મક વિચારો સતત ચાલતા રહે તો ‘Happiness’ મેળવવું અઘરું નથી.

આ વિચારો માટે કોઈ ખાસ કાર્ય કરવાનું નથી, ફક્ત નાની નાની વાતમાં તમે લોકોનો આભાર સ્વીકારતા રહો અને તેનો પ્રતિભાવ આપતા રહો. એક ઉદાહરણ આપું તો મારી લંડનની મુલાકાત દરમ્યાન જમાઈ સાથે કારમાં સફર કરતા થયેલ અનુભવ – મેઇન રોડ પર જતાં હોઈએ અને ગલીમાંથી આવતું વાહન જો ઉભા રહીને પહેલા જવા માટે માર્ગ આપે ત્યારે મારા જમાઈ પાછળની બેકલાઈટ ફ્લેશ કરતા. એવી રીતે કોઈ બાજુમાં ખસી જઈને આગળ જવા માર્ગ આપે ત્યારે પણ ફ્લેશ કરતા. મારા કુતુહલના જવાબમાં મને સમજાવવામાં આવેલું કે એ તો મેં જ્ગ્યા આપવા માટે આભાર માનેલો. આવી નાની વાતમાં જો આપણે ઋણ સ્વીકાર કરતા રહીએ તો જરુરથી આપણે કૃતજ્ઞ બનીએ અને જીવનમાં આનંદ મેળવીએ.

એક અનોખો અનુભવ – મૃગેશ શાહ

કૃતજ્ઞતા ને સમજવાની મથામણ ચાલે છે, એમાં ‘રીડ ગુજરાતી’ પર શ્રી મૃગેશભાઈનો એક અનુભવ વાંચ્યો. લોકોની વાંચન ભુખ અને અન્ય માટે કંઈક કરી છુટવાની વૃત્તિ એ કૃતજ્ઞતાનું પરીણામ હોય શકે, એમાં કોઈ શક નથી.

મૃગેશભાઈની વાતના પાત્રની વ્યથા કથામાં છુપાયેલી સફળતાની વાત વાંચો –

‘ત્રણેક વર્ષ પહેલાં પિતાજીનું નિધન થયું…’ એમણે પોતાની જીવનકથાના પાનાં ખોલ્યાં, ‘પૈસાના અભાવે બારમા ધોરણ પછી કંઈ ભણાયું નહીં. પિતાજી ચોકીદાર હતા. એમનું આરોગ્ય કથળતું ગયું અને છેક અંત સુધી અમે અદ્ધર જીવે રહ્યાં. બીજી બાજુ, મારાં લગ્ન થયાં. જ્ઞાતીના રિવાજોને કારણે આ પ્રસંગોમાં ધાર્યા કરતાં વધારે દેવું થઈ ગયું. હવે દેવું ઉતારવું શી રીતે ? ભારે મુશ્કેલીના દિવસો આવ્યા. થોડો સમય મુંબઈ જઈને નોકરી કરી પરંતુ અહીં ઘરના સભ્યોને એકલા છોડીને રહેવાનું ફાવ્યું નહીં. અહીં કોઈ જગ્યાએ નોકરી મળતી નહોતી. ઘણા મહિનાઓ તો જાણે ડિપ્રેશનમાં જ પસાર થઈ ગયા. શું કરવું કંઈ જ સમજાતું નહોતું. એવામાં વળી પ્રથમ સંતાનનું મૃત્યુ થયું અને મારા પર તો જાણે આભ જ તૂટી પડ્યું. પિતાજીના નિધન બાદ લગ્નનો ખર્ચ અને એ પછી આ પ્રથમ સંતાનનું મૃત્યુ…. દિવસે દિવસે હું માનસિક રીતે ખલાસ થતો જતો હતો. કુદરત એક પર એક કારમા ઘા મારી રહી હતી…..’ હરીશભાઈ થોડું થોભી ગયા. હું તેમની ભરાયેલી આંખો જોઈ રહ્યો હતો.
એમણે પોતાની વાત આગળ ચલાવી : ‘બસ… એ દિવસોમાં કંઈ ખાસ કામ હતું નહીં. અખબાર-પૂર્તિઓ વાંચતો. જે લેખ સારા લાગે એ લેખકના નામ યાદ રાખતો. બજારમાં જઉં ત્યારે સસ્તાં એવાં એકાદ-બે પુસ્તક ખરીદતો અને છૂટક કામ કે નોકરી બાદનો સમય વાંચનમાં પસાર કરતો. મને એ દિવસોમાં વાંચનથી અપાર શાતા વળી. થોડી હૂંફ મળી. કેટલાક મહાનુભાવોના જીવનપ્રસંગો વાંચીને થોડો સધિયારો મળ્યો. ધીમે ધીમે હું આઘાતમાંથી બહાર આવ્યો. છેવટે એ દિવસો પણ પસાર થઈ ગયા અને મને આ સારી નોકરીની તક મળી. પગાર સારો અને કામ અનુકૂળ હતું. દિવસો-મહિનાઓ વીત્યા અને ધીમે ધીમે બધું દેવું ચૂકતે થઈ ગયું. આ નોકરીમાંના સહકર્મચારીઓએ મને કોમ્પ્યુટર વાપરતાં અને ઈન્ટરનેટ ખોલતાં શીખવ્યું. એક ભાઈએ મને કહ્યું કે તમે બધા પુસ્તકો ખરીદી ન શકો તો કોઈ વાંધો નહીં પરંતુ આ સાઈટ વાંચજો, તમને તમારો ખોરાક મળી રહેશે !…. અને બસ, એ રીતે હું અહીં તમારા સુધી પહોંચી ગયો….. હવે તો ઈશ્વરની કૃપાથી અમારે ત્યાં બીજું તંદુરસ્ત સંતાન છે, સરકારે અમને આ રહેઠાણને બદલે પાકું મકાન પણ આપવાની ઑફર આપી છે. બધું ઠીક ઠીક ચાલે છે….’‘

મુળ લેખ વાંચવા તો રીડ ગુજરાતી પર જવું જોઈએ – એક અનોખો અનુભવ – મૃગેશ શાહ

રીડ ગુજરાતી અને મૃગેશભાઈના આભાર સહ…..