ઘરવાપસી –

જુઓ તમને ‘ધર્માંતરણ’ની યાદ આવી ને ? જો કે મારે બીજી વાત કરવી છે પણ તમારા મગજમાં આવ્યું છે તો પહેલાં તેનો થોડો વિસ્તાર કરી લઈએ.

થોડા સમય પહેલાં સમાચાર પત્રોમાં ધર્માંતરણનો મુદ્દો ખુબ ચગ્યો, રાજકારણીઓ અને મીડીયાએ કાગારોળ મચાવી, પણ પછી શું થયું ? તેનો કોઈ અતોપતો નથી.

300 dpi SW Parra color illustration of many hands connecting together puzzle pieces, each with a different religious symbol. The Fresno Bee 2009 religious tolerance illustration interfaith diversity symbol symbols puzzle pieces hands working together team global belief god cross om shanti islam judaism; krtfeatures features; krtnational national; krtreligion religion; krtworld world; krt; mctillustration; belief; faith; values value; REL; 12000000; 12002000; 12006000; 2009; krt2009; parra fr contributed coddington mct mct2009 2009

(With thanks from http://penumbramag.com/)

પણ, આ મુદ્દો દરેકે વિચારવા જેવો તો છે જ.

‘ધર્મ એટલે શું ?’ એ વિચારવાનો સમય (?) મળતો નથી. કારણમાં તો યુવાનીમાં કેરીયર અને નિવૃતિમાં સ્વાસ્થ્ય નડતરરુપ છે. ( અને નિવૃતિમાં જે છે તે સ્વીકારી લેવાની વૃતિ અને ‘માથાકુટ’ (?) માં ન પડવાની વૃતિના કારણે ‘ધર્મ’ સમજ્યા સિવાય વિદાયવેળા આવી જાય છે.)

મને માથાકુટ કરવાની ઇચ્છા થઈ અને મેં ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા તેમાંથી જે ગમ્યું અને મારા વિચારો સાથે મેળ ખાતું હોય તે, પણ તમારા વિચારો જાણવા અહીં મુક્યું.

ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, (ક્યાંક વાંચેલું)

ધર્મ એટલે અંતરની શાંતિ,

ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,

ધર્મ એટલે જીવનનું ચાલક બળ,

ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,

ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,

ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,

ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,

ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને

ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,

એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.

વીકીપેડીયા મુજબ – ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

“જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

શરુઆતમાં વર્ણાવેલા ‘ધર્મ એટલે ….’ ના સર્વ મુદ્દાઓને ગણત્રીમાં લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે ધર્મ એ જીવન જીવવાની શૈલી છે.

ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં ચંદ્રીકાબેનનો સરસ આર્ટીકલ વાંચવા મળ્યો –

પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે. તેના આ ધર્મની બાદબાકી થઇ જાય, તો તે વસ્તુનું વસ્તુત્વ જ નષ્ટ થઇ જાય. આપણે એ જાણીએ છીએ, કે અગ્નિનાં બે ધર્મ છે–દાહકત્વ અને પ્રકાશકત્વ. અગ્નિમાંથી આ મૂળભૂત ધર્મની ઉપેક્ષા કરીએ તો અગ્નિ રહે જ નહી. તે માત્ર લાકડું કે કોલસો જ હોય. આ મૂળભૂત ધર્મ, બહારથી આવતો નથી, પણ જે તે વસ્તુમાં ઓતપ્રોત હોય છે; તેને સહજ કે સ્વાભાવિક ધર્મ કહેવાય. તે દૂર કરી જ ન શકાય.

એક રીતે, ધર્મ તો આપણા અસ્તિત્વનો આધાર કે નિયમ, જે કોન્ફયૂશિસે કહ્યું છે કે, ‘આપણે જેને આપણા અસ્તિત્વને નિયમ માનીએ છીએ, તે જ ઇશ્વરીય કાનૂન છે. આને જ નૈતિક કાનૂન કહે છે. આ નૈતિક કાનૂન જયારે પ્રથામાં ઢળે છે, ત્યારે તે ‘ધર્મ’ બને છે.”

ગાંધીજીના ‘હિન્દુ ધર્મનું હાર્દ’ એ પુસ્તકના સંપાદક અને ચિંતક શ્રી વિશ્વાસ ખેર, તેના સંપાદકીયમાં નોંધે છે કે, ‘ધર્મ તરીકે ઓળખાતા નૈતિક કાનૂનમાંથી, આપણે જીવનભર, એકેય વાર, છટકી શકતા નથી. જેમાંથી છટકી જવાય, તે નૈતિક કાનૂન હોઇ ન શકે. આ કારણે જ નિતીમાન કે ધાર્મિક વ્યક્તિ પોતાના વિચાર અને આચાર પર સતત નજર રાખે છે. તે જાણે છે કે, જીવનમાં, અન્ય સર્વ છોડી શકાય પણ ધર્મ-ચ્યુતિ ન કરાય, ધર્મથી વિમુખ ન જ થવાય. આ ધર્મ જ જીવનનો આધાર છે. જે આપણને ધારણ કરે કે ટકાવે, તે ધર્મ. મનુષ્યને ‘મનુષ્ય’ તરીકેની ઓળખ આપે અને તે સ્વરૂપે તેને સ્થિરતા આપે તે છે ધર્મ.

‘આપણી બે અલ્પતાઓ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી –

માનવીનું જીવન પ્રકૃતિના આધારે છે. દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે આથી એના નૈતિકતાના નિયમો પણ અલગ અલગ હોય એટલે ધર્મો પણ અલગ અલગ અસ્તિત્વમાં આવે ને !

નૈતિક સિધ્ધાંતો/નિયમોની સમજણ આપતા સ્વામી વિવેકાનંદના વિચારો

શ્રી અતુલ જાનીના બ્લોગ પર વાંચ્યા –

સ્વામીજીએ ‘વેદ’ નો પરિચય આપતા કહ્યું “’વેદ’ એટલે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભુલી જશે તો પણ અસ્તિત્વમાં રહેવાનો છે તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિષે સમજવાનું છે.”

આમ આપણું અસ્તિત્વ જ ‘ધર્મ’ છે.

હિંદુધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે – ધાર્મિક વિધીઓ અને આધ્યાત્મ તત્વ. આધ્યાત્મ તત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા. આજે વહેવારિક જગતમાં ‘ધાર્મિક વિધીઓ’ ને ધર્મનું નામ આપી દીધું છે. એમાં જેને રસ નથી તે ‘નાસ્તિક’. પણ નાસ્તિક એ ‘ધાર્મિક નથી’ એમ કહી શકાય નહી.

ધાર્મિક વિધીવિધાનોના મુળમાં વીકીપેડીયાની ‘હિદુ ધર્મ’ની લિન્ક વાંચવા મળી –

ગુજરાતી વીકીપેડીયામાં હિંદુધર્મની ચર્ચામાં લખે છે –

“રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.”

આનો સ્પષ્ટ અર્થ એ થાય કે ‘ભક્તિમાર્ગ’ની શરુઆતથી મુળ ધર્મથી ફંટાઈને ક્રિયાકાંડ અને ધાર્મિક વિધીવિધાનોની શરુઆત થઈ. એમાંથી આજના ‘સંત-મહાત્માઓ’ અસ્તિત્વમાં આવ્યા, અને ધર્મ એ ‘ધંધો’ બની ગયો.

જ્યારે પણ કોઈ ક્રિયા ‘ritual’ બની જાય ત્યારે તેનું મુળ તત્વ વીસરી જવાય છે. તમે ઘણી વખત જોયું હશે, બાઈક પર સ્પીડમાં જતો યુવાન કોઈ મંદીર પાસેથી પસાર થાય ત્યારે ક્યાં તો હોર્ન મારે, ક્યાં તો માથે અને છાતીએ હાથ લગાડી માથુ નમાવે. આમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું પ્રદર્શન લાગે, પણ ખરેખર તો એ ફક્ત ‘ritual’ થી વધુ કશું નથી હોતું. તેના મનમાં કુટીલ વિચારોનું ચક્ર ચાલુ જ હોય.

આવું આપણી ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું છે. મંદીરે જવાનું બુઢ્ઢા થયા પછી જ હોય, યુવાનીમાં ભગવાનની કોઈ જરુર નથી, જે છે તે આપણે જ છીએ. ‘હું કરું’ એ સિવાય કશું નથી. આમ આપણે જીવનશૈલી અને ધર્મને અલગ કરી દીધા છે.

પાતંજલીના યોગસુત્રોમાં જીવનશૈલીની સુપેરે સમજ આપેલી જ છે. યોગના પ્રથમ બે ચરણો – યમ. નિયમ – એ જીવનશૈલીનું માર્ગદર્શન જ છે. પાંચ ‘યમ’ – સત્ય, અહીંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – જે વ્યક્તિએ પોતે સમાજના સંદર્ભમાં પાળવાના નૈતિક નિયમો છે. જ્યારે ‘નિયમ’ – શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજન – એ વ્યક્તિએ ‘સ્વ’ માટે પાળવાના નૈતિક નિયમો છે. આમ ‘યમ, નિયમ’ જીવનશૈલી ઘડવાનો આધાર છે.

………. અને ગાંધીજીના અગીયાર વ્રતો કેમ ભુલાય –

સત્ય , અહિંસા , ચોરી ના કરવી , વણજોતું ના સંઘરવું….
બ્રહ્મચર્ય ને જાતે મહેનત , કોઈ અડે ના અભડાવું…..
અભય, સ્વદેશી, સ્વાદ જ તજવો , સર્વ ધર્મ સરખા ગણવા….
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા……

આ બધી ભેજાફોડીનું તારણ કાઢવું હોય તો –

પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિના આધારે જીવન જીવવા માટેના નૈતિક નિયમો નક્કી કરી ‘સ્વધર્મ’નું નિર્માણ કરવું અને હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે બાબતો ભુલી જઈ ‘સ્વધર્મ’નું પાલન કરવું.

અંતે….

સમીર દરજીના બ્લોગ પરથી કેટલાક સામાજીક પાપોની વાત –

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ 

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ 

(૭) ત્યાગવિહીન પૂજા

ધર્મને સમજવાની મથામણમાં મારે ‘ઘરવાપસી’ની વાત કહેવાની રહી ગઈ (છેલ્લા ત્રણ-ચાર મહીના બ્લોગ પરની હાજરીની અનિયમિતતાનું કારણ) – આ ઘરવાપસી એટલે સુરતથી ગાંધીનગર પરત થયો, જ્યાં મેં સંસારની શરુઆત કરી અને જીંદગીના સ્ટ્રગલ અને સુખના ચાલીસ વર્ષો વિતાવ્યા હતા.

હવે …. સુખે ભજશુ  શ્રીગોપાળ……

ચિકિત્સા – વિવિધ પધ્ધતિઓની સમજ

(આજની પોસ્ટ ચિકિત્સા પધ્ધતિઓને સમજવાના પ્રયત્નોનો નિચોડ કહી શકાય તેમ છે. આથી લખાણની લંબાઈ વધી ગઈછે. આથી નિરાંતે વાંચવા આ પોસ્ટનું PDF કન્વર્ઝનની સગવડતા આપેલ જ છે.)

આપણે સ્વાસ્થ્યની રક્ષા માટે વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ ઉપયોગમાં લઈએ છીએ. આજે આ પધ્ધતિઓને એક અલગ નજરથી નિહાળવાનો પ્રયત્ન કર્યો છે.

માનવ શરીર એક શક્તિનો પુંજ છે.

complete_perfect_aura_380x550

આ બાબતને રસાયણ અને ભૌતિક વિજ્ઞાનની રીતે પણ સ્વીકારી શકાય છે. જેમકે કોઈ પણ પદાર્થ અણુ/પરમાણુનો બનેલો છે. શરીરનું બંધારણ પણ વિવિધ રાસાયણિક તત્વોથી બનેલું છે. આથી શરીરને સુક્ષ્મ રીતે જોતાં તે પરમાણુ – પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને એવા જ બીજા પર્ટીકલ્સથી બનેલુ છે જે શક્તિનું વહન કરે છે કે શક્તિ ઉત્પન્ન કરે છે. થોડા સમય પહેલાં ‘ગોડ પાર્ટિકલ’ની ચર્ચા આવેલી. કોઈ વૈજ્ઞાનિકે શરીરમાં આવા ગોડપાર્ટીકલની નોંધ લીધી હતી (સંદર્ભ અત્યારે યાદ નથી આવતો). આમ હાડમાંસના સ્વરુપે દેખાતું શરીર, વિવિધ તત્વો અને તેમાંથી બનતા સંયોજનો (પદાર્થો)નો સમુહ છે. આ તત્વો અને પદાર્થો અંતમાં અણુ-પરમાણુના સમુહ જ છે. આવા પરમાણુઓમાં પ્રોટોનના કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોન્સ નજરે પડે અને તેનાથી શક્તિના તરંગો દ્રશ્યમાન થાય. વિપશ્યનામાં શ્રી ગોએન્કાજી કહે જ છે – વિપશ્યનામાં ઉંડા ઉતરી જશો ત્યારે ફક્ત તરંગો જ જોવા મળશે – એમાં કદાચ આ શક્તિના તરંગોને જોવાની જ વાત હશે. વૈજ્ઞાનિક પુરાવારુપે ‘કીરીલીયન ફોટોગ્રાફી’થી ‘ઓરા’ – શરીરની આસપાસના તેજપુંજના ફોટા પાડવાનું પણ શક્ય બન્યું છે. આપણા દરેક અવયવોને પોતાનું ‘ઓરા’ હોય છે જેના રંગ પરથી રોગ નિદાન કરવાનું વિજ્ઞાન પણ પશ્ચિમમાં વિકસ્યું છે. માનવીના ‘સાત શરીર’ની કલ્પના પણ થયેલી છે. મુળ ‘શક્તિના મહાસાગર’ (ક્ષીર સાગર ?) છુટું પડેલું બિંદુ (મહાકારણ શરીર) ધીમે ધીમે અન્ય શરીરોના આવરણો ધારણ કરી અંતે ‘ફીઝીકલ બોડી’ તરીકે દ્રશ્યમાન થાય છે. મોક્ષ માર્ગની આવી પરિકલ્પના પણ ‘એનર્જી બોડી’ની પુર્તિ કરે છે.

aura-layers

આ બધી જ વિગતો આપણના આધારે કહી શકીએ કે શરીર એક શક્તિપુંજ છે.

આપણે રેકીની ચર્ચા અગાઊ કરી જ ગયા છીએ. આ ‘રેકી’ એ જે તે અવયવની મુળભુત ‘ઓરા’ પરત સ્થાપવાનું કાર્ય કરે. આ જ કક્ષામાં શક્તિપાત, હીલીંગ ટચ જેવી થેરાપીઓ આવી જાય. હસ્ત મુદ્રાઓ પણ આપણા ‘એનર્જી બોડી’ની ‘એનર્જી ચેનલ્સ’ને અસર કરતી થેરાપી છે.

img1140324019_1_1

 

એક્યુપંક્ચર કે એક્યુપ્રેસર એ પણ એનર્જી બોડીની એનર્જી ચેનલ્સને ક્લીયર કરવાની થેરાપી છે, જેમાં એનર્જી ચેનલ્સને દબાણ આપીને કે પંક્ચર કરીને શરીરમાં વહેતા શક્તિના પ્રવાહને ઠીક કરવામાં આવે છે. અહીં એટલું યાદ રાખવું જરુરી છે કે આ થેરાપીઓ એલોપથીમાં લેવાતી પેઈનકીલર જેવી ગણાય, તેનાથી મુળભુત પ્રશ્ન હલ થઈ જાય એવું ન પણ બને. હા ! એવું કહી શકાય કે શરીરને આપમેળે સ્વસ્થ થવામાં આ થેરાપીઓ મદદરુપ થાય.આમ શરીરના શક્તિપુંજને સ્પર્શતી સીધી મેડીસીન એટલે આ બધી ‘એનર્જી મેડીસીન’.

આમ એનર્જી મેડીસીન એ શરીર સ્વાસ્થ્યને સાચવવામાં ઉપયોગમાં લેવાતી મુળભુત ચિકિત્સા, જે છેક શરીરના શક્તિ સ્વરુપને અસર કરે.

અહીથી થોડા નીચે ઉતરીએ તો શરીરના બંધારણમાં ઉપયોગમાં લેવાયેલા તત્વોની વાત…….

હવે આ તત્વોનું યોગ્ય પ્રમાણ જળવાય તો શરીર સ્વસ્થ રહે પણ તેમાં ફેરફાર થાય તો શરીર સ્વાસ્થ્ય કથળે. આ તત્વોના યોગ્ય પ્રમાણને જાળવવા કરવામાં આવતી ચિકિત્સાની વાત કરીએ તો યોગ/પ્રાણાયમ, આસન, મુદ્રા વગેરે આવે. પતંજલીના અષ્ટાંગ યોગના આઠ અંગોમાં માણસના વાણી-વર્તન-વહેવારને (યમ, નિયમ) સમાવતા અંગો સિવાયના અંગોમાં ચિકિત્સાને આધ્યાત્મિક સંદર્ભે જોવામાં આવી છે. પ્રાણાયમ, ધ્યાન, ધારણા વગેરે શરીરની ‘ઑટોનોમસ સીસ્ટમ’ને કંટ્રોલ કરવામાં ઉપયોગી છે.

hasta_mudra_chin_mudra_jnana_mudra

આસન એ શરીરની વિવિધ મુદ્રાઓ જ છે એ શરીરના તત્વોને બેલેન્સ કરવામાં શરીરને સહાય કરે છે. (શરીરને મૂળ પ્રાકૃતિક સ્થિતિમાં પરત આવવાની ક્રિયા – Human homeostasis – (The human body manages a multitude of highly complex interactions to maintain balance or return systems to functioning within a normal range.) કહેવાય છે. શરીરમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો homeostatic system શરીરને મુળ સ્થિતિમાં લાવવાના પ્રયત્ન શરુ કરી દે છે.). અગાઊ જોઈ ગયા તે કુદરતી બાહ્ય ઉપચારો હતા.

નેચરોપથી એ શરીરના શુધ્ધીકરણ માટે ઉપયોગમાં લેવાતી ચિકિત્સા પધ્ધતિ છે. એમાં મુખ્યત્વે શરીરમાં ઉત્પન્ન થયેલ કચરાના નિકાલ માટેના પ્રયત્નો છે. જ્યારે આયુર્વેદ ચિકિત્સાએ શરીરમાં ખુટતા તત્વોને ‘દવા’ તરીકે કુદરતી પદાર્થો આપીને પુર્ણ કરવાનો પ્રયત્ન છે. એલોપથી સાથેનો મુળભુત તફાવત આ છે – આયુર્વેદ એ દવા તરીકે કુદરતી પદાર્થોનો ઉપયોગ કરે છે જ્યારે એલોપથી જે તે પદાર્થ સંકેન્દ્રીત (કોન્સ્ટ્રેટેડ) સ્વરુપે જ દવા તરીકે અપાય છે. જેમકે વિટામીન સી ની ઉણપ માટે આયુર્વેદ સંતરા-નારંગી જેવા ફળો સુચવે છે જ્યારે એલોપથીમાં વિટામીન સી ની ગોળી જ અપાય છે.

શરીરનું બંધારણ પાંચ મહાભુતોના યોગ્ય અનુકલનથી થયેલું છે. આ પાંચ મહાભુત એટલે –

આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને જલ.

શરીરમાં જ્યાં જ્યાં – ફેફસા, હાડકાની પોલ વગેરે, પોલાણ છે તે આકાશ તત્વ છે. વાયુ પણ સમગ્ર શરીરમાં ફેલાયેલો છે. (કાઠિયાવાડીમાં વાયુની એક બીમારીને ‘ફરતો વા’ કહે છે.) શરીરનું પાચનતંત્ર અગ્નિ આધારીત છે જ, પણ શરીરના પ્રત્યેક કોષમાં પણ અગ્નિ હાજર છે – અધુનિક વિજ્ઞાન એને ચયાપચય (મેટાબોલીઝમ) કહે છે. શરીરને શક્તિ ગ્લુકોઝના રુપાંતરથી મળે છે અને આવી રાસાયણીક ક્રિયાઓમાં ગરમીરુપે (અગ્નિ તત્વ) ઉર્જા ઉત્પન્ન થાય છે. (Cellular respiration is considered an exothermic redox reaction). માંસ-મજ્જા વગેરે પૃથ્વી તત્વ છે જ્યારે લોહી અને અન્ય તરલ પદાર્થો જલ તત્વ છે. જ્યારે આ તત્વો યોગ્ય પ્રમાણમાં હોય ત્યાં સુધી શરીર સ્વસ્થ રહે છે. જ્યારે કોઈ તત્વ વધે, ઘટે કે વિકૃત થાય (તેના સ્થાનથી ચલીત થાય) ત્યારે રોગ ઉત્પન્ન થાય છે.

માનવ શરીરના બંધારણમાં આ તત્વો નીચે પ્રમાણે વહેંચાયેલા છે –

  • રસ – જલ અને પૃથ્વી
  • રક્ત – અગ્નિ અને જલ
  • માંસ – પૃથ્વી અને જલ
  • મેદ – પૃથ્વી અને જલ
  • અસ્થિ – આકાશ અને વાયુ
  • મજ્જા – પૃથ્વી અને જલ
  • શુક્ર – પૃથ્વી અને જલ

આયુર્વેદમાં આ તત્વોના બંધારણના આધારે વિવિધ દોષોનું નિરુપણ કરવામાં આવ્યું છે. મુખ્ય ‘ત્રિદોષ’ નું વર્ણન છે –

  • વાત – વાયુ અને આકાશ
  • પિત્ત – અગ્નિ
  • કફ – જલ અને પૃથ્વી

સામાન્ય ઉદાહરણથી સમજીએ – જ્યારે શરદીની અસર થાય ત્યારે જલ તત્વ (નાક વહેવું) અને પૃથ્વી તત્વ (કફનો ભરાવો) દુષિત થાય છે. વૈદ્ય આ તત્વોને બેલેન્સ કરવા ઔષધ આપે છે.

આમ આયુર્વેદ શરીરના મુળ બંધારણને ધ્યાનમાં લઈને માનવીના ‘ફીઝીકલ બોડી’ ના બંધારણને સામાન્ય કરવાનો પ્રયત્ન કરતી ચિકિત્સા પધ્ધતિ છે.

છેલ્લે વાત કરીએ અતિપ્રચલિત ચિકિત્સા પધ્ધતિ – એલોપથીની વાત.

એલોપથી એ ચિકિત્સા દરમ્યાન સમગ્ર શરીરને ધ્યાનમાં લેવાને બદલે, જે અવયવમાં વિકાર થયો હોય તે અવયવને ધ્યાનમાં લે છે અથવા તો શરીરની જે ક્રિયામાં તકલીફ થઈ હોય તેને ધ્યાનમાં લે છે.

શારીરિક ક્રિયાઓમાં અડચણ ઉભી કરી અથવા પ્રતિક્રિયા કરી અલોપથીની દવાઓ કાર્ય કરે છે. જેમ કે તમે તીખું-તળેલું ખાઓ ત્યારે તેને પચાવવા વધારે એસીડની જરુર પડે છે અને શરીરની ઑટોનોમસ સીસ્ટમ હોજરીના કોષોને વધારે એસીડનું સીક્રેશન કરવા આદેશ આપે. તેથી એસીડીટી થઈ જાય. આવા સંજોગોમાં એલોપથીમાં એન્ટાસીડ આપવામાં આવે જે વધારાના એસીડનો નાશ કરે (ન્યુટ્રલાઈઝ કરે). અહીં એ યાદ રાખવું ઘટે કે એસીડનો નાશ થતાં લીધેલો ભારે ખોરાક અપાચ્ય રહે અને આવો અર્ધ પચેલો ખોરાક શરીર માટે નકામા તત્વો ઉત્પન્ન કરી સ્વાસ્થ્યને નુકશાન કર્તા બને. તમને જ્યારે કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે તેના જીવાણુનો/વાયરસનો નાશ કરવા એન્ટીબાયોટીક આપવામાં આવે, જે વાયરસને નિષ્ક્રીય કરે. પણ આ પધ્ધતિની મોટામાં મોટી ખામી એ છે કે તે પુર્ણ શારિરીક વ્યવસ્થાને (body as whole) ધ્યાનમાં લેતું નથી. જે અંગ કે ક્રિયામાં ખામી દેખાય તેની સારવાર કરે છે. જ્યારે દવાઓ મોં વડે કે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે ત્યારે દવાનું ભ્રમણ લોહી દ્વારા પુરા શરીરમાં થાય અને જે અંગોમાં રોગ નથી તેના પર પણ દવાની ઓછીવત્તી અસર થાય. આમ સાજા અંગોમાં પણ ખામી સર્જાય શકે.

આમ એલોપથી એ શરીરમાં રહેલા ‘તત્વો’ વચ્ચે થતી જીવ-રાસાયણીક (biochemical) ક્રિયાના પરિણામોને અસર કરતી ચિકિત્સા પધ્ધતિ છે.

આમ વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ શરીરના જુદા જુદા સ્તરોએ અસર કરતી હોય છે. ટુંકમાં જોઈએ તો –

  • એનર્જી ચિકિત્સા – માનવ શરીરના ‘એનર્જી બોડી’ પર અસર કરે છે. જેમાં યોગ/પ્રાણાયામ, રેકી, શક્તિપાત, એક્યુપંક્ચર, એક્યુપ્રેસર, મુદ્રા ચિકિત્સા, હીલીંગ ટચ વગેરે આવે. આ ચિકિત્સાઓ છેક મુળમાં અસર કરતી હોવાથી સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરે, પણ જો લાઈફસ્ટાઈલ યોગ્ય અપનાવાય તો તંદુરસ્તી જળવાય રહે.
  • નેચરોપથી – માનવ શરીરમાં રોગના કારણે ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોને દુર કરવાની અને શારિરીક ક્રિયાઓને સ્વભાવિક બનાવવાનો પ્રયત્ન છે. આ પધ્ધતિ પણ લાંબો સમય લે છે.
  • આયુર્વેદ – માનવ શરીરના મુળભુત બંધારણને અસર કરતી પધ્ધતિ છે, પણ બંધારણને સુધારવા બહારથી તત્વો દવા સ્વરુપે અપાતા હોવાથી સાજા થવામાં ઉપરની પધ્ધતિઓ કરતાં ઓછો સમય લે છે.
  • એલોપથી – આ ચિકિત્સા પધ્ધતિ રોગ ઉત્પન્ન કરતી પ્રક્રિયાના પરિણામોને દુર કરવાનો પ્રયત્ન કરે છે, આથી તાત્કાલીક સાજા થવાનો ભાસ થાય છે, પણબહારથી અપાતા રસાયણોના કારણે શરીરની અન્ય પ્રક્રિયા પર પણ અસર પડે છે અને આડ અસરો થાય છે.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।।

(सभी सुखी होवें, सभी रोगमुक्त रहें, सभी मंगलमय घटनाओं के साक्षी बनें और किसी को भी दुःख का भागी न बनना पड़े।)

 

થાક – જીવનનો ?

 

” ‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”
– બરકત વિરાણી ‘બેફામ’

“આ ઉપરવાળો હવે દોરી ખેંચી લે તો સારું” આરામ ફરમાવી રહેલા કોઈ વૃધ્ધના શબ્દો…

“બસ ! હવે બહુ દોડ્યા… ક્યાંક ઝંપવુ પડશે” નોકરીનું ઠેકાણું ન પડવાથી માનસિક રીતે ત્રસ્ત થયેલા યુવાનના શબ્દો….

“ઝપીને બેસવા તો દો !” બાળકોના કલબલાટથી કંટાળી ગયેલી ગૃહિણીના શબ્દો….

થાક… થાક… થાક અને થાક……

6CBC0-fatigue

થાક બંને પ્રકારના લાગે – શારિરીક અને માનસિક.

શારિરીક થાક તો સતત કામ કરવાથી લાગ્યો હોય, અથવા તો ડાયાબીટીશ જેવા દર્દોના કારણે અનુભવાતો હોય, એ તો થોડો સમય આરામ કરવાથી ઉતરી જાય, પણ માનસિક થાકનું નક્કી નહી. તમે આરામ કરો, પણ પહેલાં જે પ્રવૃત્તિ કરતા હતા તે પ્રવૃત્તિ ‘આરામ’માં બદલાણી, આથી થાક ઉતરી ગયાનો આભાસ થાય પણ ઉતરે નહીં. ફરી જો એ જ કામમાં પ્રવૃત થાઓ તો ટૂંકા સમયમાં થાકી જાઓ. માનસિક થાકના લક્ષણો જાણવા હોય તો – અનિદ્રા, બેદરકારી, બેધ્યાનપણું વગેરે ગણાવી શકાય. પણ ઉપરના વાક્યોમાં થાકના આવા કોઈ લક્ષણો નથી. આ તો લાગણીનો એક ઉભરો છે. ખરેખર ભગવાન આવીને કોઈ પણ વૃધ્ધને કહે ‘ચાલો, સમય થઈ ગયો છે’ તો તે તરત પોતાના શબ્દો પાછા ખેંચી લે. ‘ઝપવા દેશો’ એવી કચ કચ કરતી પત્નીને પ્રેમાળ પાત્ર આવીને ચા બનાવવાનું કહે તો તેનો થાક અદ્રશ્ય થઈ જાય અને તરત ઉભી થઈ જાય.

ખરેખર તો આવા વાક્યો વ્યક્તિની ‘અપેક્ષા’ મુજબનો પ્રત્યુત્તર, શરીર કે મન તરફથી ન મળ્યો હોય ત્યારે ઉભરી આવે છે. માની લઈએ કે વૃધ્ધે કોઈ ‘અપેક્ષા’ રાખી હોય અને તેમાં નિરાશા મળે તો તે તરત થાકનો અનુભવ કરે. મોર્નીંગ વોકમાં કોઈ સીનીયર સીટીઝનની બાજુમાંથી પોની ટેઈલ ઉછાળતી યુવતી, યુવાનીના જોશમાં આગળ નીકળી જાય અને સીનીયર સીટીઝનને કદમ મિલાવવાની તાકાત હોય નહીં. પછી બાંકડા પર મિત્રો પાસે બેસીને, વોકીંગ કરતી મહિલાઓના ‘ક્વીન’, ફ્લાઈંગ રાની’ ‘લોકલ’, ‘મેમુ’ જેવા ઉપનામ ઉચ્ચારી આનંદ મેળવે. પણ જો તમે તેની તબીયતના સમાચાર પુછો તો કહે ‘ બસ,  ઉપરવાળો દોરી ખેંચી લે તેની રાહ છે’. હકીકતમાં તો પેલી પોનીટેઈલની સાથે કદમ ન મિલાવી શકવાનો ગમ બોલતો હોય.

બાઈબલની એક કહેવતનો સંદર્ભ વાંચવા જેવો છે –

The Bible also says: “Expectation postponed is making the heart sick.” (Proverbs 13:12) Eager anticipation of something good fills us with joy, but if it is not soon realized, we may feel a depressing sense of letdown.

(http://wol.jw.org/en/wol/d/r1/lp-e/2008165)

આમ બીજી રીતે વિચારીએ તો શરુઆતમાં લખેલા વાક્યોમાં દેખાતો થાક ‘Expectation Fatigue’ છે.

આમ જુઓ તો મહદ અંશે આપણી ‘અપેક્ષાઓ’ જ નરસા પરિણામો તરફ દોરી જાય છે.

થાક જેવી સામાન્ય બાબતોમાં પણ ‘અપેક્ષા’ નો ફાળો છે.

જો અપેક્ષાઓ નાથી શકાય તો જીવનમાં થાક ન લાગે. તમને એવું લાગે છે ?

Better late than …

લગભગ એકાદ મહીને ફરી નેટ પર આવ્યો, આથી સૌ પ્રથમ, નેટ મિત્રોને નુતન વર્ષના અભિનંદન પાઠવી દઊં. આદર્શ પરિસ્થિતિમાં તો એવું કહેવાય છે કે આપણી રોજની સવાર ઇશ્વરે બક્ષેલી એક નવી જીંદગી છે, જીવશાસ્ત્રની દ્રષ્ટિએ પણ શરીર પોતાની રીતે રાત્રિ દરમ્યાન, દિવસ દરમ્યાન આપણે તેના પર ગુજારેલા અત્યાચારોની માફી આપીને, પોતાની રીતે યોગ્ય રીપેરીંગ/રીનોવેશન કરી લે છે. આમ કંઈક ‘નવું’ તો છે, પણ આપણી સ્મૃતિ, આગલા દિવસો સાથે ફરી જોડી દઈને આપણને ‘જુના’ બનાવી દે છે. સ્વાધ્યાય પરીવાર આપણને સવારમાં ‘સ્મૃતિદાન’ કરવા ઇશ્વરનો આભાર વ્યક્ત કરવા સમજાવે છે. સામે પક્ષે જીવનની વાસ્તવિકતાના ચિત્કાર સાથે નાઝીર દેખૈયાના શબ્દોને સુર આપતા મનહર ઉધાસનો મધુર અવાજ સંભળાય –

‘ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,

જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો. ……….’

જવા દો ! ગગનવાસીની ધરા પર આ બધુ ચાલતું રહેશે, પણ યુવા મિત્રોને વડીલ તરીકે એક સલાહ આપવાની ઇચ્છા રોકી શકાતી નથી (મફત મળે છે, લઈ લો !)

લગભગ ૨૫ વર્ષની વયથી યુવાનો જીવનમાં કંઈક કરી દેખાડવાની, કેરીયરને ટોચ પર લઈ જવાની, સમાજમાં અલગ છાપ ઉપસાવવાની મથામણમાં ચાલીસી સુધી પહોંચી જાય છે. અત્યાર સુધી પોતાના શરીર પર ધ્યાન અપાયું હોતું નથી. (અહીં બાહ્ય શરીરની વાત નથી, એના પર તો ઘણા ‘ક્રીમ’ લાગી ચુક્યા હોય છે, ડાયેટીંગના નામે ઘણા ન્યુટ્રીશનલ પદાર્થો તરછોડાયેલા હોય). સમયનો અભાવ, અનિયમિત ભોજન, થોડાક અંશે જીભના ચટકા અને થોડીક મજબુરી, સતત સ્ટ્રેસ, આ બધાના કારણે અજાણપણે પગદંડો જમાવતા રોગના પદાર્પણ થઈ ગયા હોય છે. શરુઆત એસીડીટીથી થઈ જાય. આ નાનોસુનો લાગતો રોગ બીજા ઘણા રોગોનું મુળ છે. શરીરની ઘણી બધી સીસ્ટમોને ખોરવી નાખતો રોગ છે. આપણે રોગોની ચર્ચા નથી કરવી, પણ મોર્નિંગ વોક પર જતાં ૯૦ % સીનીયર સીટીઝનો જ નજરે પડે છે. અહીં જ યુવામિત્રો કંઈક ભુલે છે. એટલીસ્ટ ચાલીસી વટાવ્યા પછીની ઢળતી યુવાનીવાળા પણ નજરે પડવા જોઈએ. રામદેવજીનું નામ સાંભળી નાકનું ટીચકું ચડાવ્યા સિવાય તેમણે સમજાવેલી સુક્ષ્મ વ્યાયામની ક્રિયાઓ પણ કરવી જોઈએ. રામદેવજીની એલર્જી હોય તો પ્રાથમીક સ્કુલમાં પીટીના પીરીયડમાં શીખવાડેલી સામાન્ય કસરતો પણ કરી શકાય. આ બધું ફક્ત અડધા કલાકનું થાય તો પણ વાંધો નથી, પાછળથી ઘણી ગોળીઓ ગળવામાંથી છુટકારો મળશે. સવારે પથારી છોડતા પહેલાં અન્યુઝવલ સ્ટ્રેચીંગ – શરીર સામાન્ય પરિસ્થિતિમાં નથી કરવાનું તેવા – કરશો તો પણ, શરીરનું સ્નાયુતંત્ર સારું રહેશે.

અને …. ખાવા-પીવામાં પણ જીભને નહીં પણ શરીરને ધ્યાનમાં રાખીને ટેવ પાડશો તો બુઢાપામાં ડાયનીંગ ટેબલ પર ‘ચાલશે, ફાવશે’ માં વાંધો નહી આવે.

ટુંકમાં મારે તમને ‘મુઝ વીતી તુઝ વિતશે, ધીરી બાપુડીયા..’ એવું નથી કહેવું પણ હજુ મોડું થયું નથી, Better late than never…..

ચાલો, કાલે મોર્નીંગ વોકમાં મળશું…. (આ લેખ વાંચી અસર થાય તો કાલે તમારા મનમાં તો સાથે હોઈશ ને !…)

I don’t care

I don’t care ….

‘સંબંધોના સથવારે’ ચાલીએ છીએ ત્યારે એવું કહેવાની ઇચ્છા ન જ થાય કે – ‘તમે બ્લોગની વિઝીટે આવ્યા પણ, I don’t care’ ઘણા મિત્રો બ્લોગની વીઝીટે આવ્યા, પણ તેમની સાથે સંવાદ થઈ શક્યો નહી.– હમણાં વિદેશથી આવેલી પુત્રી અને પૌત્રી સાથે સમય પસાર થઈ ગયો. વિદેશમાં ચાલતી સારવારમાંના ‘I don’t care’ ને જાણ્યું, જ્યાં ‘માણસ’ની પણ મશીનની જેમ ગણના થતી સાંભળી દુઃખ થયું. ‘તમારા પુર્જા બગડી ગયા છે ? સારું ! ડોક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ લો, જ્યારે ટર્ન આવે ત્યારે આવજો, ત્યાં સુધી પેઈનકીલર ખાઓ અને રાહ જુઓ.’ (આપણે જેમ ગાડી ગેરેજમાં લઈ જઈએ અને મીકેનીક કહે તેમ ‘વાર લાગશે, મુકી જાઓ’)

હશે ! પણ આ પ્રસંગે ‘I don’t care’ ના મુળમાં જવા પ્રેર્યો.

પહેલા તો કેટલાક ક્વોટ્સ જોયા –

If you remember me, then I don’t care if everyone forgets – શરતી પ્રેમની રજુઆત…. તું યાદ રાખે તો પ્રેમ સાચો, નહીંતર ‘તું નહી ઔર સહી’

I don’t care what people say about me, I know who I am and I don’t have to prove anything to anyone. અહમની ટોચ પર બીરાજીને … બસ ! ‘હું’ જ ‘હું’ !

આના જેવા જ વધુ …

I don’t care if anyone does not like me. I was not born in this world to entertain everyone

I don’t care what you think

I don’t care what people think or say about me

સુરતીઓને ગમે તેવું વાક્ય –

I don’t care about money. I really don’t care. I do what I want to do.

વરસતા વરસાદમાં, રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય ત્યારે પણ પચીસ રુપીયાના કાંદા ભજીયા ખાવા દસ લાખની ગાડી પાણીમાં ચલાવવાની જ.

કેટલાક ગમે તેવા વાક્યો –

I don’t care if you put me down, I am just gonna keep getting back up and keep on fighting to survive – ફાઈટીંગ સ્પીરીટ… પડીને પણ ઉભા થઈ જવું.

સફળતાની સીડીનું પ્રથમ પગથીયું –

If you don’t care about what people think….you already passed first step of success… 

મને વધુ ગમ્યું હોય તેવું વાક્ય –

137-I-don-t-care-quote

આ બધા વાક્યો તપાસીએ તો એક મહત્વનું તારણ એ નીકળે વ્યક્તિ જ્યારે વિચારે, વર્તે ત્યારે તેનામાં ‘Sense of proportion’ હોવી જોઈએ. ખુબ નજીકના સંબંધો સિવાય સામેવાળાને કેટલું, ક્યારે, કેવી રીતે મહત્વ આપવું તેની ગણત્રી કરવી જોઈએ. બધી જગ્યાએ સામેવાળાને ‘I don’t care’ ની લાગણી ઉભી થાય એવું વર્તન, સંબંધોને પુર્ણવિરામ તરફ લઈ જાય છે. તમે તેની Care નથી કરતા તેવો સંદેશો આપતું વર્તન કેવું હોય તે પણ જાણી લો – સામેવાળો વાત કરતો હોય ત્યારે તેની સાથે eye contact ન હોય, તમે તમારી અન્ય પ્રવૃતિ ચાલુ રાખો, તમે ધ્યાનથી સાંભળતા નથી, પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવામાં વિલંબ કરો છો, વાત સાંભળતા સાંભળતા અન્ય સાથે વાત કરવા માંડો, અધુરી વાત ‘સાંભળો’ (ન સમજાય ત્યાં તુરત ચોખવટ કરો નહી), અદબ વાળી સાંભળતા હો અને વારંવાર eye contact છોડી દો, …. આ બધા જ વર્તન સામેવાળાને તમારો ‘I don’t care’ નો સંદેશો આપે છે. (ફેઈસબુક પર મિત્રો કેટલી care કરેછે તે જાણી લો … એક મિત્ર એક પુસ્તકનું નામ લખી વિનંતિ મુકી કે કોઈને જાણમાં હોય જણાવજો… તો ૫૦-૬૦ મિત્રોએ આ સંદેશાને Like કર્યું બોલો… 😉 🙂 :-)..)

ફાઈટીંગ સ્પીરીટમાં પણ શત્રુની શક્તિઓની ગણત્રી હોવી જ જોઈએ. ભાગવું પડે તો ભાગવામાં નાનપ ન રાખવી. ‘રણછોડ’ અમથું થવાય !

મોટીવેશન ગુરુઓ ભણાવે તેમાં અન્ય શું વિચારે તેનું ધ્યાન રાખ્યા સિવાય સફળતાનું પ્રથમ પગથીયું ચડી શકાય તે સાચું પણ બીજું પગથીયું ચડતા પહેલાં અન્યના વિચારોની ગણત્રીઓ મુકવી જ પડે.

ખાસ તો નાણાકીય બાબતોમાં તો ‘I don’t care’ ચાલે જ નહીં. Money is great power… તો શક્તિ વિચારીને જ વાપરવી પડે. આજે નાણાની care ન કરી તો, ભવિષ્યમાં નાણા આપણી care ન કરે.

તમે જો અન્યની care નથી કરતા તો બીજાઓને તમારી ક્યાં પડી છે ! એ પણ એટલું જ સાચું છે.

માબાપ બનવું સહેલું નથી –

લગ્નોત્ષુક યુવાનોને એક સવાલ –

તમે મા-બાપ બનવાની તાલીમ લીધી છે ?

આવા યુવાનોના માબાપોને સવાલ –

તમારા દીકરા કે દીકરીના લગ્ન કરતાં પહેલાં ‘મા-બાપ’ બનવા અંગે કોઈ જ્ઞાન આપ્યું છે ?

સમાજને સવાલ –

કોઈ જગ્યાએ માબાપ બનવાની તાલીમ આપવામાં આવે છે ?

જો આ બધા સવાલોના જવાબો નકારાત્મક હોય તો આપણને એવું કહેવાનો કોઈ હક છે કે ‘આજની પેઢી વંઠેલ થઈ ગઈ છે’ આજની પેઢીને કોઈ માર્ગદર્શન ક્યાંય મળ્યું જ નથી તો વાંક કોનો ?

જો કે આજના વડીલો પણ કહી શકશે કે અમને પણ આવી કોઈ તાલીમ મળી નથી.

સમાજમાં આજ સુધી સ્ત્રી કેળવણી, બાળ કેળવણી વગેરે ચળવળો ચાલી પણ સમાજ જ્યાંનો ત્યાં જ રહ્યો છે. આજે સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો થાય છે છે પણ પોતાને સ્વતંત્ર માનતી સ્ત્રી જીવનને – સમાજને as a whole તરીકે નિહાળે છે ? સમાજના એક ભાગ તરીકે નિહાળે છે ? પોતાને અલગ અસ્તિત્વ તરીકે ગણે છે અને તેથી જ અસ્તિત્વનો સંઘર્ષ સર્જાય છે અને પરીણામ આવતું નથી.

બાળ કેળવણીની ચળવળ ચાલી પણ બાળકો જેમની પાસેથી વધુ શીખે છે તે માબાપો તરફ કોઈનું ધ્યાન ન ગયું. બાળમાનસમાં પાંચ વર્ષ સુધીમાં પડેલી અમીટ છાપ સાથે મોટા થયેલા બાળકને બાળકેળવણીના પાઠ ભણાવવામાં આવે તો કેટલા અંશે સફળ થઈ શકાય ? આ પ્રથમ પાંચ વર્ષની છાપ, ઘરનું વાતાવરણ અને માબાપના બાળક પ્રત્યેના વ્યવહારથી જ પડે છે.

મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે – બાળકો ભણતરથી વધુ, દુનીયા સાથેના તેના વ્યવહારથી શીખે છે. એડલ્ટ લર્નીંગનો આધાર તો experience learning નો છે જ, પણ બાળકો માટે પણ તે એટલું જ સાચું છે.

માનવીના જીવનચક્રમાં સારો બદલાવ લાવવા માટે બાળપણ એક આરંભ બિદું છે, આથી જ બાળકેળવણીનો વિચાર પ્રસ્તુત થયો. પણ બાળક એ ‘પરવશ’ છે આથી તેના આશ્રયદાતાઓ-માબાપ જો તેને યોગ્ય દિશામાં લઈ જાય તો જ જીવનચક્રમાં સકારાત્મક બદલાવ આવે. માબાપમાં જ મુશ્કેલી હોય તો આરંભબિંદુથી ઉદભવેલી દિશાહીનતા બાળકને કે બાળક મટી બનેલા યુવાનને ક્યાં લઈ જશે તે કહી ન શકાય. આથી જ માબાપ માટે સારી ‘પરવરિશ’ની (parenting) તાલીમ જરુરી છે.

Parenting શબ્દ જરા બૃહદ અર્થમાં લેવામાં આવે છે. માબાપ બન્યા પહેલાની બાબતોનો સમાવેશ કરાયેલ છે. વીકીપેડીયામાં ‘Parenting’ ના તબક્કા નીચે પ્રમાણે દર્શાવ્યા છે –

Planning and pre-pregnancy

Pregnancy and prenatal parenting

Newborns and Infants

Toddlers

Child

Adolescents

Adults

એક ભારતીય વેબ સાઈટ – ઇન્ડીયા પેરેન્ટીંગ – પર થોડાક ઊમેરા સાથે ભાગ પાડેલા છે.

New borm Baby – 3 -6 months

Baby 3- 12 months

Toddler 1- 3 years

Preschoolers 3-5 years

Kids 5-9 years

Preteens 9-12 years

Teens 13-18 years

એક વખત આ વેબસાઈટની મુલાકાત લેવા જેવી ખરી. ઘણી બારીકાઈથી વિગતો રજુ કરવામાં આવી છે, જેમકે નાના બાળકના કપડા કેમ ધોવા ? જેવી, ઝીણી ઝીણી બાબતોની ટીપ્સ પણ આપવામાં આવી છે.

Planning and pregnancy નો વિચાર કરો તો આજે સેક્સ એજ્યુકેશનની જે વાતો ચાલી રહી છે તેનો સમાવેશ થઈ જાય. પુત્રીઓને માસિકધર્મ આવતા માતા તરફથી આંશિક જ્ઞાન પ્રાપ્ત થાય, પણ પુત્રને ? એણે તો મિત્રો સાથે બેસીને હલકી અને ગલગલીયા કરાવતી જોક્સ, વીડીયો ક્લીપ જોઈને શીખવાનું ને ! આવા જ્ઞાનમાં Parental Planning કઈ રીતે કરી શકે. પછી તો ઉત્તેજનાઓમાં થયેલી ભુલ સ્વરુપે બાળક આવવાનું થાય ત્યારે એ પહેલેથી જ ‘વણજોતું’ બની જાય. વર્ષો પહેલાં ફાધર વાલેશ લિખિત પુસ્તક ‘લગ્નસાગર’ યુવા મિત્રોને સગાઈ વખતે જ અનોખી ભેટ આપવા લાયક ગણાય. હવે તેની ઉપલબ્ધિનો અણસાર નથી, પણ તેનો આંશિક રસાસ્વાદ રીડગુજરાતી પર ‘લગ્નસાગર’ પર મળશે અને આસ્વાદ લેવા તમારે જવું જ પડશે, કારણ કે – “જીવન-અવકાશમાં પણ યૌવનના અંતરિક્ષે ચડેલા બે અનંતયાત્રીઓનું શુભ મિલન કરાવવું કેટલું અઘરું હોય છે ! સરખા વેગ જોઈએ, સરખા માર્ગ જોઈએ, સરખાં દિલ જોઈએ, નહિ તો અકસ્માત થશે, જીવલેણ અકસ્માત થશે, દિલ દિલની સામે અથડાશે અને તેના ટુકડેટુકડા શૂન્યાવકાશમાં અનંત નિરાશાને માર્ગે ગોળ ગોળ ફરતા રહેશે. મિલનનું મુહૂર્ત વિયોગના અપશુકનમાં પલટાઈ જશે.”

આજેપણ ઘણા પુસ્તકો છે, એના લેખકો પણ વિશિષ્ઠ લઢણમાં લખે છે.

“આપણા બાળકો ઈશ્વર તરફથી આપણને મળેલી ભેટ છે, પરંતુ જો તે બાળકની શ્રેષ્ઠતમ કેળવણી કરવામાં આવે તો તે આપણા તરફથી ઈશ્વરને વળતી ભેટ (Return Gift) આપી ગણાય.” – પરીક્ષિત જોબનપુત્રાના એક પુસ્તક ‘સક્સેસફુલ પેરેન્ટીંગ’ માંથી.

કેટલીક વધારે વિગતો હવે પછી……

(પોસ્ટને PDF તરીકે ડાઊનલોડ કરી શકાય એ માટે નીચે એક બટન ઉમેરેલુ છે)

ચિકિત્સા – ૨

અગાઊ ‘એલોપથી’ ની થોડી વાતો કરી. આજે આધુનિક વિજ્ઞાન જેને ‘વૈકલ્પિક’ ઉપચાર પધ્ધતિ ગણે છે, તેમાંની એક ‘આયુર્વેદ’ની વાત કરીએ. પશ્ચિમી જગતમાં આયુર્વેદને ‘અવૈજ્ઞાનિક’ કહેવામાં આવે કારણ કે ‘વીકી’ ગુજરાતીમાં જણાવ્યા પ્રમાણે –

“જે પ્રકારે એલોપથીમાં રોગોનું કારણ બેક્‍ટેરિયા, ઇન્ફેક્શન, જેનેટિક આદિ હોય છે અને ઔષધિઓનું પરીક્ષણ જાનવરો પર કરવામાં આવે છે અને પરિણામ પ્રાપ્ત કરતાં સુધીની તમામ પ્રક્રિયા તથ્યો આધારિત [Evidence Based] હોય છે એવું આયુર્વેદમાં કંઇ પણ નથી અને સઘળું કપોલ કલ્પના પર આધારિત છે.” …. આ અંગે બે જર્નલોમાં લેખ આવ્યા તેમાં ‘આયુર્વેદ’ અવૈજ્ઞાનિક થઈ ગયું ! આ દલીલમાં પોતાના જ શબ્દોમાં સ્વીકૃતિ છે કે ‘જાનવરો’ પર કરવામાં આવતા પ્રયોગોની જેમ આયુર્વેદમાં કંઈ નથી. બીજી રીતે કહીએ તો આધુનિક પધ્ધતિની દવાઓ જાનવરો પર અસરકારક રહેતી હોય તો આ દવાઓ જાનવરોએ લેવી જોઈએ કે મનુષ્યોએ ? માની લઈએ કે જાનવરો પર સફળતા મળ્યા પછી કેટલાક માનવ સેમ્પલ પણ લેવામાં આવે છે પણ જ્યાં પ્રત્યેક માનવીની પ્રકૃતિ જ અલગ છે ત્યાં ‘અમુક’ માનવીઓ પર અસર કરતી દવા ક્યાંથી કામ લાગે ? તો અવૈજ્ઞાનિક ક્યું શાસ્ત્ર ? આજે, માનવી કોઈ તથ્ય વગર સામાન્ય વસ્તુ પણ પસંદ કરતો નથી તો સારવારની પધ્ધતિ ક્યાંથી સ્વીકારે ? બીજી પણ એક સામાન્ય દલીલ છે કે આયુર્વેદની મોટાભાગની દવાઓ રોજ-બ-રોજ ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થોની બનેલી છે, હવે જો ખાદ્ય પદાર્થો નુકશાન નથી કરતા તો આ દવાઓ કઈ રીતે નુકશાન કરી શકે ? ભારતમાં તો ઠેર ઠેર આયુર્વેદીક સારવાર ઉપલબ્ધ છે અને મેડીકલ ટુરીઝમ હેઠળ પરદેશીઓ આ સારવાર લેવા આવે જ છે. માનવીને સ્વાસ્થ્ય જાળવવામાં મદદરુપ થતી કોઈ પણ ચિકિત્સા ખરાબ નથી, પણ અમુક ચિકિત્સા અવૈજ્ઞાનિક છે એમ કહેવું જ ‘અવૈજ્ઞાનિક’ છે.

જો કે વીકી ગુજરાતી પર ‘આયુર્વેદ’ની ખુબ સરસ ચર્ચા થયેલી છે, આથી એના પુનરાવર્તન જરુરી નથી. એમાં ઘણા પાનાઓ બનાવવા બાકી છે. વૈદરાજોએ થોડો રસ લઈને ભારતીય ચિકિત્સા પધ્ધતિને જગત સામે વૈજ્ઞાનિક રીતે રજુ કરવાની તાતી જરુર છે. સ્વામી રામદેવજીના ટ્રસ્ટ દ્વારા હવે સાબિતિઓ સાથે આ ચિકિત્સાને રજુ કરી છે. http://www.divyayoga.com/divya-yog-mandir/a-campuses/pantanjali-yogpeeth-i/23.html ઊપર ૮૫ રીસર્ચ પેપર્સનું લીસ્ટ આપેલું છે. Yog In Synergy With Medical Science-English જેવા પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

એક વડોદરાના વૈદ્યશ્રીના બ્લોગ ‘આયુર્વેદ’ પર સરસ વ્યાખ્યા મળી –

ayurved

આયુર્વેદ ને એક ચિકિત્સા પદ્ધતિ કહેવી તે તો આખા આયુર્વેદ અને સંસ્કૃતભાષાના અજ્ઞાન જેવી વાત થાય. આયુ એટલે આયુષ્ય – કહ્યું છે તેવું નથી. તેમાં તો સમગ્ર જીવન – કે જેના ચાર પાયા ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આવી જાય છે. તે બધું જ કહેલું છે. જ્યારથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ ત્યાર પહેલા જ જીવ માત્ર સુખી-આનંદી કેમ રહે તેના વિચારો કહેલાં છે. જીવન, – તેના ઉદ્ભવ થી અંત સુધીનું જ્ઞાન-સમજ, તેમાં કઈ શરીર – મનને થતી પીડા અને તેના ઉપાય માત્ર નથી. આ શરીર પંચભૂતોથી નિર્માણ થયેલું છે, તેમજ આ સંસાર પણ પંચભૂતોથી બનેલો છે. તો શરીર અને સંસાર બંને વચ્ચે સમતોલન રહે તેવી વૈજ્ઞાનિક યોજના જ આપણને સાચા અર્થમાં સ્વસ્થ જીવન આપી શકે. તો ચાલો આપણે તેના વિષે જાણીએ -વિચારીએ. આ શરીર, આ સંસાર-બ્રહ્માંડથી જુદું નથી તો, કોઈ પણ વૈજ્ઞાનિક પધ્ધતિ કે વિચારો ખરેખર તો એક બીજાથી વિરુદ્ધ હોઈ જ ના શકે. આખો આયુર્વેદ અનુકુલન અને સંતુલનના જ સિદ્ધાંતોને અનુસરે છે. તો આયુર્વેદમાં વર્ણવેલ જીવન શૈલી જ ઉત્તમ અને અનુસરણીય છે.

આમ એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આયુર્વેદ એ એલોપથીની જેમ શરીરના કોઈ એક અંગ કે પ્રક્રિયાને ધ્યાનમાં લેતું નથી પણ સમગ્ર શરીરને ધ્યાનમાં રાખે છે. આથી તેની આડ અસરની શક્યતાઓ નહીંવત છે. (આડ અસરની શક્યતા વૈદ્યના નિદાનની ખામી કે શરીરની પ્રકૃતિનો રોગ પ્રત્યેનો અલગ રીસ્પોન્સ હોય શકે કે દવા બનાવવામાં કોઈ ખામીના કારણે હોય શકે.)

વ્યાખ્યામાં ઉલ્લેખ કરાય મુજબ શરીરનું બંધારણ પાંચ મહાભુતોના યોગ્ય અનુકલનથી થયું છે. થયેલું છે. આ પાંચ મહાભુત એટલે –

download

 

આકાશ,

વાયુ,

અગ્નિ,

પૃથ્વી અને

જલ.

શરીરમાં જ્યાં જ્યાં – ફેફસા, હાડકાની પોલ વગેરે, પોલાણ છે તે આકાશ તત્વ છે. વાયુ પણ સમગ્ર શરીરમાં ફેલાયેલો છે. (કાઠિયાવાડીમાં વાયુની એક બીમારીને ‘ફરતો વા’ કહે છે.) શરીરનું પાચનતંત્ર અગ્નિ આધારીત છે જ પણ શરીરના એકીક કોષમાં પણ અગ્નિ હાજર છે – અધુનિક વિજ્ઞાન એને ચયાપચય કહે છે. શરીરને શક્તિ ગ્લુકોઝના રુપાંતરથી મળે છે અને આવી રાસાયણીક ક્રિયાઓમાં ગરમીરુપે ઉર્જા ઉત્પન્ન થાય છે. (Cellular respiration is considered an exothermic redox reaction). માંસ-મજ્જા વગેરે પૃથ્વી તત્વ છે જ્યારે લોહી અને અન્ય તરલ પદાર્થો જલ તત્વ છે. જ્યારે આ તત્વો યોગ્ય પ્રમાણમાં હોય ત્યાં સુધી શરીર સ્વસ્થ રહે છે. જ્યારે કોઈ તત્વ વધે, ઘટે કે વિકૃત થાય (તેના સ્થાનથી ચલીત થાય) ત્યારે રોગ ઉત્પન્ન થાય છે.

માનવ શરીરના બંધારણમાં આ તત્વો નીચે પ્રમાણે વહેંચાયેલા છે –

રસ – જલ અને પૃથ્વી

રક્ત – અગ્નિ અને જલ

માંસ – પૃથ્વી અને જલ

મેદ – પૃથ્વી અને જલ

અસ્થિ – આકાશ અને વાયુ

મજ્જા – પૃથ્વી અને જલ

શુક્ર – પૃથ્વી અને જલ

આયુર્વેદમાં આ તત્વોના બંધારણના આધારે વિવિધ દોષોનું નિરુપણ કરવામાં આવ્યું છે. મુખ્ય ‘ત્રિદોષ’ નું વર્ણન છે –

વાત – વાયુ અને આકાશ

પિત્ત – અગ્નિ

કફ – જલ અને પૃથ્વી

સામાન્ય ઉદાહરણથી સમજીએ – જ્યારે શરદીની અસર થાય ત્યારે જલ (નાક વહેવું) અને પૃથ્વી (કફનો ભરાવો) તત્વો દુષિત થાય છે. વૈદ્ય આ તત્વોને બેલેન્સ કરવા ઔષધ આપે છે.

આમ આયુર્વેદ શરીરના મુળ બંધારણને ધ્યાનમાં લઈને સારવાર કરતી પધ્ધતિ છે. જ્યારે એલોપથી રોગી અવયવ કે પ્રોસેસને ધ્યાનમાં લે છે. આથી એક પ્રોસેસને ઠીક કરવામાં અન્ય પ્રોસેસ બગડી પણ શકે છે.

લોકોની મોટી તકલીફ ‘તત્કાલ’ રાહતની છે, આ તાત્કાલિક એને આયુર્વેદ તરફ જતાં રોકે છે. જો સમય અને પૈસાની ગણત્રી કરીએ તો આયુર્વેદની સારવાર લાંબા ગાળે સસ્તી અને અસરકારક રહે છે.

બીજી મુશ્કેલી ‘પરેજી’ ની છે. આયુર્વેદની સારવાર આગળ જોયું તેમ ‘મુળ તત્વો’ આધારીત છે. આથી વૈદ્ય તમને જે તત્વને કમી કરવાનું છે તે આહારરુપે લેવાની મનાઈ કરે એમાં ખોટું શું છે ?

બાકી રહી આયુર્વેદના વિકાસની વાત –

એલોપથીમાં ડોક્ટરોને મેડીકલ રીપ્રીઝન્ટેટીવ ગેરમાર્ગે દોરે છે છે તેમ આયુર્વેદીક સારવારમાં ખુદ વૈદ્ય પોતે જ ગેરમાર્ગ અપનાવે છે. ‘તત્કાલ’ રાહત માટે મોટી મોટી ‘નેચરલ દવા’ની જાહેરખબરોમાં આવતી દવામાં ‘સ્ટિરોઈડ’ મળ્યા છે. શું થાય ? પાપી પેટકા સવાલ હે.

આયુર્વેદને ફક્ત વૈદ્યરાજો જ બચાવી શકશે.

(ઉપરના લખાણની મારી સમજ વેદ્ય શ્રી મનોજ ઉપાધ્યાય પાસેથી પ્રાથમિક મુલાકાત અને નેટ સર્વેમાંથી મેળવેલી છે. ક્ષતિઓ તરફ ધ્યાન દોરવા વિનંતિ.)

ચિકિત્સાક્ષેત્રમાં કેળવણી સાથે સંકળાયેલા મિત્રો માટે એલોપથી આધારીત પ્રેઝન્ટેશન્સની સરસ લિન્ક –

COLLECTION OF MEDICAL POWERPOINT PRESENTATIONS AND LECTURE NOTES FREE DOWNLOAD

મહારાષ્ટ્રના એક વૈદ્ય  – Dr. KRS prasad, slideshare પર કેટલાક પ્રેઝન્ટેશન મુકે છે.

http://www.slideshare.net/technoayurveda?utm_campaign=profiletracking&utm_medium=sssite&utm_source=ssslideview

 

 

ચિકિત્સા

(ક્ષમાયાચના – ગઈ કાલની પોસ્ટ લખ્યા પછી કંઈક ખુટતું હોય તેમ લાગ્યા કરતું હતું. આથી તે જ પોસ્ટ પણ શક્ય તેટલી વિગતોથી સજ્જ કરી ફરી રજુ કરું છું, ફરી વાંચવાની મહેનત કરવી પડશે પણ મહેનત એળે નહી જાય તેની ગેરંટી…… કારણ કે ગ્રાહકોનો સંતોષ એ જ ……. 🙂 )

છેલ્લા કેટલાક સમયથી ‘ચિકિત્સા’ને સમજવાનો પ્રયત્ન ચાલે છે.

સૌ પ્રથમ તો આ ‘શરીર’, ‘આપમેળે સાજું’ થતું મશીન છે. કોઈ ડોક્ટર દાવો કરે એની દવાથી સાજા થવાય છે તો એ ખોટું છે. શરીરને મૂળ પ્રાકૃતિક સ્થિતિમાં પરત આવવાની ક્રિયા – Human homeostasis – (The human body manages a multitude of highly complex interactions to maintain balance or return systems to functioning within a normal range.) કહેવાય છે. શરીરમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો homeostatic system શરીરને મુળ સ્થિતિમાં લાવવાના પ્રયત્ન શરુ કરી દે છે. પણ મનુષ્ય પાસે ‘સમય’ નથી અને શરીરની જરુરીયાતોને સમજવાનું જ્ઞાન નથી. આમ શરીર પોતાની મુળ સ્થિતિમાં પ્રયત્ન કરતું હોય ત્યારે એને સમય આપવો જોઈએ અને એને જરુરી સાધન-ઓજાર (યોગ્ય ખોરાક અને આરામ) પુરા પાડવા જોઈએ, જે આપણે કરતા નથી કારણ કે યોગ્ય ખોરાકનું જ્ઞાન નથી અને આરામ માટે સમય નથી. આયુર્વેદમાં પણ ‘આહાર એ જ ઔષધ’ કહેવાયું છે.  અંતે ડોક્ટર, વૈદ્ય કે અન્ય કોઈને શરણે જવું પડે છે. ડોક્ટર કે વૈદ્યનું ખરેખરું કામ તો ખોરાકમાંથી જે તત્વો (active ingredients) મળવાના છે તે સંકેન્દ્રીત સ્વરુપમાં આપવા જેથી શરીરને આ તત્વો મેળવવા કાર્ય ન કરવું પડે. પણ મુશ્કેલીઓ અહીંથી જ શરુ થાય છે, કારણ કે શરીર હંમેશા એકદમ શુધ્ધ તત્વ લેવા ટેવાયેલ નથી. સાદા ઉદાહરણથી સમજીએ તો ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી જ બને છે. ખાંડમાં રહેલ ગ્લુકોઝ, ગોળ કરતા વધારે શુદ્ધ સ્વરુપમાં હોય છે. ગોળમાં રહેલ ગ્લુકોઝ સાથે અન્ય જરુરી તત્વો પણ હોય છે અને એ સર્વ વિદિત છે કે ગોળ કરતાં ખાંડ વધારે નુકશાન કરે છે. આજ રીતે એલોપથી દવાઓમાં અતિશુધ્ધ તત્વ હોય છે જે વધુ નુકશાન કરે છે. (એલોપથી દવાઓથી થતી આડ અસરો સર્વવિદિત છે.)

વિવિધ ચિકિત્સા પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન કરીએ.

ચિકિત્સા પધ્ધતિઓને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. ‘આધુનિક ચિકિત્સા પદ્ધતિ’ – એલોપથી અને અન્ય ચિકિત્સા પદ્ધતિઓ ‘વૈકલ્પીક ચિકિત્સા પધ્ધતિ’ (Alternate therapy). ભારતની કમનસીબી છે કે ભારતની મુળ ચિકિત્સા પધ્ધતિ – આયુર્વેદ, ભારતમાં જ વૈકલ્પીક પધ્ધતિમાં ગણાય છે. એક ત્રીજો વિભાગ – સપ્લીમેન્ટરી પધ્ધતિ – પણ પાડી શકાય.

એલોપથી – આધુનિક ચિકિત્સા પધ્ધતિ –

શારીરિક ક્રિયાઓમાં અડચણ ઉભી કરી અથવા પ્રતિક્રિયા કરી અલોપથીની દવાઓ કાર્ય કરે છે. જેમ કે તમે તીખું-તળેલું ખાઓ ત્યારે તેને પચાવવા વધારે એસીડની જરુર પડે છે અને હોજરીમાં વધારે એસીડનું સીક્રેશન થાય છે, તેથી એસીડીટી થઈ જાય. આવા સંજોગોમાં એલોપથીમાં એન્ટાસીડ આપવામાં આવે જે વધારાના એસીડનો નાશ કરે (ન્યુટ્રલાઈઝ કરે). તમને જ્યારે કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે તેના જીવાણુનો/વાયરસનો નાશ કરવા એન્ટીબાયોટીક આપવામાં આવે, જે વાયરસને નિષ્ક્રીય કરે. પણ આ પધ્ધતિની મોટામાં મોટી ખામી એ છે કે તે પુર્ણ શારિરીક વ્યવસ્થાને (body as whole) ધ્યાનમાં લેતું નથી. જે અંગ કે ક્રિયામાં ખામી દેખાય તેની સારવાર કરે છે. જ્યારે દવાઓ મોં વડે કે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે ત્યારે દવાનું ભ્રમણ લોહી દ્વારા પુરા શરીરમાં થાય અને જે અંગોમાં રોગ નથી તેના પર પણ દવાની ઓછીવત્તી અસર થાય. આમ સાજા અંગોમાં ખામી સર્જાય. (આ વિગતો બાહ્ય ઉપચારને લાગુ પડતી નથી)

drug_admin1

તમે જે ગોળી લીધી તે પાચનતંત્રમાંથી લોહીમાં ભળે છે. આ લોહી લીવરમાં પહોંચે છે. ત્યાં તેનું રાસાયણીક સ્વરુપ બદલાય છે, કારણ કે લીવરનું (“detoxifying” organ) કામ ચોકીદારનું છે. શરીરમાં પ્રવેશતા વિવિધ ઝેરનો નાશ કરી અને એવા પદાર્થમાં ફેરવવાનું છે જે શરીરને નુકશાન ન કરે. આમ લીવર દવાનું પણ રસાયણીક સ્વરુપ બદલે છે. આમ દવાની તાકાત ઓછી થઈ જાય છે. હવે તો દવાના ઉત્પાદકોએ દવાની સાથે અમુક એન્ઝાઈમ પણ ઉમેરવાનું શરું કર્યુ છે, જે લીવરના કાર્યને નાકામ બનાવે છે અને દવાની અસરકારકતા (drug potency)ને બરકરાર રાખે છે. શરીરમાં જીવનની પ્રક્રિયા (metabolism)  ચાલુ રાખવા માટે વિવિધ પ્રકારના એન્ઝાઈમ ઉત્પન્ન થતા હોય છે. દવાઓ સાથે પણ વિવિધ એન્ઝાઈમ શરીરમાં દાખલ થાય છે. તમારા ઘરમાં કોઈ નવતર ઘુસે તો કેવી તકલીફ થાય છે ? આવું જ આ નવતર એન્ઝાઈમ્સના આવવાથી થાય.

એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે દવાનું વહન શરીરમાં લોહી દ્વારા થાય છે અને લોહી આખા શરીરમાં ફરતું હોય છે, આથી ‘લીલા ભેગું સૂકું બળે’ એ ન્યાયે શરીરના તંદુરસ્ત ભાગને પણ નુકશાન થાય છે. કેન્સરના દર્દીઓને અપાતી કેમોથેરાપી આનું સચોટ ઉદાહરણ છે. વધારે દવાઓ લેવાથી લીવરને detoxification નું વધુ કામ કરવું પડે તે લટકામાં.

આથી પણ વધારે ગંભીર નુકશાન તો દવાઓની અન્ય દવા સાથે કે તમારા ખોરાક સાથેની પ્રક્રિયાની છે. જેમકે – દ્રાક્ષનો જ્યુસ તો લગભગ બધાનું મનપસંદ પીણું છે. પણ જો તમે લોહીના દબાણને ઓછું કરવાની દવા લેતા હો તો આ જ્યુસ દવાની તાકાત વધારવાનું કામ કરે છે. પરીણામ લોહીનું દબાણ વધુ ઘટે. અનિંદ્રા કે મેલેરીયાની દવા ક્વીનાઈન લેતા હો તો પણ સાવચેતી રાખવી પડે. આવી જ રીતે હવે ‘ડાયેટરી સપ્લીમેન્ટ’ લેવાની ફેશન થઈ ગઈ છે. (ડોક્ટરો પણ દવાઓની સાથે પ્રીસ્ક્રાઈબ કરે જ છે – ક્યાં તો કમીશનની લાલચ હોય કે પછી માન્યતા હોય, ઉદાહરણ તરીકે અમુક ઉમર પછી ડોક્ટરો કહી દે હવે તમારે કેલ્સીયમ સપ્લીમેન્ટ લેવા જોઈએ, કુદરતી કેલ્સીયમ માટે દુધ પીવાની અને વહેલી સવારમાં તડકામાં ફરવાની સલાહ નથી આપતા) આ ડાયેટરી સ્પ્લીમેન્ટ પણ અન્ય રોગ માટે લેવામાં આવતી દવાઓ સાથે પ્રક્રિયા કરે છે. હજુ એનાથી પણ આગળ વધીએ, એમડી થયેલા ફીઝીશ્યનો ઓછામાં ઓછી પાંચ-છ દવાઓ સાથે લખી આપે છે જેમાં કેટલીક મુળ દવાની આડઅસર ઓછી કરવા માટેની હોય છે, કેટલીક સપ્લીમેન્ટ હોય છે, ક્યાં તો પછી અન્ય કોઈ રોગના ચાન્સની શક્યતા લાગતી હોય તો તેની પણ હોય છે. પણ જ્યારે આવી ચાર-પાંચ દવા સાથે લેવામાં આવે ત્યારે કોઈ દવા, સાથે લીધેલ અન્ય દવા સાથે પ્રક્રિયા કરી ગંભીર પરીણામ પણ લાવી શકે. જેમકે ગળતા નાક કે ગળાની ખરેટી માટેની દવાઓ પ્રીસ્ક્રીપ્શન વગર મળતી હોય છે. પણ જો તમે તેને હાઈ બ્લડ પ્રેસર કે ડીપ્રેશનની દવાઓ સાથે લો તો નુકશાન થઈ શકે છે. (ડોક્ટરને પુછી લેવું સારું). અહીં ડોક્ટર્સ પર દોષારોપણ કરવાનો આશય નથી, પરંતુ એમની પાસે દવાઓ વિષે પ્રમાણભૂ્ત માહિતિ મેળવવાનો સમય હોતો નથી અને મેડીકલ રીપ્રેઝન્ટેટીવ દવાની નકારાત્મક અસરોની પુરી જાણકારી આપતા નથી.

એલોપથી પર્યાવરણને જે નુકશાન પહોંચાડે છે એ નુકશાની ભરપાઈ કરી શકાય તેમ નથી. એલોપથીની દવાઓની શોધ માટે જે જીવહિંસા થઈ રહી છે અક્ષમ્ય છે. એક વાતની નોંધ લેવી જરુરી છે કે પ્રયોગશાળામાં કરવામાં આવતા પ્રાણી પરના પ્રયોગોને કારણે આફ્રીકા, ભારત અને ફીલીપાઈન્સના જંગલોમાં વાનરોની સંખ્યા નજીવી થઈ ગઈ છે. પરિણામે જે વાયરસ એ વાનરોમાં સુમેળથી રહેતા હતા તેમને નવા યજમાન શોધવાની ફરજ પડી અને હવે તેઓ  માનવશરીરમાં ઘર બનાવી વિનાશકારી પરિણામો યોજી રહ્યા છે.

ઉપરની વિગતોથી એલોપથીની કાંકરી સંપુર્ણ પ્રકારે કાઢી નાખવા માટેની નથી, પણ સમજવા માટેની છે, જેથી એલોપથીનો ઉપયોગ સંયમિત રીતે કરી શકાય. કેટલાક કિસ્સાઓમાં એલોપથી ઉપયોગી છે પણ અનિવાર્ય નથી. માનવી જીવન પ્રક્રિયાને થોડી સમજવાનો પ્રયત્ન કરે તો તેનો ઉપયોગ સંયમિત કરી શકાય તેમ છે. ડો. બિમલ છાજેર, જેમણે એઈમ્સ, દિલ્હીમાં વર્ષો સુધી હૃદયની બાયપાસ સર્જરી કરી, અંતે તેમને જણાયું કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે ત્યારે તેમણે ‘Reversal of heart diseases’ નો પ્રચાર-પ્રસાર શરુ કર્યો.

ડો. મનુ કોઠારીએ ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્ર’ પુ્સ્તકમાં એલોપથીની દવાઓની આડ અસર અંગે અમેરિકાના સર્વેક્ષણનો હવાલો આપતાં લખ્યું છે કે –

આધુનિક દસકામાં દવાની આડઅસરને કારણે, ડોક્ટરની દવા આપવામાં થતી ભૂલના કારણે કે પછી ડોક્ટરના ઉકેલી ન શકાય એવા દવાના નામના લખાણને કારણે થતા રોગીની સંખ્યા વર્ષ દીઠ ૧૫ લાખ પર પહોંચે છે અને વર્ષ દીઠ ૩.૫ કરોડનૉ ખર્ચ થાય છે. અમેરીકામાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવાયું છે કે તબીબી ઉપચારમાં થતી ક્ષતિ, એ મૃત્યુનું મહત્વનું કારણ છે. ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીસીનના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ૪૪૦૦૦ થી ૯૮૦૦૦ લોકો તબીબી ઉપચારની ક્ષતિને કારણે દરેક વર્ષે હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આ આંકડો ૪૪૦૦૦ હજારનો લઈએ તો પણ, વાહનથી થતા અકસ્માતને કારણે થયેલા મૃત્યુ – ૪૩૪૫૮, સ્તન કેન્સર – ૪૨૨૯૭ કે એઈડ્સ – ૧૬૫૧૬ કરતાં ઉંચો છે.

આ તો વાત થઈ જેની વાહ વાહ થઈ રહી છે એ ‘એલોપથી’ ની.

વધુ જાણશું અન્ય ઉપચાર પદ્ધતિઓ વિષે, હવે પછી……..

 

સંદર્ભ :

૧. નીચે યુ-ટ્યુબ વિડીઓ તમે લીધેલી ગોળી કઈ રીતે લોહીમાં પહોંચે છે તે દર્શાવે છે.)

How medicine works – http://www.youtube.com/watch?v=MHC91r-Zs6A

૨. દવા શરીરમાં કઈ રીતે કામ કરે છે તેની વિગતો સુંદર રીતે http://nihseniorhealth.gov/takingmedicines/drugsinthebody/01.htmlપર સમજાવી છે.

૩. દવાઓની ખોરાક સાથે કે અન્ય દવાઓ સાથેની પ્રક્રિયા સમજવા જુઓ –

http://www.webmd.com/fda/avoiding-drug-interactions

૪. ડો. મનુ કોઠારી તથા ડો. લોપા મ્હેતાનું પુસ્તક – ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્ર’

 

 

 

 

 

થેરાપી –

(આ પોસ્ટ, ફરીથી વધારે માહિતી સાથે ‘ચિકીત્સા’ ના મથાળા સાથે તા. ૧૮/૦૫/૨૦૧૪ ના પબ્લીશ કરેલ છે તો એ પોસ્ટ વાંચવા વિનંતિ.)

ચિકિત્સા –

છેલ્લા કેટલાક સમયથી ‘ચિકિત્સા’ને સમજવાનો પ્રયત્ન ચાલે છે.

સૌ પ્રથમ તો આ ‘શરીર’, ‘આપમેળે સાજું’ થતું મશીન છે. કોઈ ડોક્ટર દાવો કરે એની દવાથી સાજા થવાય છે તો એ ખોટું છે. સ્ટ્રેસમાં જોયું હતું તેમ Human homeostasis – The human body manages a multitude of highly complex interactions to maintain balance or return systems to functioning within a normal range. શરીરમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો homeostatic system શરીરને મુળ સ્થિતિમાં લાવવાના પ્રયત્ન શરુ કરી દે છે. પણ મનુષ્ય પાસે ‘સમય’ નથી અને શરીરની જરુરીયાતોને સમજવાનું જ્ઞાન નથી. આમ શરીર પોતાની મુળ સ્થિતિમાં પ્રયત્ન કરતું હોય ત્યારે એને સમય આપવો જોઈએ અને એને જરુરી સાધન-ઓજાર (યોગ્ય ખોરાક અને આરામ) પુરા પાડવા જોઈએ, જે આપણે કરતા નથી કારણ કે યોગ્ય ખોરાકનું જ્ઞાન નથી અને આરામ માટે સમય નથી. આયુર્વેદમાં પણ ‘આહાર એ જ ઔષધ’ કહેવાયું છે.  અંતે ડોક્ટર, વૈદ્ય કે અન્ય કોઈને શરણે જવું પડે છે. ડોક્ટર કે વૈદ્યનું ખરેખરું કામ તો ખોરાકમાંથી જે તત્વો (active ingredients) મળવાના છે તે સંકેન્દ્રીત સ્વરુપમાં આપવા જેથી શરીરને આ તત્વો મેળવવા કાર્ય ન કરવું પડે. પણ મુશ્કેલીઓ અહીંથી જ શરુ થાય છે, કારણ કે શરીર હંમેશા એકદમ શુધ્ધ તત્વ લેવા ટેવાયેલ નથી. સાદા ઉદાહરણથી સમજીએ તો ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી જ બને છે. ખાંડમાં રહેલ ગ્લુકોઝ, ગોળ કરતા વધારે શુદ્ધ સ્વરુપમાં હોય છે. ગોળમાં રહેલ ગ્લુકોઝ સાથે અન્ય જરુરી તત્વો પણ હોય છે અને એ સર્વ વિદિત છે કે ગોળ કરતાં ખાંડ વધારે નુકશાન કરે છે. આજ રીતે એલોપથી દવાઓમાં અતિશુધ્ધ તત્વ હોય છે જે વધુ નુકશાન કરે છે. (એલોપથી દવાઓથી થતી આડ અસરો સર્વવિદિત છે.)

વિવિધ ચિકિત્સા પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન કરીએ.

એલોપથી – શારીરિક ક્રિયાઓમાં અડચણ ઉભી કરી અથવા પ્રતિક્રિયા કરી અલોપથીની દવાઓ કાર્ય કરે છે.(નીચે યુ-ટ્યુબ વિડીઓ તમે લીધેલી ગોળી કઈ રીતે લોહીમાં પહોંચે છે તે દર્શાવે છે.)

How medicine works – http://www.youtube.com/watch?v=MHC91r-Zs6A

તમે જે ગોળી લીધી તે પાચનતંત્રમાંથી લોહીમાં ભળે છે. આ લોહી લીવરમાં પહોંચે છે. ત્યાં તેનું રાસાયણીક સ્વરુપ બદલાય છે, કારણ કે લીવરનું (“detoxifying” organ) કામ ચોકીદારનું છે. શરીરમાં પ્રવેશતા વિવિધ ઝેરનો નાશ કરી અને એવા પદાર્થમાં ફેરવવાનું છે જે શરીરને નુકશાન ન કરે. આમ તે દવાનું પણ રસાયણીક સ્વરુપ બદલે છે. આમ દવાની તાકાત ઓછી થઈ જાય છે. (હાલની દવાઓ સાથે બીજા રસાયણી્ક પદાર્થો (એન્ઝાઈમ) પણ ઉમેરવામાં આવે છે, જે દવાની તાકાત જાળવી રાખે છે.

 

( વધુ વિગતો સુંદર રીતે  http://nihseniorhealth.gov/takingmedicines/drugsinthebody/01.html પર સુંદર રીતે સમજાવી છે.)

drug_admin1

 

છતાંપણ એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે દવાનું વહન શરીરમાં લોહી દ્વારા થાય છે અને લોહી આખા શરીરમાં ફરતું હોય છે, આથી ‘લીલા ભેગું સૂકું બળે’ એ ન્યાયે શરીરના તંદુરસ્ત ભાગને પણ નુકશાન થાય છે. વધારે દવાઓ લેવાથી લીવરને વધુ કામ કરવું પડે તે લટકામાં.

 

ડો. મનુ કોઠારીએ ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્ર’ પુ્સ્તકમાં એલોપથીની દવાઓની આડ અસર અંગે અમેરિકાના સર્વેક્ષણનો હવાલો આપતાં લખ્યું છે કે –

આધુનિક દસકામાં દવાની આડઅસરને કારણે, ડોક્ટરની દવા આપવામાં થતી ભૂલના કારણે કે પછી ડોક્ટરના ઉકેલી ન શકાય એવા દવાના નામના લખાણને કારણે થતા રોગીની સંખ્યા વર્ષ દીઠ ૧૫ લાખ પર પહોંચે છે અને વર્ષ દીઠ ૩.૫ કરોડનૉ ખર્ચ થાય છે. અમેરીકામાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવાયું છે કે તબીબી ઉપચારમાં થતી ક્ષતિ, એ મૃત્યુનું મહત્વનું કારણ છે. ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીસીનના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ૪૪૦૦૦ થી ૯૮૦૦૦ લોકો તબીબી ઉપચારની ક્ષતિને કારણે દરેક વર્ષે હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આ આંકડો ૪૪૦૦૦ હજારનો લઈએ તો પણ, વાહનથી થતા અકસ્માતને કારણે થયેલા મૃત્યુ – ૪૩૪૫૮, સ્તન કેન્સર – ૪૨૨૯૭ કે એઈડ્સ – ૧૬૫૧૬ કરતાં ઉંચો છે.

આ તો વાત થઈ જેની વાહ વાહ થઈ રહી છે એ ‘એલોપથી’ ની.

વધુ જાણશું અન્ય ઉપચાર પદ્ધતિઓ વિષે, હવે પછી……..

 

 

 

 

સફળતા – કોની દ્રષ્ટિએ ?

ગઈકાલે શ્રી વિપુલભાઈએ મુકેલ શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય નો એક વીડિયો જોયો. કોઈ સ્કુલમાં એમનું સંબોધન સક્સેસ ના સંદર્ભમાં હતું. તેમણે સવાલ ઉઠાવ્યો – ‘સક્સેસ, પણ કોની દ્રષ્ટિએ’, લોકો કહે છે આ શિખર પર છે, પણ આ શિખર કોણ નક્કી કરે તે મહત્વનો સવાલ છે’

હા ! ખરેખર મહત્વનો સવાલ છે. મારા માટે તમે નક્કી કરો એ કેવું ?

સફળ માનવી જ્યારે સફળતાના શિખરે (?) પહોંચે ત્યારે એ શિખર, કોણે નક્કી કર્યું કે ‘આ શિખર છે’

What-is-success

(With thanks – http://www.anandanpillai.com/what-does-success-mean-to-you-and-me/)

આ સફળતા પણ સાપેક્ષ છે. હું જેને સફળતા માનું તે અન્ય માટે અસફળતા પણ હોય શકે. ‘મોટીવેશનલ ટ્રેઈનરો’ સામાન્ય રીતે જ્યારે પણ સફળતાની વાત કરે ત્યારે સામાજીક રીતે સફળ થયેલા મહાનુભાવોના ઉદાહરણો આપે. આ વિડીયો ક્લીપમાં પણ ગાંધીજીના સત્યની વાત કરી – ગાંધીજી કહે કે મેં ચોરી કરી – તો તાળીઓ પડે અને તમે ઘરમાં કહો કે મેં પોકેટ મની માટે પૈસા લીધા તો તમાચો પડે.

હવે સવાલ એ છે કે ગાંધીજીએ જ્યારે ચોરી કરી હતી ત્યારે પિતાને સાચું કહ્યું હોત તો ? તાળીઓ પડી હોત કે તમાચો ?

સમાજે જ્યારે તેમને ‘મહાત્મા’ તરીકે સ્વીકૃતિ આપી ત્યારે તેમના સત્યને બિરદાવ્યું.

અહીં ‘સમાજે’ અને ‘સ્વીકૃતિ’ શબ્દ મહત્વના છે.

તમને લાગે છે કે અહીં ‘દ્રષ્ટિકોણ’ નક્કી થાય છે ? સફળતા અને નિષ્ફળતાનો આંક સમાજ નક્કી કરે છે. ‘હું સત્ય બોલું છું’ એ મારો જીવનનો સંતોષ છે, આનંદ છે.

ગાંધીજીના જ વિચારો જુઓને !

mahatmagandhi105593

હું હંમેશા પ્રામાણિકતાને વળગી રહ્યો છું, સત્યને વળગી રહ્યો છું જેના કારણે ઓફીસમાં ઘણી પનીસમેન્ટ પણ મળી, ૨૩ વર્ષની નોકરીમાં ૧૧ વર્ષ કુટુંબથી દુર, એવા સમયે રહ્યો કે જ્યારે કુટુંબને મારી ખુબ જરુર હતી. આ શક્ય ક્યારે બન્યું ? જ્યારે મારા પત્ની પણ નોકરી કરતા હતા અને ઘરખર્ચ ચિંતા ન હતી. જો કુટુંબની સર્વ જવાબદારીઓ મારા પર જ હોત તો મારે બાંધછોડ કરવી પડી હોત કે નહીં ? (મારી સફળતા માટે મારા કુટુંબનો ભોગ લઈ શકાય ?) હું મારા જીવનથી સંતોષ પામ્યો, આંતરીક પ્રસન્નતા મળી પણ એમાં કુટુંબ દ્વારા અપાયેલ ભોગ પણ સામેલ છે.

મારી પ્રસન્નતાનો માપદંડ હું નક્કી કરું છું પણ સમાજમાં મારી સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે છે. હું સફળતાના શીખર પર છું એમ ન કહી શકાય, પણ મેં નક્કી કરેલું મેળવતા મને સંતોષ મળ્યો, પ્રસન્નતા મળી એમ કહી શકાય. વિદ્યાર્થીની ‘સફળતા’, અભ્યાસક્રમ માટે નક્કી કરવામાં આવેલા ગુણ પરથી થાય, વિદ્યાર્થીએ પોતે સંતોષકારક લખ્યું તેના પર નહીં. આમ સામાજિક સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે, હું ફક્ત મારો ‘આત્મસંતોષ’ નક્કી કરી શકું.

વર્તમાનપત્રનો ‘સફળ’ કોલમીસ્ટ વાંચકોની ‘નાડ’ પકડીને લખે, એને લખવાનો ‘આત્મસંતોષ’ મેળવવો છે કે કેમ તે પ્રશ્ન છે. કદાચ એવું બને કે તેમના ‘આત્મસંતોષ’નો માપદંડ ‘વાંચકોની સંખ્યા’ હોય. મારા જેવા બ્લોગર પોતાના ‘આત્મસંતોષ’ માટે લખે, કોઈ વાંચે કે ન વાંચે તેનાથી કોઈ ફરક ન પડે.

ખરેખર તો ‘Achievement’ અને ‘Success’ વચ્ચે ભેદ રેખા દોરી લેવી જોઈએ.

અંગ્રેજી ડીક્શનરીઓ પ્રમાણે જોઈએ તો –

Achievement – a result gained by effort, a great or heroic deed,

Success – the fact of getting or achieving wealth, respect or fame, a performance or achievement that is marked by success, as by the attainment of honour

આ તર્ક પ્રમાણે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રથમ પ્રયત્ન Achievement નો આવે, પછી તે અભ્યાસમાં હોય કે કેરીયરમાં. Achievement ના અંતે ‘આત્મસંતોષ’ આવે.

કેરીયરમાં દાખલ થયા પછી success ના પ્રયત્ન શરુ થાય. Success નો વિચાર આવે ત્યારે સમાજનો વિચાર આવવો જોઈએ કારણ કે તેના માપદંડ સમાજના છે. ફક્ત આત્મસંતોષ કે પોતાની પ્રસન્નતા માટે કરેલા કાર્યોથી સફળતા ન પણ મળે. ગાંધીજી કે ભગતસિંહ જેવા કેટલાય અનામી શહીદો થઈ ગયા હશે, જેમણે પોતાના ‘આત્મસંતોષ’ માટે શહાદત વહોરી હશે.

નક્કી તમારે કરવાનું છે કે –

You want to achieve……

Or

You want to succeed…….