ઘરવાપસી –

જુઓ તમને ‘ધર્માંતરણ’ની યાદ આવી ને ? જો કે મારે બીજી વાત કરવી છે પણ તમારા મગજમાં આવ્યું છે તો પહેલાં તેનો થોડો વિસ્તાર કરી લઈએ.

થોડા સમય પહેલાં સમાચાર પત્રોમાં ધર્માંતરણનો મુદ્દો ખુબ ચગ્યો, રાજકારણીઓ અને મીડીયાએ કાગારોળ મચાવી, પણ પછી શું થયું ? તેનો કોઈ અતોપતો નથી.

300 dpi SW Parra color illustration of many hands connecting together puzzle pieces, each with a different religious symbol. The Fresno Bee 2009 religious tolerance illustration interfaith diversity symbol symbols puzzle pieces hands working together team global belief god cross om shanti islam judaism; krtfeatures features; krtnational national; krtreligion religion; krtworld world; krt; mctillustration; belief; faith; values value; REL; 12000000; 12002000; 12006000; 2009; krt2009; parra fr contributed coddington mct mct2009 2009

(With thanks from http://penumbramag.com/)

પણ, આ મુદ્દો દરેકે વિચારવા જેવો તો છે જ.

‘ધર્મ એટલે શું ?’ એ વિચારવાનો સમય (?) મળતો નથી. કારણમાં તો યુવાનીમાં કેરીયર અને નિવૃતિમાં સ્વાસ્થ્ય નડતરરુપ છે. ( અને નિવૃતિમાં જે છે તે સ્વીકારી લેવાની વૃતિ અને ‘માથાકુટ’ (?) માં ન પડવાની વૃતિના કારણે ‘ધર્મ’ સમજ્યા સિવાય વિદાયવેળા આવી જાય છે.)

મને માથાકુટ કરવાની ઇચ્છા થઈ અને મેં ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા તેમાંથી જે ગમ્યું અને મારા વિચારો સાથે મેળ ખાતું હોય તે, પણ તમારા વિચારો જાણવા અહીં મુક્યું.

ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, (ક્યાંક વાંચેલું)

ધર્મ એટલે અંતરની શાંતિ,

ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,

ધર્મ એટલે જીવનનું ચાલક બળ,

ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,

ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,

ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,

ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,

ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને

ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,

એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.

વીકીપેડીયા મુજબ – ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

“જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

શરુઆતમાં વર્ણાવેલા ‘ધર્મ એટલે ….’ ના સર્વ મુદ્દાઓને ગણત્રીમાં લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે ધર્મ એ જીવન જીવવાની શૈલી છે.

ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં ચંદ્રીકાબેનનો સરસ આર્ટીકલ વાંચવા મળ્યો –

પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે. તેના આ ધર્મની બાદબાકી થઇ જાય, તો તે વસ્તુનું વસ્તુત્વ જ નષ્ટ થઇ જાય. આપણે એ જાણીએ છીએ, કે અગ્નિનાં બે ધર્મ છે–દાહકત્વ અને પ્રકાશકત્વ. અગ્નિમાંથી આ મૂળભૂત ધર્મની ઉપેક્ષા કરીએ તો અગ્નિ રહે જ નહી. તે માત્ર લાકડું કે કોલસો જ હોય. આ મૂળભૂત ધર્મ, બહારથી આવતો નથી, પણ જે તે વસ્તુમાં ઓતપ્રોત હોય છે; તેને સહજ કે સ્વાભાવિક ધર્મ કહેવાય. તે દૂર કરી જ ન શકાય.

એક રીતે, ધર્મ તો આપણા અસ્તિત્વનો આધાર કે નિયમ, જે કોન્ફયૂશિસે કહ્યું છે કે, ‘આપણે જેને આપણા અસ્તિત્વને નિયમ માનીએ છીએ, તે જ ઇશ્વરીય કાનૂન છે. આને જ નૈતિક કાનૂન કહે છે. આ નૈતિક કાનૂન જયારે પ્રથામાં ઢળે છે, ત્યારે તે ‘ધર્મ’ બને છે.”

ગાંધીજીના ‘હિન્દુ ધર્મનું હાર્દ’ એ પુસ્તકના સંપાદક અને ચિંતક શ્રી વિશ્વાસ ખેર, તેના સંપાદકીયમાં નોંધે છે કે, ‘ધર્મ તરીકે ઓળખાતા નૈતિક કાનૂનમાંથી, આપણે જીવનભર, એકેય વાર, છટકી શકતા નથી. જેમાંથી છટકી જવાય, તે નૈતિક કાનૂન હોઇ ન શકે. આ કારણે જ નિતીમાન કે ધાર્મિક વ્યક્તિ પોતાના વિચાર અને આચાર પર સતત નજર રાખે છે. તે જાણે છે કે, જીવનમાં, અન્ય સર્વ છોડી શકાય પણ ધર્મ-ચ્યુતિ ન કરાય, ધર્મથી વિમુખ ન જ થવાય. આ ધર્મ જ જીવનનો આધાર છે. જે આપણને ધારણ કરે કે ટકાવે, તે ધર્મ. મનુષ્યને ‘મનુષ્ય’ તરીકેની ઓળખ આપે અને તે સ્વરૂપે તેને સ્થિરતા આપે તે છે ધર્મ.

‘આપણી બે અલ્પતાઓ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી –

માનવીનું જીવન પ્રકૃતિના આધારે છે. દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે આથી એના નૈતિકતાના નિયમો પણ અલગ અલગ હોય એટલે ધર્મો પણ અલગ અલગ અસ્તિત્વમાં આવે ને !

નૈતિક સિધ્ધાંતો/નિયમોની સમજણ આપતા સ્વામી વિવેકાનંદના વિચારો

શ્રી અતુલ જાનીના બ્લોગ પર વાંચ્યા –

સ્વામીજીએ ‘વેદ’ નો પરિચય આપતા કહ્યું “’વેદ’ એટલે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભુલી જશે તો પણ અસ્તિત્વમાં રહેવાનો છે તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિષે સમજવાનું છે.”

આમ આપણું અસ્તિત્વ જ ‘ધર્મ’ છે.

હિંદુધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે – ધાર્મિક વિધીઓ અને આધ્યાત્મ તત્વ. આધ્યાત્મ તત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા. આજે વહેવારિક જગતમાં ‘ધાર્મિક વિધીઓ’ ને ધર્મનું નામ આપી દીધું છે. એમાં જેને રસ નથી તે ‘નાસ્તિક’. પણ નાસ્તિક એ ‘ધાર્મિક નથી’ એમ કહી શકાય નહી.

ધાર્મિક વિધીવિધાનોના મુળમાં વીકીપેડીયાની ‘હિદુ ધર્મ’ની લિન્ક વાંચવા મળી –

ગુજરાતી વીકીપેડીયામાં હિંદુધર્મની ચર્ચામાં લખે છે –

“રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.”

આનો સ્પષ્ટ અર્થ એ થાય કે ‘ભક્તિમાર્ગ’ની શરુઆતથી મુળ ધર્મથી ફંટાઈને ક્રિયાકાંડ અને ધાર્મિક વિધીવિધાનોની શરુઆત થઈ. એમાંથી આજના ‘સંત-મહાત્માઓ’ અસ્તિત્વમાં આવ્યા, અને ધર્મ એ ‘ધંધો’ બની ગયો.

જ્યારે પણ કોઈ ક્રિયા ‘ritual’ બની જાય ત્યારે તેનું મુળ તત્વ વીસરી જવાય છે. તમે ઘણી વખત જોયું હશે, બાઈક પર સ્પીડમાં જતો યુવાન કોઈ મંદીર પાસેથી પસાર થાય ત્યારે ક્યાં તો હોર્ન મારે, ક્યાં તો માથે અને છાતીએ હાથ લગાડી માથુ નમાવે. આમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું પ્રદર્શન લાગે, પણ ખરેખર તો એ ફક્ત ‘ritual’ થી વધુ કશું નથી હોતું. તેના મનમાં કુટીલ વિચારોનું ચક્ર ચાલુ જ હોય.

આવું આપણી ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું છે. મંદીરે જવાનું બુઢ્ઢા થયા પછી જ હોય, યુવાનીમાં ભગવાનની કોઈ જરુર નથી, જે છે તે આપણે જ છીએ. ‘હું કરું’ એ સિવાય કશું નથી. આમ આપણે જીવનશૈલી અને ધર્મને અલગ કરી દીધા છે.

પાતંજલીના યોગસુત્રોમાં જીવનશૈલીની સુપેરે સમજ આપેલી જ છે. યોગના પ્રથમ બે ચરણો – યમ. નિયમ – એ જીવનશૈલીનું માર્ગદર્શન જ છે. પાંચ ‘યમ’ – સત્ય, અહીંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – જે વ્યક્તિએ પોતે સમાજના સંદર્ભમાં પાળવાના નૈતિક નિયમો છે. જ્યારે ‘નિયમ’ – શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજન – એ વ્યક્તિએ ‘સ્વ’ માટે પાળવાના નૈતિક નિયમો છે. આમ ‘યમ, નિયમ’ જીવનશૈલી ઘડવાનો આધાર છે.

………. અને ગાંધીજીના અગીયાર વ્રતો કેમ ભુલાય –

સત્ય , અહિંસા , ચોરી ના કરવી , વણજોતું ના સંઘરવું….
બ્રહ્મચર્ય ને જાતે મહેનત , કોઈ અડે ના અભડાવું…..
અભય, સ્વદેશી, સ્વાદ જ તજવો , સર્વ ધર્મ સરખા ગણવા….
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા……

આ બધી ભેજાફોડીનું તારણ કાઢવું હોય તો –

પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિના આધારે જીવન જીવવા માટેના નૈતિક નિયમો નક્કી કરી ‘સ્વધર્મ’નું નિર્માણ કરવું અને હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે બાબતો ભુલી જઈ ‘સ્વધર્મ’નું પાલન કરવું.

અંતે….

સમીર દરજીના બ્લોગ પરથી કેટલાક સામાજીક પાપોની વાત –

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ 

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ 

(૭) ત્યાગવિહીન પૂજા

ધર્મને સમજવાની મથામણમાં મારે ‘ઘરવાપસી’ની વાત કહેવાની રહી ગઈ (છેલ્લા ત્રણ-ચાર મહીના બ્લોગ પરની હાજરીની અનિયમિતતાનું કારણ) – આ ઘરવાપસી એટલે સુરતથી ગાંધીનગર પરત થયો, જ્યાં મેં સંસારની શરુઆત કરી અને જીંદગીના સ્ટ્રગલ અને સુખના ચાલીસ વર્ષો વિતાવ્યા હતા.

હવે …. સુખે ભજશુ  શ્રીગોપાળ……

I don’t care

I don’t care ….

‘સંબંધોના સથવારે’ ચાલીએ છીએ ત્યારે એવું કહેવાની ઇચ્છા ન જ થાય કે – ‘તમે બ્લોગની વિઝીટે આવ્યા પણ, I don’t care’ ઘણા મિત્રો બ્લોગની વીઝીટે આવ્યા, પણ તેમની સાથે સંવાદ થઈ શક્યો નહી.– હમણાં વિદેશથી આવેલી પુત્રી અને પૌત્રી સાથે સમય પસાર થઈ ગયો. વિદેશમાં ચાલતી સારવારમાંના ‘I don’t care’ ને જાણ્યું, જ્યાં ‘માણસ’ની પણ મશીનની જેમ ગણના થતી સાંભળી દુઃખ થયું. ‘તમારા પુર્જા બગડી ગયા છે ? સારું ! ડોક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ લો, જ્યારે ટર્ન આવે ત્યારે આવજો, ત્યાં સુધી પેઈનકીલર ખાઓ અને રાહ જુઓ.’ (આપણે જેમ ગાડી ગેરેજમાં લઈ જઈએ અને મીકેનીક કહે તેમ ‘વાર લાગશે, મુકી જાઓ’)

હશે ! પણ આ પ્રસંગે ‘I don’t care’ ના મુળમાં જવા પ્રેર્યો.

પહેલા તો કેટલાક ક્વોટ્સ જોયા –

If you remember me, then I don’t care if everyone forgets – શરતી પ્રેમની રજુઆત…. તું યાદ રાખે તો પ્રેમ સાચો, નહીંતર ‘તું નહી ઔર સહી’

I don’t care what people say about me, I know who I am and I don’t have to prove anything to anyone. અહમની ટોચ પર બીરાજીને … બસ ! ‘હું’ જ ‘હું’ !

આના જેવા જ વધુ …

I don’t care if anyone does not like me. I was not born in this world to entertain everyone

I don’t care what you think

I don’t care what people think or say about me

સુરતીઓને ગમે તેવું વાક્ય –

I don’t care about money. I really don’t care. I do what I want to do.

વરસતા વરસાદમાં, રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય ત્યારે પણ પચીસ રુપીયાના કાંદા ભજીયા ખાવા દસ લાખની ગાડી પાણીમાં ચલાવવાની જ.

કેટલાક ગમે તેવા વાક્યો –

I don’t care if you put me down, I am just gonna keep getting back up and keep on fighting to survive – ફાઈટીંગ સ્પીરીટ… પડીને પણ ઉભા થઈ જવું.

સફળતાની સીડીનું પ્રથમ પગથીયું –

If you don’t care about what people think….you already passed first step of success… 

મને વધુ ગમ્યું હોય તેવું વાક્ય –

137-I-don-t-care-quote

આ બધા વાક્યો તપાસીએ તો એક મહત્વનું તારણ એ નીકળે વ્યક્તિ જ્યારે વિચારે, વર્તે ત્યારે તેનામાં ‘Sense of proportion’ હોવી જોઈએ. ખુબ નજીકના સંબંધો સિવાય સામેવાળાને કેટલું, ક્યારે, કેવી રીતે મહત્વ આપવું તેની ગણત્રી કરવી જોઈએ. બધી જગ્યાએ સામેવાળાને ‘I don’t care’ ની લાગણી ઉભી થાય એવું વર્તન, સંબંધોને પુર્ણવિરામ તરફ લઈ જાય છે. તમે તેની Care નથી કરતા તેવો સંદેશો આપતું વર્તન કેવું હોય તે પણ જાણી લો – સામેવાળો વાત કરતો હોય ત્યારે તેની સાથે eye contact ન હોય, તમે તમારી અન્ય પ્રવૃતિ ચાલુ રાખો, તમે ધ્યાનથી સાંભળતા નથી, પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવામાં વિલંબ કરો છો, વાત સાંભળતા સાંભળતા અન્ય સાથે વાત કરવા માંડો, અધુરી વાત ‘સાંભળો’ (ન સમજાય ત્યાં તુરત ચોખવટ કરો નહી), અદબ વાળી સાંભળતા હો અને વારંવાર eye contact છોડી દો, …. આ બધા જ વર્તન સામેવાળાને તમારો ‘I don’t care’ નો સંદેશો આપે છે. (ફેઈસબુક પર મિત્રો કેટલી care કરેછે તે જાણી લો … એક મિત્ર એક પુસ્તકનું નામ લખી વિનંતિ મુકી કે કોઈને જાણમાં હોય જણાવજો… તો ૫૦-૬૦ મિત્રોએ આ સંદેશાને Like કર્યું બોલો… 😉 🙂 :-)..)

ફાઈટીંગ સ્પીરીટમાં પણ શત્રુની શક્તિઓની ગણત્રી હોવી જ જોઈએ. ભાગવું પડે તો ભાગવામાં નાનપ ન રાખવી. ‘રણછોડ’ અમથું થવાય !

મોટીવેશન ગુરુઓ ભણાવે તેમાં અન્ય શું વિચારે તેનું ધ્યાન રાખ્યા સિવાય સફળતાનું પ્રથમ પગથીયું ચડી શકાય તે સાચું પણ બીજું પગથીયું ચડતા પહેલાં અન્યના વિચારોની ગણત્રીઓ મુકવી જ પડે.

ખાસ તો નાણાકીય બાબતોમાં તો ‘I don’t care’ ચાલે જ નહીં. Money is great power… તો શક્તિ વિચારીને જ વાપરવી પડે. આજે નાણાની care ન કરી તો, ભવિષ્યમાં નાણા આપણી care ન કરે.

તમે જો અન્યની care નથી કરતા તો બીજાઓને તમારી ક્યાં પડી છે ! એ પણ એટલું જ સાચું છે.

સફળતા – કોની દ્રષ્ટિએ ?

ગઈકાલે શ્રી વિપુલભાઈએ મુકેલ શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય નો એક વીડિયો જોયો. કોઈ સ્કુલમાં એમનું સંબોધન સક્સેસ ના સંદર્ભમાં હતું. તેમણે સવાલ ઉઠાવ્યો – ‘સક્સેસ, પણ કોની દ્રષ્ટિએ’, લોકો કહે છે આ શિખર પર છે, પણ આ શિખર કોણ નક્કી કરે તે મહત્વનો સવાલ છે’

હા ! ખરેખર મહત્વનો સવાલ છે. મારા માટે તમે નક્કી કરો એ કેવું ?

સફળ માનવી જ્યારે સફળતાના શિખરે (?) પહોંચે ત્યારે એ શિખર, કોણે નક્કી કર્યું કે ‘આ શિખર છે’

What-is-success

(With thanks – http://www.anandanpillai.com/what-does-success-mean-to-you-and-me/)

આ સફળતા પણ સાપેક્ષ છે. હું જેને સફળતા માનું તે અન્ય માટે અસફળતા પણ હોય શકે. ‘મોટીવેશનલ ટ્રેઈનરો’ સામાન્ય રીતે જ્યારે પણ સફળતાની વાત કરે ત્યારે સામાજીક રીતે સફળ થયેલા મહાનુભાવોના ઉદાહરણો આપે. આ વિડીયો ક્લીપમાં પણ ગાંધીજીના સત્યની વાત કરી – ગાંધીજી કહે કે મેં ચોરી કરી – તો તાળીઓ પડે અને તમે ઘરમાં કહો કે મેં પોકેટ મની માટે પૈસા લીધા તો તમાચો પડે.

હવે સવાલ એ છે કે ગાંધીજીએ જ્યારે ચોરી કરી હતી ત્યારે પિતાને સાચું કહ્યું હોત તો ? તાળીઓ પડી હોત કે તમાચો ?

સમાજે જ્યારે તેમને ‘મહાત્મા’ તરીકે સ્વીકૃતિ આપી ત્યારે તેમના સત્યને બિરદાવ્યું.

અહીં ‘સમાજે’ અને ‘સ્વીકૃતિ’ શબ્દ મહત્વના છે.

તમને લાગે છે કે અહીં ‘દ્રષ્ટિકોણ’ નક્કી થાય છે ? સફળતા અને નિષ્ફળતાનો આંક સમાજ નક્કી કરે છે. ‘હું સત્ય બોલું છું’ એ મારો જીવનનો સંતોષ છે, આનંદ છે.

ગાંધીજીના જ વિચારો જુઓને !

mahatmagandhi105593

હું હંમેશા પ્રામાણિકતાને વળગી રહ્યો છું, સત્યને વળગી રહ્યો છું જેના કારણે ઓફીસમાં ઘણી પનીસમેન્ટ પણ મળી, ૨૩ વર્ષની નોકરીમાં ૧૧ વર્ષ કુટુંબથી દુર, એવા સમયે રહ્યો કે જ્યારે કુટુંબને મારી ખુબ જરુર હતી. આ શક્ય ક્યારે બન્યું ? જ્યારે મારા પત્ની પણ નોકરી કરતા હતા અને ઘરખર્ચ ચિંતા ન હતી. જો કુટુંબની સર્વ જવાબદારીઓ મારા પર જ હોત તો મારે બાંધછોડ કરવી પડી હોત કે નહીં ? (મારી સફળતા માટે મારા કુટુંબનો ભોગ લઈ શકાય ?) હું મારા જીવનથી સંતોષ પામ્યો, આંતરીક પ્રસન્નતા મળી પણ એમાં કુટુંબ દ્વારા અપાયેલ ભોગ પણ સામેલ છે.

મારી પ્રસન્નતાનો માપદંડ હું નક્કી કરું છું પણ સમાજમાં મારી સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે છે. હું સફળતાના શીખર પર છું એમ ન કહી શકાય, પણ મેં નક્કી કરેલું મેળવતા મને સંતોષ મળ્યો, પ્રસન્નતા મળી એમ કહી શકાય. વિદ્યાર્થીની ‘સફળતા’, અભ્યાસક્રમ માટે નક્કી કરવામાં આવેલા ગુણ પરથી થાય, વિદ્યાર્થીએ પોતે સંતોષકારક લખ્યું તેના પર નહીં. આમ સામાજિક સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે, હું ફક્ત મારો ‘આત્મસંતોષ’ નક્કી કરી શકું.

વર્તમાનપત્રનો ‘સફળ’ કોલમીસ્ટ વાંચકોની ‘નાડ’ પકડીને લખે, એને લખવાનો ‘આત્મસંતોષ’ મેળવવો છે કે કેમ તે પ્રશ્ન છે. કદાચ એવું બને કે તેમના ‘આત્મસંતોષ’નો માપદંડ ‘વાંચકોની સંખ્યા’ હોય. મારા જેવા બ્લોગર પોતાના ‘આત્મસંતોષ’ માટે લખે, કોઈ વાંચે કે ન વાંચે તેનાથી કોઈ ફરક ન પડે.

ખરેખર તો ‘Achievement’ અને ‘Success’ વચ્ચે ભેદ રેખા દોરી લેવી જોઈએ.

અંગ્રેજી ડીક્શનરીઓ પ્રમાણે જોઈએ તો –

Achievement – a result gained by effort, a great or heroic deed,

Success – the fact of getting or achieving wealth, respect or fame, a performance or achievement that is marked by success, as by the attainment of honour

આ તર્ક પ્રમાણે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રથમ પ્રયત્ન Achievement નો આવે, પછી તે અભ્યાસમાં હોય કે કેરીયરમાં. Achievement ના અંતે ‘આત્મસંતોષ’ આવે.

કેરીયરમાં દાખલ થયા પછી success ના પ્રયત્ન શરુ થાય. Success નો વિચાર આવે ત્યારે સમાજનો વિચાર આવવો જોઈએ કારણ કે તેના માપદંડ સમાજના છે. ફક્ત આત્મસંતોષ કે પોતાની પ્રસન્નતા માટે કરેલા કાર્યોથી સફળતા ન પણ મળે. ગાંધીજી કે ભગતસિંહ જેવા કેટલાય અનામી શહીદો થઈ ગયા હશે, જેમણે પોતાના ‘આત્મસંતોષ’ માટે શહાદત વહોરી હશે.

નક્કી તમારે કરવાનું છે કે –

You want to achieve……

Or

You want to succeed…….

 

નહીં સુધરેંગે –

‘હમ નહીં સુધરેંગે’

હમણાં ગોવિંદભાઈ એ આજના નેતાઓ અને ચુંટણીની વાત લખી. અને તેમાં પ્રજ્ઞાબેનની ‘હમ નહીં સુધરેંગે’ની કોમેન્ટ પણ આવી. આજ દિવસે બ્રહ્માકુમારી શિવાનીની ‘BK Shivani – Harmony in Relations – Personality Development’ ની યુ ટ્યુબ વિડીયો પણ જોઈ. સંબંધોમાં થતી મુશ્કેલીઓમાંથી નીકળવાની ખુબ સરસ વાત કરી. બીજા પોતાની રીતે જ જીવવાના છે મારે મારી રીતે જીવવાનું છે. Let’s stop thinking about the world. આપણે હંમેશા બીજાનું જ વિચારીએ છીએ, બીજાને બદલવાના જ પ્રયત્નમાં હોઈએ છે.  આપણે હંમેશા આપણા સંબંધોને બગાડવાના કારણોમાં Ego, lack of understanding, lack of Trust, Honesty, Inferiority or superiority complex, … દેખાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દો ક્યાંથી આવ્યા ? દરેક શબ્દો બોલતી વખતે આપણા મગજમાં કોઈ વ્યક્તિનું ચિત્ર હોય છે. એ આપણં ચિત્ર તો હોતું જ નથી, બીજાનું જ હોય છે. આમ હંમેશા આપણે બીજાને સુધારવામાં જ માનીએ છીએ. પહેલા વાક્યમાં પણ ‘હમ’ શબ્દ આવ્યો, ‘હું’ નહી. આ વિષયને વધુ સમજવા જેવો છે, આજે બસ આટલું જ……

જુની પોસ્ટ પણ રીફર કરવા જેવી ખરી –

દ્રષ્ટિકોણ –

તમે કેવી રીતે જુઓ છો –

મને મારામાં રસ નથી –

સમય હોય તો જુઓ –

શબ્દસેતુ –

‘વિકારઉત્પન્નથાય’

હમણાંએકવિપશ્યનાનાસાધકમળ્યા. ગોરાઈના (મુંબઈ) સાધનાકેન્દ્રમાંશિબીરપુરીકરી, તુરતમાંપરતઆવેલાહતા. મૅંપણગોરાઈમાંએકશિબીરમાંભાગલીધેલોહતોઅનેમનેખરેખરમાંસ્વર્ગમાંરહ્યાનોઅનુભવથયોહતો, આથીમારાથીબોલાઈગયું ‘ઓહો ! ત્યારેતોતમનેલાગ્યુંહશેકેસ્વર્ગમાંઆવીગયા, અનેપાછાફરતીવખતેતોથયુંહશેકે, આક્યાંનરકમાંપાછાફર્યા, નહીં ?’

જવાબહતો – ‘એવુંતોનકહેવાય, વિકારઉત્પન્નથાય’

કેવીસહજઅભિવ્યક્તિ !

શિક્ષકોએકહેલુંઅનેશિષ્યએસ્વીકારેલુંકે – ‘આનંદ, સારું-ખરાબજેવીઅનુભુતિઓનીઅભિવ્યક્તનકરવીનહીંતર ‘વિકાર’ ઉત્પન્નથાય.’

હમણાં‘જ્ઞાનકેઅનુભુતિ’ નીપોસ્ટમાંવિચારેલુંકેજ્ઞાનસારુંકેઅનુભુતિ ? અનેતારણપણએવુંકાઢેલુંકે ‘અનુભુતિદ્વારામેળવેલુંજ્ઞાનસારું.’ 

ઉપરનાકિસ્સામાંએવુંલાગેકેઅધુરુંજ્ઞાનકેશિક્ષક/ગુરુપ્રતિનીવધુપડતીશ્રદ્ધા, ઘણીવખતજીવનમાંકોઈગુંચવણભર્યામાર્ગપ્રતિલઈજાય.

મારીદ્રષ્ટિએવિપશ્યનામાંમુખ્યએશીખવાનુંછેકેતમનેથતીસંવેદનાઓપ્રતિતમેસાક્ષીભાવકેળવો. તમનેઆનંદથાયકેતકલીફથાયપણતમેતમારામનનેએમાંઓતપ્રોતનથવાદો, જેથતુહોયતેનેસાક્ષીભાવેજોયાકરો. પલાઠીમારીનેબેઠાછોઅનેકલાકપછીકમરમાંસણકામારેછે, તોપણબસએ‘જોયાકરો’, થોડીવારમાંસણકામારવાનુંબંધથઈજશે. (સંભળેલીવાતનથી, મારીઅનુભવેલીવાતછે)

હવેજોઆવોસાક્ષીભાવકેળવાયતો ‘આનંદઆવ્યો’ કે ‘સ્વર્ગજેવુંલાગ્યું’ એશબ્દોનીઅભિવ્યક્તિમાં  ‘હું’ તોછુંજનહીતોવિકારક્યાંથીઆવે ? કારણકેસ્વર્ગનોઆનંદએમારાશરીરનીસંવેદનાછે. છતાંયગુરુએકહ્યુંકે ‘સ્વર્ગનીઅનુભુતિથઈ’ એવુંકહીએતો ‘વિકાર’ ઉત્પન્નથાય, અનેશિષ્યેસ્વીકારીલીધું. આવાકિસ્સામાંવ્યક્તિએપોતાનાજ્ઞાનનોઉપયોગકરવોજોઈએએમનથીલાગતું ?

એકબીજોસરળમાર્ગઅજમાવવાજેવોલાગેછે – શબ્દોનો ‘મન’ સાથેનોસેતુતોડીનાખવો.

વધુસમજીએતો – જ્યારેકોઈપણશબ્દબોલાયત્યારેઆપણુંમગજ, આપણીપાસેનીઅગાઊનીમાહિતીનાઆધારેએનીઆકૃતિતૈયારકરે, જેમકે ‘સ્વર્ગ’ શબ્દસાંભળીએતોભુતકાળમાંસ્વર્ગનીજેવ્યાખ્યાજાણીહોયતેનાઆધારેસ્વર્ગનુંચિત્રતૈયારથાય – મંદમંદપવનવાતોહોય, ઠંડી-ગરમીજેવોકોઈઅહેસાસનહોય, વાતાવરણપ્રફુલ્લિતહોય, અપ્સરાઓઅનેકિન્નરોફરતાદેખાય, સુગંધીતસંગીતમયવાતાવરણહોયવગેરેવગેરે. હવેઆચિત્રનાકારણે ‘મન’ તેનીઅનુભુતિકરવાલાગેઅનેસાધકનાકહેવાપ્રમાણે ‘વિકાર’ ઉત્પન્નથાય. જોસ્વર્ગ‘શબ્દ’ અનેમગજમાંઅંકિતથયેલાતેનાચિત્રવચ્ચેનાસંબંધના‘સેતુ’નોવિચ્છેદકરીનાખીએતો ‘વિકાર’ ઉત્પન્નથવાનીકોઈતકરહેતીનથી.

હજુએનાથીયઆગળવધીએતો – આપણાસામાજીકસંબંધોભાઈ-બહેન, પિતા-માતા, વગેરેનીવ્યાખ્યાઓથીઘણીવારતકલીફથાયએવુંનથીલાગતું ? ‘ભાઈ’ શબ્દનાકારણેમનમાંઉપસેલાચિત્રનોસંબંધજોતુટેતો ‘ભાઈ’ એએકવ્યક્તિમાત્રબનીજાયએવુંનથીલાગતું ? ‘ભાઈ’નેકારણેઆપણેતકલીફથાય, પણ ‘વ્યક્તિ’નાકારણેઆપણનેતકલીફથતીનથી. કોઈ ‘સગા’નાએક્સીડન્ટનીખબરવાંચીનેમનચિંતામાંઘેરાઈજાય, પણસવારમાંચાપીતાંપીતાંવંચાતા ‘એકસીડન્ટમાંપાંચમૃત્યુપામ્યા’ નાસમાચારનીઅસરકેટલી ?

કુછજ્યાદાહોગયાક્યા ?

કંઈનહી ! આતોમારી ‘શબ્દસેતુ’ તોડવાનીવાતહતી, તમેકોમેન્ટરુપીશબ્દસેતુબાંધીકંઈકજોડવાનીવાતકરીનાખો……….

આસાન હે –

“આસાન હે”

‘Unstoppable’

How to get Unlimited Power to Achieve your Goals ?

એક એવું પણ ટાઈટલ વાંચ્યું હતું – ‘કર લો દુનીયા મુ્ઠ્ઠીમેં’

બસ ! આવા ટાઈટલ વાંચી વિચાર આવે કે –

‘કેવું સરળ છે, એક સેમીનાર એટેન્ડ કરવાનો ને દુનીયાને મુઠ્ઠીમાં લઈ લેવાની’

આપણે રાજા અને બાકીની પ્રજા…. જલસા જ જલસા….

હમણા સુરતી ઉંધીયું પર વિપુલભાઈએ સંદીપ મહેશ્વરીની એક વીડીયો લીન્ક મુકી અને પછી જોયું તો યુ-ટ્યુબ પર આવા મોટીવેશનલ સ્પીકરોના ઢગલા. પાંચ મીનીટથી બે-બે કલાકના સેમીનાર વીડીયો.

જો એમ કહીએ ‘સફળતા રસ્તામાં નથી પડી’ તો કહેશે કે ‘આ તમારા બચપણમાં પડેલા સંસ્કાર (માન્યતા) બોલે છે.’ નાનપણમાં બાળકને કોઈ કામ કરતા રોકવા માટે એવું કહેવામાં આવે કે તું હજુ નાનો છે, તને ન આવડે, તારાથી નહી થાય વગેરે વગેરે. આ શબ્દો તેને જોખમ લેતાં, નવું શીખતા રોકે અને મોટા થતાં તે કંઈપણ એચીવ કરવામાં પાછો પડે.

એકદમ સાચુ !

નાનપણમાં બાળક પ્રત્યે, માબાપનું અને અન્યનું વલણ આ પ્રકારનું જ હોય છે. તેને શીખવવાને બદલે આવા શબ્દોથી ટાળવામાં આવે છે. આથી બાળકના મનમાં આવી માન્યતા દ્રઢ થતી રહે છે. આમ પણ કહેવાયું જ છે કે મા-બાપ બનવું સહેલું નથી પણ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે યુવાન દંપત્તિ મજાક  મજાકમાં જ માબાપ બની જાય છે. વધુમાં ‘કેરીયર’ની દોડ પણ તેઓને બાળકોથી દુર રાખે છે.

પણા આજે યુવાનો જ્યારે આવા વીડીયો જુએ કે સેમીનાર એટેન્ડ કરે ત્યારે તેમાંથી ‘સરળ’ લાગતી વાતનો તંત પકડી રાખે છે, એમાં મહેનત કરવાની (Action) વાતને નજરઅંદાજ કરે છે.

‘Secret’  માં દર્શાવ્યા પ્રમાણે મનમાં ધારણાઓ કરી, ખોટે ખોટે ‘ફીલ’ કરી માની લે છે કે હવે દુનીયામાંથી મારે જે જોઈએ છે તે મારા તરફ આકર્ષાઈને આવી જશે. (Law of Attraction).

જો કે સંદીપ મહેશ્વરીની આ વીડીયો મને ગમી, આમ પણા એક વાત અનુભવી કે સંદીપ બીજા ટ્રેઈનર્સની જેમ શાસ્ત્રીય વાતો ન કરતા પોતાના અનુભવોને સાંકળીને વાસ્તવીકતાની સમજણ સાથે બોલે છે. જેમકે

law of attraction vs law of love sandeep maheshwari

જોવી ગમે એવી વીડીયો છે.

પણ આ જ વાત બ્રહ્માકુમારી શીવાનીએ થોડા મહીના પહેલાં ખુબ સરળતાથી કહી છે.  ટુંકા સમયમાં સાર જોઈ લેવા જેવો ખરો. (અહીં Karmica Accounts માં ન માનીએ તો તેને બાજુમાં મુકીને પણ સ્મજવા જેવું ખરું.)

ચર્ચા કરવા જેવા મુદ્દા તો છે. તમે કંઈ કહેશો ?

પ્રેમ સંદેશ –

પ્રભુ આપણા સૌ પર તેની કરુણા અને પ્રેમ સદા વરસાવતો રહે એવી પ્રર્થના…

આવી સદાની પ્રાર્થના વેલેન્ટાઈન દિને પણ.

પણ …. પણ…

ગુલાબનો પુષ્પગુચ્છ રુપિયા બસો !

સાંભળીને પ્રભુના કરુણાના પાત્રો જાણે બદલાય ગયા.

ફુટપાથ પર રહેતા કુટુંબનો એક દિવસનો ખર્ચ, પેટભરીને ખાવાનું મળ્યાનો સંતોષ – ફક્ત પ્રેમ(?)ના પ્રદર્શન માટે વપરાય. દિલમાં ચચરે એ સ્વભાવિક છે.

આ વેલેન્ટાઈનના મુળ ક્યાં હશે ? પ્રેમનું પ્રદર્શન કરતા, દેખાદેખી કરતા યુવાનોએ આ જાણાવાનો પ્રયત્ન કર્યો હશે ? એમ સ્વભાવીક પ્રશ્ન થાય. વેલેન્ટાઈનના મુળ માટેના જવાબો પણ આશ્ચર્યજનક મળે છે –

કેથોલીક ચર્ચવાળા માને છે ઓછામાં ઓછા ત્રણ વેલેન્ટીન નામના શહીદો મળે છે જેઓની યાદમાં આ દિવસ ઉજવાય છે. એક દંતકથા તો તેને રોમનકાળ સાથે સાંકળે છે. ક્લોડીયસ નામના રોમન શહેનશાહનું માનવું એવું હ્તું કે જો કુટુંબ ન હોય તો સારા સિપાહી બને (કુંટુંબ તરફની લાગણી તેમને નબળા બનાવે) આથી તેણે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકી દીધો. વેલેન્ટાઈન નામના એક પાદરીએ તેનું ઉલ્લંઘન કરી ખાનગીમાં એક લગ્ન કરાવ્યા, આથી શહેનશાહે તેનો શિરછેચ્દ કરાવ્યો, તેની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે. એક કથામાં કહેવાયું છે કે વેલેન્ટાઈને ક્રીશ્ચીયન કેદીઓને રોમન જેલમાંથી ભાગવામાં મદદ કરી તેથી તેને મારી નાખવામાં આવ્યા. એક કથા તો કેદી વેલેન્ટાઈન અને જેલરની પુત્રીની પ્રેમ કથા રુપે પણ પ્રચલીત છે. વેલેન્ટાઈને પ્રેમીકાને એક ગ્રીટીંગ મોકલ્યું અને તેમાં અંતે લખ્યું હતુ – From your Valetine – બસ ત્યારથી આ દિવસ ઉજવાય છે. એક કથા એવી પણ છે કે એક  Lupercalia નામના રોમન તહેવારને ક્રીશ્ચીયન સ્વરુપ આપવા વેલેન્ટાઈન ડે શરુ થયો. મધ્ય યુગમાં યુરોપમાં વેલેન્ટીન નામના એક સંત પણ થઈ ગયા. એક વૈજ્ઞાનિક કારણ પણ નજરે ચડે છે – યુરોપમાં પક્ષીઓના મેટીંગનો સમય મધ્ય ફેબ્રુઆરીથી શરુ થાય છે.

આ બધી દંતકથાઓમાં, પ્રેમ પ્રદર્શિત કરવાની વાતનું મહત્વ ક્યાં અને કેટલું આવ્યું ?

cupid-god-2

 

(વેલેન્ટાઈન ડે નું એક પ્રતિક આપણા ‘કામદેવ’ના પ્રતિકને મળતું લાગે છે ને ?)

ભારતીય સંસ્કૃત્તિમાં તો પ્રેમના પ્રદર્શન કરતાં સમર્પણનું મહત્વ વધારે છે. છતાંય આ જ સંસ્કૃતિના કેટલાક જીવંત પાત્રોના પ્રેમના તોફાનો, ટીખળો અને સાહસો પણ જોવા મળે છે.

આપણે એવું ન કરી શકીએ કે આપણો પોતાનો ‘પ્રેમ દિવસ’ નક્કી કરી ઉજવીએ ?

આવો દિવસ નક્કી કરવા કેટલાય પ્રસંગો ઇતિહાસમાં હાજર છે.

પ્રેમના પ્રતિક એવા શ્રી કૃષ્ણને ભગવાન બનાવી તેના પ્રેમના પ્રદર્શનોને ‘ભક્તિ’માં ફેરવી નાખ્યા. મીરાં જેવી પ્રેમમાં પાગલ નારીને, તેણીના પાગલપનને કૃષ્ણભક્તિમાં વ્યક્ત કરી. તેના પ્રેમગીતોને ભક્તિગીતોના નામ આપી દીધા. એ જ કૃષ્ણ જેણે નદીઓમાં સ્નાન કરતી ગોપીઓની રોમાંચક છેડછાડ કરી, ‘રુકમણી’નું અપહરણ કરી લગ્ન કર્યા, પરાક્રમ કરી ‘સત્યભામા’ મેળવી. આ બધાથી વધારે રોમેન્ટીક, ‘રાધા’ સાથેનો પ્રેમ. કૃષ્ણ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર સુધી મથુરા/વૃંદાવનમાં હતા. આ દરમ્યાન રાધા સાથેનો પ્રેમ અને સુરદાસજી અનુસાર તેણીની સાથે ગાંધર્વ વિવાહ એ બધા પ્રસંગો આપણી સંસ્કૃતીના પ્રેમ પ્રદર્શનના ન કહેવાય ? (આપણા ઇતિહાસકારો તો ‘રાધા’ના અસ્તિત્વ પર પણ સવાલો ઉઠાવે છે.)

શ્રીકૃષ્ણનું ભગવાનપણુ, અવતારપણુ, ભક્તિ, ગીતાજ્ઞાન વગેરે બધું જ ભુલી જઈને, યુવાનો, શ્રીકૃષ્ણના જીવનમાંથી એક આવો જ એક સુંદર દિવસ પસંદ કરી તેને ‘પ્રેમ દિવસ’ (વેલેન્ટાઈન ડે) તરીકે ઉજવે તો કેમ ?

જ્ઞાનપિપાસુઓને ટુંકમાં વાંચવું હોય તો બે લિન્ક નીચે મુજબ –

http://dailyjournalonline.com/news/local/the-origins-of-valentine-s-day/article_35b81352-94b5-11e3-9792-0019bb2963f4.html

http://ancienthistory.about.com/od/socialcustomsdailylife/a/010908Lupercal.htm

World is Small –

તાજેતરમાં જન્મદિવસની શુભેચ્છાઓની આપ-લેમાં મુર્તજા જાણીતામાં નીક્ળ્યા, વર્ષો પહેલાં અમે વારંવાર મળતા તે યાદ કરાવ્યું. આ સંવાદમાં એક વાક્ય આવ્યું – world is small. મને પણ સ્વીકારવાનું મન થયું, સામે પક્ષે એક મોટું નુકશાન પણ નજરે ચડ્યું – Now man is BIG. માણસ ‘મોટો’ થતો જાય છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનની થીયરી ઓફ રીલેટીવીટી પ્રમાણે સાચું જ કહી શકાય ને ! પહેલાં દુનીયા મનુષ્ય માટે વિશાળ હતી, તેની સરખામણીમાં મનુષ્ય સાવ મગતરા જેવો હતો, પણ કુદરતને અનુકુળ થઈને રહેતો. વાતાવરણમાં ફેરફાર થાય તો તે પોતાના શરીરને વાતાવરણથી અનુકુળ બનાવતો (evolution) અને જીવન જીવવા માટે કુદરત સામે ટકી રહેતો. આ સુમેળમાં સારું ચાલતું. ઝંઝાવાતો આવતા હશે પણ કોઈ રંજ ન હતો. સ્વીકાર્ય હતા. હવે જ્યારે ટેકનોલોજીએ દુનીયા નાની કરી દીધી ત્યારે મનુષ્ય ‘મોટો’ થઈ ગયો. કુદરતને, પોતાને અનુકુળ કરવા ધમ-પછાડા શરુ કરી દીધા. અહીં સુધી, પણ કોઈ ફરીયાદ નથી. પોતાને ‘મોટો’ માની, પોતાના શરીરને અનુકુળ વાતાવરણ – હીટરો, એસી વગેરે વગેરે વાપરવા દઈએ… પણ …. પણ …..

પાછી ‘ગ્લોબલ વોર્મીંગ’ ની ફરીયાદ પણ કરવાની !

કેવી વીડંબણા છે !

પોતે જ કરેલા કૃત્યોની ફરીયાદ પણ કરવાની.

આ ફરીયાદોમાં પણ વાંધો ન લઈએ, વિજ્ઞાનને મહાન થવા દઈએ, વૈજ્ઞાનિકોને ‘અમે શોધી કાઢ્યું’ નો અહમ પોષવા દઈએ…. હશે જવા દો…. કહીએ, પણ..

જ્યારે હું ‘મોટો’ ના લીધે સંબંધોમાં તિરાડો, લાગણીઓમાં શુષ્કતા, માનવીથી માનવીની થતી અવગણના, અવહેલનાનો વિસ્તાર વધતો જાય છે. એ મોટું નુકશાન નથી લાગતું ? આજના સમાચારપત્રમાં લખે છે સુરતમાં સાંજે લોકોએ  ૧૫ લાખ ચાઈનીઝ બલુનો સળગાવી ઉડાડ્યા. મકરસંક્રાન્તના બે દિવસમાં કેટલાય પક્ષીઓ તો ઇજા પામ્યા હશે જ, પણ આ તો કેટલાય માનવીઓને નાની-મોટી આગથી નુકશાન પણ થયું હશે. ફક્ત પોતાના આનંદ માટે અન્યનો વિચાર-સરખો પણ કરાતો નથી. આ અવગણના નહીં તો બીજું શું ? માનવી-માનવી વચ્ચેની હુંફ ક્યાં ગઈ ? ઘણીવાર આ ‘અરણ્યરુદન’ લાગે છે, પણ મન હળવું કરવા કંઈક તો કરવું ને ?

દુનીયા ભલે નાની થઈ ગઈ, પણ આપણી મોટાઈ આપણને ક્યાં લઈ જશે ?

માનવીએ પોતાનું મોટાપણું જોવું હોય તો નીચેની લિન્ક જોઈ જજો.

ફાઈલ લોડ થયા પછી સ્લાઈડરને જમણી બાજુ ખસેડતા જજો … તમારો ક્યાંય પત્તો લાગે તો કહેજો….

http://htwins.net/scale2/

આપણે ક્યાં છીએ તે જણાઈ આવશે.

પછી તો બાજુવાળો માનવી દેખાશે ને ?

વિગતો વાંચતાં વાંચતાં જવું હોય તો નીચે –

http://www.quantrek.org/size_comparison/size_comparison.htm

વિડીયોમાં રસ પડે તો અહીં –

 

સ્પષ્ટવાદિતા –

થોડા વખત પહેલાં શ્રી જયપ્રકાશ ચૌકસે દ્વારા સુરત સીટી ભાસ્કરમાં ‘પરદે કે પીછે’ માં

“સ્પષ્ટવાદિતા એક વિલક્ષણ આદર્શ છે” પર થોડો પ્રકાશ પાડ્યો હતો.

જો કે તેમનો લેખ અભિનેતાઓની આત્મકથાના સંદર્ભમાં હતો –

લેખનની ગંભીર શરત – જાહેર થવાની છે, જ્યારે અભિનય એ તમે જીવનમાં જે નથી એ દેખાડવાનું ક્ષેત્ર છે. એકમાં જાહેર થવું  અનિવાર્ય શરત છે તો બીજામાં ખુદને છુપાવી માત્ર પાત્રની ભાવનાની રજુઆતને અનિવાર્ય માનવામાં આવે છે.

‘સ્પષ્ટતાવાદી’ કેટલો સરસ અને ‘સ્પષ્ટ’ શબ્દ છે, પણ એને આદર્શ તરીકે રહેવા દેવો પડે. જીવનમાં મુક્ત થવા માટે પણ ‘આદર્શ’ તરીકે જ રહેવા દેવો પડે, કારણ કે મુક્ત થવા ‘સ્પષ્ટતાવાદી’ બનવું જ પડે તે જરુરી નથી.

સાચું બોલવામાં મહાનુભાવોને કારણ વગર કેટલું સહન કરવું પડ્યું છે તે સર્વ વિદિત છે. ગાંધીજીએ આત્મકથામાં સત્ય વાતો કહી અને લોકોએ તેના વિવિધ અર્થો-અનર્થો કાઢ્યા. પોતાના અંગત બ્રહ્મચર્યના પ્રયોગોનું સત્ય તેમણે જગત સમક્ષ મુક્યું તો લોકોએ તેને પાપાચારમાં ખપાવવાનો ઘૃણાસ્પદ પ્રયત્ન પણ કર્યો.

ધારો કે આ પ્રયોગોની વાત આત્મકથામાં જણાવી ન હોત તો ?

અસત્ય બોલ્યા છે તેવું તો ન જ કહી શકાય. શું કોઈ વાત છુપાવવી એ ‘સત્ય’ ન બોલવા સમાન છે ? મારી અંગત વાત, જેને અન્ય સાથે કોઈ લેવાદેવા નથી, જેનાથી કોઈને ફાયદો કે ગેરફાયદો થતો નથી એવી વાત છુપાવવામાં ‘સ્પષ્ટતાવાદી’ આદર્શને કોઈ ઠેસ પહોંચે ખરી ?

કોઈપણ વ્યક્તિના મનમાં કેટલાક ખુણા એવા હોય જ છે જે અન્ય કોઈપણ રીતે જાણી ન શકે (હીપ્નોટીઝમની વાત અલગ છે.) એ માહિતી એવી પણ હોય શકે, જેની તે વ્યક્તિના જીવન પર અસર પડેલી હોય, જેનાથી જીવનમાં ટર્નીંગ પોઈન્ટ આવેલ હોય, પણ એ વાત અન્યને જણાવવી જરુરી નથી હોતી. એ બાબત સંપુર્ણપણે અંગત હોય શકે અને અન્યને ન જણાવવાથી, તેને ફાયદો કે ગેરફાયદો ન થાય. ધારો કે તે વાતથી તેના જીવનમાં કોઈ માર્ગદર્શન મળી શકે તો તે પોતાની અંગત વાત નહી, પણ એક ઉદાહરણ તરીકે કહી શકાય. આમ સંપુર્ણ સ્પષ્ટતાવાદી બનવું જરુરી નથી (અગાઉ ‘જોહરી વિન્ડો’માં એની આંશિક ચર્ચા પણ થઈ છે.)

આમ પણ કહેવાયું જ છે કે ‘સાચુ બોલો, પ્રિય બોલો’.

‘આ પ્રિય બોલો’ વાળો ભાગ હંમેશા યાદ રાખવો. આ વાત તો પાનબાઈ જેવી અભણ નાર પણ જાણતી હતી – ‘વચનવિવેકી જે નરને નાર, બ્રહ્માદિક લાગે પાય રે….’

અંધજનને ‘આંધળા’ તરીકે ન બોલાવતા ‘સુરદાસ’ કહેવું જોઈએ.

તમારી અંગત વાતો જાહેર થતા, તમને તો ઠીક પણ કોઈવાર અન્યને પણ નુકશાનકર્તા થઈ શકે છે. જેમકે ઈન્ટરનેટની સોસીયલ સાઈટ્સવાળા તમારી અંગત બાબતોને જાણી લઈને તેના પરથી બીનજરુરી અને સમાજને નુકશાન કરનારી ચીજવસ્તુઓનું  ઉત્પાદન કરે અને માર્કેટીગ સ્ટ્રેટેજી પણ બનાવે છે.

સ્પષ્ટતાવાદી બનવાનો મોટામાં મોટો ગેરફાયદો – સંબંધોનો વિચ્છેદ છે. કોઈની સાથેના સંબંધમાં, કોઈ ચોક્કસ વાત તમને અપ્રિય હોય તો, ‘મને આ પસંદ નથી’ એવું સ્પષ્ટ કહેવાથી સંબંધનો અંત આવવાની શક્યતા છે. ક્યાં તો તમારે એ બાબત માટે જતું કરવું જોઈએ અને જો એમ ન થઈ શકતું હોય તો સંબંધમાં લીમીટ-મર્યાદા બાંધી લેવી જોઈએ. પણ સ્પષ્ટ કહી દેવાથી સંબંધનો અંત નિશ્ચિત છે, જે કદાચ તમને પણ નુકશાનકર્તા હોય શકે.

દરેક વ્યક્તિએ પોતાની કેટલીક અંગત ગ્રંથીઓ બાંધી હોય છે, (હોવી જ જોઈએ કારણ કે તે જ જીવનને આગળ ધપાવે છે) તમારી પણ હોય. બંનેમાં મેચીંગ હોય તેવું ન પણ બને. આવા સમયે સ્પષ્ટવક્તા બની સ્પષ્ટતા કરી દેવી જરુરી નથી. કશું ‘સો ટકા’ હોતું નથી એ સ્વીકારીને ચાલવાથી જીવનમાં ઓછામાં ઓછા પ્રશ્નો ઉભા થાય.

માટે ‘પ્રિયં વદ’ ….

યે તેરા ઘર …..

નવા વર્ષની શુભેચ્છાઓ….

ધરતીનો છેડો ઘર તો વર્ષોથી સાંભળતા આવીએ છીએ, અને ખરેખર ક્યાંયથી પણ પાછા ઘેર પહોંચીએ ત્યારે ‘હાશ’ થાય છે એ પણ હકીકત છે. દરેકની મનસા પણ ‘પોતાનું’ ઘર બનાવવાની હોય છે. યુવાનોને સલાહ પણ છે કે ચાલીસી વટાવ્યા પહેલાં પોતાના ઘરની વ્યવસ્થા વિચારી લેવી.

પણ આજે House ની નહીં ‘Home’ ની વાત કરવી છે. આજે સ્વ. ફારુકશેખને અંજલી આપતાં ‘સાથ સાથ’ જોયું.

ફીલ્મની શરુઆત ખુબ ‘ટચી’ રહી. એક યુવાનની દુનીયા સાથે લડવાની, પોતાના વિચારો પર કાયમ રહેવાની ખુમારી જોઈ ખુ્બ આનંદ થયો. આજે વડીલો પણ યુવાનોને આ જ સલાહ આપતા હોય છે અને તે પણ એવું કહીને કે ‘અમે તો અમારું ધાર્યું ન કરી શક્યા, પણ તમે તો કરી શકો તેમ છો’

મને પણ આવી સલાહ આપવાનું મન થઈ જાય. (મફતમાં આપવાનું સૌને ગમે છે… મને પણ..) પણ મારા જીવનની ફ્લેશબેકમાં જતાં લાગે છે કે મેં પણ આવા જ સપના સેવ્યા હતા, પણ જ્યારે પ્રેકટીકલ થવની વાત આવે ત્યારે સપના, ‘સપનામાં’ જ રહી જાય, બાંધછોડ કરવી પડે છે એ પણ હકીકત છે. ન કરીએ ત્યારે ઘણું સહન પણ કરવાનું આવે છે, જે મેં નોકરી દરમ્યાન અનુભવ્યું પણ છે. વડીલો એમ પણ સલાહ આપે કે ‘જમાના સાથે ઉભા રહેવાની તાકાત કેળવવી જોઈએ, પોતાની જરુરીયાતો ઘટાડવી જોઈએ’ પણ કઈ જરુરીયાત ઘટાડવી એનું કોઈ માર્ગદર્શન કરે છે ? જરુરી એવા ફોન કોલ કરો તો પણ મહીનાના ૬૦૦-૭૦૦ રુપીયા મોબાઈલ બીલ આવે, દુનીયા સાથે જોડાયેલ રહેવા છાપા વાંચીએ તો મહીને ૧૦૦-૨૦૦ રુપીયાનું બીલ આવે, ઇન્ટરનેટ વાપરો ૬૦૦-૭૦૦ રુપીયા એના જોડો, નોકરી કરવા જવાના ટ્રાન્સપોર્ટેશનના ૧૫૦૦-૨૦૦૦ હજાર જોડો…. કઈ જરુરીયાત ઘટાડવી ? દુનીયા સાથે નાતો છોડવો ?

દાદા ભગવાનનો એક મુદ્દો યાદ આવે છે… ‘એડજસ્ટ એવરીવ્હેર’. આપણે તેનો અર્થ એ કરવાનો રહે કે ‘હું જ્યાં કામ કરૂં છું એ વાતાવરણને ‘એડજસ્ટ’ થવાનું’. દાદા ભગવાન પણ વેપાર કરતાં કરતાં પોતાનો ધર્મ નીભાવતા હતા. ધર્મ વિષે આજે એક સરસ વાક્ય સાંભળ્યું – ધર્મની વ્યાખ્યા સાર્વજનીક ન કરી શકાય, દરેકને પોતાનો ધર્મ હોય છે, હોવો જોઈએ.’

આપણે પણ આપણો ‘ધર્મ’ નક્કી કરી લેવો જોઈએ અને જ્યાં પણ ‘એડજસ્ટ’ થવાનું આવે ત્યાં આપણા નક્કી કરેલા ધર્મની મર્યાદામાં રહી ને એડજસ્ટ થવાનું રહે. આ મર્યાદા બહારનું કામ નકારવું જોઈએ. શક્ય છે સહન કરવાનું આવે પણ આપના મનને-આત્માને ધર્મ અનુસર્યાનો આનંદ તો પ્રાપ્ત થાય છે એ વાસ્તવિક છે અને જીવન જીવવાનું બળ મળે છે. ‘એડજસ્ટ’ થયાનો સમય પસાર થયા બાદ પણ ‘પોતાનું’ જીવન જીવ્યાનો આનંદ રહે છે.

વર્ષો પહેલાં શ્રી પી.જી. માવલંકરના સફળ ઉદ્યોગપતિ ભાઈના (નામ ભુલી ગયો છું… સોરી !) ભારતમાં ઉદ્યોગ સ્થાપનાના અનુભવોના અંગ્રેજી પુસ્તકના ગુજરાતીકરણના પ્રકાશનની જવાબદારી નિભાવી હતી ત્યારે તેમના અનુભવો ખરેખર પ્રેરણાદાયી લાગ્યા. પરદેશથી આવી તેમણે જ્યારે અમદાવાદમાં ઉદ્યોગ સ્થાપ્યો ત્યારે એમની પ્રોડક્ટના ભાવ ભારતના બજારભાવ કરતા ખુબ નીચા હતા, પણ તેમણે પોતાની પડતર કીંમત પર ચોક્કસ નફો (ફીક્સ્ડ પ્રોફીટ) લઈને પ્રોડક્ટ વેંચવાનું નક્કી કરેલું, ભલે બજાર ભાવ વધુ હોય અને એ પ્રમાણે વધારાનો નફો પણ મફતમાં મળતો હોય. તેમની પ્રોડક્ટ બજાર કરતા સસ્તી મળતી, લોકો શંકા પણ કરતા કે, કંઈ ક્વોલીટીમાં તો ઘાલમેલ નહી હોય ને ? પણ ધીમે ધીમે લોકોને વાસ્તવીકતા સમજાણી અને ધંધાનો ખુબ વિકાસ થયો. તેમણે પોતાનો ‘ફીક્સ્ડ પ્રોફીટ’ લેવાનો ધર્મ નીભાવ્યો અને સફળતા મેળવી. આમ જો આપણે આપણો ‘ધર્મ’, બાઊન્ડરીઓ નક્કી કરી જીવીએ તો જીવન જીવવાનો આનંદ અને સફળતા (ભલે વહેલામોડી..) જરુરથી મળે છે.

આ મફત સલાહમાં તથ્ય લાગે છે ?

યુવાનોને ફરી સલાહ – ચાલીશ વર્ષ સુધીમાં ‘Home’ બનાવજો, ‘House’ નહીં, અને વધારે અગત્યનું એ કે તેને જાળવી રાખજો, નહીંતર ‘સાથ સાથ’ની હીરોઈન જેમ તમારી ‘દીપ્તી નવલ’ ઘર છોડવા મજબુર ન બની જાય….