ઘરવાપસી –

જુઓ તમને ‘ધર્માંતરણ’ની યાદ આવી ને ? જો કે મારે બીજી વાત કરવી છે પણ તમારા મગજમાં આવ્યું છે તો પહેલાં તેનો થોડો વિસ્તાર કરી લઈએ.

થોડા સમય પહેલાં સમાચાર પત્રોમાં ધર્માંતરણનો મુદ્દો ખુબ ચગ્યો, રાજકારણીઓ અને મીડીયાએ કાગારોળ મચાવી, પણ પછી શું થયું ? તેનો કોઈ અતોપતો નથી.

300 dpi SW Parra color illustration of many hands connecting together puzzle pieces, each with a different religious symbol. The Fresno Bee 2009 religious tolerance illustration interfaith diversity symbol symbols puzzle pieces hands working together team global belief god cross om shanti islam judaism; krtfeatures features; krtnational national; krtreligion religion; krtworld world; krt; mctillustration; belief; faith; values value; REL; 12000000; 12002000; 12006000; 2009; krt2009; parra fr contributed coddington mct mct2009 2009

(With thanks from http://penumbramag.com/)

પણ, આ મુદ્દો દરેકે વિચારવા જેવો તો છે જ.

‘ધર્મ એટલે શું ?’ એ વિચારવાનો સમય (?) મળતો નથી. કારણમાં તો યુવાનીમાં કેરીયર અને નિવૃતિમાં સ્વાસ્થ્ય નડતરરુપ છે. ( અને નિવૃતિમાં જે છે તે સ્વીકારી લેવાની વૃતિ અને ‘માથાકુટ’ (?) માં ન પડવાની વૃતિના કારણે ‘ધર્મ’ સમજ્યા સિવાય વિદાયવેળા આવી જાય છે.)

મને માથાકુટ કરવાની ઇચ્છા થઈ અને મેં ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા તેમાંથી જે ગમ્યું અને મારા વિચારો સાથે મેળ ખાતું હોય તે, પણ તમારા વિચારો જાણવા અહીં મુક્યું.

ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, (ક્યાંક વાંચેલું)

ધર્મ એટલે અંતરની શાંતિ,

ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,

ધર્મ એટલે જીવનનું ચાલક બળ,

ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,

ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,

ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,

ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,

ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને

ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,

એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.

વીકીપેડીયા મુજબ – ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

“જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

શરુઆતમાં વર્ણાવેલા ‘ધર્મ એટલે ….’ ના સર્વ મુદ્દાઓને ગણત્રીમાં લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે ધર્મ એ જીવન જીવવાની શૈલી છે.

ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં ચંદ્રીકાબેનનો સરસ આર્ટીકલ વાંચવા મળ્યો –

પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે. તેના આ ધર્મની બાદબાકી થઇ જાય, તો તે વસ્તુનું વસ્તુત્વ જ નષ્ટ થઇ જાય. આપણે એ જાણીએ છીએ, કે અગ્નિનાં બે ધર્મ છે–દાહકત્વ અને પ્રકાશકત્વ. અગ્નિમાંથી આ મૂળભૂત ધર્મની ઉપેક્ષા કરીએ તો અગ્નિ રહે જ નહી. તે માત્ર લાકડું કે કોલસો જ હોય. આ મૂળભૂત ધર્મ, બહારથી આવતો નથી, પણ જે તે વસ્તુમાં ઓતપ્રોત હોય છે; તેને સહજ કે સ્વાભાવિક ધર્મ કહેવાય. તે દૂર કરી જ ન શકાય.

એક રીતે, ધર્મ તો આપણા અસ્તિત્વનો આધાર કે નિયમ, જે કોન્ફયૂશિસે કહ્યું છે કે, ‘આપણે જેને આપણા અસ્તિત્વને નિયમ માનીએ છીએ, તે જ ઇશ્વરીય કાનૂન છે. આને જ નૈતિક કાનૂન કહે છે. આ નૈતિક કાનૂન જયારે પ્રથામાં ઢળે છે, ત્યારે તે ‘ધર્મ’ બને છે.”

ગાંધીજીના ‘હિન્દુ ધર્મનું હાર્દ’ એ પુસ્તકના સંપાદક અને ચિંતક શ્રી વિશ્વાસ ખેર, તેના સંપાદકીયમાં નોંધે છે કે, ‘ધર્મ તરીકે ઓળખાતા નૈતિક કાનૂનમાંથી, આપણે જીવનભર, એકેય વાર, છટકી શકતા નથી. જેમાંથી છટકી જવાય, તે નૈતિક કાનૂન હોઇ ન શકે. આ કારણે જ નિતીમાન કે ધાર્મિક વ્યક્તિ પોતાના વિચાર અને આચાર પર સતત નજર રાખે છે. તે જાણે છે કે, જીવનમાં, અન્ય સર્વ છોડી શકાય પણ ધર્મ-ચ્યુતિ ન કરાય, ધર્મથી વિમુખ ન જ થવાય. આ ધર્મ જ જીવનનો આધાર છે. જે આપણને ધારણ કરે કે ટકાવે, તે ધર્મ. મનુષ્યને ‘મનુષ્ય’ તરીકેની ઓળખ આપે અને તે સ્વરૂપે તેને સ્થિરતા આપે તે છે ધર્મ.

‘આપણી બે અલ્પતાઓ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી –

માનવીનું જીવન પ્રકૃતિના આધારે છે. દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે આથી એના નૈતિકતાના નિયમો પણ અલગ અલગ હોય એટલે ધર્મો પણ અલગ અલગ અસ્તિત્વમાં આવે ને !

નૈતિક સિધ્ધાંતો/નિયમોની સમજણ આપતા સ્વામી વિવેકાનંદના વિચારો

શ્રી અતુલ જાનીના બ્લોગ પર વાંચ્યા –

સ્વામીજીએ ‘વેદ’ નો પરિચય આપતા કહ્યું “’વેદ’ એટલે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભુલી જશે તો પણ અસ્તિત્વમાં રહેવાનો છે તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિષે સમજવાનું છે.”

આમ આપણું અસ્તિત્વ જ ‘ધર્મ’ છે.

હિંદુધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે – ધાર્મિક વિધીઓ અને આધ્યાત્મ તત્વ. આધ્યાત્મ તત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા. આજે વહેવારિક જગતમાં ‘ધાર્મિક વિધીઓ’ ને ધર્મનું નામ આપી દીધું છે. એમાં જેને રસ નથી તે ‘નાસ્તિક’. પણ નાસ્તિક એ ‘ધાર્મિક નથી’ એમ કહી શકાય નહી.

ધાર્મિક વિધીવિધાનોના મુળમાં વીકીપેડીયાની ‘હિદુ ધર્મ’ની લિન્ક વાંચવા મળી –

ગુજરાતી વીકીપેડીયામાં હિંદુધર્મની ચર્ચામાં લખે છે –

“રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.”

આનો સ્પષ્ટ અર્થ એ થાય કે ‘ભક્તિમાર્ગ’ની શરુઆતથી મુળ ધર્મથી ફંટાઈને ક્રિયાકાંડ અને ધાર્મિક વિધીવિધાનોની શરુઆત થઈ. એમાંથી આજના ‘સંત-મહાત્માઓ’ અસ્તિત્વમાં આવ્યા, અને ધર્મ એ ‘ધંધો’ બની ગયો.

જ્યારે પણ કોઈ ક્રિયા ‘ritual’ બની જાય ત્યારે તેનું મુળ તત્વ વીસરી જવાય છે. તમે ઘણી વખત જોયું હશે, બાઈક પર સ્પીડમાં જતો યુવાન કોઈ મંદીર પાસેથી પસાર થાય ત્યારે ક્યાં તો હોર્ન મારે, ક્યાં તો માથે અને છાતીએ હાથ લગાડી માથુ નમાવે. આમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું પ્રદર્શન લાગે, પણ ખરેખર તો એ ફક્ત ‘ritual’ થી વધુ કશું નથી હોતું. તેના મનમાં કુટીલ વિચારોનું ચક્ર ચાલુ જ હોય.

આવું આપણી ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું છે. મંદીરે જવાનું બુઢ્ઢા થયા પછી જ હોય, યુવાનીમાં ભગવાનની કોઈ જરુર નથી, જે છે તે આપણે જ છીએ. ‘હું કરું’ એ સિવાય કશું નથી. આમ આપણે જીવનશૈલી અને ધર્મને અલગ કરી દીધા છે.

પાતંજલીના યોગસુત્રોમાં જીવનશૈલીની સુપેરે સમજ આપેલી જ છે. યોગના પ્રથમ બે ચરણો – યમ. નિયમ – એ જીવનશૈલીનું માર્ગદર્શન જ છે. પાંચ ‘યમ’ – સત્ય, અહીંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – જે વ્યક્તિએ પોતે સમાજના સંદર્ભમાં પાળવાના નૈતિક નિયમો છે. જ્યારે ‘નિયમ’ – શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજન – એ વ્યક્તિએ ‘સ્વ’ માટે પાળવાના નૈતિક નિયમો છે. આમ ‘યમ, નિયમ’ જીવનશૈલી ઘડવાનો આધાર છે.

………. અને ગાંધીજીના અગીયાર વ્રતો કેમ ભુલાય –

સત્ય , અહિંસા , ચોરી ના કરવી , વણજોતું ના સંઘરવું….
બ્રહ્મચર્ય ને જાતે મહેનત , કોઈ અડે ના અભડાવું…..
અભય, સ્વદેશી, સ્વાદ જ તજવો , સર્વ ધર્મ સરખા ગણવા….
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા……

આ બધી ભેજાફોડીનું તારણ કાઢવું હોય તો –

પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિના આધારે જીવન જીવવા માટેના નૈતિક નિયમો નક્કી કરી ‘સ્વધર્મ’નું નિર્માણ કરવું અને હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે બાબતો ભુલી જઈ ‘સ્વધર્મ’નું પાલન કરવું.

અંતે….

સમીર દરજીના બ્લોગ પરથી કેટલાક સામાજીક પાપોની વાત –

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ 

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ 

(૭) ત્યાગવિહીન પૂજા

ધર્મને સમજવાની મથામણમાં મારે ‘ઘરવાપસી’ની વાત કહેવાની રહી ગઈ (છેલ્લા ત્રણ-ચાર મહીના બ્લોગ પરની હાજરીની અનિયમિતતાનું કારણ) – આ ઘરવાપસી એટલે સુરતથી ગાંધીનગર પરત થયો, જ્યાં મેં સંસારની શરુઆત કરી અને જીંદગીના સ્ટ્રગલ અને સુખના ચાલીસ વર્ષો વિતાવ્યા હતા.

હવે …. સુખે ભજશુ  શ્રીગોપાળ……

બુધ્ધિવાદી વિકૃત આનંદ –

gandhiji2

સંયમના આગ્રહી પુરુષના જન્મદિને જ મારો સંયમ તુટી ગયો. દાંભિક ચર્ચાઓમાં ઉતરવું નહીં એવું કેટલાક સમય પહેલા નક્કી કરેલું, પણ આજે સંયમ તુટ્યો. ફેઈસબુક પર બે મિત્રોની પોસ્ટ વાંચી – સૌરભ શાહ અને રાઓલજી. આ રજુઆતોના પરિણામે મારી સહિષ્ણુતા ઓગળી ગઈ અને ઘણા સમયથી ચાલતી બ્લોગનિવૃતિ પણ તુટી ગઈ.

સૌરભભાઈ ગાંધીજીને યાદ કરતાં, ‘સત્યના પ્રયોગો’ને વાંચવાનો આગ્રહ કરે છે. જીવનની સફરમાં ‘કમ્પની’ મળશે એવું પણ લખે છે.

સૌરભભાઈના લખાણનો મહત્વનો ફકરો –

“ગાંધીજીનાં લખાણો (પ્રવચનો તથા પત્રો સહિત) કુલ સો મોટા ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તથા અંગ્રેજીમાં ‘ધ કમ્પલીટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી.’ (ગુજરાતીમાં છેલ્લા ડઝનેક ગ્રંથો હજુય પ્રગટ થવાના બાકી છે). આ સો ગ્રંથો સાથે બે મોટા ગ્રંથ જેટલી નામસૂચિ, વિષયસૂચિ સામેલ છે જેથી તમને સંદર્ભ મેળવવામાં આસાની રહે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આ શત ગ્રંથોમાંના માત્ર એક ગ્રંથનો હિસ્સો છે, પૂરેપૂરો ગ્રંથ પણ નહીં. તમે જોઈ શકો છો કે ગાંધી વિચારો એક અફાટ સાગર છે. કદાચ એટલે જ સામાન્ય વાચક કિનારા પરનાં થોડાંક છબછબિયાંથી આગળ વધતાં ડરતો હશે. આ સો ગ્રંથ ઉપરાંત પ્યારેલાલ અને તેંડુલકરે લખેલા અનુક્રમે ચાર અને આઠ દળદાર ગ્રંથો તેમ જ બીજાં ડઝનબંધ અલગ અલગ દૃષ્ટિકોણથી લખાયેલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી પુસ્તકો છે, જેમાંથી તમને ગાંધીજીના જીવનનાં અનેક પાસાંઓનો પરિચય થાય.”

રાઓલજી તો તેમના ‘બોલ્ડ’ લખાણો માટે બ્લોગર દુનિયામાં જાણીતા છે. તેમણે પોતાની એક જુની પોસ્ટની લિન્ક એફબી પર મુકી – ‘મહાન આત્મા, તંત્ર, બ્રહ્મચર્ય’

રાઓલજી પણ Joseph Lelyveld નામના એક પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારે લખેલા પુસ્તક “Great  Soul” MAHATMA  GANDHI  AND  HIS  STRUGGLE  WITH  INDIA … નો સંદર્ભ આપી લખે છે. (ગાંધીને વાંચવો કે ગાંધી પર લખેલા પુસ્તકને વાંચવું ?) ગાંધીએ પોતાના સ્ખલનો સ્પષ્ટપણે આત્મકથામાં લખી જ દીધા છે તો પછી તેના એ સ્ખલનો પર ટીકા ટીપણી શા માટે ? ગાંધીજીએ પોતે ‘મહાત્મા’ છે એવું ક્યારે કહ્યું છે ? મારી સામાન્ય જાણ મુજબ આત્મકથા સામાન્ય માણસની જ છે. પ્રત્યેક પોતેપોતાની શક્તિ, આવડત, જ્ઞાન મુજબ જીવનમાં સ્ટ્રગલ કરે જ છે. ગાંધીજી મજબુત હશે એથી જીવનના odds ની સામે વધારે મજબુતીથી ટક્કર ઝીલી છે. પણ એમના પ્રયત્નોના લેખાજોખાં કરનાર આપણે કોણ ? મારે મારા માટે કોઈએ કરેલા કાર્યની વાત કરવી જોઈએ કે જે તે વ્યક્તિના વ્યક્તિગત જીવનની વાત કરવી જોઈએ ? ગાંધીજીએ પોતાના આંદોલનોમાં કેટલા જણાને હાથ પકડીને ખેંચી જઈને સામેલ કરેલા ? પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર છે જેને ઇચ્છા થઈ તે તેની પાછળ ગયા, તમને યોગ્ય નથી લાગતું, તમે ના જાઓ, તમને યોગ્ય લાગે તે કરો. પણ આંદોલનકારના વ્યક્તિગતજીવન પ્રસંગોને લઈને ટીકા શા માટે ?

કોઈપણ લેખક જ્યારે લખાણ કરે ત્યારે તેના પોતાના વિચારો, પુર્વગ્રહો, માન્યતાઓ મુજબ ઢાળવામાં આવેલું લખાણ લખાય. વધુ સ્પષ્ટતા – “ગાંધીજીના સેક્રેટરી અને અંગત ડૉક્ટર યુવાન એવા સુશીલા નૈયર એમની સાથે એક બાથરૂમમાં સ્નાન કરતા તેનો વાંધો બીજા આશ્રમવાસીઓને આવતો. બીજી બહેનોને પણ આવો લહાવો લેવો  હોય તેમને સુશીલા નૈયરની ઈર્ષ્યા આવતી.” આ લહાવો લેવો હતો કે નહીં એ અંગે આશ્રમની કોઈ બહેનોનો ઇન્ટર્વ્યુ ક્યાંય છપાયો છે ? ગાંધીજીએ લખી દીધું કે ભઈ ! મેં આવું કર્યું છે, પણ એ એમણે અજાણતા કરેલ ‘તાંત્રિક પ્રયોગ’ના ભાગરુપે હતું એ કેવી રીતે સાબિત થાય ? અને ભારતીય તંત્રને અંગ્રેજી પુસ્તકો વાંચી ક્યાંથી સમજી શકાય. (તાંત્રિક સમાજમાં સ્ત્રીને ‘શક્તિ’ પ્રાપ્ત કરવાનું સાધન માનવામાં આવતી. મૈથુનના પ્રયોગોમાં ‘સ્ખલન’ને સ્થાન હતું નહીં, જો કોઈ અઘોરી સ્ખલિત થાય તો તેને પ્રયોગોમાંથી દુર કરવામાં આવતો, આવું મેં વાંચેલું છે અને ફીઝીયોલોજીની રીતે સમજવા પણ પ્રયત્ન કર્યો છે પણ એ ચર્ચા અસ્થાને છે.)

સેક્સ શીલ્પોને યાદ કરતાં રાઓલજી લખે છે – “સેકસના શિલ્પ ખજુરાહોમાં કોણે બનાવ્યા હતા?”. માની લો કે આપણે એવો તર્ક કરીએ – આ શિલ્પો સેક્સથી ઉપર ઉઠીને આત્મામાં રમમાણ થવું એવો કોઈ સંદેશો આપતા જ નથી. આ શિલ્પો તો કારીગરોએ બનાવ્યા છે. પત્નીથી/સ્ત્રીથી વર્ષો સુધી દુર રહી શિલ્પકાર્ય કરનાર કારીગર, સેક્સના નેચરલ ફોર્સથી વંચીત કેમ રહી શકે ? આથી તેમણે કરેલી કલ્પનાઓને મુર્તિઓમાં કંડારી નહી હોય ? ખાજુરાહોના મુખ્ય ડિઝાઈનરનો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ છે કે આ શિલ્પો કોઈ ચોક્કસ પ્રકારનો સંદેશો આપે છે ?

મુળ સવાલ એ છે કે જાહેરમાં ગાંધીજીએ કરેલા સારા કાર્યો કે તેમણે દેશ માટે આપેલા ભોગ યાદ કરવો જોઈએ કે તેમણે સાહજીક રીતે સ્વીકારેલા સ્ખલનોને યાદ કરવા જોઈએ. (બુધ્ધીજીવી કદાચ ગાંધીજીએ દેશ માટે ભોગ આપ્યો એમ કહેવાને બદલે એવું પણ કહે કે તેમણે, સર્વ કાર્ય પોતાની મહત્વકાંક્ષાઓ સિધ્ધ કરવા અને પોતાની માન્યતાઓ ઠોકી બેસાડવા કરેલું છે. )(હમણાં મોદીની અમેરીકા યાત્રા માટે એવું પણ વાંચ્યું કે મોદી જેવા તો અમેરીકામાં ઘણાય છે એમણે શું ઉકાળ્યું કે મોદી ઉકાળશે.)

સૌરભભાઈએ ગાંધીજીના શબ્દો ટાંકી સરસ લખ્યું –

“ગાંધીજી પોતાનાથી વિરુદ્ધ જેમનો મત હોય, જેમની સાથે પોતે સહમત ન થતા હોય એવા વિચારને હૃદયપૂર્વક આદર આપતા. બે વ્યક્તિઓ વચ્ચે ભિન્ન મત હોય એમાં કશું ખોટું નથી. એવું સ્વીકારીને એમણે એક વખત પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું: ‘ભિન્ન મતને કારણે એકબીજાનો દ્વેષ કરવાની કોઈ જરૂર નથી. મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!’…”

સૌરભભાઈએ પોતાના લેખમાં બહુ જ મહત્વની વાત પણ કરી –“આ લેખમાં ટાંકેલા ગાંધીવિષયક ગ્રંથો/પુસ્તકો વાંચ્યા વિના ગાંધીવિચારોની ટીકા તેમ જ પ્રશંસા ન કરાય એવું હું નમ્રપણે માનું છું, કમ સે કમ જાહેરમાં તો નહીં જ.”

મારી સહિષ્ણુતા પીગળી ગઈ આથી આ લખાણ લખાયું, ઇશ્વર મને સહિષ્ણુ બનવા બળ આપે એવી પ્રાર્થના……….

સફળતા – કોની દ્રષ્ટિએ ?

ગઈકાલે શ્રી વિપુલભાઈએ મુકેલ શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય નો એક વીડિયો જોયો. કોઈ સ્કુલમાં એમનું સંબોધન સક્સેસ ના સંદર્ભમાં હતું. તેમણે સવાલ ઉઠાવ્યો – ‘સક્સેસ, પણ કોની દ્રષ્ટિએ’, લોકો કહે છે આ શિખર પર છે, પણ આ શિખર કોણ નક્કી કરે તે મહત્વનો સવાલ છે’

હા ! ખરેખર મહત્વનો સવાલ છે. મારા માટે તમે નક્કી કરો એ કેવું ?

સફળ માનવી જ્યારે સફળતાના શિખરે (?) પહોંચે ત્યારે એ શિખર, કોણે નક્કી કર્યું કે ‘આ શિખર છે’

What-is-success

(With thanks – http://www.anandanpillai.com/what-does-success-mean-to-you-and-me/)

આ સફળતા પણ સાપેક્ષ છે. હું જેને સફળતા માનું તે અન્ય માટે અસફળતા પણ હોય શકે. ‘મોટીવેશનલ ટ્રેઈનરો’ સામાન્ય રીતે જ્યારે પણ સફળતાની વાત કરે ત્યારે સામાજીક રીતે સફળ થયેલા મહાનુભાવોના ઉદાહરણો આપે. આ વિડીયો ક્લીપમાં પણ ગાંધીજીના સત્યની વાત કરી – ગાંધીજી કહે કે મેં ચોરી કરી – તો તાળીઓ પડે અને તમે ઘરમાં કહો કે મેં પોકેટ મની માટે પૈસા લીધા તો તમાચો પડે.

હવે સવાલ એ છે કે ગાંધીજીએ જ્યારે ચોરી કરી હતી ત્યારે પિતાને સાચું કહ્યું હોત તો ? તાળીઓ પડી હોત કે તમાચો ?

સમાજે જ્યારે તેમને ‘મહાત્મા’ તરીકે સ્વીકૃતિ આપી ત્યારે તેમના સત્યને બિરદાવ્યું.

અહીં ‘સમાજે’ અને ‘સ્વીકૃતિ’ શબ્દ મહત્વના છે.

તમને લાગે છે કે અહીં ‘દ્રષ્ટિકોણ’ નક્કી થાય છે ? સફળતા અને નિષ્ફળતાનો આંક સમાજ નક્કી કરે છે. ‘હું સત્ય બોલું છું’ એ મારો જીવનનો સંતોષ છે, આનંદ છે.

ગાંધીજીના જ વિચારો જુઓને !

mahatmagandhi105593

હું હંમેશા પ્રામાણિકતાને વળગી રહ્યો છું, સત્યને વળગી રહ્યો છું જેના કારણે ઓફીસમાં ઘણી પનીસમેન્ટ પણ મળી, ૨૩ વર્ષની નોકરીમાં ૧૧ વર્ષ કુટુંબથી દુર, એવા સમયે રહ્યો કે જ્યારે કુટુંબને મારી ખુબ જરુર હતી. આ શક્ય ક્યારે બન્યું ? જ્યારે મારા પત્ની પણ નોકરી કરતા હતા અને ઘરખર્ચ ચિંતા ન હતી. જો કુટુંબની સર્વ જવાબદારીઓ મારા પર જ હોત તો મારે બાંધછોડ કરવી પડી હોત કે નહીં ? (મારી સફળતા માટે મારા કુટુંબનો ભોગ લઈ શકાય ?) હું મારા જીવનથી સંતોષ પામ્યો, આંતરીક પ્રસન્નતા મળી પણ એમાં કુટુંબ દ્વારા અપાયેલ ભોગ પણ સામેલ છે.

મારી પ્રસન્નતાનો માપદંડ હું નક્કી કરું છું પણ સમાજમાં મારી સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે છે. હું સફળતાના શીખર પર છું એમ ન કહી શકાય, પણ મેં નક્કી કરેલું મેળવતા મને સંતોષ મળ્યો, પ્રસન્નતા મળી એમ કહી શકાય. વિદ્યાર્થીની ‘સફળતા’, અભ્યાસક્રમ માટે નક્કી કરવામાં આવેલા ગુણ પરથી થાય, વિદ્યાર્થીએ પોતે સંતોષકારક લખ્યું તેના પર નહીં. આમ સામાજિક સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે, હું ફક્ત મારો ‘આત્મસંતોષ’ નક્કી કરી શકું.

વર્તમાનપત્રનો ‘સફળ’ કોલમીસ્ટ વાંચકોની ‘નાડ’ પકડીને લખે, એને લખવાનો ‘આત્મસંતોષ’ મેળવવો છે કે કેમ તે પ્રશ્ન છે. કદાચ એવું બને કે તેમના ‘આત્મસંતોષ’નો માપદંડ ‘વાંચકોની સંખ્યા’ હોય. મારા જેવા બ્લોગર પોતાના ‘આત્મસંતોષ’ માટે લખે, કોઈ વાંચે કે ન વાંચે તેનાથી કોઈ ફરક ન પડે.

ખરેખર તો ‘Achievement’ અને ‘Success’ વચ્ચે ભેદ રેખા દોરી લેવી જોઈએ.

અંગ્રેજી ડીક્શનરીઓ પ્રમાણે જોઈએ તો –

Achievement – a result gained by effort, a great or heroic deed,

Success – the fact of getting or achieving wealth, respect or fame, a performance or achievement that is marked by success, as by the attainment of honour

આ તર્ક પ્રમાણે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રથમ પ્રયત્ન Achievement નો આવે, પછી તે અભ્યાસમાં હોય કે કેરીયરમાં. Achievement ના અંતે ‘આત્મસંતોષ’ આવે.

કેરીયરમાં દાખલ થયા પછી success ના પ્રયત્ન શરુ થાય. Success નો વિચાર આવે ત્યારે સમાજનો વિચાર આવવો જોઈએ કારણ કે તેના માપદંડ સમાજના છે. ફક્ત આત્મસંતોષ કે પોતાની પ્રસન્નતા માટે કરેલા કાર્યોથી સફળતા ન પણ મળે. ગાંધીજી કે ભગતસિંહ જેવા કેટલાય અનામી શહીદો થઈ ગયા હશે, જેમણે પોતાના ‘આત્મસંતોષ’ માટે શહાદત વહોરી હશે.

નક્કી તમારે કરવાનું છે કે –

You want to achieve……

Or

You want to succeed…….

 

નહીં સુધરેંગે –

‘હમ નહીં સુધરેંગે’

હમણાં ગોવિંદભાઈ એ આજના નેતાઓ અને ચુંટણીની વાત લખી. અને તેમાં પ્રજ્ઞાબેનની ‘હમ નહીં સુધરેંગે’ની કોમેન્ટ પણ આવી. આજ દિવસે બ્રહ્માકુમારી શિવાનીની ‘BK Shivani – Harmony in Relations – Personality Development’ ની યુ ટ્યુબ વિડીયો પણ જોઈ. સંબંધોમાં થતી મુશ્કેલીઓમાંથી નીકળવાની ખુબ સરસ વાત કરી. બીજા પોતાની રીતે જ જીવવાના છે મારે મારી રીતે જીવવાનું છે. Let’s stop thinking about the world. આપણે હંમેશા બીજાનું જ વિચારીએ છીએ, બીજાને બદલવાના જ પ્રયત્નમાં હોઈએ છે.  આપણે હંમેશા આપણા સંબંધોને બગાડવાના કારણોમાં Ego, lack of understanding, lack of Trust, Honesty, Inferiority or superiority complex, … દેખાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દો ક્યાંથી આવ્યા ? દરેક શબ્દો બોલતી વખતે આપણા મગજમાં કોઈ વ્યક્તિનું ચિત્ર હોય છે. એ આપણં ચિત્ર તો હોતું જ નથી, બીજાનું જ હોય છે. આમ હંમેશા આપણે બીજાને સુધારવામાં જ માનીએ છીએ. પહેલા વાક્યમાં પણ ‘હમ’ શબ્દ આવ્યો, ‘હું’ નહી. આ વિષયને વધુ સમજવા જેવો છે, આજે બસ આટલું જ……

જુની પોસ્ટ પણ રીફર કરવા જેવી ખરી –

દ્રષ્ટિકોણ –

તમે કેવી રીતે જુઓ છો –

મને મારામાં રસ નથી –

સમય હોય તો જુઓ –

સારું શું – જ્ઞાન કે અનુભુતિ ?

એક જાણીતી રમુજ – એક યુવાન ડોક્ટર પત્ની પસંદગી માટે કન્યા જોવા જાય. સરસ મજાની નાજુક નમણી કન્યાને જોયા પછી અભિપ્રાય પુછતા જણાવે કે આને એનીમીક ઇફેક્ટ છે, વહેલી તકે હીમોગ્લોબીન ચેક કરાવવું જરુરી છે. આ થઈ જ્ઞાનની અસર. કન્યાની સુંદરતાની અનુભુતિ કરવાને બદલે દાક્તરી જ્ઞાનને કારણે દિશા ફંટાઈ ગઈ. (સારું થયું કે આદમ અને ઇવને જ્ઞાન ન હતું નહીંતર ???????????)

Clipart-Man-Book-Huge-Reading-Knowledge

આ તો મજાક થઈ પણ હકીકત એ જ છે કે જ્યારે વ્યક્તિ જે તે વિષયનું ‘વધારે’ પડતું જ્ઞાન ધરાવતો હોય ત્યારે તે વિષયના આનંદની અનુભુતિ કરી શકતો નથી. લીંબુ સરબત પીતો કેમીસ્ટ પેટની ટાઠક અનુભવવાને બદલે સાઈટ્રીક એસીડ અને સુગરની અસરોના વિચારમાં હોય. દરિયા કિનારે બેસીને દરીયાની વિશાળતા અને કિનારા પર ઉઠતી દરેક મોજાની અવનવી આકૃત્તિ અને મોજાઓના સંગીતમાં ખોવાય જવાને બદલે, દરિયાકિનારે ફરવા આવેલો હવામાનશાસ્ત્રી પવનની દિશા, હવામાં ભેજની ગણત્રીમાં ખોવાયેલો રહે છે.

એવું લાગે છે કે જ્ઞાન આપણા વિચારો અને લાગણીને directional બનાવી દે છે. આનંદની અનુભુતિ તો ત્યારે થાય જ્યારે વિચારો અને લાગણીઓ સ્વતંત્ર વિહાર કરતી હોય. આનંદની લહેરખી આવવાનો પ્રયત્ન કરે કે તુરત જ જ્ઞાન તેને દિશા પકડાવી દે, ‘એમાં શું ? વિજ્ઞાનના નિયમ મુજબ આમ જ થાય.’

જ્ઞાન જરુરી છે એવું પણ લાગે છે.

મારી પણ એક ખામી નજરે ચડે છે – કોઈ મુદ્દો મનમાં ઉઠે તો તેનું ડીસેક્શન કરવાની ટેવ. ગયા વર્ષે મેં એક પોસ્ટ લખેલી ‘લાગણી – એક અવરોધ’.  પણ એમ લાગે છે કે  આનંદના પ્રવાહમાં તણાઈ જવાનો અનુભવ કરવો જોઈએ, પરીણામ જે આવે તે. પણ તણાવાની ક્ષણોમાં તો આનંદ થયો ને !

મનમાં ખેંચાતાણી ચાલે  – શું સારું, જ્ઞાન કે અનુભુતિ ?

એક જવાબ તો એવો સુઝે છે કે ‘અનુભુતિથી મેળવેલું જ્ઞાન ચડિયાતું.’

તમારા મનમાં કંઈ છે ?……….

જતાં જતાં ……..

હમણાં નેટ પર ફરતાં ફરતાં ‘પ્રયાસ’ની મુલાકાતે જઈ જડ્યો અને ‘સંસ્કારનો વારસો’ નો શ્રીમતિ સુધામુર્તિ દ્વારા વર્ણવાયેલો કિસ્સો વાંચ્યો. (જોકે વાંચ્યા પછી યાદ આવી ગયું કે આ બ્લોગ પર તો ઘણી વાર આવ્યો છું. આ કિસ્સો વાંચવા જેવો તો ખરો. પણ સન્માનનીય સુધામુર્તિના છેલ્લા વાક્યને સુધારવું પડે તેમ લાગ્યું –

મુળ વાક્ય – “આ ઘટના પછી હું સમજી છું કે, આગલી પેઢી તરફથી પછીની પેઢીને દુર્ગુણો કે રોગ વારસાગત મળતા હોય તો ભલે, પણ સંસ્કારનો વારસો તો નથી જ મળતો.”

હકીકતમાં તો રોગ પ્રાકૃતિક રીતે વારસામાં મળી શકે પણ સારા કે નબળા સંસ્કારનો વારસો તો માબાપે આપવો પડે. નાનપણ પોતાના બાળકને કઈ દિશામાં લઈ જવાનું છે તે માબાપે નક્કી કરવું પડે. જુના જમાનામાં ચીનમાં નાનકડી બાળાના પગમાં નાના જોડા પહેરાવી દેવામાં આવતા જેથી મોટા થતાં યુવતીના પગ નાની બાળકી જેવા જ રહેતા. જેવું શરીરનું એવું જ બાળકના મનનું છે. તમે જે દિશામાં વાળો તે દિશામાં વળી જાય.

આ તો યુવાન માબાપોએ વિચારવાનું રહ્યું….

ટાઈપ્સ ઓફ યોગા –

મારું યોગ પરનું જ્ઞાન મર્યાદીત છે, પણ મેં મુખ્ય અષ્ઠાંગ યોગ, હઠ્ઠયોગ જેવા જ નામ સાંભળ્યા છે.

Types of Yoga વાંચીને તો લાગે છે કે ભારતને નંબર વન બનવું હોય તો પોતાની સંસ્કૃતિને વિભાગોમાં વહેંચી ‘કટકા’ કરી નાખવા પડશે. પ્રાણાયમને ફક્ત ‘શ્વાસની કસરત’ બનાવવી પડશે. શરીર અને મનને જુદા પાડવા પડશે. આ શરીરમાં આત્મા કે ચેતના જેવું કંઈક હોય અને માનવીને ‘માનવ’ તરીકે જીવવા માટે આ બંન્નેને જોડાયેલા રાખવા જોઈએ, એ ભુલી જવું પડશે. થોડુંઘણું પણા ‘ભારતીય યોગ’ વિષે જાણતા હો તો નીચેની લિન્ક પર જુઓ, કેટલા કટકા થઈ ગયા છે, પેટન્ટસ લેવાય ગઈ છે, ‘યોગા ક્લાસીસ’ની ચેઈન બની ગઈ છે. હમણાં ક્યાંક એવું વાંચ્યુ હતુ કે ભારત કરતાં અમેરીકામાં યોગ પર ઘણું કામ થયું છે.

કેવું  કામ ?

ભારતના એક યોગાસનની જુદી જુદી પોઝીશનને નવા નવા નામ આપી અનેક આસનો બની ગયા એટલે ‘ઘણું કામ થયું’. રામદેવજી સાદી ભાષામાં કહે – “જે લોકો જમીન પર બેસી ન શકે તે લોકો ખુરશી પર બેસી કેટલાક આસનો કરી શકે.” અમેરીકામાં ‘Chair Yoga’ નો એક પ્રકાર બની ગયો !

bigdowndog

આનૂ અંગ્રેજી નામ જાણવું છે ? Downward Facing Dog – માથુ નીચું રાખતો કુતરો

હશે !

આવી ચર્ચાનો મતલબ નથી પણ આ અમેરીકન યોગને માણો –

Types of Yoga

આવું બધું વાંચ્યા પછી માથુ દુઃખે તો થોડી ચા પીને, યોગાસનોની ઝંઝટમાં પડ્યા સિવાય, નાનપણમાં સ્કુલમાં શીખવેલી સાદી કસરતો કરી લેશો તો પણ શરીર સ્વસ્થ રહેશે એની ગેરંટી………

આસાન હે –

“આસાન હે”

‘Unstoppable’

How to get Unlimited Power to Achieve your Goals ?

એક એવું પણ ટાઈટલ વાંચ્યું હતું – ‘કર લો દુનીયા મુ્ઠ્ઠીમેં’

બસ ! આવા ટાઈટલ વાંચી વિચાર આવે કે –

‘કેવું સરળ છે, એક સેમીનાર એટેન્ડ કરવાનો ને દુનીયાને મુઠ્ઠીમાં લઈ લેવાની’

આપણે રાજા અને બાકીની પ્રજા…. જલસા જ જલસા….

હમણા સુરતી ઉંધીયું પર વિપુલભાઈએ સંદીપ મહેશ્વરીની એક વીડીયો લીન્ક મુકી અને પછી જોયું તો યુ-ટ્યુબ પર આવા મોટીવેશનલ સ્પીકરોના ઢગલા. પાંચ મીનીટથી બે-બે કલાકના સેમીનાર વીડીયો.

જો એમ કહીએ ‘સફળતા રસ્તામાં નથી પડી’ તો કહેશે કે ‘આ તમારા બચપણમાં પડેલા સંસ્કાર (માન્યતા) બોલે છે.’ નાનપણમાં બાળકને કોઈ કામ કરતા રોકવા માટે એવું કહેવામાં આવે કે તું હજુ નાનો છે, તને ન આવડે, તારાથી નહી થાય વગેરે વગેરે. આ શબ્દો તેને જોખમ લેતાં, નવું શીખતા રોકે અને મોટા થતાં તે કંઈપણ એચીવ કરવામાં પાછો પડે.

એકદમ સાચુ !

નાનપણમાં બાળક પ્રત્યે, માબાપનું અને અન્યનું વલણ આ પ્રકારનું જ હોય છે. તેને શીખવવાને બદલે આવા શબ્દોથી ટાળવામાં આવે છે. આથી બાળકના મનમાં આવી માન્યતા દ્રઢ થતી રહે છે. આમ પણ કહેવાયું જ છે કે મા-બાપ બનવું સહેલું નથી પણ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે યુવાન દંપત્તિ મજાક  મજાકમાં જ માબાપ બની જાય છે. વધુમાં ‘કેરીયર’ની દોડ પણ તેઓને બાળકોથી દુર રાખે છે.

પણા આજે યુવાનો જ્યારે આવા વીડીયો જુએ કે સેમીનાર એટેન્ડ કરે ત્યારે તેમાંથી ‘સરળ’ લાગતી વાતનો તંત પકડી રાખે છે, એમાં મહેનત કરવાની (Action) વાતને નજરઅંદાજ કરે છે.

‘Secret’  માં દર્શાવ્યા પ્રમાણે મનમાં ધારણાઓ કરી, ખોટે ખોટે ‘ફીલ’ કરી માની લે છે કે હવે દુનીયામાંથી મારે જે જોઈએ છે તે મારા તરફ આકર્ષાઈને આવી જશે. (Law of Attraction).

જો કે સંદીપ મહેશ્વરીની આ વીડીયો મને ગમી, આમ પણા એક વાત અનુભવી કે સંદીપ બીજા ટ્રેઈનર્સની જેમ શાસ્ત્રીય વાતો ન કરતા પોતાના અનુભવોને સાંકળીને વાસ્તવીકતાની સમજણ સાથે બોલે છે. જેમકે

law of attraction vs law of love sandeep maheshwari

જોવી ગમે એવી વીડીયો છે.

પણ આ જ વાત બ્રહ્માકુમારી શીવાનીએ થોડા મહીના પહેલાં ખુબ સરળતાથી કહી છે.  ટુંકા સમયમાં સાર જોઈ લેવા જેવો ખરો. (અહીં Karmica Accounts માં ન માનીએ તો તેને બાજુમાં મુકીને પણ સ્મજવા જેવું ખરું.)

ચર્ચા કરવા જેવા મુદ્દા તો છે. તમે કંઈ કહેશો ?

અમલ –

આ બાપુને ડહેલે લેવાયેલ ‘અમલ’ના ઘુંટની વાત નથી પણ જ્ઞાન લીધા પછી તેનું શું થયું તેની વાત છે.

કેટલીય વિભુતિઓ વિષે જાણ્યું છે કે તેઓએ જાત-જાતના અને ભાત ભાતના તર્ક આપી લોકોને ધર્મ વિષે, જીવન વિષે, જીવન જીવવા વિષે લોકોને સમજાવ્યું, અનુયાયીઓ બનાવ્યા, આશ્રમો સ્થાપ્યા, સંપ્રદાયો સ્થાપ્યા પણ એમના જીવનમાં તેઓએ શું કર્યું ?

અન્યને અભિમાન અને સંસારમાંથી વિરક્ત થઈ જવું જોઈએ એવી સલાહ આપનારા પોતે થયા ?

અનુયાયી બનાવવા કે સંપ્રદાય ઉભો કરવો એ ‘Power Motivation’ (to influence others) જ છે. જ્યાં આ પ્રકારનું મોટીવેશન હોય ત્યાં અભિમાનનો અભાવ હોય એવું શક્ય નથી. ‘સ્વમાન’ હોય ત્યાં ટકરાવ ઉભો થતો હોય છે, બીજાને પોતાની અસર હેઠળ લાવવા ‘અભિમાન’ હોવું જરુરી છે. અને અભિમાન હોય ત્યાં દંભની હાજરી પણ હોય જ. કારણ કે આ ‘ઇન્ફ્લ્યુઅન્સ’ યેનકેન પ્રકારે કરવાની હોય છે, જેમાં લોભ, લાલચ, દબાણ (સામાજીક રીતે ઉભું કરીને), જુઠાણું પણ ચલાવવું પડે (પછી ભલે તે યુધિષ્ઠિરનું અર્ધસત્ય હોય). હવે આ તર્ક પ્રમાણે,

જે તે વ્યક્તિ સંસારમાંથી વિરક્ત થવાની સલાહ આપી, પોતે સાંસારિક બાબતોમાં પડે તો તેણે પોતાના ‘જ્ઞાન’ શું ઉપયોગ કર્યો ?

વ્યક્તિએ મેળવેલ જ્ઞાન શું બીજા માટે છે ?

જે ‘જ્ઞાન’ તે બીજાને આપે છે એની સત્યતા કે યથાર્થતા કેટલી છે તે ચકાસે છે ?

જો ‘સત્ય’ની વાત કરીએ તો દરેકને પોતાનું સત્ય હોય.

આ દલીલને આધારે એવું કહી શકાય કે –

જ્ઞાન સાર્વત્રિક (universal) છે. મારે તેમાંથી મારે માટે યોગ્ય જ્ઞાન તારવવાનું છે અને મારા જીવનમાં ‘અમલ’માં મુકવાનું છે.

જ્ઞાનનો સોર્સ મહત્વનો નથી. મને કોઈ ગાલીગલોચ કરે તો પણ હું વિચારી શકું કે તેણે આમ કેમ કર્યું ? મારી ક્યાં ભુલ થઈ ? સામેની વ્યક્તિ ક્યા સ્તરની છે ? મારે એમ કરવું જોઈએ કે નહીં ?

એ જ રીતે કોઈ મહારાજ જીવન જીવવાની પધ્ધતિ અંગે શીખવાડે તો, મારે મારા અનુભવના આધારે નક્કી કરવું પડે કે આ જ્ઞાન મને ઉપયોગી છે અથવા તો મારે તેને અમલમાં મુકી અજમાવી જોવું જોઈએ.

તાજેતરમાં શ્રી અતુલભાઈએ તેમના બ્લોગ પર મુદ્રાવિજ્ઞાન ની ઇબુક મુકી. મેં વાંચી, ગુગલમાં વધુ સર્ચ કર્યું, જાતને પ્રશ્નો કર્યા કે આ સાચું છે ? સ્વાથ્ય માટે જે દાવો મુદ્રાવિજ્ઞાન કરે છે તે કદાચ સાર્વત્રિક હોય શકે. મારે મારી જાતને એના અભ્યાસમાં મુકવી જોઈએ. જો મને લાભ થાય તો તે મારા માટે સત્ય.

જ્યારે ‘અમલ’માં મુકવાની વાત આવે ત્યારે બે બાબતો સામે આવે –

મને આ જ્ઞાનમાં (મુદ્રાવિજ્ઞાનમાં) શ્રદ્ધા છે ? અને…

મારામાં જ્ઞાનને અમલમાં મુકવામાં રહેલ જોખમ (Risk taking) ઉઠાવવાની તૈયારી છે ?

જો બંને પ્રશ્નોના હકારાત્મક જવાબ હોય તો ‘અમલ’ શક્ય બને.

અગાઊ લખાયેલું શ્રી ગોએન્કાજીનું એક વાક્ય યાદ આવે છે –

જ્ઞાન ચક્ષુ છે અને શ્રદ્ધા ચરણ છે.

એને આગળ ધપાવીએ – શ્રદ્ધાના ચરણે ચાલીને ‘સત્ય’ પ્રાપ્ત કરો.

પ્રેમ સંદેશ –

પ્રભુ આપણા સૌ પર તેની કરુણા અને પ્રેમ સદા વરસાવતો રહે એવી પ્રર્થના…

આવી સદાની પ્રાર્થના વેલેન્ટાઈન દિને પણ.

પણ …. પણ…

ગુલાબનો પુષ્પગુચ્છ રુપિયા બસો !

સાંભળીને પ્રભુના કરુણાના પાત્રો જાણે બદલાય ગયા.

ફુટપાથ પર રહેતા કુટુંબનો એક દિવસનો ખર્ચ, પેટભરીને ખાવાનું મળ્યાનો સંતોષ – ફક્ત પ્રેમ(?)ના પ્રદર્શન માટે વપરાય. દિલમાં ચચરે એ સ્વભાવિક છે.

આ વેલેન્ટાઈનના મુળ ક્યાં હશે ? પ્રેમનું પ્રદર્શન કરતા, દેખાદેખી કરતા યુવાનોએ આ જાણાવાનો પ્રયત્ન કર્યો હશે ? એમ સ્વભાવીક પ્રશ્ન થાય. વેલેન્ટાઈનના મુળ માટેના જવાબો પણ આશ્ચર્યજનક મળે છે –

કેથોલીક ચર્ચવાળા માને છે ઓછામાં ઓછા ત્રણ વેલેન્ટીન નામના શહીદો મળે છે જેઓની યાદમાં આ દિવસ ઉજવાય છે. એક દંતકથા તો તેને રોમનકાળ સાથે સાંકળે છે. ક્લોડીયસ નામના રોમન શહેનશાહનું માનવું એવું હ્તું કે જો કુટુંબ ન હોય તો સારા સિપાહી બને (કુંટુંબ તરફની લાગણી તેમને નબળા બનાવે) આથી તેણે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકી દીધો. વેલેન્ટાઈન નામના એક પાદરીએ તેનું ઉલ્લંઘન કરી ખાનગીમાં એક લગ્ન કરાવ્યા, આથી શહેનશાહે તેનો શિરછેચ્દ કરાવ્યો, તેની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે. એક કથામાં કહેવાયું છે કે વેલેન્ટાઈને ક્રીશ્ચીયન કેદીઓને રોમન જેલમાંથી ભાગવામાં મદદ કરી તેથી તેને મારી નાખવામાં આવ્યા. એક કથા તો કેદી વેલેન્ટાઈન અને જેલરની પુત્રીની પ્રેમ કથા રુપે પણ પ્રચલીત છે. વેલેન્ટાઈને પ્રેમીકાને એક ગ્રીટીંગ મોકલ્યું અને તેમાં અંતે લખ્યું હતુ – From your Valetine – બસ ત્યારથી આ દિવસ ઉજવાય છે. એક કથા એવી પણ છે કે એક  Lupercalia નામના રોમન તહેવારને ક્રીશ્ચીયન સ્વરુપ આપવા વેલેન્ટાઈન ડે શરુ થયો. મધ્ય યુગમાં યુરોપમાં વેલેન્ટીન નામના એક સંત પણ થઈ ગયા. એક વૈજ્ઞાનિક કારણ પણ નજરે ચડે છે – યુરોપમાં પક્ષીઓના મેટીંગનો સમય મધ્ય ફેબ્રુઆરીથી શરુ થાય છે.

આ બધી દંતકથાઓમાં, પ્રેમ પ્રદર્શિત કરવાની વાતનું મહત્વ ક્યાં અને કેટલું આવ્યું ?

cupid-god-2

 

(વેલેન્ટાઈન ડે નું એક પ્રતિક આપણા ‘કામદેવ’ના પ્રતિકને મળતું લાગે છે ને ?)

ભારતીય સંસ્કૃત્તિમાં તો પ્રેમના પ્રદર્શન કરતાં સમર્પણનું મહત્વ વધારે છે. છતાંય આ જ સંસ્કૃતિના કેટલાક જીવંત પાત્રોના પ્રેમના તોફાનો, ટીખળો અને સાહસો પણ જોવા મળે છે.

આપણે એવું ન કરી શકીએ કે આપણો પોતાનો ‘પ્રેમ દિવસ’ નક્કી કરી ઉજવીએ ?

આવો દિવસ નક્કી કરવા કેટલાય પ્રસંગો ઇતિહાસમાં હાજર છે.

પ્રેમના પ્રતિક એવા શ્રી કૃષ્ણને ભગવાન બનાવી તેના પ્રેમના પ્રદર્શનોને ‘ભક્તિ’માં ફેરવી નાખ્યા. મીરાં જેવી પ્રેમમાં પાગલ નારીને, તેણીના પાગલપનને કૃષ્ણભક્તિમાં વ્યક્ત કરી. તેના પ્રેમગીતોને ભક્તિગીતોના નામ આપી દીધા. એ જ કૃષ્ણ જેણે નદીઓમાં સ્નાન કરતી ગોપીઓની રોમાંચક છેડછાડ કરી, ‘રુકમણી’નું અપહરણ કરી લગ્ન કર્યા, પરાક્રમ કરી ‘સત્યભામા’ મેળવી. આ બધાથી વધારે રોમેન્ટીક, ‘રાધા’ સાથેનો પ્રેમ. કૃષ્ણ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર સુધી મથુરા/વૃંદાવનમાં હતા. આ દરમ્યાન રાધા સાથેનો પ્રેમ અને સુરદાસજી અનુસાર તેણીની સાથે ગાંધર્વ વિવાહ એ બધા પ્રસંગો આપણી સંસ્કૃતીના પ્રેમ પ્રદર્શનના ન કહેવાય ? (આપણા ઇતિહાસકારો તો ‘રાધા’ના અસ્તિત્વ પર પણ સવાલો ઉઠાવે છે.)

શ્રીકૃષ્ણનું ભગવાનપણુ, અવતારપણુ, ભક્તિ, ગીતાજ્ઞાન વગેરે બધું જ ભુલી જઈને, યુવાનો, શ્રીકૃષ્ણના જીવનમાંથી એક આવો જ એક સુંદર દિવસ પસંદ કરી તેને ‘પ્રેમ દિવસ’ (વેલેન્ટાઈન ડે) તરીકે ઉજવે તો કેમ ?

જ્ઞાનપિપાસુઓને ટુંકમાં વાંચવું હોય તો બે લિન્ક નીચે મુજબ –

http://dailyjournalonline.com/news/local/the-origins-of-valentine-s-day/article_35b81352-94b5-11e3-9792-0019bb2963f4.html

http://ancienthistory.about.com/od/socialcustomsdailylife/a/010908Lupercal.htm

કૃતજ્ઞતા

Denali National Park in autumn, Alaska, USA, North America

સુરસાધના પર TED નો Gratefulness નો વીડીયો જોયો અને Gratefulness ને સાથે Happiness ને સાંકળવાનો પ્રયત્ન જોયો ત્યારથી મગજ આ કૃતજ્ઞતાને સમજવા મથામણ કરવા લાગ્યું. કારણ કે વીડીયોમાં થોડી ગુંચવણ લાગી. વીડીયોમાં કહ્યું છે કે આપણા માટે જે કિંમતી હોય અને તે ભેટસોગાદરુપે મળે ત્યારે આપણને આનંદ થાય છે. જરુર આનંદ થાય છે, પણ એમાં આપણી અહેસાનમંદી ક્યાં આવી ? આજે તો મફતમાં મળતી દરેક વસ્તુથી લોકોને આનંદ થાય છે. માર્કેટીગવાળા આ ‘મફત’થી મળતા આનંદનો લાભ ‘Get Free’ કહીને ઉઠાવે જ છે. આપણે બગીચામાં ફરવા ગયા હોઈએ અને રજનીગંધા, મોગરો, પારીજાત કે રાતરાણીના છોડ પા્સેથી પસાર થઈએ, મધમધતી સુગંધ આવે અને મન તરબત્તર થઈ જાય, મગજ ફ્રેશ થઈ જાય, આપણે Happiness અનુભવીએ. હવે આમાં અહેસાનમંદી ક્યાં આવી ? આપણે શું ફુલોનો આ સુગંધ માટે આભાર માનીએ છીએ ? કે તેનો કોઈ બદલો વાળીએ છીએ ? (ભગવત ગો મંડલ પર – કૃતજ્ઞતાનો શબ્દાર્થ – ઉપકારનો બદલો ઉપકારથી વાળવો, અહેસાનમંદી, વફાદારી, કરેલા ઉપકારનો ગુણ જાણવો).  વીડીયોમાં આગળ જતાં કેટલીક બાબતો સારી લાગી જેવી કે – દરેક વ્યક્તિને જીવનમાં મળતી પ્રત્યેક ‘ક્ષણ’, જે તેના માટે કિંમતી છે અને ફ્રી ગીફ્ટ તરીકે મળે છે. આથી એવું તારવી શકાય કે મનુષ્ય કુદરતનો આ ‘ગીફ્ટમાં મળતી ક્ષણ’ માટે આભારી છે. એથી પણ આગળ વધીને પ્રત્યેક ક્ષણ તેની સાથે એક ‘તક’ લાવે છે. આ તક એ ‘પ્રત્યેક ક્ષણ’ની ગીફ્ટમાં સમાયેલી એક વધારાની ગીફ્ટ છે. આ તક આપણે ઝડપવાની છે. જો ઝડપી શકીએ તો સારું છે, એ તક આપણને ‘Hapiness’ તરફ લઈ જઈ શકે, ધારો કે ગુમાવી દઈએ તો બીજી ક્ષણ, બીજી તક લઈને આવે જ છે. આ માટે તો કુદરતનો આભાર માનવો જ રહ્યો. વીડીયોમાં ‘Gratefullness’ થવા માટેની ટેકનીક દર્શાવતા કહે છે કે –

Stop

Look and

Go

આ ભાગદોડવાળી  જીંદગીમાં આપણને મળતી ક્ષણ અને તેમાં રહેલી ‘તક’ને જોવા માટે આપણી પાસે રોકાવાનો સમય નથી. પણ રોકાવું જરુરી છે, જો તમે રોકાઈને જે તે ક્ષણમાં રહેલી તકને જુઓ અને તેના પર કામ કરો તો ‘Happiness’ મેળવી શકો. બીજા પગથીયા પર, જે તે ક્ષણને જોવા માટે (Look) તમારી બધી જ્ઞાનેન્દ્રીયોને ખુલી મુકી દો, આથી તમારુ હૃદય ખુલી જશે, આનંદ અનુભવશે. અહીં નાનપણમાં ભણેલી એક કવિતા યાદ આવી ગઈ –

We have no time to stand and stare “(William Henry Davies)

કૃ્તજ્ઞતાને માનસશાસ્ત્રીય રીતે સમજવા ખાખાંખોળા કરતાં તેની સમજણ થોડી વધારે સ્પષ્ટ થઈ.

‘વીકીપેડીયા’ એ કૃતજ્ઞતાની (આભારવશતા, પ્રસંશા) વ્યાખ્યા કરતાં લખ્યું છે કે – વ્યક્તિને જે લાભ મળ્યો છે કે મળવાનો છે એ બદલ તેનામાં પ્રગટતી સ્વીકૃતિની લાગણી (ભાવના) કે અભિગમ દર્શાવ્યો છે. માનસશાસ્ત્રમાં તો રુખીસુખી વ્યાખ્યા આપી છે – કૃતજ્ઞતા, એ, વ્યક્તિને મુલ્યવાન અને મહત્વની વસ્તુ પ્રાપ્ત્ત થતાં, તે આપનારની યોગ્ય કદર કરવાની એક માનસિક સ્થિતી છે. મોટાભાગના પ્રયોગાત્મક સંશોધનો દર્શાવે છે કૃતજ્ઞતા અને સમૃધ્ધિ એકબીજા સાથે સંકળાયેલા છે. કૃતજ્ઞતા એક માનવીનો ગુણ છે અને એક માનસિક સ્થિતી પણ છે. આ ગુણ માનવીમાં જાગૃત પણ કરી શકાય છે. જો તમને પ્રાપ્ત થતી વસ્તુઓ – જેના માટે તમે ખર્ચ કર્યો નથી, તમારા મા્ટે મુલ્યવાન પણ છે, તેને તમે સતત યાદ કરો અને આપનાર પ્રત્યેની અભારવશતા સ્વીકારતા રહો તો આપોઆપ તમે કૃતજ્ઞતાની સ્થિતીમાં રહેતા થઈ જાઓ અને સુખ અનુભવો. જેમકે TED વીડીયોમાં કહ્યું તેમ તમને જે ક્ષણ આપવામાં આવે તેના માટે તમે કુદરતનો સતત આભાર માનતા રહો તો કૃતજ્ઞ બની જાઓ.

પાંડુરંગ શાસ્ત્રીએ ત્રિકાળ સંધ્યાનો વિચાર આપી આ જ પ્રયોગ કર્યો છે. સવારે ઇશ્વર/પ્રકૃતિ તમને ‘સ્મૃતિદાન’ આપે છે. (આ એક વિલક્ષણ ઘટના છે. માનવી ઉઠે ત્યારે સૌ પ્રથમ તેને ‘સ્મૃતિ’ મળે છે અને પછી ‘વિચાર’ આવે છે, જ્યારે દૈનિક જીવનમાં પ્રથમ ‘વિચાર’ આવે છે પછી ‘જાગૃતિ’ આવે છે.) ત્રિકાલ સંધ્યાના સવારના શ્લોકોમાં ઇશ્વર, પૃથ્વી, માતપિતા સર્વને યાદ કરી તેમના પ્રતિ આભાર અને ક્ષમાનો ભાવ વ્યક્ત કરવાનો છે. બપોરના જમતી વખતે ઇશ્વર તમારા ખોરાકને પચાવી ‘શક્તિદાન’ કરે છે એવી ભાવના વ્યક્ત થાય છે. જ્યારે રાત્રે સુતી વખતે દિવસભરની થકાન પછી સુખભરી નિંદ્રા પ્રાપ્ત થાય એ પ્રકારે ‘શંતિદાન’ કરવા પ્રભુનો આભાર માનવાનો છે. આમ દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર પ્રભુ પ્રત્યે આપણે આપણી અભારવશતા-અહેશાનમંદીનો સ્વીકાર કરીએ.

મુસલમાનભાઈઓ દિવસમાં પાંચ વખત નમાજ પઢીને અલ્લા પ્રતિ આભાર વ્યક્ત કરે.

આમ આપણા મનમાં ‘આભારવશતા’ સતત રહે તો આપણે happiness અનુભવીએ.

કેવી રીતે ?

જેમ કુવામાં હોય તો અવેડામાં આવે તેમ જો તમારામાં અભારવશતા ભારોભાર ભરેલી હોય તો તમે બીજાને આભારી કરી શકો. સાદું ઉદાહરણ – બસમાં મુસાફરી કરતી વખતે, તમે અગાઊ કરેલી મુસાફરી દરમ્યાન મેળવેલી સગવડો પ્રતિ આભારી હો તો, અન્ય જરુરીયાતમંદને ઉભા થઈને સીટ આપો, સામેવાળો સીટ મેળવી ખુશ થાય અને તમે ‘joy of giving’ થી ‘hapiness’ અનુભવો.

કૃતજ્ઞતા એ ભાવનાત્મક સ્થિતી છે આથી એને બુદ્ધિથી તોળી નહી શકાય. હવે બુદ્ધિ એ માનવીને શક્તિ પુરી પાડે છે. જો સુયોગ્ય શક્તિ પ્રાપ્ત થાય તો માનવી એક હકારાત્મક જીવન તરફ પ્રગતિ કરી શકે. હવે બુદ્ધિ બદલી શકીએ તો માનવીને સુખ-સમૃધ્ધિ તરફ ગતિ કરાવી શકાય. બુદ્ધિ વિચારોથી બદલાય છે. જો મનમાં કૃતજ્ઞતાના ભાવનાત્મક વિચારો સતત ચાલતા રહે તો તેની અસર બુદ્ધિ પર ચોક્કસ થાય અને બુદ્ધિ બદલાય તો માનવીનો દ્રષ્ટિકોણ બદલાય અને દ્રષ્ટિકોણ બદલાય તો જીવન બદલાય.

આમ માનવીના મનમાં કૃતજ્ઞતાના ભાવનાત્મક વિચારો સતત ચાલતા રહે તો ‘Happiness’ મેળવવું અઘરું નથી.

આ વિચારો માટે કોઈ ખાસ કાર્ય કરવાનું નથી, ફક્ત નાની નાની વાતમાં તમે લોકોનો આભાર સ્વીકારતા રહો અને તેનો પ્રતિભાવ આપતા રહો. એક ઉદાહરણ આપું તો મારી લંડનની મુલાકાત દરમ્યાન જમાઈ સાથે કારમાં સફર કરતા થયેલ અનુભવ – મેઇન રોડ પર જતાં હોઈએ અને ગલીમાંથી આવતું વાહન જો ઉભા રહીને પહેલા જવા માટે માર્ગ આપે ત્યારે મારા જમાઈ પાછળની બેકલાઈટ ફ્લેશ કરતા. એવી રીતે કોઈ બાજુમાં ખસી જઈને આગળ જવા માર્ગ આપે ત્યારે પણ ફ્લેશ કરતા. મારા કુતુહલના જવાબમાં મને સમજાવવામાં આવેલું કે એ તો મેં જ્ગ્યા આપવા માટે આભાર માનેલો. આવી નાની વાતમાં જો આપણે ઋણ સ્વીકાર કરતા રહીએ તો જરુરથી આપણે કૃતજ્ઞ બનીએ અને જીવનમાં આનંદ મેળવીએ.