આસ્થા –

હમણાં શ્રી ગોવિંદભાઈના બ્લોગ અભિવ્યક્તિ પર – આસ્તિકતાનું પ્રત્યારોપણ – વાંચવા મળ્યું અને મને શ્રદ્ધા પર લખેલા લખાણો યાદ આવ્યા.

૧. શ્રદ્ધા – ૧

૨. શ્રદ્ધા – ૨

૩. શ્રદ્ધા – ૩

૪. ધર્મ – વિવેક – વિજ્ઞાન

એમાંના કેટલાક અવતરણો તાજા કર્યા.

શું શ્રધ્ધા એટલે ‘સમર્પણ’ ?

ભગવાનમાં શ્રધ્ધા એટલે ‘ભગવાન કરે તે ખરું’ – મારે કંઈ કરવાનું નહી ? અથવા તો હું જે કંઈ કરુ તેના પરીણામ પર મારો કોઈ કંટ્રોલ નહી ? ગીતામાં પણ કહેવાયું ફળની આશા રાખ્યા વિના કાર્ય કરો. તો મંદીરો જતા લોકો ફળની આશા વગર જાય છે ? બધા જ પોત-પોતાની માગણીઓનું લીસ્ટ ભગવાનને કહીને જ આવે છે. (જો કે ગીતાના શ્લોકને હું જુદી રીતે સમજું છું. ‘ફળાની આશા રાખ્યા વગર કર્મ કર્યે જા’ એમ નહીં, પણ – કર્મ કરવું એ મનુષ્યના અધિકાર ક્ષેત્રની વાત છે, મનુષ્યની ઇચ્છા હાથપગ ચલાવવાની થાય તો કર્મ થાય. તેની ઇચ્છા ન થાય તો કર્મ થાય નહીં. મનુષ્યના કર્મ કર્યા પછી જે પરિણામ આવે તે તેના અધિકાર ક્ષેત્રની બહારનું છે. કારણ કે તેણે કર્મ કર્યું પણ પ્રકૃતિ/પરિસ્થિતિ એ કર્મની ફેવરમાં છે કે કેમ ? એ મનુષ્ય નક્કી કરી ન શકે, તે પ્રકૃતિના અધિકારની વાત છે.. વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્ક લાવવા ખુબ વાંચે, પણ જવાબ માટે પ્રશ્નો નક્કી ન કરી શકે, તે પેપરસેટરના હાથની વાત છે. વિદ્યાર્થીએ તૈયાર કરેલા પ્રશ્નો ન પણ પુછાય અને પરિણામ સારું ન પણ આવે.

શું શ્રધ્ધા એટલે નાનપણથી ઠોકી બેસાડેલી ‘માન્યતા’

હમણા એક સાત વર્ષના બાળક્ને એના પપ્પાએ શંકરની પુજા કરવા બે કલાક બેસાડ્યો. પાછળથી મેં બાળકને પૂછ્યું ‘ તેં પૂજા શા માટે કરી ?’ જવાબ હતો ‘ પૂજા કરીએ તો ભગવાનના આશીર્વાદ મળે અને આપણે માગીએ તે મળે’. આ બાળક મોટું થઈને આ જ માન્યતા સાથે જીવે અને જીવનની પોતાની જરુરીયાતો માટે ભગવાન તરફ પહેલી નજર દોડાવે.

આ જ મુદ્દા પર અભિવ્યક્તિમાં લખાયેલું છે –

બાળકના ઉછેર દરમીયાન સર્વ ધર્મસમભાવનાના પાઠ ભણાવવાને બદલે અપવાદોને બાદ કરતાં મોટા ભાગે પોતાનો ધર્મ જ સૌથી શ્રેષ્ઠ હોવા અંગેનું અફીણ પીવડાવવામાં આવે છે.

બાળકોને ધર્મ સમજાવવામાં નથી આવતો; પણ ઠોકી બેસાડવામાં આવે છે.

મુળભુત રીતે ધર્મની સ્થાપના પાછળનો મુળભુત હેતુ દુનીયાની સમગ્ર પ્રજા વચ્ચે ભાઈચારો, સમ્પ, સહકાર, સદાચાર તથા પ્રેમની લાગણી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના જગાવવાનો છે; પરન્તુ ધર્મની સ્થાપનાના માધ્યમથી આ હેતુ સીદ્ધ થયો હોય તેમ જણાતું નથી.

શું શ્રધ્ધા એટલે પ્રભુ પ્રતિ ‘વિવેક’ ની અભિવ્યક્તિ ?

શું શ્રદ્ધા એટલે માનવીના અવ્યક્ત ‘ડર’ (મારું શું થશે ?) નું પરીણામ ?

મારું તારણ કંઈક આવું છે –

શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ વગેરે ‘અનુભુતિ’ની વાત છે. તેનું વર્ણન ન કરી શકાય, અનુભવવું પડે.

છતાં થોડા અંશે સમજવાનો પ્રયત્ન કરીએ –

આપણી શારિરીક જરુરીયાતોની જેમ જ આપણી માનસિક જરુરીયાતો પણ હોય. પ્રેમ પામવાની, પ્રેમ આપવાની, લાગણીની અભિવ્યક્તિની, સંબંધો જોડવાની/જાળવવાની/તોડવાની, ઓળખ પ્રસ્થાપિત કરવાની, જગતની જાત જાતની હરીફાઈઓમાં પ્રથમ રહેવાની વગેરે. મોટામાં મોટી જરુરીયાત તો માનસિક તણાવમાંથી મુક્તિની છે. તણાવ ઉત્પન્ન થાય છે આપણી ઇચ્છાઓ/અપેક્ષાઓની અપૂર્તિ, ડર, ઓળખનું ખંડીત થવું, લાગણીઓ પરના ઘા વગેરેથી. શારીરિક જરુરીયાતો તો પ્રેરણાના ધક્કાથી સંતોષાય શકે. પ્રેરણાનો ધક્કો લાગે આપણે કાર્ય કરીએ અને જરુરીયાત સંતોષાય. પણ માનસિક જરુરીયાતો સંતોષવા એક વિશિષ્ટ ધક્કાની જરુરીયાત ઉભી થાય અને એ ધક્કો એટલે આપણી ‘શ્રધ્ધા’. આપણે ડરમાંથી મુક્તિ માટે કોઈ શારીરિક કાર્ય કરવાનું નથી, ડરની સામે લડવા મનને મજબુત બનાવવા અન્ય આલંબન લેવાનું છે. હવે આ આલંબન ભગવાનનું હોય શકે, કોઈ માનવીનું હોય શકે, અરે કોઈ વિચારનું પણ હોય શકે (જેમ ભૂતનો ડર ભગાવવા હનુમાનચાલીસાનો પાઠ). આસ્તિક મનુષ્ય મુશ્કેલીઓમાં ઘેરાઈ જાય ત્યારે તેને ‘શ્રધ્ધા’ ભગવાનના શરણે પહોંચાડે. નાસ્તિક મનુષ્ય વિવિધ ‘ગુરુ’ઓના શરણે પહોંચે. (આમાં મેનેજમેન્ટ ગુરુઓ પણ આવી જાય)

આમ શ્રધ્ધા એટલે આપણી એવી માનસિક જરુરીયાતો, કે જે શારીરિક કાર્યોથી સંતોષાય શકે તેમ નથી, તેને સંતોષવા લાગતો વિશિષ્ટ પ્રકારની ‘પ્રેરણાનો ધક્કો’.

જીવનમાં આગળ વધવા માટે જ્ઞાન અને શ્રદ્ધા બંનેની જરુર છે. શ્રી ગોએન્કાજી કહે છે તેમ પ્રજ્ઞા એ ચક્ષુ છે અને શ્રદ્ધા એ ચરણ છે. જ્ઞાન હોય, પણા વ્યક્તિને પોતાનામાં શ્રદ્ધા ન હોય, આ કાર્ય કરી શકીશ કે નહીં ? એવી અવઢવમાં રહેતો હોય તો આગળ ન વધી શકે અને ફક્ત કરી શકીશ એવી શ્રદ્ધા હોય અને જ્ઞાન હોય તો કોઈક જુદા રસ્તે જ ફંટાય જાય. જ્ઞાન વગરની શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા’ કહી શકાય.

તમને વાંચવું ગમ્યું હશે તેવી ‘શ્રધ્ધા’ સાથે –

3 comments on “આસ્થા –

  1. સુરેશ કહે છે:

    શ્રદ્ધાનો હો વિષય તો પૂરાવાની શી જરૂર?
    કુરાનમાં તો ક્યાંયે પેગંબરની સહી નથી .
    – જલન માતરી
    ———–
    શ્ર્દ્ધા રાખો કે ના રાખો. આ મહામૂલું જીવન મળ્યું છે – એ માણો ને. મડદાંને કોઈ શ્રદ્ધા/ અશ્રદ્ધા હોતી નથી !

    Liked by 1 person

  2. Vinod Patel કહે છે:

    શ્રદ્ધા વિષેનું મારું એક વિચાર મુક્તક …

    શ્રધ્ધા !

    કોઈ કાર્ય, કોઈ પ્રશ્ન ,એવો કઠિન નથી જીવનમાં,

    જેને હું ને મારો પ્રભુ ભેગા મળી,ઉકેલી ના શકીએ.

    પ્રભુ કૃપા સાથે મનમાં જો હોય પુરુષાર્થની ભાવના,

    મુશ્કેલ કામ પણ સરળ બની જાય,એમાં નવાઈ ના.

    Liked by 1 person

  3. Sharad Shah કહે છે:

    જ્યારે પ્રેમનુ ફુલ ખિલે અને તેની સુગંધ ઊઠે તે શ્રધ્ધા છે.

    Liked by 1 person

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s