ઘરવાપસી –

જુઓ તમને ‘ધર્માંતરણ’ની યાદ આવી ને ? જો કે મારે બીજી વાત કરવી છે પણ તમારા મગજમાં આવ્યું છે તો પહેલાં તેનો થોડો વિસ્તાર કરી લઈએ.

થોડા સમય પહેલાં સમાચાર પત્રોમાં ધર્માંતરણનો મુદ્દો ખુબ ચગ્યો, રાજકારણીઓ અને મીડીયાએ કાગારોળ મચાવી, પણ પછી શું થયું ? તેનો કોઈ અતોપતો નથી.

300 dpi SW Parra color illustration of many hands connecting together puzzle pieces, each with a different religious symbol. The Fresno Bee 2009 religious tolerance illustration interfaith diversity symbol symbols puzzle pieces hands working together team global belief god cross om shanti islam judaism; krtfeatures features; krtnational national; krtreligion religion; krtworld world; krt; mctillustration; belief; faith; values value; REL; 12000000; 12002000; 12006000; 2009; krt2009; parra fr contributed coddington mct mct2009 2009

(With thanks from http://penumbramag.com/)

પણ, આ મુદ્દો દરેકે વિચારવા જેવો તો છે જ.

‘ધર્મ એટલે શું ?’ એ વિચારવાનો સમય (?) મળતો નથી. કારણમાં તો યુવાનીમાં કેરીયર અને નિવૃતિમાં સ્વાસ્થ્ય નડતરરુપ છે. ( અને નિવૃતિમાં જે છે તે સ્વીકારી લેવાની વૃતિ અને ‘માથાકુટ’ (?) માં ન પડવાની વૃતિના કારણે ‘ધર્મ’ સમજ્યા સિવાય વિદાયવેળા આવી જાય છે.)

મને માથાકુટ કરવાની ઇચ્છા થઈ અને મેં ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા તેમાંથી જે ગમ્યું અને મારા વિચારો સાથે મેળ ખાતું હોય તે, પણ તમારા વિચારો જાણવા અહીં મુક્યું.

ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, (ક્યાંક વાંચેલું)

ધર્મ એટલે અંતરની શાંતિ,

ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,

ધર્મ એટલે જીવનનું ચાલક બળ,

ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,

ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,

ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,

ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,

ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને

ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,

એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.

વીકીપેડીયા મુજબ – ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

“જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

શરુઆતમાં વર્ણાવેલા ‘ધર્મ એટલે ….’ ના સર્વ મુદ્દાઓને ગણત્રીમાં લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે ધર્મ એ જીવન જીવવાની શૈલી છે.

ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં ચંદ્રીકાબેનનો સરસ આર્ટીકલ વાંચવા મળ્યો –

પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે. તેના આ ધર્મની બાદબાકી થઇ જાય, તો તે વસ્તુનું વસ્તુત્વ જ નષ્ટ થઇ જાય. આપણે એ જાણીએ છીએ, કે અગ્નિનાં બે ધર્મ છે–દાહકત્વ અને પ્રકાશકત્વ. અગ્નિમાંથી આ મૂળભૂત ધર્મની ઉપેક્ષા કરીએ તો અગ્નિ રહે જ નહી. તે માત્ર લાકડું કે કોલસો જ હોય. આ મૂળભૂત ધર્મ, બહારથી આવતો નથી, પણ જે તે વસ્તુમાં ઓતપ્રોત હોય છે; તેને સહજ કે સ્વાભાવિક ધર્મ કહેવાય. તે દૂર કરી જ ન શકાય.

એક રીતે, ધર્મ તો આપણા અસ્તિત્વનો આધાર કે નિયમ, જે કોન્ફયૂશિસે કહ્યું છે કે, ‘આપણે જેને આપણા અસ્તિત્વને નિયમ માનીએ છીએ, તે જ ઇશ્વરીય કાનૂન છે. આને જ નૈતિક કાનૂન કહે છે. આ નૈતિક કાનૂન જયારે પ્રથામાં ઢળે છે, ત્યારે તે ‘ધર્મ’ બને છે.”

ગાંધીજીના ‘હિન્દુ ધર્મનું હાર્દ’ એ પુસ્તકના સંપાદક અને ચિંતક શ્રી વિશ્વાસ ખેર, તેના સંપાદકીયમાં નોંધે છે કે, ‘ધર્મ તરીકે ઓળખાતા નૈતિક કાનૂનમાંથી, આપણે જીવનભર, એકેય વાર, છટકી શકતા નથી. જેમાંથી છટકી જવાય, તે નૈતિક કાનૂન હોઇ ન શકે. આ કારણે જ નિતીમાન કે ધાર્મિક વ્યક્તિ પોતાના વિચાર અને આચાર પર સતત નજર રાખે છે. તે જાણે છે કે, જીવનમાં, અન્ય સર્વ છોડી શકાય પણ ધર્મ-ચ્યુતિ ન કરાય, ધર્મથી વિમુખ ન જ થવાય. આ ધર્મ જ જીવનનો આધાર છે. જે આપણને ધારણ કરે કે ટકાવે, તે ધર્મ. મનુષ્યને ‘મનુષ્ય’ તરીકેની ઓળખ આપે અને તે સ્વરૂપે તેને સ્થિરતા આપે તે છે ધર્મ.

‘આપણી બે અલ્પતાઓ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી –

માનવીનું જીવન પ્રકૃતિના આધારે છે. દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે આથી એના નૈતિકતાના નિયમો પણ અલગ અલગ હોય એટલે ધર્મો પણ અલગ અલગ અસ્તિત્વમાં આવે ને !

નૈતિક સિધ્ધાંતો/નિયમોની સમજણ આપતા સ્વામી વિવેકાનંદના વિચારો

શ્રી અતુલ જાનીના બ્લોગ પર વાંચ્યા –

સ્વામીજીએ ‘વેદ’ નો પરિચય આપતા કહ્યું “’વેદ’ એટલે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભુલી જશે તો પણ અસ્તિત્વમાં રહેવાનો છે તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિષે સમજવાનું છે.”

આમ આપણું અસ્તિત્વ જ ‘ધર્મ’ છે.

હિંદુધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે – ધાર્મિક વિધીઓ અને આધ્યાત્મ તત્વ. આધ્યાત્મ તત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા. આજે વહેવારિક જગતમાં ‘ધાર્મિક વિધીઓ’ ને ધર્મનું નામ આપી દીધું છે. એમાં જેને રસ નથી તે ‘નાસ્તિક’. પણ નાસ્તિક એ ‘ધાર્મિક નથી’ એમ કહી શકાય નહી.

ધાર્મિક વિધીવિધાનોના મુળમાં વીકીપેડીયાની ‘હિદુ ધર્મ’ની લિન્ક વાંચવા મળી –

ગુજરાતી વીકીપેડીયામાં હિંદુધર્મની ચર્ચામાં લખે છે –

“રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.”

આનો સ્પષ્ટ અર્થ એ થાય કે ‘ભક્તિમાર્ગ’ની શરુઆતથી મુળ ધર્મથી ફંટાઈને ક્રિયાકાંડ અને ધાર્મિક વિધીવિધાનોની શરુઆત થઈ. એમાંથી આજના ‘સંત-મહાત્માઓ’ અસ્તિત્વમાં આવ્યા, અને ધર્મ એ ‘ધંધો’ બની ગયો.

જ્યારે પણ કોઈ ક્રિયા ‘ritual’ બની જાય ત્યારે તેનું મુળ તત્વ વીસરી જવાય છે. તમે ઘણી વખત જોયું હશે, બાઈક પર સ્પીડમાં જતો યુવાન કોઈ મંદીર પાસેથી પસાર થાય ત્યારે ક્યાં તો હોર્ન મારે, ક્યાં તો માથે અને છાતીએ હાથ લગાડી માથુ નમાવે. આમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું પ્રદર્શન લાગે, પણ ખરેખર તો એ ફક્ત ‘ritual’ થી વધુ કશું નથી હોતું. તેના મનમાં કુટીલ વિચારોનું ચક્ર ચાલુ જ હોય.

આવું આપણી ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું છે. મંદીરે જવાનું બુઢ્ઢા થયા પછી જ હોય, યુવાનીમાં ભગવાનની કોઈ જરુર નથી, જે છે તે આપણે જ છીએ. ‘હું કરું’ એ સિવાય કશું નથી. આમ આપણે જીવનશૈલી અને ધર્મને અલગ કરી દીધા છે.

પાતંજલીના યોગસુત્રોમાં જીવનશૈલીની સુપેરે સમજ આપેલી જ છે. યોગના પ્રથમ બે ચરણો – યમ. નિયમ – એ જીવનશૈલીનું માર્ગદર્શન જ છે. પાંચ ‘યમ’ – સત્ય, અહીંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – જે વ્યક્તિએ પોતે સમાજના સંદર્ભમાં પાળવાના નૈતિક નિયમો છે. જ્યારે ‘નિયમ’ – શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજન – એ વ્યક્તિએ ‘સ્વ’ માટે પાળવાના નૈતિક નિયમો છે. આમ ‘યમ, નિયમ’ જીવનશૈલી ઘડવાનો આધાર છે.

………. અને ગાંધીજીના અગીયાર વ્રતો કેમ ભુલાય –

સત્ય , અહિંસા , ચોરી ના કરવી , વણજોતું ના સંઘરવું….
બ્રહ્મચર્ય ને જાતે મહેનત , કોઈ અડે ના અભડાવું…..
અભય, સ્વદેશી, સ્વાદ જ તજવો , સર્વ ધર્મ સરખા ગણવા….
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા……

આ બધી ભેજાફોડીનું તારણ કાઢવું હોય તો –

પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિના આધારે જીવન જીવવા માટેના નૈતિક નિયમો નક્કી કરી ‘સ્વધર્મ’નું નિર્માણ કરવું અને હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે બાબતો ભુલી જઈ ‘સ્વધર્મ’નું પાલન કરવું.

અંતે….

સમીર દરજીના બ્લોગ પરથી કેટલાક સામાજીક પાપોની વાત –

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ 

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ 

(૭) ત્યાગવિહીન પૂજા

ધર્મને સમજવાની મથામણમાં મારે ‘ઘરવાપસી’ની વાત કહેવાની રહી ગઈ (છેલ્લા ત્રણ-ચાર મહીના બ્લોગ પરની હાજરીની અનિયમિતતાનું કારણ) – આ ઘરવાપસી એટલે સુરતથી ગાંધીનગર પરત થયો, જ્યાં મેં સંસારની શરુઆત કરી અને જીંદગીના સ્ટ્રગલ અને સુખના ચાલીસ વર્ષો વિતાવ્યા હતા.

હવે …. સુખે ભજશુ  શ્રીગોપાળ……

પ્રેમ સંદેશ –

પ્રભુ આપણા સૌ પર તેની કરુણા અને પ્રેમ સદા વરસાવતો રહે એવી પ્રર્થના…

આવી સદાની પ્રાર્થના વેલેન્ટાઈન દિને પણ.

પણ …. પણ…

ગુલાબનો પુષ્પગુચ્છ રુપિયા બસો !

સાંભળીને પ્રભુના કરુણાના પાત્રો જાણે બદલાય ગયા.

ફુટપાથ પર રહેતા કુટુંબનો એક દિવસનો ખર્ચ, પેટભરીને ખાવાનું મળ્યાનો સંતોષ – ફક્ત પ્રેમ(?)ના પ્રદર્શન માટે વપરાય. દિલમાં ચચરે એ સ્વભાવિક છે.

આ વેલેન્ટાઈનના મુળ ક્યાં હશે ? પ્રેમનું પ્રદર્શન કરતા, દેખાદેખી કરતા યુવાનોએ આ જાણાવાનો પ્રયત્ન કર્યો હશે ? એમ સ્વભાવીક પ્રશ્ન થાય. વેલેન્ટાઈનના મુળ માટેના જવાબો પણ આશ્ચર્યજનક મળે છે –

કેથોલીક ચર્ચવાળા માને છે ઓછામાં ઓછા ત્રણ વેલેન્ટીન નામના શહીદો મળે છે જેઓની યાદમાં આ દિવસ ઉજવાય છે. એક દંતકથા તો તેને રોમનકાળ સાથે સાંકળે છે. ક્લોડીયસ નામના રોમન શહેનશાહનું માનવું એવું હ્તું કે જો કુટુંબ ન હોય તો સારા સિપાહી બને (કુંટુંબ તરફની લાગણી તેમને નબળા બનાવે) આથી તેણે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકી દીધો. વેલેન્ટાઈન નામના એક પાદરીએ તેનું ઉલ્લંઘન કરી ખાનગીમાં એક લગ્ન કરાવ્યા, આથી શહેનશાહે તેનો શિરછેચ્દ કરાવ્યો, તેની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે. એક કથામાં કહેવાયું છે કે વેલેન્ટાઈને ક્રીશ્ચીયન કેદીઓને રોમન જેલમાંથી ભાગવામાં મદદ કરી તેથી તેને મારી નાખવામાં આવ્યા. એક કથા તો કેદી વેલેન્ટાઈન અને જેલરની પુત્રીની પ્રેમ કથા રુપે પણ પ્રચલીત છે. વેલેન્ટાઈને પ્રેમીકાને એક ગ્રીટીંગ મોકલ્યું અને તેમાં અંતે લખ્યું હતુ – From your Valetine – બસ ત્યારથી આ દિવસ ઉજવાય છે. એક કથા એવી પણ છે કે એક  Lupercalia નામના રોમન તહેવારને ક્રીશ્ચીયન સ્વરુપ આપવા વેલેન્ટાઈન ડે શરુ થયો. મધ્ય યુગમાં યુરોપમાં વેલેન્ટીન નામના એક સંત પણ થઈ ગયા. એક વૈજ્ઞાનિક કારણ પણ નજરે ચડે છે – યુરોપમાં પક્ષીઓના મેટીંગનો સમય મધ્ય ફેબ્રુઆરીથી શરુ થાય છે.

આ બધી દંતકથાઓમાં, પ્રેમ પ્રદર્શિત કરવાની વાતનું મહત્વ ક્યાં અને કેટલું આવ્યું ?

cupid-god-2

 

(વેલેન્ટાઈન ડે નું એક પ્રતિક આપણા ‘કામદેવ’ના પ્રતિકને મળતું લાગે છે ને ?)

ભારતીય સંસ્કૃત્તિમાં તો પ્રેમના પ્રદર્શન કરતાં સમર્પણનું મહત્વ વધારે છે. છતાંય આ જ સંસ્કૃતિના કેટલાક જીવંત પાત્રોના પ્રેમના તોફાનો, ટીખળો અને સાહસો પણ જોવા મળે છે.

આપણે એવું ન કરી શકીએ કે આપણો પોતાનો ‘પ્રેમ દિવસ’ નક્કી કરી ઉજવીએ ?

આવો દિવસ નક્કી કરવા કેટલાય પ્રસંગો ઇતિહાસમાં હાજર છે.

પ્રેમના પ્રતિક એવા શ્રી કૃષ્ણને ભગવાન બનાવી તેના પ્રેમના પ્રદર્શનોને ‘ભક્તિ’માં ફેરવી નાખ્યા. મીરાં જેવી પ્રેમમાં પાગલ નારીને, તેણીના પાગલપનને કૃષ્ણભક્તિમાં વ્યક્ત કરી. તેના પ્રેમગીતોને ભક્તિગીતોના નામ આપી દીધા. એ જ કૃષ્ણ જેણે નદીઓમાં સ્નાન કરતી ગોપીઓની રોમાંચક છેડછાડ કરી, ‘રુકમણી’નું અપહરણ કરી લગ્ન કર્યા, પરાક્રમ કરી ‘સત્યભામા’ મેળવી. આ બધાથી વધારે રોમેન્ટીક, ‘રાધા’ સાથેનો પ્રેમ. કૃષ્ણ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર સુધી મથુરા/વૃંદાવનમાં હતા. આ દરમ્યાન રાધા સાથેનો પ્રેમ અને સુરદાસજી અનુસાર તેણીની સાથે ગાંધર્વ વિવાહ એ બધા પ્રસંગો આપણી સંસ્કૃતીના પ્રેમ પ્રદર્શનના ન કહેવાય ? (આપણા ઇતિહાસકારો તો ‘રાધા’ના અસ્તિત્વ પર પણ સવાલો ઉઠાવે છે.)

શ્રીકૃષ્ણનું ભગવાનપણુ, અવતારપણુ, ભક્તિ, ગીતાજ્ઞાન વગેરે બધું જ ભુલી જઈને, યુવાનો, શ્રીકૃષ્ણના જીવનમાંથી એક આવો જ એક સુંદર દિવસ પસંદ કરી તેને ‘પ્રેમ દિવસ’ (વેલેન્ટાઈન ડે) તરીકે ઉજવે તો કેમ ?

જ્ઞાનપિપાસુઓને ટુંકમાં વાંચવું હોય તો બે લિન્ક નીચે મુજબ –

http://dailyjournalonline.com/news/local/the-origins-of-valentine-s-day/article_35b81352-94b5-11e3-9792-0019bb2963f4.html

http://ancienthistory.about.com/od/socialcustomsdailylife/a/010908Lupercal.htm

કૃતજ્ઞતા

Denali National Park in autumn, Alaska, USA, North America

સુરસાધના પર TED નો Gratefulness નો વીડીયો જોયો અને Gratefulness ને સાથે Happiness ને સાંકળવાનો પ્રયત્ન જોયો ત્યારથી મગજ આ કૃતજ્ઞતાને સમજવા મથામણ કરવા લાગ્યું. કારણ કે વીડીયોમાં થોડી ગુંચવણ લાગી. વીડીયોમાં કહ્યું છે કે આપણા માટે જે કિંમતી હોય અને તે ભેટસોગાદરુપે મળે ત્યારે આપણને આનંદ થાય છે. જરુર આનંદ થાય છે, પણ એમાં આપણી અહેસાનમંદી ક્યાં આવી ? આજે તો મફતમાં મળતી દરેક વસ્તુથી લોકોને આનંદ થાય છે. માર્કેટીગવાળા આ ‘મફત’થી મળતા આનંદનો લાભ ‘Get Free’ કહીને ઉઠાવે જ છે. આપણે બગીચામાં ફરવા ગયા હોઈએ અને રજનીગંધા, મોગરો, પારીજાત કે રાતરાણીના છોડ પા્સેથી પસાર થઈએ, મધમધતી સુગંધ આવે અને મન તરબત્તર થઈ જાય, મગજ ફ્રેશ થઈ જાય, આપણે Happiness અનુભવીએ. હવે આમાં અહેસાનમંદી ક્યાં આવી ? આપણે શું ફુલોનો આ સુગંધ માટે આભાર માનીએ છીએ ? કે તેનો કોઈ બદલો વાળીએ છીએ ? (ભગવત ગો મંડલ પર – કૃતજ્ઞતાનો શબ્દાર્થ – ઉપકારનો બદલો ઉપકારથી વાળવો, અહેસાનમંદી, વફાદારી, કરેલા ઉપકારનો ગુણ જાણવો).  વીડીયોમાં આગળ જતાં કેટલીક બાબતો સારી લાગી જેવી કે – દરેક વ્યક્તિને જીવનમાં મળતી પ્રત્યેક ‘ક્ષણ’, જે તેના માટે કિંમતી છે અને ફ્રી ગીફ્ટ તરીકે મળે છે. આથી એવું તારવી શકાય કે મનુષ્ય કુદરતનો આ ‘ગીફ્ટમાં મળતી ક્ષણ’ માટે આભારી છે. એથી પણ આગળ વધીને પ્રત્યેક ક્ષણ તેની સાથે એક ‘તક’ લાવે છે. આ તક એ ‘પ્રત્યેક ક્ષણ’ની ગીફ્ટમાં સમાયેલી એક વધારાની ગીફ્ટ છે. આ તક આપણે ઝડપવાની છે. જો ઝડપી શકીએ તો સારું છે, એ તક આપણને ‘Hapiness’ તરફ લઈ જઈ શકે, ધારો કે ગુમાવી દઈએ તો બીજી ક્ષણ, બીજી તક લઈને આવે જ છે. આ માટે તો કુદરતનો આભાર માનવો જ રહ્યો. વીડીયોમાં ‘Gratefullness’ થવા માટેની ટેકનીક દર્શાવતા કહે છે કે –

Stop

Look and

Go

આ ભાગદોડવાળી  જીંદગીમાં આપણને મળતી ક્ષણ અને તેમાં રહેલી ‘તક’ને જોવા માટે આપણી પાસે રોકાવાનો સમય નથી. પણ રોકાવું જરુરી છે, જો તમે રોકાઈને જે તે ક્ષણમાં રહેલી તકને જુઓ અને તેના પર કામ કરો તો ‘Happiness’ મેળવી શકો. બીજા પગથીયા પર, જે તે ક્ષણને જોવા માટે (Look) તમારી બધી જ્ઞાનેન્દ્રીયોને ખુલી મુકી દો, આથી તમારુ હૃદય ખુલી જશે, આનંદ અનુભવશે. અહીં નાનપણમાં ભણેલી એક કવિતા યાદ આવી ગઈ –

We have no time to stand and stare “(William Henry Davies)

કૃ્તજ્ઞતાને માનસશાસ્ત્રીય રીતે સમજવા ખાખાંખોળા કરતાં તેની સમજણ થોડી વધારે સ્પષ્ટ થઈ.

‘વીકીપેડીયા’ એ કૃતજ્ઞતાની (આભારવશતા, પ્રસંશા) વ્યાખ્યા કરતાં લખ્યું છે કે – વ્યક્તિને જે લાભ મળ્યો છે કે મળવાનો છે એ બદલ તેનામાં પ્રગટતી સ્વીકૃતિની લાગણી (ભાવના) કે અભિગમ દર્શાવ્યો છે. માનસશાસ્ત્રમાં તો રુખીસુખી વ્યાખ્યા આપી છે – કૃતજ્ઞતા, એ, વ્યક્તિને મુલ્યવાન અને મહત્વની વસ્તુ પ્રાપ્ત્ત થતાં, તે આપનારની યોગ્ય કદર કરવાની એક માનસિક સ્થિતી છે. મોટાભાગના પ્રયોગાત્મક સંશોધનો દર્શાવે છે કૃતજ્ઞતા અને સમૃધ્ધિ એકબીજા સાથે સંકળાયેલા છે. કૃતજ્ઞતા એક માનવીનો ગુણ છે અને એક માનસિક સ્થિતી પણ છે. આ ગુણ માનવીમાં જાગૃત પણ કરી શકાય છે. જો તમને પ્રાપ્ત થતી વસ્તુઓ – જેના માટે તમે ખર્ચ કર્યો નથી, તમારા મા્ટે મુલ્યવાન પણ છે, તેને તમે સતત યાદ કરો અને આપનાર પ્રત્યેની અભારવશતા સ્વીકારતા રહો તો આપોઆપ તમે કૃતજ્ઞતાની સ્થિતીમાં રહેતા થઈ જાઓ અને સુખ અનુભવો. જેમકે TED વીડીયોમાં કહ્યું તેમ તમને જે ક્ષણ આપવામાં આવે તેના માટે તમે કુદરતનો સતત આભાર માનતા રહો તો કૃતજ્ઞ બની જાઓ.

પાંડુરંગ શાસ્ત્રીએ ત્રિકાળ સંધ્યાનો વિચાર આપી આ જ પ્રયોગ કર્યો છે. સવારે ઇશ્વર/પ્રકૃતિ તમને ‘સ્મૃતિદાન’ આપે છે. (આ એક વિલક્ષણ ઘટના છે. માનવી ઉઠે ત્યારે સૌ પ્રથમ તેને ‘સ્મૃતિ’ મળે છે અને પછી ‘વિચાર’ આવે છે, જ્યારે દૈનિક જીવનમાં પ્રથમ ‘વિચાર’ આવે છે પછી ‘જાગૃતિ’ આવે છે.) ત્રિકાલ સંધ્યાના સવારના શ્લોકોમાં ઇશ્વર, પૃથ્વી, માતપિતા સર્વને યાદ કરી તેમના પ્રતિ આભાર અને ક્ષમાનો ભાવ વ્યક્ત કરવાનો છે. બપોરના જમતી વખતે ઇશ્વર તમારા ખોરાકને પચાવી ‘શક્તિદાન’ કરે છે એવી ભાવના વ્યક્ત થાય છે. જ્યારે રાત્રે સુતી વખતે દિવસભરની થકાન પછી સુખભરી નિંદ્રા પ્રાપ્ત થાય એ પ્રકારે ‘શંતિદાન’ કરવા પ્રભુનો આભાર માનવાનો છે. આમ દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર પ્રભુ પ્રત્યે આપણે આપણી અભારવશતા-અહેશાનમંદીનો સ્વીકાર કરીએ.

મુસલમાનભાઈઓ દિવસમાં પાંચ વખત નમાજ પઢીને અલ્લા પ્રતિ આભાર વ્યક્ત કરે.

આમ આપણા મનમાં ‘આભારવશતા’ સતત રહે તો આપણે happiness અનુભવીએ.

કેવી રીતે ?

જેમ કુવામાં હોય તો અવેડામાં આવે તેમ જો તમારામાં અભારવશતા ભારોભાર ભરેલી હોય તો તમે બીજાને આભારી કરી શકો. સાદું ઉદાહરણ – બસમાં મુસાફરી કરતી વખતે, તમે અગાઊ કરેલી મુસાફરી દરમ્યાન મેળવેલી સગવડો પ્રતિ આભારી હો તો, અન્ય જરુરીયાતમંદને ઉભા થઈને સીટ આપો, સામેવાળો સીટ મેળવી ખુશ થાય અને તમે ‘joy of giving’ થી ‘hapiness’ અનુભવો.

કૃતજ્ઞતા એ ભાવનાત્મક સ્થિતી છે આથી એને બુદ્ધિથી તોળી નહી શકાય. હવે બુદ્ધિ એ માનવીને શક્તિ પુરી પાડે છે. જો સુયોગ્ય શક્તિ પ્રાપ્ત થાય તો માનવી એક હકારાત્મક જીવન તરફ પ્રગતિ કરી શકે. હવે બુદ્ધિ બદલી શકીએ તો માનવીને સુખ-સમૃધ્ધિ તરફ ગતિ કરાવી શકાય. બુદ્ધિ વિચારોથી બદલાય છે. જો મનમાં કૃતજ્ઞતાના ભાવનાત્મક વિચારો સતત ચાલતા રહે તો તેની અસર બુદ્ધિ પર ચોક્કસ થાય અને બુદ્ધિ બદલાય તો માનવીનો દ્રષ્ટિકોણ બદલાય અને દ્રષ્ટિકોણ બદલાય તો જીવન બદલાય.

આમ માનવીના મનમાં કૃતજ્ઞતાના ભાવનાત્મક વિચારો સતત ચાલતા રહે તો ‘Happiness’ મેળવવું અઘરું નથી.

આ વિચારો માટે કોઈ ખાસ કાર્ય કરવાનું નથી, ફક્ત નાની નાની વાતમાં તમે લોકોનો આભાર સ્વીકારતા રહો અને તેનો પ્રતિભાવ આપતા રહો. એક ઉદાહરણ આપું તો મારી લંડનની મુલાકાત દરમ્યાન જમાઈ સાથે કારમાં સફર કરતા થયેલ અનુભવ – મેઇન રોડ પર જતાં હોઈએ અને ગલીમાંથી આવતું વાહન જો ઉભા રહીને પહેલા જવા માટે માર્ગ આપે ત્યારે મારા જમાઈ પાછળની બેકલાઈટ ફ્લેશ કરતા. એવી રીતે કોઈ બાજુમાં ખસી જઈને આગળ જવા માર્ગ આપે ત્યારે પણ ફ્લેશ કરતા. મારા કુતુહલના જવાબમાં મને સમજાવવામાં આવેલું કે એ તો મેં જ્ગ્યા આપવા માટે આભાર માનેલો. આવી નાની વાતમાં જો આપણે ઋણ સ્વીકાર કરતા રહીએ તો જરુરથી આપણે કૃતજ્ઞ બનીએ અને જીવનમાં આનંદ મેળવીએ.

વિકલ્પ શું ?

આંધ્ર અને ઓરીસ્સામાં ફેલીના વાવાઝોડું….., મંદીરમાં પુલ તુટ્યાની અફવાથી ભાગદોડમાં ૧૩૦થી વધુ મોત…… આસારામના કરતુતોનો પડદો હટી રહ્યો છે….

છેલ્લા દિવસોમાં સમાચારોએ મનને ખાટુંમોળું કરી નાખ્યું છે. એકસાથે કેટકેટલા વિચારો ને તરંગો ઉઠે છે. વિ્જ્ઞાનના વિવાદમાંથી બહાર નીકળાય તે પહેલાં જ વિજ્ઞાન અને ઇશ્વરીય શ્રધ્ધાનો વિવાદ ઉભો થઈ ગયો.

વિજ્ઞાને પર્યાવરણનો નાશ કર્યો તે બુધ્ધિવાદીઓ કે નાસ્તિકો સમજાવી શકે તેમ નથી તો…

શ્રધ્ધાએ માનવીને પામર બનાવી અંધશ્રધ્ધામાં ધકેલી દીધો છે એ આસ્તિકો સમજાવી શકે તેમ નથી.

પર્યાવરણની નુકશાનીના સમાચાર નવા નથી તો આવી ભાગદોડના મૃત્યુના સમાચારો પણ નવીન નથી.

પણ સામાન્ય માનવી માટે વિકલ્પ શું ?

માનસિક શાંતિ માટે માનવી વિજ્ઞાનને સહારે એરકન્ડીશન રુમમાં પુરાઈને આરામથી સૂઈ જાય છે, તો ભગવાનના ચરણે પણ માનસિક શાંતિ માટે જ જાય છે. વિજ્ઞાનના વિવેકપુર્ણ ઉપયોગની વાત સૌ કરે છે પણ કોઈ માર્ગ સ્પષ્ટ થતો નથી. જનસામાન્યને આ વિવેક જાળવવાનું કોણ શીખવશે ? મોબાઈલની કમ્પનીઓ માર્કેટીંગમાં, મોબાઈલનો વિવેકપુર્ણ ઉપયોગ નહી કરો તો મગજનું કેન્સર થવાનો ભય છે એવું કહેશે ? ફેઈસબુક પર સતત રહેશો તો સંબંધોની હુંફ ખોઈ બેસશો એવું સોસીયલ મીડીયાવાળા કહેશે ? આંખો મીંચીને મને અનુસરસો નહી એવું કોઈ ધર્મગુરુ શીખવશે ? મંદિરોમાં ભગવાનને સોનાની જરુર નથી એવું પુજારી સમજાવશે ?

દેવાલયો બંધાશે તો, સામે સાયન્સ સીટીઝ બંધાશે. બંને પક્ષો પોતપોતાનો પ્રચાર કરશે તો નાસ્તિકતા કે આસ્તિકતામાં ‘વિવેક’ની વાત કોણ સમજાવશે ?

 

મને એક તુક્કો સુઝે છે –

 

આપણે દેવાલયો કે સાયન્સ સીટીઝની સામે ‘કાઊન્સેલીંગ સેન્ટરો’ ઉભા કરો.

 

dunstable-and-luton-counselling-centre

 

ભણતો ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે. ગ્રેજ્યુએશન સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અંગ્રેજીમાં ભણવાનું આવ્યું. અંગ્રેજી આવડે નહીં આથી અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજના કોઈ ફાધરની મદદ લેવાનો વિચાર આવ્યો (ફાધર વાલેસના જમાનાની વાત છે). ઝેવીયર્સ કોલેજની સામે જ હોસ્ટેલમાં રહેતા એક ફાધરને મળ્યો (એમનું નામ તો યાદ નથી રહ્યું). એમણે મને અઠવાડીયા બે-ત્રણ દિવસ એમની હોસ્ટેલમાં આવવાનું સુચવ્યું. નિયત સમયે જતો, એમને પુસ્તક માટે પુછ્યું તો એમણે કહ્યું એવી કોઈ જરુર નથી, આપણે બસ વાતો કરીશું. એ માટે અમે એક હોલમાં કેટલીક કેબીનો બનાવેલી હતી જેમાં એક નાનું ટેબલ અને બે-ત્રણ ખુરશીઓ રહેતી, ત્યાં બેસતા અને બસ અંગ્રેજીમાં વાતો કરતા. જ્યાં હું ભુલ કરું ત્યાં તેઓશ્રી મને સુધારીને સમજાવતા કે આ શબ્દ અહી ન વપરાય એ જુદા પ્રકારના પ્રસંગે ઉપયોગમાં લેવાય અને તફાવત સમજાવતા. એકાદ-બે કલાક વાતો કરી છુટ્ટા. આ મારો અભ્યાસ કે ટ્યુશન કે જે ગણો તે. ફક્ત વાતો કરતાં કરતાં શીખતા જવાનું.

 

બસ આવા જ ‘કાઊન્સેલિંગ સેન્ટર’ ઉભા કરી શકાય ?

જ્યાં કોઈ ધર્મગુરુ ન હોય કે કોઈ કટ્ટર નાસ્તિક પણ ન હોય, પણ માનવીઓની મુશ્કેલીઓ્ને પ્રેમથી સાંભળી, સમજીને યોગ્ય માર્ગદર્શન આપે એવો કોઈ ‘સાધુ’ હાજર હોય. ધર્મગુરુના કે નાસ્તિકતાના વાડામાં બંધાવાનો કોઈ આગ્રહ નહીં, માર્ગદર્શન આપ્યું, તમારે જે સ્વીકારવું હોય તે સ્વીકારો, ન સ્વીકારવું હોય તો પણ કોઈ બંધન નહીં. જેની ઇચ્છા થાય તે સેન્ટરમાં આવે, માર્ગદર્શન મેળવે, શાંતિ મેળવે.

તમને શું લાગે છે ? આવું શક્ય બને ?

બાકી ! કોઈ આવું કાઊન્સેલિંગ સેન્ટર બનાવવા તૈયાર હોય તો હું ‘સાધુ’ બનવા તૈયાર છું…

 

તમે કેવી રીતે જુઓ છો ?

થોડા સમય પહેલાં ટીવી પર  હિન્દીમાં એક સંવાદ સાંભળ્યો –

“તુમને ઉસકે પાસ જો નહીં વો દેખા હે, ઉસકે પાસ જો હે વહ નહી દેખા !”

આપણે બધા આ જ કરીએ છીએ.

ખુબ ચવાઈ ગયેલું ઉદાહરણ – પાણી ભરેલા ગ્લાસનું –

અડધો ભરેલો ગ્લાસ બે રીતે જોઈ શકાય – ‘અડધો ખાલી છે’ અને ‘અડધો ભરેલો છે’

glass-of-water2

અડધો ખાલી છે – વાળા ‘ઉસકે પાસ નહી હે’ એ જુએ છે અને –

અડધો ભરેલો છે – વાળા ‘ઉસકે પાસ જો હે’ એ જુએ છે.

અંગ્રેજી ગુરુઓ પ્રમાણે – Positive Thinking and Negative thinking.

‘તમે કેવી રીતે જુઓ છો ?’ પોતાની જાતને જરા પુછી જુઓ ને ?

ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોના સંદર્ભમાં એક છાપાનું કટીંગ ફેઈસબુક પર જોવા મળ્યું – ‘આશ્રમમાં પ્રેમલીલાઓ ચાલતી હતી. આશ્રમની સ્ત્રીઓમાં સાથે સુવાની હોડ લાગતી હતી.’

મારો લખનાર માટે એક જ સવાલ – કોલેજકાળની બહેનપણીની વાત તમે કેટલાને કરી ? જો તમારામાં એક મિત્રતા કબુલ કરવાની હિંમત નથી તો જે માણસ પોતાની અંતરંગ વાતો કહેવાની હિંમત દાખવે છે, એ હિંમતને તો સલામ કરો. તેણે કરેલા અસંખ્ય કાર્યોમાંથી આ એક જ મુદો શા માટે ઉઠાવો છો ? કેટલાક મિત્રો અભિવ્યક્તિની સ્વાતંત્રતાની દલીલ કરશે. મારો કોઈ વિરોધ નથી પણ વિવેક જેવી કોઈ ચીજ છે કે નહી ? ગુજરાતીમાં સામાન્ય રીતે ‘પ્રેમલીલાઓ’ શબ્દ કેવા સંજોગોમાં વપરાય છે ? કોઈપણ સંશોધનોમાં હંમેશા કશુંક વિવાદાસ્પદ હોય છે. મેડીકલ ફીલ્ડમાં દવાઓના સંશોધનો માટે કેટલાય સસલાઓ અને દેડકાઓ મારવામાં આવે છે એના માટે તો ‘કત્લેઆમ’ શબ્દ જ વાપરવો પડે ને ?

હમણા મેં વેબગુર્જરી પર એક લેખ લખ્યો, ( જે ચોક્કસપણે ગુજરાતીભાષા પર તો ન જ હતો,) આ લેખ ‘મેનેજમેન્ટ’ના સંદર્ભમાં હતો અને એમાં પ્રથમથી જ સ્પષ્ટતા છે કે આ વિષયમાં ગુજરાતી જ નહીં પણ અંગ્રેજી શબ્દો પણ વપરાશે કારણ કે આ લેખકોનો, ઉદેશ ‘મેનેજમેન્ટ’ના સિધ્ધાંતોને અજાણપણે ઉપયોગમાં લેતા લોકો માટે,  તેઓ જે સિધ્ધાંતો ઉપયોગમાં લે છે, તેનો પરિચય મેળવી પોતાના કાર્યો વધારે અસરકારક બનાવી શકે એ છે. આ ઉદેશની સિધ્ધિ તો ‘લોકબોલી’માં લખાય તો જ મેળવી શકાય. પણ ઘણા વાંચકોને શબ્દો અને શબ્દોના અર્થમાં રસ પડ્યો અને ક્યા શબ્દો ઉપયોગમાં લેવા જોઈએ તેની ચર્ચા મુળ વિષય કરતા વધારે કરી. (હશે ! પોતપોતાના રસનો વિષય છે.)

શ્રી કાંતિ ભટ્ટની કોલમ ‘આસપાસ’ મને ફાલતુ લાગે છે પણ ‘ચેતનાની ક્ષણે’નો પ્રસંશક છું. એટલે મારું તારણ તેમના માટે હકારાત્મક જ છે. મેં  ‘નેગેટીવીટી – પ્રસિધ્ધિની સીડી ?’ માં મારા વિચારો રજુ કરેલા છે. (સંબંધોના સંદર્ભમાં દ્રષ્ટિકોણ પર નજર નાખવા જેવી ખરી)

આ બધી ચર્ચાનો સાર એક જ નીકળે છે – આપણે મહદ અંશે ‘નકારાત્મક’ વિચારીએ છીએ, વર્તન કરીએ છીએ. આપણને ટપાકા ગણવામાં રસ છે રોટલા ખાવાને ઓછું મહત્વ આપીએ છીએ.

આ માનસિકતા મુળ શોધવા છેક બાળાપણ સુધી જવું પડે તેમ મને લાગે છે.

જાત જાતના કેટલાય રમકડાથી રમતું બાળક જ્યારે બીજાના હાથમાં બીજુ રમકડું જુએ તો તે જ મેળાવવા કાગારોળ કરી મુકે છે. પોતાની આસપાસ પડેલા રમકડાના ઢગલાને અવગણે છે. પોતાની પાસે જે  ‘છે’ તે નહીં, પણ ‘નથી’ તેની ધમાલ કરે છે. મોટા થતાં વિદ્યાર્થીને ૯૦ % આવે તે નહી પણા ૯૯ % ન આવ્યા તેનું દુઃખ છે અને માબાપ પણ જે આવ્યા છે તે નહી, પણ વધુ ન આવ્યાનું ગીત ગાય છે. આમ બાળપણમાં પડેલા ‘નથી જોવાના’ સંસ્કારને મજબુત કરે છે. શ્રધ્ધાળુઓ મોઢેથી ભગવાને જે ‘આપ્યું’ તેમાં સંતોષ માનવાની વાતો કરે છે, પણ એના કરતાં ‘અભાવ’ના ગીત વધારે ગાય છે અને પાછા ભગવાન પાસે ભીખારીની જેમ ઉભા રહી જાય છે. અત્યારે શ્રાવણ છે ને ! મહાદેવજી ભક્તોની ભીડમાં મુંજાય છે.

ટુંકમાં ‘અભાવ’માં, અડધા ખાલી ગ્લાસને જોવાની, આપણને ‘ટેવ’ પડી ગઈ છે.

સુટેવ હોત ચાલી જાત, પણ આ તો ‘કુટેવ’ છે, સુધારવી જ રહી.

મારા પ્રશ્નો…

અગાઊની પોસ્ટ ‘ભગવાન છે ?’ માં તો ડેવીડભાઈની વાર્તા લખી, પણ મારા પણ કેટલાક પ્રશ્નો છે જેના જવાબ મને વિજ્ઞાનમાં કે તર્કમાં મળતા નથી. આથી હું પણ ગુંચવાઊં છું.

વિજ્ઞાન માટે એક સાદો સવાલ – સરખી ગોળાઈની બે ભુંગળીઓ બાજુ બાજુમાં રાખી સામેથી હવા ખેંચવામાં આવે તો શું થાય ? જવાબ – બેઉં ભુગળીમાંથી સરખા વેગથી હવા પસાર થાય.

હવે મનુષ્યના નાકના બે નસ્કોરા બાજુ બાજુમાં હોય છે છતાં આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે બે માંથી એક નસ્કોરામાંથી શ્વાસ ફેફસામાં જાય છે. થોડા સમય પછી શ્વાસ બદલાય છે અને બીજા નસ્કોરામાંથી અંદર જાય છે, ફરી થોડા સમય સુધી બંને નસ્કોરામાંથી શ્વાસ ચાલે છે. આમ થોડા થોડા સમયે શ્વાસ બદલાતો રહે છે. (યોગની ભાષામાં આને સુર્યનાડી, ચંદ્રનાડી અને સુશુમ્ણાનાડી એમ પણ કહેવાય છે.) અહીં વિજ્ઞાનનો નિયમ કેમ લાગુ પડતો નથી ? વિજ્ઞાન સિવાય બીજું કયું તત્વ કામ કરે છે ? પ્રકૃતિ કરે છે, તો તે કયા નિયમના આધારે આમ કરે છે ?

બીજો એક મુદો એ છે કે માનવીમાં ‘લાગણીના બંધન’ (Emotional Bonding) કઈ રીતે કાર્ય કરે છે ? ફીલ્મોમાં ઘણીવાર જોઈએ છીએ કે પ્રિયજનને કંઈ થાય તો એની સાથે લાગણીથી જોડાયેલાને તરત બેચેની લાગે, દીકરાને કંઈ થાય તો માના દિલમાં ઝટકો વાગે, બહુ વર્ષો પહેલા વાંચેલું કે રશીયન વૈજ્ઞાનીકોએ સસલી અને તેના બચ્ચા પર પ્રયોગ કર્યો હતો, સસલીને તેના બચ્ચાથી ખુબ દુર રાખી અને તેના મગજમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રીકલ ફેરફારોની નોંધ માટેના ઉપકરણો લગાડ્યા, જ્યારે તેના બચ્ચાઓને મારી નાખવામાં અવતા હતા ત્યારે સસલીના બ્રેઈનમાં ઇલેકટ્રીકલ પલ્સમાં ફેરફાર થતા હતા. પ્રયોગ થયો, સાબિતિ મળી પણ એની સમજુતી ન આપી શકાઈ. એ જ રીતે ટ્વીન્સમાં એકને જે લાગણી થાય કે એ જ સમયે બીજાને તેવીજ લાગણી અનુભવાય છે. વિજ્ઞાને આને અતિન્દ્રિય બોધ (extrasensory perception – ESP) કહ્યું છે પણ તેની કોઈ સમજુતી આપી નથી.

આવા કેટલાક મુદ્દાઓ છે જે વિજ્ઞાન દ્વારા સમજાવી શકાતા નથી.

આમ કોઈ ‘સુપ્રીમ’ હાજર છે, જેને આપણે જાણતા નથી, પણ ‘છે’ તે તો સ્વીકારવું રહ્યું.

જીવનના સત્યના કેટલાક ક્વોટસ માટે ‘સંવેદનાના સથવારે’ પર ચક્કર મારી લેજો.

તમે કોને ફોલો કરો …..

“તમે કોને ફોલો કરો છો ?”

post_file

સુરતના એક મિત્ર સાથે ચર્ચાઓમાં તેમના તરફથી એક સવાલ ફેંકાયો.

“કોઈને નહીં.”

“આઈ મીન, તમારા વિચારો પર કોની અસર વધારે ?”.

ફરીથી મારો જવાબ – “કોઈની નહીં”

જોયું ! વાચકને આ જવાબમાં મારા ‘અહમ’નું દર્શન થયું ! પણ ગેરસમજ ન કરતા, હું તો જે સમજ્યો છું, તે કહેવાનો પ્રયત્ન કરું છું.

પછી, મેં મારા જવાબની વધુ સ્પષ્ટતા કરી.

નાનપણમાં વાંચનનો શોખ અને કુતુહલવૃત્તિ વધારે એથી વાંચવાનું પણ થયું અને ભટકવાનું પણ થયું.

‘ભગવાન’ની પહેલી વ્યાખ્યા મને વિશિષ્ટ કેશકલાપવાળા શ્રી સત્ય સાંઈ પાસેથી મળી, કોલેજકાળની શરુઆતમાં.

જામનગરમાં આપેલા એક પ્રવચનમાં ઇશ્વર વિષે સમજાવતાં તેમણે કહેલું –

“આપણા શરીરો વીજળીના બલ્બ સમાન છે, એમાંથી ચેતનારુપી વીજપ્રવાહ વહે છે, જો શરીરમાંથી ચેતનાનો પ્રવાહ બંધ થાય તો બલ્બ બુઝાઈ જાય. વીજપ્રવાહ એક જ છે,  બધા બલ્બ, આ પ્રવાહથી એકબીજા સાથે જોડાયેલા છે.”

અ વાક્ય મગજમાં નોંધાય ગયું. તેઓ તેલુગુમાં બોલતા હતા અન્ય કોઈ તેનું ટ્રાન્સલેશન કરતા હતા. સારું વાક્ય ! વધુ સાંભળવા જેવા (ફોલો કરવા જેવા..) ખરા ! લેક્ચરના અંતમા તેમણે ગુજરાતીમાં પણ સ્પીચ આપી. મારા મનમાં દલીલ ઉઠી – જો આટલું સારુ ગુજરાતી આવડે છે તો ગુજરાતીમાં સ્પીચ કેમ ન આપી. બસ ! જ્ઞાન સારું, પણ આવાને ફોલો કરાય ?

મગજમાં નોંધાયેલું વાક્ય બરાબર છે, એટલે સુધી સાચું અને આ વાક્ય પરથી મારું તારણ – ભગવાન એટલે શરીરમાં વહેતો ચેતનાનો પ્રવાહ અને પ્રવાહ એક જ છે, આથી ભગવાન પણ એક જ. આમ મારા ભગવાન – ‘ચેતના’ (વિજ્ઞાન સમજ્યા પછી વૈશ્વિક શક્તિ (Cosmic Energy).

હવે મંદીરે જઈએ તો પણ ‘ચેતના’ના પ્રતિક સ્વરુપ, જે મુર્તિ હોય તેને મસ્તક નમાવવાનું. પ્રતિક ગમે તે હોય શકે. કોઈ દલીલ નહી. મગજમાં કોઈ ખળભળાટ નહી. સાદી પ્રાર્થના – ‘સૌનું સારુ કરજે’.

એક વખત અમદાવાદમાં ‘ઓશો’ ને સાંભળવાનું થતાં એક વાક્ય મળ્યું – ‘જગતના વ્યવહારો પડઘા સમાન છે, જે તમે આપશો તે તમને પરત મળશે.’ બસ ! જીવનના વ્યવહારોની સમજણ કાયમ થઈ. તમે લોકો સાથે માથાકુટ કરો અને માથાકુટ મેળવો, પ્રેમથી રહો, પ્રેમ મેળવો. (તમારા પ્રેમના પડઘામાં પરત પ્રેમ ન આવતો હોય તો વ્યવહાર ફરી ચેક કરવો ઘટે કારણ કે તમે મોકલાવેલો ‘પ્રેમ’ ભેળસેળ ભરેલો હોય શકે. વિજ્ઞાનની ભાષામાં તમે મોકલાવેલી ‘Frequency’, ‘Noise’ વાળી હોય શકે.) ઓશોની તર્કબધ્ધ રજુઆત, શરુઆતમાં સ્વીકાર્ય થઈ જાય પણ આ જ વિચારનું ફરી મંથન કરીએ તો કદાચ અસ્વીકાર્ય પણ બની જાય.

આવું તો ઘણા બધી વિભુતિઓ સાથે થયું. વિપશ્યના વખતે શ્રી ગોએન્કાજીએ સમજાવ્યું ‘શરીર નક્કર છે જ નહીં, ફક્ત સતત બદલાતા રહેતા તરંગો જ છે.’ સ્વીકાર્ય. પણ તેમની પુનઃજન્મની વાત અસ્વીકાર્ય.

મને તો એવું લાગે છે કે ‘ઘણી વિભુતિઓ પાસેથી માટી એકત્ર કરી આપણે આપણો ‘પિંડ’ બનાવવો.’

(સાવ સાદી ભાષામાં આપણા મનનું ઘડતર આપણે જ કરવું)

નુકસાન ?……..

કોઈને ‘ફોલો’ કરવું સરળ છે. તમે એક ‘પંથ’માં સુરક્ષીત બની જાઓ, તમારો અલગ સમાજ બની જાય, તમે એમના ગુરુને ફોલો કરો છો, એ જાણે … તો, તો, તે તમને પ્રેમ કરવા માંડે, સગવડતાઓ પુરી પાડવા લાગે, તમને સરળ બની જાય, અજાણ્યા ગામમાં તમારા ‘પંથ’ના મંદીર-આશ્રમમાં જાઓ, સુખસગવડતા મળી જાય. નિતિ-નિયમો પણ સ્થાપિત હોય, આથી કોઈ કાર્ય કરવા માટે મગજને કોઈ તકલીફ નહીં.. નિયમ મુજબ કર્યે રાખો.

આપણો ‘પિંડ’ બનાવવામાં નુકસાન વધારે છે.

સૌ પ્રથમ તો ‘માટી’ની પસંદગી. કોઈ ખોટી કે ખરાબ માટી સ્વીકારાય જાય તો આપણી ‘મુરત’માં ખામી રહી જાય.

હવે આ સારી-ખરાબ માટીની ખબર કેમ પડે ?

claymaker

તકલીફ તો છે પણ પેલા કુંભારની જેમ માટીને ગુંદતા રહેવું પડે, તો ચીકાશ વધતી જાય, નવા વિચારને વાગોળતા રહેવું પડે, નવા વિચારની પૃષ્ઠિ મળી શકે તેવું નવું વાંચવાનું થાય, નવી નવી વ્યક્તિઓની સાથે ચર્ચા પણ કરવી પડે, (સાદી ‘ટીપ’ – સાંભળો સૌનું, વિચારો પોતાનું.)

આ કાર્ય સમય માગી લે તેવું છે, આવું કરવામાં શક્ય છે સમયના અભાવે અન્ય કેટલુંક જતું કરવું પડે, કદાચ આરામની પળો, મનોરંજન…..

એક સહેલો રસ્તો છે ! કુદરતની નજીક જાઓ ! મહીનાનો એક રવિવાર સંપુર્ણ અંગત. ન કામ, ન કાજ, બસ નીકળી પડો. ટીવી નહીં જોવાય, મિત્રો નહી મળે, સંબંધો નહીં સચવાય, ખવાપીવામાં તકલીફ ભોગવવી પડશે,…. બધુ જ થશે. ધીમે ધીમે બધુ જ સમુસુતરુ થશે

પ્રયોગ કરી જુઓ.

‘જાત’ની રજુઆત –

“તમારા કામમાં કોઈ વેતા જ નથી !”

“ડફોળ જેવા છો !”

“શીખો શીખો,  મારું જોઈને કંઈક શીખો !”

“ગામમાં જઈને પુછો શું ? આપણું નામ છે.”

“હું તો ‘નાનો’ માણસ છું, તમારા જેવું કંઈ હોય ?”

એક એક્સ્ટ્રીમ ઓળખ…

“તમતમારે સોસાયટીમાં કોઈને પણ મારું નામ પુછજો ને ! તરત મારું ઘર દેખાડી દેશે.” (સોસાયટીમાં રખડતા કુતરાને પુછાય ? ) 🙂

આવા તો કેટલાય વાક્યો તમે સંભળ્યા હશે અને વાપર્યા પણ હશે જ. બધામાં પ્રયત્ન એક જ –

‘મારી જાતને રજુ કરવાનો પ્રયત્ન’ …

આપણે જ્યારે પોતાની જાતને રજુ કરીએ છીએ ત્યારે હંમેશા અન્ય કરતા ઉપર ‘ઉઠેલી’ જ રજુ કરીએ છીએ. (એટલે એકાદ ભજનમાં ભજનિક બોલે છે – ‘હવેલી બંધાવી દઊં હરિ તારા નામની…., જાણે હરિને જનમ તેણે જ એણે આપ્યો હોય ! ;-)) આમ કેમ ? બહુ સ્વભાવિક છે. જો તમારે તમારું ‘અસ્તિત્વ’ ટકાવી રાખવું હોય તો તમારે ‘જીતવું’ પડે, પછી સામે પદાર્થ હોય કે પ્રકૃતિ અને જીતી ત્યારે શકો, જ્યારે તમે સામેવાળાથી વધારે સક્ષમ હો અથવા તમે, તેના મનમાં તમારી ‘સક્ષમતા’ સ્થાપી શકો. (ડાઘીયો કુતરો તમને કરડી શકે પણ, સુકલડી હો તો પણ, કુતરાની આંખમાં આંખ પરોવો ત્યાંથી ખસી જશે) આમ મારી ‘બીઈંગ’ની વૃતિ મને મારી જાત પ્રેઝન્ટ કરવા, ‘જેવો છું’ તેનાથી ‘ઉપર’નો દર્શાવવા મજબુર કરે અને હું હંમેશા મારી જાતને ‘મોટો’ અભિવ્યક્ત કરૂં. એ પણ સ્વાભાવિક છે કે જો હું મારા દોષ જાહેરમાં સ્વીકારું તો મારી ઇમેજ ખરડાય અને લોકનજરે નીચો પડું, જે મારા અસ્તિત્વ માટે ખતરારુપ છે. હું મારા મનમાં, મારી નબળાઈઓ સ્વીકારતો હોઊં તો પણ જાહેરમાં તો ન જ સ્વીકારું એ સ્વભાવિક છે. (આને આપણે ‘અહમ’નું નામ આપીએ). ‘મારામાં દોષ છે અને તે હું સ્વીકારતો નથી’ એવું જ્ઞાન જો મારા કોન્સીયસને ડંખતુ હોય તો હું બીજો રસ્તો અપનાવું – અન્યના ‘દોષ’ (ગુણ નહી) મોટા કરી દેખાડું , જેથી હું મોટો છું, ગુણી છૂં એમ આડકતરું સિધ્ધ થાય.

હવે વાત રહી ‘સ્વ’ને જે તે સ્વરુપે રજુ કરવાની.

થોડું મુશ્કેલ જરુર છે, પણ અશક્ય નથી.  અગાઊની પોસ્ટમાં લખ્યા મુજબ –

 ‘જે છે તે સ્વીકારો અને વિવેકથી જીવો.’

બસ ! તકલીફ એક જ છે – ‘સ્વીકાર’. સ્વીકારવાનું આવડશે પછી કદાચ તમારે કશું કરવાનું રહેશે નહીં, બાકીનું આપોઆપ થશે.

એક તાજુ જ સાંભળેલું વાક્ય –નાના બાળકોને રમવામાં રસ હોય છે, હાર-જીતમાં નહીં’

(હારજીત અને મેચ ફીક્સીંગ મોટા થતા આવે છે.)

આપણે દુનીયામાં આવ્યા, બસ ‘રમવા’ માં રસ રાખીએ.

સીનીયર સીટીઝનો માટે ‘સ્વીકાર’ની વાત સ્વીકારવાનું અઘરું બને તેમ છે.

નાનપણની એક વાર્તા જ લખી નાખું –

જંગલમાં એક મહાત્માએ ખુબ સાધના કરી. એક દિવસ ઝાડ નીચે ધ્યાનમાં બેઠા હતા ત્યારે એક ચકલી તેમના પર ચરકી. મહાત્માને ગુસ્સો આવી ગયો. ચક્લી સામે નજર કરી અને ચકલી બળીને ભસ્મ થઈ ગઈ. મહાત્માના મનમાં ‘અહમ’ નો પ્રવેશ થઈ ગયો. મહાત્મા ફરતા ફરતા ગામમાં જઈ ચડ્યા. એક દ્વાર પર ‘ભીક્ષાન દેહી’ ની ટેલ નાખી. અંદરથી સ્ત્રીનો અવાજ આવ્યો. ‘મહારાજ ! આવું થોડીવારમાં.’

મહાત્મા તો મનમાં ગુસ્સે થઈ ગયા. ‘મારા જેવા મહાત્માને રાહ જોવડાવી’

ત્યાં જ સ્ત્રી ભિક્ષા લઈને આવી અને બોલી – ‘મહારાજ ! મારા પતિની સેવામાં હતી આથી મોડું થયું, ક્ષમા કરશો.’

મહારાજનો ગુસ્સો જાણી ગઈ હોય તેમ બોલી- ‘મહારાજ શાંત થાઓ, બધે જંગલની ચકલી હોતી નથી.’

મહાત્મા સ્તબ્ધ થઈ ગયા, આ સ્ત્રીને જંગલની વાતની જાણ કેમ થઈ ગઈ ? મહાત્માએ પણ માફી માગી અને જંગલની વાતનું જ્ઞાન કેમ થયું એની જાણકારી આપવા વિનંતિ કરી. ‘એ માટે તો તમારે ખાટકીવાડમાં ફલાણા ખાટકીને મળવું પડશે.’

મહાત્મા તો જ્ઞાનની શોધમાં ખાટકીવાડ ઉપડ્યા. ખાટકીને શોધી કાઢ્યો. મહાત્માને જોઈ ખાટકી બોલ્યો ‘આવો મહારાજ, ‘ફલાણી સ્ત્રીએ મોકલ્યા છે ને ? બેસો હું મારું કામ નિપટાવી  લઊં.’ અને તે તો પોતાના માંસના વેપારમાં લાગી ગયો. મહાત્મા તો બેઠા બેઠા વિચારે ચડી ગયા મેં આટલા વર્ષોની તપસ્યા કરી, છતાં આટલું જ્ઞાન ન મેળવી શક્યો અને આ સામાન્ય માણસો તો મારા પણ ગુરુ છે.

ખાટકીએ કામમાંથી પરવારીને મહાત્માને કહ્યું  ‘તમે કંઈપણ કરો, પણ તેને વળગો નહી. જાત ને અલગ રાખો, બાકીનું આપોઆપ થશે.’

આ તબ્બકે ફીલ્મ ‘સિધ્ધાર્થ’ નો એક ડાયલોગ કંઈક આવી રીતે યાદ છે. સિધ્ધાર્થને,  એક નાવિક નદીમાં પથ્થર ફેંકી જ્ઞાન આપે છે – જેમ પથ્થર પાણીની અસરથી મુક્ત રહી જેમ તળીયે પહોંચ્યો એમ જ માનવી પણ સર્વ કાર્ય કરતા રહીને પણ મુક્ત રહી શકે.

Movie based on Hermann Hesse’s bestselling Novel Siddhartha.

(http://www.youtube.com/watch?v=DJq05Pk8nSU)

યુવાનો પાસે સમય છે, ધારે તો કરી શકે તેમ છે. સીનીયર નથી કરી શક્યા તેના કારણે તેઓ ફ્રસ્ટેટ થયા છે, આત્મા-પરમાત્માની વાતોમાં ગુંચવાયેલા રહે છે.

એક અલગ દ્રષ્ટિથી લખાયેલી જુની પોસ્ટ – ‘બદલાવ’ (change) નો મોટો દુશ્મન ‘સ્વ’ – યાદ આવે છે.

‘સ્વ’ ને બદલવા સજાગતાપૂર્વક ઘણી  સાફસુફી કરવી પડે.

કટ ઓફ …..

કટ ઓફ …..

નિજદોષ દર્શન પોસ્ટમાં મારી મુંઝવણ વ્યક્ત કર્યા પછી પ્રતિભાવોમાં સીનીયર સીનીઝન મિત્રોની વિદ્વતાપૂર્ણ કોમેન્ટસથી ખુબ આનંદ થયો. વિચારોનું ‘ક્લિન્સીંગ’ થયું. દ્રષ્ટિભેદ જાણવા મળ્યો. ઘણું ઘણું જાણવા મળ્યું, પણ….પણ… જેમને ઉદ્દેશીને પોસ્ટ લખાણી તે યુવામિત્રો દુર રહ્યા. ‘લાઈક’ ના બટન પર ક્લીક કરી ચાલતા થયા અથવા વિષય જોઈ, આપણા માટે ‘અછુત’ વિષય છે એમ માની, ફક્ત નજર નાખી ચાલતા થયા.

જુની પેઢી અને નવી પેઢીની વિચારસરણી અલગ છે ? વિષયો અલગ છે ? આવા વિષયોમાં રસ નથી ? આ વિષયોનું વિચારવું જરુરી નથી ? ‘સમય’ નથી કે આવા વિષયોમાં વિચાર કરવાનો હાલ ‘સમય’ નથી ? (બુઢ્ઢા થયા પછી જોઈશું ?) કે પછી સીનીયર સીટીઝનોને આપણા બ્લોગમાં રસ નથી માટે આપણે પણ ક્યાં ઉંડા ઉતરવું એવી ભાવના છે ? (હું પણ ઘણા યુવાનોના બ્લોગને ફોલો કરું છું, કોઈવાર મગજની બતી થઈ જાય તો કોમેન્ટ પણ ફટકારી દઊં છું, પણ જોઊં છું તો ખરો.)

મારા લખવા પાછળનો હેતુ યુવાન માનસને સમજવાનો છે. અમે સીનીયર સીટીઝનો તો ‘પ્રોગ્રમ્ડ માઈન્ડ’ સાથે જીવીએ છીએ, શક્ય થાય ત્યાં બદલાવા પણ પ્રયત્ન કરીએ છીએ. લીમીટેશન્સ છે. પણ પ્રયત્ન જરુર છે.

મને લાગે છે કે જીવનમાં આપણે પહેલેથી જ સામાજીક જીવન અને આધ્યાત્મિક જીવન એવા ભાગ પાડીને ચાલીએ,  ધર્મ અને વિજ્ઞાનને અલગ કરીને જીવીએ, ધર્મ અને વહેવારને અલગ તારવીએ, દેશ, જાતિઓ, ધર્મ, સામાજીક સ્ટેટસ બધામાં એક ‘કટ ઓફ’ મુકીને જીવીએ છીએ. બસ મારે આ ‘કટ ઓફ’ને સમજવું છે, શા માટે ‘કટ ઓફ’ ?

માનવી જન્મે છે એક જ પ્રકારના શરીર સાથે, ધીમે ધીમે શરીરના અવયવોનો વિકાસ થાય. જો સામાન્ય પ્રાણી હોત તો કુદરતી રીતે અમુક રીતે જ વિકાસ પામ્યો હોત, પણ કુદરતની કૃપા છે કે તેણે માનવી ‘મગજ’ આપ્યું છે અને એ પણ એવી વ્યવસ્થા સાથે કે માનવી ધારે તેટલો તેનો વિકાસ કરી શકે, છતાં પણ આપણે એનો વિકાસ ‘જીવન’ને સમજવા માટે કેમ કરતા નથી ?

જગતની કુલ ‘શોધખોળો’નો આંક માંડી તેમાંથી વૈજ્ઞાનિક શોધખોળોની સંખ્યા (જે માનવીના શરીરને ધ્યાનમાં રાખીને થઈ હોય) અને ‘જીવન મુલ્યો’ (Human Values) સમજવાનો  પ્રયત્ન થયો હોય એવી શોધખોળ સંખ્યામાં તફાવત કેટલો ? આપણે જીવનના મુલ્યો સમજવા અને સમજાવવાનું કામ વૈજ્ઞાનિકોને બદલે ધર્મગુરુઓને સોંપી દીધું છે. જેમણે પોતાનું વર્ચસ્વ જાળવવા ભગવાન અને મનુષ્યને દુર રાખ્યા. મગજમાં ફીટ કરી દીધું કે ‘ગુરુ વિના જ્ઞાન નહીં’ (અધ્યાર રાખ્યું કે ‘પહેલા હું અને પછી ભગવાન’) એટલે સુધી માનવીઓ ભગવાનને ભુલી ગુરુઓમાં મગ્ન થઈ ગયા. ‘ગુરુ-ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય ?’ એમાં પણ ગુરુ પ્રથમ થઈ ગયા. હવે આવા ‘ગુરુ’ સહજતાથી મળતા નથી. શોધવામાં સમય કાઢવો પડે, જે સામાજીક જવાબદારીમાંથી મુક્ત હોય તે કાઢી શકે  એટલે આ કાર્ય સીનીયર સીટીઝનોએ સ્વીકાર્યું. પણ એમને તો કોઈ રોજબરોજની જવાબદારી હતી નહી એથી સહજ માનવ જીવનથી આધ્યાત્મ અલગ છે એવી દ્રષ્ટી કેળવી લીધી અને યુવાનોને એ ભાષામાં સમજાવવાનું શરુ કર્યું. પોતે જે સમજ્યા તે યુવાનોને સમજાવવામાં મારી દ્રષ્ટીએ નિષ્ફળ ગયા.

અધ્યાત્મ એટલે ‘ભગવાન’ની ચર્ચા કે આત્મા-પરમાત્માની ચર્ચા, સામાન્ય જીવનવ્યવહાર સાથે તેને ભેળવી ન શકાય, એવો સંકુચિત અર્થ થઈ ગયો અને ‘ભગવાન’ વચ્ચે આવ્યો એથી ‘કુદરત’ ભુલાઈ ગઈ. મહદ અંશે બધાનો અનુભવ હશે જ કે આપણે જેટલા કુદરતની નજીક રહીએ તેટલા જીવનમાં પ્રશ્નો ઓછા થાય છે.  માનવી, ‘માનવી’ની જેટલો નજીક રહે તેટલો વધારે સુખી.

યુવાનોની મુખ્ય દલીલ એ જ હોય છે એવો સમય જ ક્યાં છે ? મારો અનુભવ લખી નાખું તો – મને જીવન વિષે વધારે વાંચવા-સમજવાનો સમય મળ્યો હોય તો ઉંમરના ૩૨ થી ૪૦ વર્ષના ગાળામાં જ મળ્યો. એ વખતની નોકરી એવી હતી કે વધુમાં વધુ સમય મુસાફરીમાં જતો. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ ઓછો એથી બસની મુસાફરી કરવાની આવે, બસમાં ખુબ સમય જાય, એનાં કરતાંય બસની રાહ જોવામાં બસસ્ટેન્ડ પર વધુ સમય જાય. આ સમયે લોકો સાથેના સંવાદો વધ્યા, મનુષ્યોને જોવા-જાણવાની તક મળી, જ્યારે કોઈ ન હોય ત્યારે જાત સાથે સમય ગાળવાનું થયું, નજર સમક્ષ ભજવાય રહેલા પ્રસંગોમાં ‘હું’ હોઊ તો શું થાય એ વિચારવાની તક મળી, આમ ‘હું’ સાથે પણ સમય ગાળવાનું થયું.

આજના સમયમાં યુવાનોની પરિસ્થિતિ બદલાઈ નથી. ફક્ત ‘હું’ માં ઉંડા ઉતરવાનો અભાવ ઉભરી આવ્યો છે. ટ્રાવેલીંગમાં મોબાઈલમાં મેસેજીસ સર્વીસમાં મિત્રો સાથે શેર કરવાનું ચાલે છે. ઘણા સુંદર  ‘ક્વોટ્સ’ની આપ-લે થાય છે પણ તે તત્ક્ષણ પુરતા જ રહે છે તેને ‘હું’ સાથે જોડતા નથી. ‘એવું તો વાંચવું સારું લાગે, જીવનમાં ઉતારવું કઠીન છે’ એવી સ્વીકૃતિ આવી છે.

પણ… આ તો મારી ધારણાઓ છે. હું એવું ઇચ્છું કે યુવાન મિત્રો આ વિષે કંઈક કહે. યુવામિત્રોને લાગે કે આ મુદ્દો વિચારવા યોગ્ય છે તો એનો પ્રચાર પ્રસાર કરે – નિજદોષ દર્શન અને આજની પોસ્ટ રીબ્લોગ કરે, કોપી કરે, ફેઈસબુક પર શેર કરે.. જે કરવું હોય તે … પણ મને આ વિચારોના પ્રતિભાવોમાં રસ છે. જો પ્રતિભાવો મળશે તો એનું વિશ્લેષણ સાથે મળીને કરશું અને કોઈક માર્ગ શોધવાનો પ્રયત્ન કરશું…..

સહકારની અપેક્ષા તો રાખું ને … ?

નિજ દોષ દર્શન, પણ યુવાનોનું શું ? –

જૈન ધર્મ, દાદા ભગવાન દ્વારા જેના પર વધુ ભાર મુકવામાં આવ્યો છે તે પ્રતિક્રમણ.

સાદી પ્રક્રીયામાં વ્યક્તિએ પ્રતિક્રમણ દ્વારા નિજ દોષ દર્શન કરવાનું હોય છે. એવું પણ સાંભળ્યું કે મહાવીરના સમકક્ષ પહોંચવા માટે રોજના સો પ્રતિક્રમણ કરવા જોઈએ.

meditation-6

(Image taken from – http://casnocha.com/2012/08/reflections-and-impressions-from-a-10-day-meditation-course.html/meditation-6 – with thanks)

આ બધુ સમજવામાં એટલી તકલીફ પડે છે કે આ બધુ યુવાનો કરી શકે ?

જેમની પર ઘરની જવાબદારી છે, આવક-જાવકના બે છેડા ભેગા કરવાના છે, માંડ માંડ નોકરી કરે છે કે સામાન્ય રોજગાર ચલાવે છે, લક્ઝરી નહી પણ જીવનજરુરીયાત પુરી કરવાના ફાંફાં પડતા હોય એવા માણસો ‘નિજદોષદર્શન’ કરી શકે ?

ઓફીસમાંથી જવા-આવવાના માટે રિક્ષાનું ભાડું મળે છે, પણ એ પૈસા બચાવી શકાય તો સાંજના શાકભાજીનો મેળ પડતો હોય એ વ્યક્તિ નિજદોષ દર્શનમાં  ક્યો દોષ જોઈ શકે ? શું એ ઓફીસની નિયત રકમ અન્ય ખર્ચમાં વાપરે છે એ ખોટું છે ? અહીં દલીલ થાય કે તેને ઓફીસમાંથી પૈસા મળી ગયા આથી હવે તે તેના થઈ ગયા, હેતુફેર માટે વપરાયા તેમાં ગુનો નથી. શું શાસ્ત્રીય રીતે ગુનો નથી ? આવા તો અસંખ્ય દાખલા છે.

સવાલ એ આવે છે કે સામાન્ય માણસ જે રોજીરોટી માટે આખો દિવસ મહેનત કરતો હોય, માન-અપમાન સહેતો હોય અને સાંજે સામયિક કરવા બેસે ત્યારે પણ તેણે પોતાના જ દોષ જોવાના ? શું દરેક કાર્યો માટે પોતે જ જવાબદાર છે એવું સ્વીકારવું ? કુટુંબનું ભરણપોષણ એ તેની સામાજીક જવાબદારી નથી ?

વાલીયા લુટારાની વાર્તામાં, એને કહેવામાં આવે કે જા તારા ઘરના સૌને પુછી આવ કે આ ચોરી-ચપાટીના પાપમાં તે સૌ ભાગીદાર છે ? જવાબ ગમે તે હોય પણ વાલીયો જો ‘મારું’ કુટુંબ સમજી એની જવાબદારી ઉઠાવવાની મહેનત કરે તો ખોટું શું છે ?

જો બધા જ ‘મારું-તારું’ છોડી સાધુ બને તો સંસારચક્ર કેમ ચાલી શકે ?

આ બધા કરતાં એક વધારે અગત્યનો મુદ્દો એ આવે કે જો વ્યક્તિ એવું વિચાર્યા કરે ‘જે કંઈ કરું છું એમાં મારો જ દોષ છે’ તો કામ કરવાનું મોટીવેશન જ તૂટી જાય. કામ કરી જ ન શકે.

ઓફીસમાં વ્યક્તિએ ઓફીસ નિયમ અનુસાર જ કાર્ય કર્યુ હોય પણ તે બોસની ‘અપેક્ષા’ મુજબ ન હોય અને કર્મચારીને ઓફીસમેમો મળે તો એ કર્મચારીનો દોષ છે ? મારા અનુભવની જ વાત છે. ‘ફક્ત’ બોસની અપેક્ષાઓ મુજબ કામ ન કરવાની ‘સજા’માં ૨૩ વર્ષની નોકરી દરમ્યાન ૧૧ વર્ષ  કુંટુંબથી દુર રહેવાનું થયું અને અંતે કામ કરવની પ્રેરણા જ ખતમ થઈ ગઈ. અંતે મને ખુબ ગમતુ કાર્ય છોડી વહેલો રીટાયર થઈ ગયો. હવે, હું મારો શું દોષ શોધું કે સ્વીકારું ?

આ તો પ્રોફેશનની વાત થઈ, પણ ઘરમાં પણ સંબંધોનો શું ? પિતા-માતા, પત્ની-બાળકો સાથે સમાજના ઘડેલા સામાન્ય નિયમો પ્રમાણે વર્તન થતું હોય, પણ તેમાં તેમની ‘અપેક્ષા’ઓ ભળવાની જ છે. અને જો આ અપેક્ષાઓ વ્યક્તિ સંતોષી ન શકે તો તે ક્યા ‘દોષ’નું નિરિક્ષણ કરે ?

મને લાગે છે કે ‘નિજદોષ દર્શન’ થી મોટામાં મોટો અવરોધ આવતો તે – ‘વ્યક્તિમાં પોતાના માટે ‘હીનતા’ ની ભાવના ઉત્પન્ન થાય’. મંદીરોમાં ભક્તો જેમ ગરીબડા થઈને માગે કે ‘હે ભગવાન ! હું તો આધારહીન છું તું બચાવી શકે તો બચાવ’

‘ગરજ હોય તો આવ ગોતવા, હું શીદ આવું હાથ હરિ !’ ની ખુમારી જતી રહે.

(વધુ સંદર્ભ – https://bestbonding.wordpress.com/2012/07/22/god-2/)

શું આપણે સૌએ દીનહીન થઈને જીવવાનું છે ?

‘નિજ દોષ દર્શન’ ના બદલે માનવી ‘નિજ દર્શન’ કરે તો શું ?

રોજ પોતે કરેલા કાર્યોને પોતાની ‘સમજણ’ પ્રમાણે મુલવી જુએ, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે. એટલું ચોક્કસ કે તેણે પોતાની ‘સમજણ’ કેળવવી પડે, તેમાં ‘તટસ્થ’ બનવું પડે. તટસ્થ થયા બાદ ‘દોષ’ દેખાય તો જરુરથી સ્વીકારવો જોઈએ, ભુલ કબુલ કરવી જોઈએ.

તમને ક્યું દર્શન કરવાનું ગમશે ? – ‘નિજદોષ દર્શન’ કે ‘નિજ દર્શન’ ?