આ ‘યોગા’ એટલે શું ?

(સૌ પ્રથમ જે મિત્રો માટે અંગ્રેજી કેલેન્ડરનો જ આધાર છે એવા મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ. હમણા એક ફેઈસબુક મિત્ર – સતીશભાઈ જોશી એ ‘યોગ’ની ગરીમાની વાત છેડી અને દિવ્યભાસ્કરના રાજ ગોસ્વામીએ ૨૮ ડીસેમ્બરની રવીવારીય પુર્તિમાં (પેઈજ ૮) યોગ દિવસના અર્થશાસ્ત્રની વાત છેડી ત્યારે, જેમ ‘ધ્યાનની ભાંતિઓ’ વિષે લખવાનું થયું તેમ આ ‘યોગા’ વિષે પણ લખવાની ઇચ્છા થઈ.)

With thanks from -http://camelcityyoga.com/img/meditation.jpg

With thanks from -http://camelcityyoga.com/img/meditation.jpg

‘હું રોજ સવારે નિયમિત અડધો કલાક યોગા કરું છું.’

‘અમારી સ્કુલમાં રો જ યોગ કરાવે છે’

‘‘યોગા’ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે’

યોગાસનો કરીએ એટલે યોગ ?

પ્રાણાયમ કરીએ એટલે યોગ ? કે પછી ….

પલાઠી મારીને આંખો બંધ કરી અને ધ્યાન (?) માં બેસીએ એટલે યોગ ?

સુરતીઓની જેમ બગીચામાં જાતજાતના યોગાસન અને હાસ્યયોગ કરી, ગ્રુપમાં સેવખમણીનો નાસ્તો કરવા ચાર રસ્તે પહોંચી જવું અને પછી મિત્રોમાં કહેતા ફરવું કે ‘મને તો રોજ સવારે યોગા કર્યા વગર ફાવે જ નહીં, સવારનો એક કલાક પાકો. (એમાં અડધો કલાક સેવખમણીના નાસ્તાનો આવી જાય)

આ ‘યોગ’ નો ફાયદો ખરો ? કદાચ મિત્રોમાં બણગા ફુંકવા માટે ફાયદો થતો હશે, પણ શરીર સ્વાસ્થ્ય અને લાઈફ સ્ટાઈલનું શું ?

ક્યારેક પુછવાનું મન પણ થાય કે ‘તમે ‘યોગા’ માં શું કરો છો ?’ જવાબોમાં મહદ અંશે યોગાસનો, પ્રાણાયમ કે ધ્યાનમાં બેસવાની વાતો હોય. આ જવાબો સાંભળીને આંધળાઓના હાથી દર્શનની વાત યાદ આવી જાય.

સાદી ભાષામાં સમજવા માટે પતંજલી યોગ દર્શન કે અષ્ટાંગ યોગને શરણે જવું પડે. એમાં તો યોગના આઠ અંગ કહ્યા છે. આ આઠ અંગ ભેગા થાય ત્યારે ‘યોગ’ બને. (યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી). હવે ફક્ત યોગાસન કરીને કે પ્રણાયમ કરીને એમ કહી શકાય કે હું રોજ ‘યોગ’ કરું છું ? ફક્ત હાથીની સુંઢનું વર્ણન કરીને સમગ્ર હાથીના દેખાવનો દાવો કરી શકાય ?

હા ! એમ જરુર કહી શકાય કે ‘હું રોજ પ્રાણાયમ કરું છું’ કે ‘યોગાસનો કરું છું.’

મારી નજરે – ‘યોગ એ માનવ ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવાની પ્રક્રિયા છે.’

અષ્ટાંગ યોગને બે રીતે સમજાવવામાં આવે છે – એક છે સમાધી સુધી પહોંચવાની સીદી – આઠ અંગો એ આઠ પગથીયા છે. વારાફરતી એક એક પગથીયું ચડી સમાધી સુધી પહોંચી શકાય.

બીજી સમજુતી થોડી વધારે તાર્કીક લાગે છે. યોગના આઠે અંગો સીધા આપણી ચેતના સાથે જોડાયેલ છે – જેમ આપણા શરીરના અંગો – હાથ, પગ વગેરે મુળ શરીર સાથે સીધા જોડાયેલા છે.

વધુ સમજીએ તો એક અંગ ‘યમ’ – જે મનુષ્ય એ અન્ય સાથેના વ્યવહારોમાં, પોતે સ્વનિયંત્રણ રાખવાનું છે એ બાબતો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

વીકીપેડીયાની સમજુતી મુજબ –

  • Ahimsa: non-violence, inflicting no injury or harm to others or even to one’s own self, it goes as far as nonviolencein thought, word and deed.
  • Satya: non-illusion; truth in word and thought.
  • Asteya: non-covetousness to the extent that one should not even desire something that is his own; non-stealing.
  • Brahmacharya: abstinence, particularly in the case of sexual activity. Also, responsible behavior with respect to our goal of moving toward the truth. It suggests that we should form relationships that foster our understanding of the highest truths. “Practicing brahmacharya means that we use our sexual energy to regenerate our connection to our spiritual self. It also means that we don’t use this energy in any way that might harm others.
  • Aparigraha: non-possessiveness; non-hoarding

જ્યારે ‘નિયમ’ માં પોતાના પર નિયંત્રણ રાખવાનું છે તે – શોચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન –

  • Shaucha: cleanliness of body and mind.
  • Santosha: satisfaction; satisfied with what one has.
  • Tapas: austerity and associated observances for body discipline and thereby mental control.
  • Svadhyaya: study of the Vedic scriptures to know about God and the soul, which leads to introspection on a greater awakening to the soul and God within,
  • Ishvarapranidhana: surrender to (or worship of) God.

હવે લોકો જ્યારે ‘યોગ’ કરું છું તેમ કહે ત્યારે ઉપરના બે અંગમાંથી કેટલાનું પાલન કરે છે ? દસ મીનીટ ધ્યાનમાં બેસે ત્યારે પણ ‘કોઈકની ટોપી ફેરવવાનો’ વિચાર આવતો હોય તો આ માનસિક હિંસા દ્વારા ‘અહિંસા’નો ભંગ થયો કે નહિં ?

માનવ ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, તેને અલગ કરી વૈશ્વિક ચેતના સાથે જોડવા માટે શરીર પર તેનો કાબુ હોવો જરુરી છે અને તે માટે ‘આસન’ અને ‘પ્રાણાયમ’ કરવા જોઈએ. દસ મીનીટ માટે શરીરના કોઈપણ હલનચન વગર બેસવાનો પ્રયત્ન કરજો, ‘સ્વાધ્યાય’ વગર નહીં બેસી શકાય. પ્રાણાયમ કરતી વખતે પણ શરીરના અમુક હિસ્સાઓનું હલનચલન થવું જોઈએ. પણ એવું બનતું નથી.

આથી મિત્રો ! હું એક કલાક ‘યોગ’ કરું છું એમ કહેવા કરતાં ફક્ત દસ મીનીટ જ કરો પણ સાચી રીતે કરો. રમદેવજીની યોગ-પ્રાણાયમની સીડી જોતી વખતે ફક્ત શ્વાસની કસરત પર કેન્દ્રીત ન થાઓ પણ એમની અન્ય સુચનાઓ ‘પ્રાણ શક્તિને મારા શ્વાસમાં ભરું છું’ ‘મારામાં પ્રાણશક્તિનો સંચાર થઈ રહ્યો છે’ એ વાક્યો પણ અગત્યના છે. એ વિચાર મનમાં રમતો હોવો જરુરી છે, અન્યથા ‘પ્રાણાયમ’ એ ફક્ત શ્વાસની કસરત બની રહે છે.

અષ્ટાંગ યોગમાં ત્યાર પછી ‘પ્રત્યાહાર’ આવે જેમાં ઇન્દ્રીયોમાંથી મનને ખેંચી લેવાની વાત છે. આ પાંચ અંગ – યમ, નિયમ, આસન, પ્રાણાયમ અને પ્રત્યાહાર, એ સામાન્ય માનવી માટે શક્ય છે એમ કહી શકાય. કારણ કે આગળના બે અંગ સિધ્ધ કરવા, જે મનુષ્યને વૈશ્વિક ચેતના સાથે જોડાઈ જવુ છે એવા યોગીઓ માટે શક્ય છે.

તો…. હવે હું રોજ ‘યોગા’ કરું છું એ બોલતી વખતે સુધારો કરજો…..