શબ્દસેતુ –

‘વિકારઉત્પન્નથાય’

હમણાંએકવિપશ્યનાનાસાધકમળ્યા. ગોરાઈના (મુંબઈ) સાધનાકેન્દ્રમાંશિબીરપુરીકરી, તુરતમાંપરતઆવેલાહતા. મૅંપણગોરાઈમાંએકશિબીરમાંભાગલીધેલોહતોઅનેમનેખરેખરમાંસ્વર્ગમાંરહ્યાનોઅનુભવથયોહતો, આથીમારાથીબોલાઈગયું ‘ઓહો ! ત્યારેતોતમનેલાગ્યુંહશેકેસ્વર્ગમાંઆવીગયા, અનેપાછાફરતીવખતેતોથયુંહશેકે, આક્યાંનરકમાંપાછાફર્યા, નહીં ?’

જવાબહતો – ‘એવુંતોનકહેવાય, વિકારઉત્પન્નથાય’

કેવીસહજઅભિવ્યક્તિ !

શિક્ષકોએકહેલુંઅનેશિષ્યએસ્વીકારેલુંકે – ‘આનંદ, સારું-ખરાબજેવીઅનુભુતિઓનીઅભિવ્યક્તનકરવીનહીંતર ‘વિકાર’ ઉત્પન્નથાય.’

હમણાં‘જ્ઞાનકેઅનુભુતિ’ નીપોસ્ટમાંવિચારેલુંકેજ્ઞાનસારુંકેઅનુભુતિ ? અનેતારણપણએવુંકાઢેલુંકે ‘અનુભુતિદ્વારામેળવેલુંજ્ઞાનસારું.’ 

ઉપરનાકિસ્સામાંએવુંલાગેકેઅધુરુંજ્ઞાનકેશિક્ષક/ગુરુપ્રતિનીવધુપડતીશ્રદ્ધા, ઘણીવખતજીવનમાંકોઈગુંચવણભર્યામાર્ગપ્રતિલઈજાય.

મારીદ્રષ્ટિએવિપશ્યનામાંમુખ્યએશીખવાનુંછેકેતમનેથતીસંવેદનાઓપ્રતિતમેસાક્ષીભાવકેળવો. તમનેઆનંદથાયકેતકલીફથાયપણતમેતમારામનનેએમાંઓતપ્રોતનથવાદો, જેથતુહોયતેનેસાક્ષીભાવેજોયાકરો. પલાઠીમારીનેબેઠાછોઅનેકલાકપછીકમરમાંસણકામારેછે, તોપણબસએ‘જોયાકરો’, થોડીવારમાંસણકામારવાનુંબંધથઈજશે. (સંભળેલીવાતનથી, મારીઅનુભવેલીવાતછે)

હવેજોઆવોસાક્ષીભાવકેળવાયતો ‘આનંદઆવ્યો’ કે ‘સ્વર્ગજેવુંલાગ્યું’ એશબ્દોનીઅભિવ્યક્તિમાં  ‘હું’ તોછુંજનહીતોવિકારક્યાંથીઆવે ? કારણકેસ્વર્ગનોઆનંદએમારાશરીરનીસંવેદનાછે. છતાંયગુરુએકહ્યુંકે ‘સ્વર્ગનીઅનુભુતિથઈ’ એવુંકહીએતો ‘વિકાર’ ઉત્પન્નથાય, અનેશિષ્યેસ્વીકારીલીધું. આવાકિસ્સામાંવ્યક્તિએપોતાનાજ્ઞાનનોઉપયોગકરવોજોઈએએમનથીલાગતું ?

એકબીજોસરળમાર્ગઅજમાવવાજેવોલાગેછે – શબ્દોનો ‘મન’ સાથેનોસેતુતોડીનાખવો.

વધુસમજીએતો – જ્યારેકોઈપણશબ્દબોલાયત્યારેઆપણુંમગજ, આપણીપાસેનીઅગાઊનીમાહિતીનાઆધારેએનીઆકૃતિતૈયારકરે, જેમકે ‘સ્વર્ગ’ શબ્દસાંભળીએતોભુતકાળમાંસ્વર્ગનીજેવ્યાખ્યાજાણીહોયતેનાઆધારેસ્વર્ગનુંચિત્રતૈયારથાય – મંદમંદપવનવાતોહોય, ઠંડી-ગરમીજેવોકોઈઅહેસાસનહોય, વાતાવરણપ્રફુલ્લિતહોય, અપ્સરાઓઅનેકિન્નરોફરતાદેખાય, સુગંધીતસંગીતમયવાતાવરણહોયવગેરેવગેરે. હવેઆચિત્રનાકારણે ‘મન’ તેનીઅનુભુતિકરવાલાગેઅનેસાધકનાકહેવાપ્રમાણે ‘વિકાર’ ઉત્પન્નથાય. જોસ્વર્ગ‘શબ્દ’ અનેમગજમાંઅંકિતથયેલાતેનાચિત્રવચ્ચેનાસંબંધના‘સેતુ’નોવિચ્છેદકરીનાખીએતો ‘વિકાર’ ઉત્પન્નથવાનીકોઈતકરહેતીનથી.

હજુએનાથીયઆગળવધીએતો – આપણાસામાજીકસંબંધોભાઈ-બહેન, પિતા-માતા, વગેરેનીવ્યાખ્યાઓથીઘણીવારતકલીફથાયએવુંનથીલાગતું ? ‘ભાઈ’ શબ્દનાકારણેમનમાંઉપસેલાચિત્રનોસંબંધજોતુટેતો ‘ભાઈ’ એએકવ્યક્તિમાત્રબનીજાયએવુંનથીલાગતું ? ‘ભાઈ’નેકારણેઆપણેતકલીફથાય, પણ ‘વ્યક્તિ’નાકારણેઆપણનેતકલીફથતીનથી. કોઈ ‘સગા’નાએક્સીડન્ટનીખબરવાંચીનેમનચિંતામાંઘેરાઈજાય, પણસવારમાંચાપીતાંપીતાંવંચાતા ‘એકસીડન્ટમાંપાંચમૃત્યુપામ્યા’ નાસમાચારનીઅસરકેટલી ?

કુછજ્યાદાહોગયાક્યા ?

કંઈનહી ! આતોમારી ‘શબ્દસેતુ’ તોડવાનીવાતહતી, તમેકોમેન્ટરુપીશબ્દસેતુબાંધીકંઈકજોડવાનીવાતકરીનાખો……….

પુનઃજન્મ – ૨

પુનઃજન્મ – ૨

(યુવાન મિત્રોએ આજની પોસ્ટ વાંચવા તસ્દી લેવાની જરુર નથી. 😐 વરિષ્ઠ નાગરીકોએ ખાસ વાંચવી, જેથી ‘ઉપર’ જવામાં ટેન્શન ન રહે. 🙂  પણ અંતમાં આપેલી મેડીટેશનની વીડીયો બધાએ જોવી :idea:)

ડીસેમ્બરમાં મારા એક મિત્રનો મેઈલ ‘પુનઃજન્મ’ અંગેનો મળેલો, અને પોસ્ટરુપે આપ સૌને પણ તેનો રસાસ્વાદ કરાવેલ. ત્યારબાદ ખાંખાખોળા કરવાની ઇચ્છા હતી, પણ આ વિષયની એટલી બધી કોન્ટ્રોવર્સી છે કે તમે છાતી ઠોકીને તેનું ‘તારણ’ કહી ન શકો. પ્રત્યેક વ્યક્તિએ પોતાના વિચારોને જ વળગવું જોઈએ અને પોતાની રીતે સમજવા જોઈએ.

મેં પણ મારા કેટલાક તર્ક લગાવ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો કે પુનઃજન્મ શું હોય શકે ?

મેં કોઈ સંસ્કૃત સાહીત્ય વાંચ્યું નથી વાંચનભુખના કારણે જે કંઈ વાંચ્યું અને તેમાથી સમજવાનો પ્રયત્ન કર્યો તે મુજબ –

નાદબ્રહ્મની ઉપાસના કરતા મોક્ષમાર્ગમાં પ્રચલિત તર્ક મગજને ગમે એવો છે. આ તર્ક અનુસાર –

omkar

ૐ ની બીંદીને શક્તિના મહાસાગર તરીકે કલ્પવામાં આવેલ છે. તેની નીચે વિષ્ણુલોકની કલ્પના છે. ૐ કારના પાછળથી આપણા વિશ્વના પ્રવેશદ્વારની કલ્પના કરેલ છે. ૐ ની નીચેના ભાગમાં આપણો પૃથ્વીલોક છે અને ઉપરના ભાગમાં વિવિધલોકની કલ્પના છે. (આ અંગેનું સરસ પોસ્ટર છે, પણ હાલમાં મારી પાસે નથી અને ઇન્ટરનેટ પર ક્યાંય મળ્યુ નહી. આથી મેં મારી રીતે બાજુનું ચિત્ર બનાવ્યું છે.)

હવે ૐ ની બિંદીના શક્તિ મહાસાગરમાંથી શક્તિનું એક ટીપું કોઈ ‘કારણસર’ છુટું પડે, જે ‘મહાકારણ શરીર’ તરીકે ઓળખાય. જે બ્રહ્માંડમાં તરતું તરતું ૐ ના પ્રવેશદ્વારથી ૐ માં પ્રવેશે. ત્યાંથી એ પૃથ્વીલોક સુધી પ્રવાસ કરે, આ દરમ્યાન તે પોતાના મુળ શરીર (મહાકારણ શરીર)ની ઉપર બીજા લેયર્સ (શરીર) ચડાવી લે અને અંતે માનવી કે પશુ/પક્ષીના દેહનું લેયર ધારણ કરી લે. આ થયો મનુષ્ય જન્મ. આ આખા પ્રવાસ દરમ્યાન શક્તિના બિંદુએ સાત શરીર ધારણ કર્યા હોય છે.

sevenbodies

આ સાત શરીરની કલ્પના બીજા ગ્રંથોમાં પણ થયેલી છે. (બાજુનું ચિત્ર ફક્ત સાત શરીરની કલ્પનાને સમજવા માટે જ આપેલ, એમાં દર્શાવેલ થીયરી અલગ છે. ‘પિંડે તે બ્રહ્માંડે’ ના નિયમ આધારિત છે, જે અલગ વિષય છે) વિજ્ઞાન આપણા ફીઝીકલ બોડી પરના લેયર ‘સુક્ષ્મ શરીર’ ના પ્રમાણ મેળવી શક્યું છે. હવે ફરી યાદ કરો કે શક્તિનું બિંદુ કોઈ ‘કારણ’ થી છુટું પડેલ છે અને મનુષ્ય દેહ ધારણ કરવાનો હેતુ આ ‘કારણ’ ને શોધવાનો અને તેનું નિરાકરણ કરવાનો છે. આમ માનવ શરીર, એ મુળે ‘કારણ શરીર’ માટે એક ‘ઇન્સ્ટ્રુમેન્ટ’ છે. જો ‘ઇન્સ્ટ્રુમેન્ટ’ કારણ શોધી શકે તો તે ‘exit’ (મોક્ષ) માંથી નીકળી ફરી શક્તિના મહાસાગરમાં સમાય જાય, જો કારણ ન શોધી શકે તો જેમ ઇન્સ્ટ્રુમેન્ટ ઘસાય જાય અને ફેંકી દેવું પડે તેમ શરીરને ફેંકી દેવું પડે (મૃત્યુ) અને નવું ઇન્સ્ટ્રુમેન્ટ શોધવું પડે (નવો જન્મ). પાછી તેમાં કર્મની થીયરી લાગુ પાડવામાં આવે અને કર્મ પ્રમાણે નવો જન્મ થાય. (સારા કર્મો કર્યા હોય તો દેવલોકમાં જવાય અને પુણ્યોનો ક્ષય થતાં પાછા મનુષ્યલોકમાં પરત આવવાનું થાય.) ટુંકમાં મનુષ્ય દેહ જ મોક્ષ અપાવી શકે.

મારું શું માનવું છે …..

આ આખી વાર્તામાંથી મેં – ‘શરીર’, એ શક્તિનું એક સ્વરુપ છે – એ સ્વીકાર્યું છે. કારણ કે વિજ્ઞાને પણ સુક્ષ્મ શરીરને સ્વીકાર્યું છે. હવે જો માનવદેહ શક્તિના મહાસાગરનો એક ભાગ હોય તો કોસ્મીક એનર્જીનો સ્વીકાર પણ આપોઆપ થઈ જાય અને જ્યારે એનર્જીના સાગરની વાત આવે એટલે સાગરના ‘મોજા’ની વાત પણ આવે. સાગરમાં મોજાઓ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. તો એવું કહી શકાય કે મોજાનું ઉત્પન્ન થવું એટલે માનવીનો જન્મ, ધીમે ધીમે મોજું મોટું થાય – માનવી પણ મોટો થાય, છેલ્લે નાનું થતા થતા (વૃધ્ધાવસ્થા) લય પામે (મૃત્યુ). આ માટે તમારે મોજું બનવાની અને લય પામવાની ક્રિયાને સ્લો મોશનમાં કલ્પવી પડશે.

waves

હવે પુનઃજન્મના વિજ્ઞાને શોધેલા દાખલાઓમાં પુનઃજન્મ પામેલા જાતકોમાં (કેમ લાગ્યું ? શાસ્ત્રીય શબ્દ છે !) બર્થમાર્ક કે વિચારો/ટેવો બીજા જન્મમાં પણ દેખાય છે. બાજુના ચિત્રમાં મેં ‘વેવ’નું ચિત્ર બનાવ્યું છે. પહેલા મોજા પર જે ટપકા મુક્યા છે તેને આપણે ‘વિચાર’ ગણી લઈએ. લય પામતા મોજા સાથે તે પણ નીચે આવે અને એ જ પાણી નવા મોજામાં પરિવર્તિત થાય ત્યારે એ વિચારો (ચિત્રમાંના ટપકા) ફરી એ જ જગ્યાએ બનેલા નવા મોજા પર જ રહે. આમ નવા જન્મમાં બર્થમાર્ક કે વિચારોનું વહન થાય. દરેક નવા બનતા મોજા પર નવો કચરો (વિચારો) ભેગો પણ થાય અને દુર પણ થાય.

રેકી અને વિપશ્યના પણ શરીરને ‘એનર્જી’ ના સ્વરુપે સ્વીકારે છે. એ અંગે વધુ વિચારો અગાઊની પોસ્ટમાં વ્યક્ત કરેલા જ છે.

https://bestbonding.wordpress.com/2012/06/02/reiki-1/

https://bestbonding.wordpress.com/2012/06/04/reiki-2/

https://bestbonding.wordpress.com/2012/06/05/reiki-3/

https://bestbonding.wordpress.com/2012/06/22/life-after-life/

ધ્યાન અને એસ્ટ્રલ પ્રોજેક્શનનો સુદર વીડીયો નીચેની લીન્ક પર છે. (સમય જોઈશે પણ જરુર જોજો)

http://www.youtube.com/watch?v=4KMUXPu4kwM

Meditation and astral projection explained

 

આપણ કોન્સીયસ વિષે બીબીસીનો નીચેનો વીડીયો પણા જોવા જેવો છે. (ટેકનીકલ વધારે છે, મને તો ટપો પડવામાં મુશ્કેલી પડી છે.)

http://www.youtube.com/watch?v=sNc52LmHgUs

BBC Documentary on Consciousness

અને છેલ્લે, ક્યાંક એક સમાચાર વાંચ્યા હતા કે વૈજ્ઞાનિકો મૃત્યુ પામતા માણસમાં કેટલો વેઈટ લોસ થાય છે એનું સંશોધન કરેલું – એટલે કે જીવતા માણસ અને મૃત્યુ પામેલો માણસ – એ બંને વચ્ચે ૨૪ ગ્રામનો તફાવત આવેલો. આમ આપણી ‘ચેતના’નું વજન ૨૪ ગ્રામ છે.

ટુંકમાં શરીરનું મહત્વ નથી, તે એક સાધન છે, અથવા તો બીજા શબ્દોમાં ઘનીભુત થયેલી ‘શક્તિ’ છે. સાધન ઘસાય જાય તેમ શરીર ઘસાય જાય અને ફરી ‘શક્તિ’માં પરિવર્તિત થાય. વિચારો પણ ‘ડેન્સ એનર્જી’ છે એ પણ શરીરના અસ્તિત્વ સાથે ફરી શક્તિ સ્વરુપમાં ફેરવાય જાય.

ઉદાહરણથી સમજવા –

હવામાં વિખેરાયેલી વરાળ –   વાદળ       –   બરફ

કોસ્મિક એનર્જી             –   સુક્ષ્મ શરીર –   શરીર