ઘરવાપસી –

જુઓ તમને ‘ધર્માંતરણ’ની યાદ આવી ને ? જો કે મારે બીજી વાત કરવી છે પણ તમારા મગજમાં આવ્યું છે તો પહેલાં તેનો થોડો વિસ્તાર કરી લઈએ.

થોડા સમય પહેલાં સમાચાર પત્રોમાં ધર્માંતરણનો મુદ્દો ખુબ ચગ્યો, રાજકારણીઓ અને મીડીયાએ કાગારોળ મચાવી, પણ પછી શું થયું ? તેનો કોઈ અતોપતો નથી.

300 dpi SW Parra color illustration of many hands connecting together puzzle pieces, each with a different religious symbol. The Fresno Bee 2009 religious tolerance illustration interfaith diversity symbol symbols puzzle pieces hands working together team global belief god cross om shanti islam judaism; krtfeatures features; krtnational national; krtreligion religion; krtworld world; krt; mctillustration; belief; faith; values value; REL; 12000000; 12002000; 12006000; 2009; krt2009; parra fr contributed coddington mct mct2009 2009

(With thanks from http://penumbramag.com/)

પણ, આ મુદ્દો દરેકે વિચારવા જેવો તો છે જ.

‘ધર્મ એટલે શું ?’ એ વિચારવાનો સમય (?) મળતો નથી. કારણમાં તો યુવાનીમાં કેરીયર અને નિવૃતિમાં સ્વાસ્થ્ય નડતરરુપ છે. ( અને નિવૃતિમાં જે છે તે સ્વીકારી લેવાની વૃતિ અને ‘માથાકુટ’ (?) માં ન પડવાની વૃતિના કારણે ‘ધર્મ’ સમજ્યા સિવાય વિદાયવેળા આવી જાય છે.)

મને માથાકુટ કરવાની ઇચ્છા થઈ અને મેં ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા તેમાંથી જે ગમ્યું અને મારા વિચારો સાથે મેળ ખાતું હોય તે, પણ તમારા વિચારો જાણવા અહીં મુક્યું.

ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, (ક્યાંક વાંચેલું)

ધર્મ એટલે અંતરની શાંતિ,

ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,

ધર્મ એટલે જીવનનું ચાલક બળ,

ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,

ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,

ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,

ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,

ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને

ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,

એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.

વીકીપેડીયા મુજબ – ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

“જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

શરુઆતમાં વર્ણાવેલા ‘ધર્મ એટલે ….’ ના સર્વ મુદ્દાઓને ગણત્રીમાં લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે ધર્મ એ જીવન જીવવાની શૈલી છે.

ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં ચંદ્રીકાબેનનો સરસ આર્ટીકલ વાંચવા મળ્યો –

પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે. તેના આ ધર્મની બાદબાકી થઇ જાય, તો તે વસ્તુનું વસ્તુત્વ જ નષ્ટ થઇ જાય. આપણે એ જાણીએ છીએ, કે અગ્નિનાં બે ધર્મ છે–દાહકત્વ અને પ્રકાશકત્વ. અગ્નિમાંથી આ મૂળભૂત ધર્મની ઉપેક્ષા કરીએ તો અગ્નિ રહે જ નહી. તે માત્ર લાકડું કે કોલસો જ હોય. આ મૂળભૂત ધર્મ, બહારથી આવતો નથી, પણ જે તે વસ્તુમાં ઓતપ્રોત હોય છે; તેને સહજ કે સ્વાભાવિક ધર્મ કહેવાય. તે દૂર કરી જ ન શકાય.

એક રીતે, ધર્મ તો આપણા અસ્તિત્વનો આધાર કે નિયમ, જે કોન્ફયૂશિસે કહ્યું છે કે, ‘આપણે જેને આપણા અસ્તિત્વને નિયમ માનીએ છીએ, તે જ ઇશ્વરીય કાનૂન છે. આને જ નૈતિક કાનૂન કહે છે. આ નૈતિક કાનૂન જયારે પ્રથામાં ઢળે છે, ત્યારે તે ‘ધર્મ’ બને છે.”

ગાંધીજીના ‘હિન્દુ ધર્મનું હાર્દ’ એ પુસ્તકના સંપાદક અને ચિંતક શ્રી વિશ્વાસ ખેર, તેના સંપાદકીયમાં નોંધે છે કે, ‘ધર્મ તરીકે ઓળખાતા નૈતિક કાનૂનમાંથી, આપણે જીવનભર, એકેય વાર, છટકી શકતા નથી. જેમાંથી છટકી જવાય, તે નૈતિક કાનૂન હોઇ ન શકે. આ કારણે જ નિતીમાન કે ધાર્મિક વ્યક્તિ પોતાના વિચાર અને આચાર પર સતત નજર રાખે છે. તે જાણે છે કે, જીવનમાં, અન્ય સર્વ છોડી શકાય પણ ધર્મ-ચ્યુતિ ન કરાય, ધર્મથી વિમુખ ન જ થવાય. આ ધર્મ જ જીવનનો આધાર છે. જે આપણને ધારણ કરે કે ટકાવે, તે ધર્મ. મનુષ્યને ‘મનુષ્ય’ તરીકેની ઓળખ આપે અને તે સ્વરૂપે તેને સ્થિરતા આપે તે છે ધર્મ.

‘આપણી બે અલ્પતાઓ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી –

માનવીનું જીવન પ્રકૃતિના આધારે છે. દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે આથી એના નૈતિકતાના નિયમો પણ અલગ અલગ હોય એટલે ધર્મો પણ અલગ અલગ અસ્તિત્વમાં આવે ને !

નૈતિક સિધ્ધાંતો/નિયમોની સમજણ આપતા સ્વામી વિવેકાનંદના વિચારો

શ્રી અતુલ જાનીના બ્લોગ પર વાંચ્યા –

સ્વામીજીએ ‘વેદ’ નો પરિચય આપતા કહ્યું “’વેદ’ એટલે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભુલી જશે તો પણ અસ્તિત્વમાં રહેવાનો છે તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિષે સમજવાનું છે.”

આમ આપણું અસ્તિત્વ જ ‘ધર્મ’ છે.

હિંદુધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે – ધાર્મિક વિધીઓ અને આધ્યાત્મ તત્વ. આધ્યાત્મ તત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા. આજે વહેવારિક જગતમાં ‘ધાર્મિક વિધીઓ’ ને ધર્મનું નામ આપી દીધું છે. એમાં જેને રસ નથી તે ‘નાસ્તિક’. પણ નાસ્તિક એ ‘ધાર્મિક નથી’ એમ કહી શકાય નહી.

ધાર્મિક વિધીવિધાનોના મુળમાં વીકીપેડીયાની ‘હિદુ ધર્મ’ની લિન્ક વાંચવા મળી –

ગુજરાતી વીકીપેડીયામાં હિંદુધર્મની ચર્ચામાં લખે છે –

“રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.”

આનો સ્પષ્ટ અર્થ એ થાય કે ‘ભક્તિમાર્ગ’ની શરુઆતથી મુળ ધર્મથી ફંટાઈને ક્રિયાકાંડ અને ધાર્મિક વિધીવિધાનોની શરુઆત થઈ. એમાંથી આજના ‘સંત-મહાત્માઓ’ અસ્તિત્વમાં આવ્યા, અને ધર્મ એ ‘ધંધો’ બની ગયો.

જ્યારે પણ કોઈ ક્રિયા ‘ritual’ બની જાય ત્યારે તેનું મુળ તત્વ વીસરી જવાય છે. તમે ઘણી વખત જોયું હશે, બાઈક પર સ્પીડમાં જતો યુવાન કોઈ મંદીર પાસેથી પસાર થાય ત્યારે ક્યાં તો હોર્ન મારે, ક્યાં તો માથે અને છાતીએ હાથ લગાડી માથુ નમાવે. આમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું પ્રદર્શન લાગે, પણ ખરેખર તો એ ફક્ત ‘ritual’ થી વધુ કશું નથી હોતું. તેના મનમાં કુટીલ વિચારોનું ચક્ર ચાલુ જ હોય.

આવું આપણી ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું છે. મંદીરે જવાનું બુઢ્ઢા થયા પછી જ હોય, યુવાનીમાં ભગવાનની કોઈ જરુર નથી, જે છે તે આપણે જ છીએ. ‘હું કરું’ એ સિવાય કશું નથી. આમ આપણે જીવનશૈલી અને ધર્મને અલગ કરી દીધા છે.

પાતંજલીના યોગસુત્રોમાં જીવનશૈલીની સુપેરે સમજ આપેલી જ છે. યોગના પ્રથમ બે ચરણો – યમ. નિયમ – એ જીવનશૈલીનું માર્ગદર્શન જ છે. પાંચ ‘યમ’ – સત્ય, અહીંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – જે વ્યક્તિએ પોતે સમાજના સંદર્ભમાં પાળવાના નૈતિક નિયમો છે. જ્યારે ‘નિયમ’ – શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજન – એ વ્યક્તિએ ‘સ્વ’ માટે પાળવાના નૈતિક નિયમો છે. આમ ‘યમ, નિયમ’ જીવનશૈલી ઘડવાનો આધાર છે.

………. અને ગાંધીજીના અગીયાર વ્રતો કેમ ભુલાય –

સત્ય , અહિંસા , ચોરી ના કરવી , વણજોતું ના સંઘરવું….
બ્રહ્મચર્ય ને જાતે મહેનત , કોઈ અડે ના અભડાવું…..
અભય, સ્વદેશી, સ્વાદ જ તજવો , સર્વ ધર્મ સરખા ગણવા….
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા……

આ બધી ભેજાફોડીનું તારણ કાઢવું હોય તો –

પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિના આધારે જીવન જીવવા માટેના નૈતિક નિયમો નક્કી કરી ‘સ્વધર્મ’નું નિર્માણ કરવું અને હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે બાબતો ભુલી જઈ ‘સ્વધર્મ’નું પાલન કરવું.

અંતે….

સમીર દરજીના બ્લોગ પરથી કેટલાક સામાજીક પાપોની વાત –

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ 

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ 

(૭) ત્યાગવિહીન પૂજા

ધર્મને સમજવાની મથામણમાં મારે ‘ઘરવાપસી’ની વાત કહેવાની રહી ગઈ (છેલ્લા ત્રણ-ચાર મહીના બ્લોગ પરની હાજરીની અનિયમિતતાનું કારણ) – આ ઘરવાપસી એટલે સુરતથી ગાંધીનગર પરત થયો, જ્યાં મેં સંસારની શરુઆત કરી અને જીંદગીના સ્ટ્રગલ અને સુખના ચાલીસ વર્ષો વિતાવ્યા હતા.

હવે …. સુખે ભજશુ  શ્રીગોપાળ……

કુંભ –

કુંભ –

kumbhlogo

આજે એક બ્લોગ પર પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન કાર્યક્રમમાં પાંખી હાજરીથી શરુ થયેલ લેખ, બીજા પેરેગ્રાફથી ભારતની ધર્માંધતા (?) પરની ચર્ચા દ્વારા અલ્હાબાદનો કુંભમેળો પસાર કરી વહેવા લાગ્યો અને ગંગાની જેમ દુષીત થઈ ગયો. મેં થોડી હકીકતો પર ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો, ત્યારે એક મિત્રએ પુછી પાડ્યું કુંભમેળા વિશે આપનું શુ કહેવું છે ? ત્યાં તો મેં પ્રત્યુત્તરમાં જણાવી દીધું કે “મને ધર્મ કે ભગવાનમાં રસ નથી મનુષ્યમાં રસ છે, આથી કુંભ વિષે શું લખું ?” પરંતુ ધર્મિકતા દ્વારા શ્રધ્ધાનું ઘડતર થાય છે એ અંગે કદાચ કોઈ અન્ય મત નહીં હોય. નાનપણમાં બાળકને મા-બાપ પર શ્રધ્ધા હોય છે કારણ કે તેઓ તેને ‘પ્રોટેક્ટ’ કરે છે, ‘હુંફ’ આપે છે. મોટા થતા યુવાન આવા જ કોઈ ટેકાની શોધમાં હોય છે. મિત્ર, પ્રેમિકા, પત્ની, કોઈ ‘રોલ મોડેલ’, કોઈ પણ હોય શકે. હવે જો આ ટેકામાં કોઈ ‘ખામી’ દેખાય તો, (દેખાવાની જ કારણ કે સામેની વ્યક્તિ જીવંત છે, તેને પણ પોતાના વિચારો, પોતાનું રોલ મોડેલ હોવાનું જ, અહીં મતભેદ અને પાછળથી વિચારભેદ થવાનો જ) યુવાન અન્ય ટેકા માટે પ્રયત્ન કરે. એમાં હાથવગો ટેકો ભગવાનની ‘મુર્તિ’ નો મળી જાય, કારણ કે તે કોઈ ડાયલોગ કરવાની નથી, કોઈ મતભેદ કે વિચારભેદની શક્યતા નથી. (ભગવાનમાં શ્રધ્ધા કેટલા યુવાનોમાં છે એનો કોઈ આંકડો મારા ધ્યાનમાં નથી, પણ વિવિધ પ્રસંગોએ મંદીરોમાં યુવાનોની હાજરી પ્રમાણમાં વધારે દેખાય છે. એનાથી પણ એક વધુ વાત કરું તો સ્પીડમાં બાઈક પર જતા યુવાનો મંદીર પાસેથી પસાર થાય છાતી અને હોઠે હાથ લગાડીને માથા પર ફેરવતા મેં જોયા છે. ભલે તે એક રીચ્યુઅલના ભાગરુપે કરતા હોય પણ મુળીયા તો ધર્મ સુધી પહોંચે જ.) સીનીયર સીટીજનો તો ‘ધર્મ’ નો ટેકો લઈ જ લે, કારણ કે ઘરમાં …..(શાનમાં સમજોને !)

વચ્ચે એવું ક્યાંક વાંચેલુ કે ભારતની સંપત્તિનો ૯૦-૯૫ ટકા હિસ્સો, ભારતની વસ્તિના ૫-૭ ટકાના હાથમાં છે. એનો સીધો અર્થ એ થાય કે બાકીના ૯૦-૯૫ ટકાની વસ્તિ ફક્ત ૫ ટકા સંપત્તિ સાથે જીવે છે. જીવન જીવવા માટેનો એક આધાર ‘સંપત્તિ’ છે, તો આ ૯૦ ટકા વસ્તિ કોનો માનસિક ટેકો કે હુંફ લેશે ? જ્યાં કોઈ ખર્ચ થતો નથી તેનો ! અને એવા સ્થળોમાં મંદીર-મસ્જીદનો સમાવેશ થઈ જાય, અને વ્યક્તિ ‘ટેકો’ મેળવવા ‘ધાર્મિક’ બની જાય. (મંદીરોમાં સોનુ આપનારાઓ પેલા પાંચ ટકાવાળા છે, ગરીબ પ્રજા તો મંદીરોમાં મનસિક ટેકો કે હુંફ મેળાવવા જાય છે, આથી એથીસ્ટ, રેશનાલીસ્ટને વિનંતિ કે ગરીબ પ્રજાની ધાર્મિકતાની ઠેકડી ઉડાડવાને બદલે, આ પાંચ ટકાને સમજાવવા જાય, અને કોમેન્ટ લખનારાઓને પણ વિનંતિ કે શ્રધ્ધાના કારણે ફના થઈ જનારા ગરીબોના અપવાદોને ટાંકીને સામાન્ય શ્રધ્ધાળુઓની મજાક ના કરે.)

kumbh

કુંભ મેળા વિષે કંઈ કહેવાનું હોય તો મારી કોઈ એવી અંગત શ્રધ્ધા નથી. કુદરતે સમયનું નિર્માણ કર્યું હશે પણ વાર-તિથી મનુષ્ય એ બનાવ્યા છે. આમ  અમુક દિવસો સારા એમ માનવું મારા માટે શક્ય નથી. ‘કાળ’ બધો સરખો જ છે. ગમે ત્યારે નદીમાં ડુબકી લગાવી શકાય, પછી ગંગા હોય કે અન્ય, પણ આનંદ આવે છે એ અનુભવ્યું છે. કુંભમેળાના દિવસો અને સ્થળ માટે, રાશી-નક્ષત્રોના કોઈ વૈજ્ઞાનિક કારણો હોય તો મારી પાસે કોઈ આધાર કે જ્ઞાન નથી.

ધાર્મિકમેળાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરનારા દેશી-વિદેશી વૈજ્ઞાનિકોના ગ્રુપ દ્વારા થયેલા સંશોધનનું એક સરસ તારણ એ છે કે આવા મેળાઓ વ્યક્તિને પોતે ‘એકલો’ નથી એવો અહેસાસ કરાવે છે –

Stephen Reicher, a psychologist at the University of St. Andrews, in Scotland, who worked on the study, writes in the Guardian: –
Our analysis… shows it is the sense of intimate social relations – that we are not alone, that we can call on others, that these others form a “social safety net” for us – that creates improvements in well being once [devotees] leave the Ganges and go back to their everyday lives.

વધુ વિગત નીચેની લીન્ક પર વાંચો.

http://world.time.com/2013/01/15/the-kumbh-mela-inside-the-worlds-single-largest-gathering-of-humanity/

(ગુજરાતી કોલમીસ્ટ અને બ્લોગર મિત્રોએ અંગ્રેજી કોલમીસ્ટ પાસેથી વિવેક અને તટસ્થતા શીખવા જેવી છે. કુંભમેળાના શ્રધ્ધાળુઓ દ્વારા એકાદ માસમાં થતા ગંગા પ્રદુષણની ટીકા કરવા કરતાં, ગંગા કિનારે આવેલા કારખાના અને શહેરોની ગટરોના અભ્યાસ કરવા જેવા છે અને એ વિષે લખવાની વધુ આવશ્યકતા છે.)

આડવાત તરીકે –

કુંભમેળામાં ધાર્મિક સાધુબાવાઓની ચર્ચા પણ થાય છે, પણ ‘એલર્જી’ ને યાદ કરતાં લખું તો કુંભમેળામા રામદેવજી પણ છે. જાહેરમાં ‘એલોવેરા’ નું પાંદ ચહેરા પર ઘસી, એનો જ્યુસ બનાવવાની રીત અને પીવાથી થતા ફાયદાઓની ચર્ચા કરનાર અને ‘સ્વદેશી’ની હિમાયત કરનાર ‘વેપારી’ સાધુ બીજે ક્યાંય ધ્યાનમાં હોય તો જણાવશો, આનંદ થશે.