મનની ખીંતી –

આજે ગુજરાત લેક્સીકોન સાઈટ મુકેલી ‘સન્ડે મહેફીલ’ના એક અંકમાંથી લીધેલી એક નાનકડી વાત –

મનની ખીંટી –

khiti

અમારા ઘરમાં રીપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દીવસની આ વાત છે. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરુ કર્યા પછી અધવચ્ચે એની ઇલેક્ટ્રીક કરવત બગડી ગઈ. દિવસ પુરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં.

હું એને મારી ગાડીમાં એના ઘરે મુકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં. અમે એના ઘરે પહોંચ્યા ત્યારે એણે કહ્યું – “ઘરમાં થોડીવાર આવો ને ! મારા પત્ની અને બાળાકોને તમને મળીને આનંદ થશે.”

ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બંને હાથ એણે ઝાડ પર મુક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મીત ફરી વળ્યું. એના બે બાળકોને એ વહાલથી ભેટ્યો અને પત્નીને પણ ચુમી આપી.

plant_at_front

મને એ કાર સુધી મુકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતુહલ હું રોકી શક્યો નહીં. મેં એને પુછ્યું – “ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?”

“અરે ! હા, આ ઝાડ તો મારા મનની ખીંટીં છે. હું કામે જાઊં ત્યાં કોઈને કોઈ તકલીફ તો આવવાની; પણ એક વાત તો નક્કી કે ઘરે મારા બાળકો અને મારી પત્નીને એની સાથે શી લેવાદેવા ? એટલે જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી ઘરમાં દાખલ થાઊં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઊં છું. પણ નવાઈની વાત તો એ છે કે રાતે મુ્કેલી તકલીફોમાંથી ઘણી્ખરી સવારે ત્યાં હોતી નથી.”

 

કુટુંબ સાથે ખુબ મજાથી જીવવાની સરસ મજાની શીખ !

યાદશક્તિની ટેકનીકોમાં પણ આવી ખીંતીની વાત સંભળેલી. આ બધુ વાંચવામાં ખુબ સારું લાગે છે. હૃદય ગદગદીત થઈ જાય. પણ …. પણ …. ખરેખર આવું બની શકે ?

મહદ અંશે તો એવું કહેવાય છે કે તમે તમારી સારી-નરસી લાગણીઓને અન્ય સાથે વહેંચો તો ફ્રેશ થઈ જવાશે. આ જ સિધ્ધાંત પર તો ઇન્ટરનેટની સોસીયલ સાઈટ્સ ચાલે છે, એવું નથી લાગતું ?

ઉપરની વાતમાં ‘તકલીફ’ શબ્દ ઉપયોગમાં લીધો છે તો આપણે એવું કહી શકીએ કે આપણને કામ કરવામાં પડેલી  તકલીફોનો બોજ ઘરના માણસોને આપવાની જરુર નથી, કે જણાવવાની પણ જરુર નથી.

પણ કામ દરમ્યાન આપણે અનુભવેલી લાગણીઓ કુટુંબ સાથે શેર ન કરી શકાય ? અનુભવેલી સારી લાગણીઓ શેર કરવાથી તેમને આનંદ થાય અને નરસી લાગણીઓમાં આપણને તેઓનો ટેકો મળે.

બસ ! એટલી જ સાવચેતી રાખવાની રહે કે, કઈ લાગણી કોની સાથે શેર કરવાની. બધી જ વાત બધાને કહેવાની જરુર નથી. એ જ પ્રમાણે લાગણી શેર કરવાનો સમય જોવો પડે.

અહી તો તકલીફ અને લાગણીઓની વાત કરી પણ ‘પ્રશ્નો’ નું શું ?

એક જવાબદાર અધિકારી ઓફીસના અગત્યના પ્રશ્નો ઝાડની ખીંતી પર લટકાવી શકે ખરો ? કારખાનાનો માલીક ઘેર આવી, કારખાનામાં ચાલતી પ્રોસેસના પ્રશ્નોમાંથી મુક્ત રહી શકે ખરો ?

પ્રથમ નજરે તો શક્ય લાગતું નથી. ઘરની વ્યક્તિઓને પોતાની તકલીફોથી દુર રાખી શકાય… એ શક્ય છે.

પણ વ્યક્તિ પોતે અગત્યના પ્રશ્નોથી દુર રહી શકે ?

જો કે creative problem solving process માં તો એવું કહેવાયું છે – તમે તમારા પ્રશ્નોને થોડા સમય માટે ભુલી જાઓ. તમારું જાગૃત મન ભલે પ્રશ્નને ભુલી જાય પણ અર્ધજાગૃત મન તેના પર કામ કરતું રહે છે, અને અચાનક જે તે પ્રશ્નના નિરાકરણનો ઝબકારો તમારા જા્ગૃત મનમાં કરે છે. આ સાચુ પણ છે તમે પણ ક્યારેક અનુભવ્યું હશે. એક ઉદાહરણ જોઈએ તો – ધારો કે રસ્તા પર જતા તમને કોઈ વ્યક્તિ મળી જાય, ઘણા સમય બાદ મળી હોય, તમને કદાચ એનું નામ એ સમયે યાદ ન આવે, છતાં તમે તેની સાથે વ્યવસ્થિત રીતે હાય-હે્લ્લો કરો અને છુટા પડો. આગળ વધતાં તમારું મન અન્ય બાબતમાં પરોવાય ગયું હોય. અને થોડે આગળ જતાં મનમાં પેલી વ્યક્તિના ‘નામ’નો ઝબકારો થાય છે. હકીકતમાં તો તમારું જાગૃત મન અન્ય વિચારો પરોવાય જાય પણ, તમે નામ યાદ કરવા કરેલી મથામણ અર્ધ-જાગૃત મનમાં ચાલુ રહે છે અને પાછળથી નામ યાદ આવે છે.

આમ પ્રશ્નોને ભુલી જવા્થી પણ ફાયદો જ છે.

અંતે એટલું તો સાચું ‘ખીંતી’ જરુરી છે એ પછી તક્લીફો લટકાવવાની હોય, લાગણીઓ લટકાવવાની હોય કે પછી પ્રશ્નો લટકાવવાની હોય.

એટલે તો આંગણામાં તુલસીનું કુંડુ રાખવાનું કહ્યું છે. …….. શું ક્યો છો ?  🙂

(ચિત્રો ઇન્ટનેટ પરથી સાભાર)

5 comments on “મનની ખીંતી –

  1. Vinod R. Patel કહે છે:

    પ્રેરક બોધ કથા

    કુટુંબી જનો સધિયારો આપી શકે પરંતુ માણસે પોતાની વ્યથાઓનો ક્રોસ જાતે જ

    ઉપાડવાનો હોય છે . ગીતામાં કહેલી સ્થિત પ્રગ્નતા જરૂરી બને છે .

    Like

  2. સમજણ’રૂપી સોનેરી મૂડી . . .

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?