ધર્મ-વિજ્ઞાન-વિવેક

ધર્મ-વિજ્ઞાન-વિવેક

હીપ્નોટીઝમ, ધ્યાન, જાપથી આવતી ‘ટ્રાન્સ’ અવસ્થા સમજવાની મથામણ ચાલતી હતી ત્યાં ધર્મ અને વિજ્ઞાનનો વિવાદ વચ્ચે ટપકી પડ્યો અને મગજ ખાલી કરી ‘હળવા બનવાનો’ પ્રયત્ન કરવાનું આવ્યું.

કેટલાક બ્લોગ પર વિજ્ઞાનની વાહ વાહ, ધર્મની આહ આહ, પૌરાણીકતા એટલે પડતીની ખાઈ અને વૈજ્ઞાનિક વિકાસ એટલે ઉન્નતિનું શિખર – પર ચર્ચા ચાલી. ભુતકાળમાં પણ આવું જ બન્યુ હતુ. આવું બને ત્યારે લાગે કે જાણે શાંત સરોવરમાં કોઈકે કાંકરીચાળો કર્યો અને વમળ ઉઠ્યા. સામાન્ય માણસ છું એટલે આ વમળોમાં ફસાઈ જવાય. પાછી તકલીફ કેવી ? ‘લોકો તો લખે તમે શું કામ વાંચો છો ?’ જેવી સાદી સલાહને પણ ન અનુસરાય. પણ તમે તો, આ પોસ્ટ વાંચતા પહેલા વિચારી લેજો એવી મફત સલાહ !

એવું વાંચ્યુ કે ‘ધર્મ અને વિજ્ઞાન સનાતન છે’

મને તો બંને પરિવર્તનશીલ લાગે છે. કુદરતના નિયમો સનાતન છે. માનવીએ નિર્માણ કરેલા ‘ધર્મ’ ગુરુઓની સાથે બદલાતો રહે છે. (નક્કી તમારે કરવાનું છે કે તમે ‘કુદરત’ ને ધર્મ માનો છો કે ગુરુઓએ સુચવેલા ધર્મને માનો છે.)

વિજ્ઞાન તો હંમેશા પરિવર્તનશીલ જ રહ્યું છે. આજે પ્રતિપાદીત થયેલો ‘સિધ્ધાંત’ થોડા સમય પછી ખોટો પણ સાબિત થાય. નમુના જોઈ જજો –

http://en.wikipedia.org/wiki/Superseded_scientific_theories

http://www.toptenz.net/top-10-most-famous-scientific-theories-that-turned-out-to-be-wrong.php

આવી તો ઘણી લીન્કસ છે.

આજના નાસ્તિક (?) કે રેશનાલીસ્ટ (?) ધર્મ ગુરુઓનો વિરોધ કરવાને બદલે ધર્મને બદનામ કરવામાં કે વાણીવિલાસ કરવામાં પોતાને નિષ્ણાત સમજતા હશે.

મુળ તો ધર્મગ્રંથો બનાવવા પાછળનો હેતુ સમજ્યા વિનાની આ વાત છે. એક મુદ્દો ભુલી જાય છે કે બધા માનવીઓની સમજવાની માનસિક શક્તિ સરખી હોતી નથી. વિજ્ઞાનના સિધ્ધાંતો સામાન્ય માનવીની સમજ બહાર છે. આ લોકોને વિજ્ઞાનના સિધ્ધાંતો સમજાવવા માટે સમજુ વ્યક્તિઓએ ધર્મનો સહારો લીધો. વિજ્ઞાનના સિધ્ધાંતોને ધર્મના ‘નિયમો’ બનાવી સાદી ભાષામાં સમજાવ્યા.

સાદો દાખલો જ લઈએ – ધર્મના નિયમોમાં ‘ઉપવાસ’નું મહત્વ ભગવાનના નામે સમજાવ્યું, તો શરીરવિજ્ઞાને પણ ક્યારેક ભુખ્યા રહેવાનું સુચવ્યું જ છે. હેલ્થ કોન્સીયસ વિજ્ઞાનને સમજી ‘ઉપવાસ’ કરે અને આસ્તિક માણસ ધર્મને નામે ‘ઉપવાસ’ કરે. શો ફરક છે ?

ધર્મગ્રંથ રામાયણમાં ક્યાંક લખ્યુ હશે કે ‘રામના નામે પથ્થરો તર્યા’ (અહીં એક કબુલાત કરી દઉં કે મારી પાસે, ધર્મિક ગ્રંથો વિષે  બાળપણમાં બાલવાર્તાઓમાં જે વાંચ્યુ હશે તેટલી જ જાણકારી છે. વધું ચોકાવનારું કથન એ છે દુનીયાના મહાન ગ્રંથોમાં જેની ગણના થાય છે તે ‘ગીતા’ પણ નથી વાંચી – કારણ કે સંસ્કૃત આવડતું નથી અને અનુવાદોમાં, અનુવાદ કરનારાઓ પોતાના ‘પર્સેપ્શન’ લખે છે એવું લાગ્યું. આથી ફક્ત ‘મનુષ્ય’ને અને ‘કુદરત’ને મારી સમજ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરું છું.)

આપણી વાત હતી રામના નામે પથ્થર તર્યાની. રામસેતુનું અસ્તિત્વ છે તે વિજ્ઞાને સાબિત કર્યું છે. રામાયણ લખનાર એન્જીનીયરીંગ ડીટેઈલ આપે તો સમાજની બધી વ્યક્તિ સમજી ન શકે અને લખનારે  સામાન્ય લોકોને રામાયણના પાત્રોમાં ‘શ્રધ્ધા’ વધે અને તેમણે કરેલા કાર્યોમાંથી બોધ મેળવવા પ્રયત્ન કરે એ માટે ‘વધારીને’ વાત કરી હોય એવું પણ બને ! વૈજ્ઞાનિકો આવી જ રીતે ‘વધારીને’ વાત નથી કરતા ? દવા કંપનીઓ પોતાના ‘ભાડે’ રાખેલા વૈજ્ઞાનિકો દ્વારા દવાઓની આડ અસરોને છુપાવી ફાયદાઓની વાત ‘વધારીને’ કરાવે જ છે.

વિજ્ઞાનની શોધો માનવીને ઉપયોગી બને જ છે પણ તેની આડ અસરો પણ છે. મોબાઈલ ટેકનોલોજી જેટલી ઉપયોગી છે એટલી જ બિભત્સ MMS નો પ્રસાર કરવામાં અગ્રસ્થાને છે. ઘણીવાર આધુનિક ટેકનોલોજી ખુબ ઉપયોગી લાગે છે પણ તે ‘દેખીતું’ (apparent) હોય છે.  ધર્મના નિયમો પણ ઉપયોગી લાગે છે પણ એના કારણે ‘વાડા’ બંધાય છે એ પણ હકીકત છે.

મારી દ્રષ્ટિએ તો ધર્મ અને વિજ્ઞાન બંનેને ‘વિવેક’ની લગામની જરુર છે. બંને જો ‘માનવી’ અને ‘કુદરત’ ને ધ્યાનમાં રાખી આગળ વધે તો નુકસાન નથી. માનવી કુદરત સાથે સાયુજ્ય સાધી, સરળ જીવન જીવી શકે એવા સંશોધનો કે ધાર્મિક નિયમોની જરુર છે.

વિજ્ઞાન નવી શોધની દિશામાં આગળ વધે ત્યારે તેણે ‘સામાન્ય માણસ’ને ધ્યાનમાં રાખી, તેની કુદરતી જરુરીયાતો કેટલી સંતોષાય છે તેનું ધ્યાન રાખવું પડે. ઉધ્યોગ ધંધાની જેમ ‘રીટર્ન’ ની ગણત્રીઓ મુકવી જોઈએ. જંગલો કાપીને પછી વાતાવરણને સુધારવા ‘આર્ટિફિસિયલ ટ્રી’નું સંશોધન કરવા કરતાં જંગલોનો વિકાસ કેમ વધે એ શોધવું વિજ્ઞાન માટે વધારે અગત્યનું ગણાય.

પણ વૈજ્ઞાનિકો અને ધર્મગુરુઓ પોતાની ધુનમાં મસ્ત છે.

આપણે જ વિવેક રાખ્યા વગર છુટકો નથી.

જેમણે કુદરતના નિયમો નેવે મુક્યા છે તેને કુદરત સજા કરી જ દે છે. આપણે કદાચ સુકા ભેગું લીલુ બળવાના નિયમમાં આવી જઈએ છીએ.

Helpless creature !

આ પ્રકારનો લેખ શ્રી ગોવિંદભાઈ મારુના બ્લોગ ‘અભિવ્યક્તિ’  પર વાંચવા મળ્યો. આસ્થા સમજવાનો સુંદર પ્રયત્ન થયેલ છે શ્રી બી. એમ. દવે – ‘આસ્તિકતાનું પ્રત્યારોપણ’.  (https://wordpress.com/read/feeds/58904/posts/1315185098)

કેટલાક અવતરણો – ‘

બાળકના ઉછેર દરમીયાન સર્વ ધર્મસમભાવનાના પાઠ ભણાવવાને બદલે અપવાદોને બાદ કરતાં મોટા ભાગે પોતાનો ધર્મ જ સૌથી શ્રેષ્ઠ હોવા અંગેનું અફીણ પીવડાવવામાં આવે છે.

બાળકોને ધર્મ સમજાવવામાં નથી આવતો; પણ ઠોકી બેસાડવામાં આવે છે.

મુળભુત રીતે ધર્મની સ્થાપના પાછળનો મુળભુત હેતુ દુનીયાની સમગ્ર પ્રજા વચ્ચે ભાઈચારો, સમ્પ, સહકાર, સદાચાર તથા પ્રેમની લાગણી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના જગાવવાનો છે; પરન્તુ ધર્મની સ્થાપનાના માધ્યમથી આ હેતુ સીદ્ધ થયો હોય તેમ જણાતું નથી.

 

 

7 comments on “ધર્મ-વિજ્ઞાન-વિવેક

  1. “હેલ્થ કોન્સીયસ વિજ્ઞાનને સમજી ‘ઉપવાસ’ કરે અને આસ્તિક માણસ ધર્મને નામે ‘ઉપવાસ’ કરે. શો ફરક છે ?”
    માફ કરજો, પણ ફરક મને લાગે કે પડે છે. મને આરોગ્યના વીષયમાં રસ હોવાથી આ કહું છું. આરોગ્યની દૃષ્ટીએ જ્યારે ઉપવાસ કરવામાં આવે ત્યારે અભીગમ ધર્મના કારણે કરવામાં આવેલા ઉપવાસ કરતાં અલગ પડી જાય છે.

    Like

  2. સુરેશ જાની કહે છે:

    આ પોસ્ટ વાંચતા પહેલા વિચારી લેજો એવી મફત સલાહ !
    ——-
    ના માની !
    ———-
    ધર્મ અને વિજ્ઞાન બંનેને ‘વિવેક’ની લગામની જરુર છે.
    આમાં સાર આવી ગયો. એ બે જ કેમ? બધે વિવેક જરૂરી છે.

    Like

  3. yuvrajjadeja કહે છે:

    મારું તો માનવું છે કે જે ચિત્તમાં હોય એ જ ચિત્તવન માં આવે ! શ્રેષ્ઠ ઉદાહરણ ઈન્ટરનેટ જ છે , જેના પર બધું જ ઉપલબ્ધ છે – લોકો પર આધાર રાખે છે કે તેઓ જીવનમાં શું મેળવવા માંગે છે . અને કોઈ પણ વસ્તુનો અતિરેક વિનાશ નોતરે જ છે , માટે આપે કહ્યું તેમ “વિવેક બુદ્ધિ ” હોવી જોઈએ . દવાઓની સાઈડ ઈફેક્ટસ ઈફેક્ટ ના કરે એ માટે જ એને કેટલા ડોઝમાં લેવી એ ડોક્ટર નક્કી કરે છે.
    આડવાત – મારી છેલ્લી પોસ્ટનો પ્રતિભાવ આપ અગર તમારી પોસ્ટના કોમેન્ટ બોક્સમાંથી કોપી પેસ્ટ કરીને મારી એ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં મુકશો તો ગમશે . મારી આવી રીક્વેસ્ટ પાછળ નું કારણ એ છે કે તમારો અભિપ્રાય મારે માટે મહમુલો છે , એન્ડ આઈ લવ યુ – પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ નામ ના દો 😉

    Like

  4. ગોવીન્દ મારુ કહે છે:

    વહાલા જગદીશભાઈ,
    લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘આસ્તીકતાનું પ્રત્યારોપણ’ના કેટલાક અવતરણો ‘ધર્મ-વિજ્ઞાન-વિવેક’ (આ પોસ્ટ) પર સંદર્ભ સાથે ઉમેર્યા તે બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

  5. […] ૪. ધર્મ – વિવેક – વિજ્ઞાન […]

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s